સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 13 October 2014

હવે કેન્દ્ર સરકાર આરબીઆઇને ફુગાવો કાબુમાં લેવાનું લક્ષ્ય આપશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

હવે કેન્દ્ર સરકાર આરબીઆઇને ફુગાવો કાબુમાં લેવાનું લક્ષ્ય આપશે

નાણા નીતિના માળખામાં આમૂલ ફેરફાર કરવા કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હી,સોમવાર
નાણા પ્રધાન અરૃણ જેટલીએ વર્તમાન નાણા નીતિના માળખામાં આમૂલ ફેરફાર કરવા માટે લીલી ઝંડી આપી છે અને તે અનુસાર હવે કેન્દ્ર સરકાર આરબીઆઇને ફુગાવાનું લક્ષ્ય આપશે અને જે મધ્યવર્તી બેન્કને હાંસલ કરવાનું રહેશે.
આ નવી સૂચિત વ્યવસ્થા હેઠળ રિઝર્વ બેન્ક ફુગાવાને તેના પોલિસી સ્ટેટમેન્ટમાં સર્વોચ્ચ પ્રાધાન્ય આપશે. નાણા નીતિના વર્તમાન માળખાની સમીક્ષા કરવા માટે આરબીઆઇ દ્વારા તેના ડેપ્યુટી ગવર્નર ઉર્જિત પટેલના નેજા હેઠળ એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી હતી અને તેની ભલામણોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમિતિએ નાણા નીતિ અંગેના નિર્ણયો ઘડવાની જવાબદારી મોનેટરી પોલિસી કમિટીને સોંપવાની ભલામણ કરી છે જેનું અધ્યક્ષપદ આરબીઆઇના ગવર્નર સંભાળશે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ મોદી સરકારે અગાઉ એવો નિર્ણય લીધો હતો કે આરબીઆઇ ફુગાવાનો દર હંમેશા ૪ ટકા નક્કી નહીં કરી શકે અને તેના સ્થાને કેન્દ્ર સરકાર ફુગાવાનો દર ઘટાડવા અંગેનું લક્ષ્ય નક્કી કરશે. નાણા વિભાગના અન્ય એક અધિકારીના જણાવ્યા મુજબ આરબીઆઇમાં બેસતા અમલદારો અને અર્થશાસ્ત્રીઓ કરતાં નાગરિકો દ્વારા ચૂંટાયેલી સરકાર દ્વારા ફુગાવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવે તે જ શ્રેષ્ઠ માર્ગ છે.
આ સમિતિએ કરેલી અન્ય ભલામણમાં આરબીઆઇને નવો કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) નવા માળખા હેઠળ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને ગયા સપ્તાહે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે નવા માળખામાં આરબીઆઇને સ્પષ્ટ લક્ષ્ય, સ્પષ્ટ સાધનો અને નિર્ધારિત લક્ષ્યોને હાંસલ કરવાની ક્ષમતા મળવી મહત્ત્વની છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment