સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 29 December 2015

નાસાએ મંગળ ગ્રહની ખીણની તસવીરો અને સૂર્યની અલ્ટ્રા ફૂટેજ રિલીઝ કરી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

નાસાએ મંગળ ગ્રહની ખીણની તસવીરો અને સૂર્યની અલ્ટ્રા ફૂટેજ રિલીઝ કરી

માર્સ રિકન્સાઈસન્સ ઓર્બીટર મિશન

ગોળ પથ્થરોથી ઢંકાયેલી દિવાલ ખીણમાં ઢળી રહી છે તેવો સંશોધકોનો દાવો

વોશિંગટન, તા.૨૯
અમેરિકાની વિશ્વ વિખ્યાત વૈજ્ઞાાનિક સંસ્થા નાસાએ તાજેતરમાં મંગળ ગ્રહ પરની તસવીર રજુ કરી હતી. આ તસવીરમાં એક ખીણ દ્રશ્યમાન થાય છે, જેની દિવાલો ગોળ પથ્થરોથી ઢંકાયેલી છે. સંશોધકે જણાવ્યું હતું કે, જમીન ઘસી પડવાનો સીધો ઢોળાવ પર્વતોની માટીને એકસાથે મોકલે છે અને ઢાળની ટોચ પરથી ટેકરી બનાવે છે. જ્યારે ભૌતિક પદાર્થો ઢોળાવ સુધી પહોંચે છે અને એ ધાર એક અંગુઠા કારની ટોચની રચનામાં સુવ્યાખ્યાતિ થાય છે.
મંગળ પરની ભુસ્ખલન વાળી આ ખીણની તસવીર ૧૯ માર્ચ, ૨૦૧૪ના રોજ મોકલાયેલા માર્સ રિકન્સાઈસન્સ ઓર્બીટરમાં લગાવેલા હાઈ રિઝોલ્યુશેન ઈમેઝિંગ સાયન્સ એક્સપરિમેન્ટ કેમેરા વડે લેવામાં આવી હતી. સંશોધકોનું કહેવું છે કે તસવીરોમાં જે ભુસ્ખલન બતાવવામાં આવ્યું છે એ અપેક્ષિત રીતે તાજુ હોવાનું જાણ થાય છે, તે ઉપરાંત અનેક પથ્થરો ઘસવાની તૈયારીમાં હોય તેવું લાગે છે. કેટલાક નાના નાના ખાડાઓ ભુસ્ખલનની અસર નીચે દબાયેલા હોય તેમ લાગે છે, તે ઉપરાંત સંખ્યાબંધના નાના કદના પથ્થરો પણ આ ખીણમાં જોવા મળે છે.
આ ઉપરાંત આજના દિવસે નાસાએ મંગળ ગ્રહ પરની એક તસવીરને જાહેર કરી હતી તો બીજી તરફ નાસાએ સુર્યના અલ્ટ્રા ફુટેજને રીલિઝ કર્યા હતાં. આ ફૂટેજ નાસાને સોલાર ડાયનેમિક્સ ઓબ્જર્વેટરીની મદદથી મળ્યા હતાં. આ મિશન સુર્ય પર સતત નજર રાખવા માટે નાસાએ અપનાવ્યું છે. વીડિયોમાં પ્રકાશના અલગ અલગ દસ વેવલેન્થને કેપ્ચર કરવામાં આવી છે. દરેક વેવલેન્થને અલગ અલગ કલરથી યુનિક રીતે તૈયાર કરાયેલી છે.
નાસાના સુત્રોએ જણાવ્યું હતું કે એક મિનિટનો વીડિયો તૈયાર કરવા માટે ખાસ લોકોની ટીમ તૈયાર કરવી પડી છે અને એક મિનિટના ફૂટેજને બનાવવામાં અંદાજે દસ કલાકથી પણ વધારે સમય લાગે છે. નાસાએ આ વીડિયો ફૂટેજને યુટયુબ પર રીલિઝ કર્યુ હતુ અને એક કરોડથી પણ વધારે લોકો નિહાળી ચુક્યા છે.




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday 25 December 2015

Download Meri Sadak Application...... ��खूबज उपयोगी माहीती��

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

Download Meri Sadak Application......

Download Mobile App for citizen feedback for PMGSY roads launched

Download Application : Click here

Visit official site http://omms.nic.in/



��खूबज उपयोगी माहीती��

पोतना गाम ना प्रधानमंत्री ग्राम सडक योजना ना रोडना कामोनी गुनवत्ता,निर्माणनी गति,रोकवामा आवेल कार्यो अने अनूरक्षणना मुल्यो विशे फरियादो अने प्रतीक्रियाओ नोधावी शक्से.
����नागरिक PMGSY सडकोनी वधारेमा वधारे 3 फ़ोटो लईने फ़रियाद / प्रतिक्रिया साथे उपलोड करी सके छे.
����सात दिवसनी अंदर सरकार द्वारा जवाब मल्वो अने 60 दिवसनी अंदर तेनू संपूर्ण रिते पूर्ण करवानु आश्वासन.
��Download Mobile App for citizen feedback for PMGSY roads launched




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday 21 December 2015

હરિયાણામાં મંદબુદ્ધિની યુવતીના ગેંગ રેપ, હત્યા કેસમાં સાતને ફાંસી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

હરિયાણામાં મંદબુદ્ધિની યુવતીના ગેંગ રેપ, હત્યા કેસમાં સાતને ફાંસી

આખરે કેટલી વાર 'નિર્ભયા' મરશે ઃ મહિલા ન્યાયાધીશની ટકોર

ફેબુ્રઆરી ૨૦૧૫માં મૂળ નેપાળની મંદબુદ્ધિની યુવતીની ગુપ્તાંગમાં પથ્થર, સળિયા નાંખી હત્યા કરાઈ હતી ઃ પી.એમ. રિપોર્ટમાં ગુપ્તાંગમાંથી પથ્થર, બ્લેડ મળ્યા હતા ઃ પોલીસે બળાત્કારીઓની માહિતી આપનારને રૃ. એક લાખનું ઈનામ જાહેર કર્યું હતું ઃ નિર્ભયાકાંડની જેમ આ કેસના કુલ નવ આરોપીમાંથી એક સગીર, એકની આત્મહત્યા

(પીટીઆઈ)    રોહતક, તા.૨૧
નિર્ભયા કાંડનો સૌથી ઘાતકી બળાત્કારીની મુક્તિનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે જ ચંદીગઢમાં રોહતકની અદાલતે પણ મંદબુદ્ધિની યુવતીના સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસમાં સાત આરોપને ફાંસીની સજા સંભળાવી છે.

આ ચુકાદો આપતા રોહતક જિલ્લા અદાલતના ન્યાયાધીશ સીમા સિંઘલે પણ નિર્ભયાને યાદ કરતા કહ્યું હતું કે, ''આખરે કેટલી વાર નિર્ભયા મરશે. આ પ્રકારના ગુનામાં મજબૂત હાથોથી કામ લેવું પડશે. કોઈને અમારું સન્માન છીનવવાનો અધિકાર નથી...''
'હરિયાણા ૧૬ ડિસેમ્બર' તરીકે જાણીતા થયેલા આ કેસમાં પણ નિર્ભયાકાંડની જેમ જ આરોપીઓએ ભયાનક ક્રૂરતા આચરી હતી. આ ઘટનાના પણ હરિયાણા સહિત દેશભરમાં પડઘા પડતા ફક્ત દસ જ મહિનામાં ચુકાદો આવી ગયો છે. આ ઘટનામાં પણ એક સગીરવયનો આરોપી સામેલ છે, જે અત્યારે જુવેઈનાલ જસ્ટિસ બોર્ડના ટ્રાયલનો સામનો કરી રહ્યો છે.
ગયા વર્ષ ફેબુ્રઆરી માસમાં રોહતકમાં મૂળ નેપાળની એક મંદબુદ્ધિની યુવતી અચાનક લાપતા થઈ હતી. ચાર દિવસ પછી રોહતક-હિસાર હાઈવે પર બહુ અકબરપુર ગામની સીમમાં આ યુવતીની લાશ મળી હતી. આ યુવતીના પોસ્ટમોર્ટમ અહેવાલમાં ઘટસ્ફોટ થયો હતો કે, આ યુવતી સાથે ભયાનક હિંસા આચરીને સામૂહિક બળાત્કાર કરાયો હતો. એટલું જ નહીં, યુવતીના ગુપ્ત ભાગમાં પથ્થર અને લોખંડના સળિયા નાંખીને તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હતી. આ યુવતીના ગુપ્તાંગોમાંથી પથ્થરો અને બ્લેડ પણ મળી આવી હતી.
આ સમાચાર પછી સ્વાભાવિક રીતે જ ચંદીગઢમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટના પછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને વિરોધ પક્ષોએ પણ મનોહરલાલ ખટ્ટર સરકારનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પરિણામે પોલીસે ઝડપથી તપાસ હાથ ધરીને નજીકના ગદ્દીખેડી ગામના રહેવાસી સુનીલ, પદમ, મનવીર, રાજેશ, સરવર, સુનીલ અને સોમવીર સહિત એક સગીર વયના આરોપીની અટકાયત કરી હતી. મૂળ દિલ્હીના સોમવીરે બાદમાં આત્મહત્યા કરી લીધી હતી.
નોંધનીય છે કે, આ કેસની તપાસ કરવા હરિયાણા પોલીસે સાત ટીમ બનાવી હતી. એટલું જ નહીં, આ ગુનેગારોની માહિતી આપનારાને રૃ. એક લાખનું ઈનામ પણ જાહેર કરાયું હતું. આ કેસમાં ફક્ત દસ જ દિવસમાં ૬૧માંથી ૫૭ સાક્ષી ફરી જતા પોલીસને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

ચુકાદા પહેલાં મહિલા ન્યાયાધીશ સીમા સિંઘલની ટિપ્પણી
એક મહિલા તરીકે હું તેની ચીસો સાંભળી શકું છું

રોહતક, તા.૨૧
આજે ચુકાદો આપતા પહેલાં રોહતક જિલ્લા અદાલતના ન્યાયાધીશ સીમા સિંઘલે ટિપ્પણી કરી હતી કે, આ કેસમાં પોલીસે તમામ પુરાવા સાથેની ૩૦૦ પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે. આજે હું ન્યાયિક પ્રક્રિયા પૂરી કરવા જ આવી છું.
આ ઘટનાને જે રીતે અંજામ અપાયો છે તેના માટે ફાંસી પણ ઓછી છે
એક ન્યાયાધીશ પહેલાં હું માણસ છું અને માણસથી પણ પહેલાં એક સ્ત્રી છું. આ યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી ખબર પડી છે કે, કેટલી યાતના આપીને તેની હત્યા કરાઈ છે. એક મહિલા તરીકે હું એ મંદબુદ્ધિની યુવતીની ચીસો સાંભળી શકું છું. હું તેનું દર્દ સમજી શકું છું, જે આ રાક્ષસોએ તેને આપ્યું છે. આ ફેંસલો આવા ગુના કરનારા માટે બોધપાઠ સમાન છે. જો આજે હું આ ચુકાદામાં ઢીલ રાખીશ તો આ યુવતી સાથે મૃત્યુ પછીયે અન્યાય થયો ગણાશે. આ ઘટનાને જે રીતે અંજામ અપાયો છે એ માટે ફાંસીની સજા પણ ઓછી છે. આ પ્રકારની સજાથી કદાચ આપણે આવા ગુના અટકાવતા રોકી શકીશું. આપણે નિર્ભયા જેવું નામ આપીને આપણી ઓળખ છુપાવવાની જરૃર નથી.




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Sunday 20 December 2015

૨૨મીએ પંચાયતી રાજ પર કોણે કબજો મેળવ્યો તે સ્પષ્ટ થશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

૨૨મીએ પંચાયતી રાજ પર કોણે કબજો મેળવ્યો તે સ્પષ્ટ થશે

પંચાયતોમાં રાજકીય પંચાત શરૃ

આજે ફોર્મ ભરાશે,આવતીકાલે પ્રમુખો ચૂંટાશે

ભાજપ-કોંગ્રેસે જિલ્લા - તાલુકા પંચાયતના પ્રમુખ,ઉ.પ્રમુખના મેન્ડેટ આપ્યાં ઃ સત્તા મેળવવા બન્ને પક્ષો વચ્ચે ખેંચતાણ
અમદાવાદ ,રવિવાર
જિલ્લા - તાલુકા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખની નિમણૂંક કરવા માટે ભાજપ - કોંગ્રેસમાં રવિવારે પણ ધમધમાટ ચાલુ રહ્યો હતો. સ્થાનિક કક્ષાથી માંડીને નિરીક્ષકોના અહેવાલ આધારે મેન્ડેટની કામગીરી પૂર્ણ કરાઇ હતી. સોમવારે જિલ્લા - તાલુકા પંચાયતોમાં બંન્ને પક્ષના નિરીક્ષકોની ઉપસ્થિતીમાં પ્રમુખ, ઉપપ્રમુખ માટેના ફોર્મ ભરાશે. મંગળવારે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. ૨૨મીએ આખાયે રાજ્યમાં કઇ પંચાયત પર કોણે વિજય વાવટો લહેરાવ્યો તેનું ચિત્ર સ્પષ્ટ બનશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે ભાજપનો સફાયો થયો છે અને ઘણાં લાંબા વખત બાદ કોંગ્રેસ પંચાયતોમાં શાસન કરવા જઇ રહી છે. જોક, હજુયે ઘણી પંચાયતોમાં ડખાં છે પરિણામે ભાજપ કે કોંગ્રેસ સત્તા મેળવશે તે તો સ્થાનિક રાજ્કારણ નક્કી કરશે.
રવિવારે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ સમિતી ખાતે પ્રભારી ગુરૃદાસ કામત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સ્થાનિક નેતાઓની રજૂઆતથી માંડીને નિરીક્ષકોના અહેવાલ આધારે જિલ્લા-તાલુકા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખના નામોની આખરી પસંદગી કરીને મેન્ડેટ આપવાની કામગીરી પૂર્ણ કરી હતી. આ ઉપરાંત નિરીક્ષકો સાથે બેઠક યોજીને જે તે જિલ્લા - તાલુકામાં સર્વાનુમતે પક્ષના આદેશ મુજબ ચૂંટણી યોજાય તે માટે સૂચના આપી હતી. ભાજપે પણ પ્રમુખ, ઉપપ્રમુખના નામોની પસંદગીને આખરી ઓપ આપ્યો હતો. ૨૧મી સોમવારે તાલુકા - જિલ્લા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વખતે ભાજપ - કોંગ્રેસના નિરીક્ષકો હાજર રહેશે. કોઇ સભ્ય છેલ્લી ઘડીએ બળવો ન કરે તેના પર નિરીક્ષક બાજનજર રાખશે. ૨૨મીએ પ્રમુખ, ઉપપ્રમુખના નામોની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. આમ, મંગળવારે ગુજરાતના પંચાયતી રાજ પર કોણ કબજો કર્યો તે ચિત્ર એકદમ સ્પષ્ટ થઇ જશે.

કોંગ્રેસ ૧૩૫ તા.પં, ૨૧ જિલ્લા પંચાયતોમાં સત્તાની ઇનિંગ રમશે
કોંગ્રેસ ઘણાં લાંબા સમય બાદ તાલુકા , જિલ્લા પંચાયતોમાં સત્તાના સિંહાસને બિરાજશે. સૂત્રોના મતે, ૧૨૪ તાલુકા પંચાયત અને ૨૧ જિલ્લા પંચાયત પર કોંગ્રેસ બહુમતીના જોરે સત્તા મેળવશે. આમ છતાંયે કોંગ્રેસને એ વાતનો ભય સતાવે છેકે, ભાજપના તડજોડના રાજકારણને પગલે ત્રણ-પાંચ તાલુકા પંચાયત , બે જિલ્લા પંચાયતોમાં હાથમાંથી સરકી જાય તેમ છે. જયારે નર્મદામાં જેડીયુના સહકારથી જિલ્લા પંચાયત પર કબજો મેળવવામાં કોંગ્રેસ સફળ થશે. આ ઉપરાંત ગીર સોમનાથ અને ભરૃચમાં પણ કોંગ્રેસ માટે ઉજળી તકો છે. આમ છતાંયે ભાજપના રાજકીય ખેલ ખેલે તો ચિત્ર છેલ્લી ઘડીએ બદલાઇ શકે છે.

૧૬ જિલ્લા-તાલુકા પંચાયતોમાં ચિઠ્ઠી ઉછળશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે પરિણામોએ ગ્રામિણ વિસ્તારના રાજકારણમાં ભારે બદલાવ લાવી દીધો છે.અમદાવાદ ઉપરાંત દક્ષિણ ગુજરાતની જિલ્લા-તાલુકા પંચાયતોમાં સોમવારે ભાજપ-કોંગ્રેસનું નસીબ કામ કરશે. જયાં સરખી બેઠકો હોય ત્યાં ચિઠ્ઠી ઉછાળીને સત્તા સોંપાશે. ઉલ્લેખનીય છેકે, ધોળકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ચિઠ્ઠીના જોરે જ સત્તા મળી છે.

૨૦ જિલ્લા - તાલુકા પંચાયતમાં અપક્ષો સત્તા નક્કી કરશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પરિણામોએ એવી પરિસ્થિતી સર્જી છેકે, ૪ જિલ્લા પંચાયત અને ૧૬ તાલુકા પંચાયતમાં અપક્ષ જ ભાજપ કે કોંગ્રેસમાંથી કોઇ એકને સત્તાના સિહાસને બિરાજવામાં મહત્વની ભૂમિકા નક્કી કરશે.દેવભૂમિ દ્વારકા ,ગીર સોમનાથ, ભરૃચ અને નર્મદા જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસને સરખી બેઠકો મળી છે પરિણામે અપક્ષો પર જ દારોમદાર છે. ૧૬ તાલુકા પંચાયતોમાં પણ કઇંક આવી જ સ્થિતી છે. હવે સત્તા હાંસલ કરવા માટે ભાજપ-કોંગ્રેસે અત્યારથી અપક્ષોની ખરીદી કરવા તડજોડની રાજનિતી રમી છે. અપક્ષોને બંન્ને રાજ્કીય પક્ષો તરફથી ભરપૂર ઓફરો કરવામાં આવી રહી છે.

૪ તાલુકા પંચાયતોમાં અપક્ષો સત્તાના સિંહાસને બિરાજશે
૨૩૦ તાલુકા પંચાયતોમાં ચાર તાલુકા પંચાયતમાં એવી સ્થિતી સર્જાઇ છેકે, જયાં અપક્ષોની સંખ્યા ભાજપ-કોંગ્રેસ કરતાં યે વધુ છે. ગીર સોમનાથના કોડિનાર તાલુકા પંચાયત, ભરૃચના નેત્રંગ તાલુકા પંચાયત, વાલિયા તાલુકા પંચાયત, નર્મદાના સાગબારા તાલુકા પંચાયતમાં અપક્ષો ભાજપ-કોંગ્રેસના ટેકાથી સત્તા મેળવે તેમ છે.




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday 14 December 2015

ક્રૂડના ભાવ નીચા હોવા છતાં ફુગાવો વધ્યો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

ક્રૂડના ભાવ નીચા હોવા છતાં ફુગાવો વધ્યો

કઠોળના સરેરાશ ભાવોમાં ૪૬ ટકાનો વધારો થતાં પ્રજા પરેશાન

નવેમ્બર મહિનાનો ગ્રાહક ભાવ નિર્દેશાંક આધારિત ફુગાવો તથા જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો વધીને આવ્યા હતા. ગ્રાહક ભાવ નિર્દેશાંક અથવા રિટેલ ફુગાવો ૫.૪૧ ટકા રહ્યો હતો જે આ વર્ષના જાન્યુઆરીમાં જ્યારથી નવી શ્રેણી અમલમાં આવી છે ત્યાર પછી સૌથી ઊંચો છે. ઓકટોબરનો રિટેલ ફુગાવો ૫ાંચ ટકા હતો જ્યારે ગયા વર્ષના નવેમ્બરમાં ફુગાવાનો દર ૩.૨૭ ટકા રહ્યો હતો.
કેન્દ્રએ જારી કરેલા આંકડા પ્રમાણે ખાધાખોરાકીનો રિટેલ ફુગાવો ઓકટોબરના ૫.૨૫ ટકાથી વધીને નવેમ્બરમાં ૬.૦૭ ટકા આવ્યો
સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક ઓફિસ દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે, ખાધાખોરાકીનો રિટેલ ફુગાવો ઓકટોબરનો ૫.૨૫ ટકા પરથી વધી નવેમ્બરમાં ૬.૦૭ ટકા આવ્યો છે. ગયા વર્ષના નવેમ્બરમાં આ દર ૧.૧૩ ટકા હતો. કઠોળના ભાવમાં ૪૮.૦૬ ટકા, શાકભાજીના ૪ ટકા વધારો નોંધાયો છે.
ઈન્ડેકસમાં ૫૪ ટકા હિસ્સો ધરાવતા ફૂડ એન્ડ બિવરેજિસના ભાવમાં ૬.૧૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે. દેશનો જથ્થાબંધ ફુગાવો નવેમ્બરમાં સતત ૧૩મા મહિને -૧.૯૯ ટકા સાથે નકારાત્મક રહ્યો હતો. જો કે ફુગાવામાં ઘટાડાની ગતિ ઓકટોબરની સરખામણીએ ધીમી પડી છે. ઓકટોબરમાં ફુગાવો -૩.૮૧ ટકા રહ્યો હતો. જથ્થાબંધ ફુગાવો નીચો રહેવાનું મુખ્ય કારણ તેલના નીચા ભાવ જવાબદાર છે. ગયા વર્ષના નવેમ્બરની સરખામણીએ આ વર્ષના નવેમ્બરમાં તેલના જથ્થાબંધ ભાવ ૧૧.૦૯ ટકા નીચે છે. જો કે નવેમ્બરમાં ખાધાખોરાકીનો ફુગાવો વાર્ષિક ધોરણે ૫.૨૦ ટકા રહ્યો છે જે ઓકટોબરમાં ૨.૪૪ ટકા રહ્યો હતો એેમ પ્રાપ્ત આંકડા જણાવે છે.




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday 7 December 2015

ગ્લોબલ વોર્મિગની સમાજ પર અસર

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

ગ્લોબલ વોર્મિગની સમાજ પર અસર
“માનવીની જરૂરીયાત પૂર્ણ કરવા માટે પર્યાવરણ પાસે પૂરતું છે, પરંતુ તેમનાં લાભને સંતોષવા માટે અસમર્થ છે.” - ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ઉપરનું વાકય અત્યારની પર્યાવરણની સ્થિતિ માટે સત્ય છે. અત્યારે માણસ એ મંજિલ પર પહોંચ્યો છે. તે નિર્ણય નથી લઇ શકતો કે તે આગળ જાય છે કે પાછળ. આપણે વાત કરીએ છીએ એકવીસમી સદીનાં સૌથી મોટા પર્યાવરણીય સંકટની. જેને આપણે ગ્લોબલ વોર્મિગના નામથી જાણીએ છીએ.

આજથી ૬૦ વર્ષ પહેલાં એક ૧૫ વર્ષીય કિશોર ગાય દોહતી પોતાની માતાને પૂછે છે કે બા, તમે ગાયના ચાર આંચળ ધોઇને ત્રણ આંચળમાંથી જ દૂધ કેમ દોહો છો ? ચોથો આંચળ કેમ દોહતા નથી?તે કિશોરની માતાએ સુંદર જવાબ આપ્યો ‘બેટા, જો ગાયના ચારેચાર આંચળમાંથી દૂધ ખેંચી લઇશું તો વાછરડું શું કરશે ?’ આ સંવાદ કોઇ એક વ્યકિત કે પરિવારવિશેષ સાથે સંકળાયેલો નથી. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારમાં પ્રકૃતિને ઇશ્વરનો દરજજો આપવામાં આવ્યો છે.સૂર્ય, ચંદ્ર, પવન, પાણી, અગ્નિ અને પૃથ્વીને આપણી સંસ્કૃતિમાં આરાધ્ય દેવ ગણી પૂજા કરવામાં આવે છે. એટલે કે, આપણે પહેલાંથી પ્રકૃતિપ્રેમી રહ્યા છીએ.ઉપરોકત સંવાદનો ભાવાર્થ પણ એ જ છે કે આપણે પ્રકૃતિનું શોષણ નહીં, પરંતુ તેનું દોહન કરવું જોઇએ. જો આપણે પ્રકૃતિમાંથી સતતલેવાની ભાવના રાખીશું તો તેનો નાશ થઇ જશે.ઉધોગીકરણની લ્હાયમાંઅને બીજાદેશોની પાછળ ન રહી જઇએ તે માટે દરેક દેશ આડેધડ રીતે ઉધોગો સ્થાપી રહ્યાછે. આ ઉધોગોને ચલાવવા વીજળી જોઇએ, તેથી મોટાં-મોટાં વીજમથકો બનાવવાં પડે છે અને વિકાસની સાથે કદમ મિલાવવા મોટરકાર-ટ્રકો ચલાવવાં પડે છે. છેવટે વાતાવરણમાં પ્રદૂષણ વધે છે અને વાતાવરણનું સંતુલન બગડે છે.
આજનો “ગ્લોબલ વોર્મિગ” શબ્દ એ અંગ્રેજી શબ્દ છે.જેનો અર્થ “વૈશ્વિક તાપમાન” એવો થાય છે. માનવીય પ્રવૃતિઓના કારણે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. એટલે જ છેલ્લાં હજારો વર્ષોમાં જેટલો તાપમાનમાં વધારો નથી થયો તેટલો તાપામાનનો વધારો છેલ્લા દસ વર્ષમાં થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં તો દુનિયાના સૌથી ઠંડા દેશ તરીકે જાણીતા દેશોમાં પણ ગરમીનો પ્રકોપ ચાલુ થયો છે. આ રીતે વધતી ગરમીને ગ્લોબલ વોર્મિગ કે વૈશ્વિક તાપમાન કહી શકાય. પૃથ્વીમાંથી હવાનો ઘટાડો અને મહાસાગરના સામાન્ય તાપમાનમાં થતો સતત વધારો એજ ગ્લોબલ વોર્મિગ છે.૨૦મી સદીના મધ્યભાગથી જ તાપમાનમાં સતત વધારો થતો રહ્યો છે.૨૦મી સદીની શરૂઆતથી અંત સુધી ગ્લોબલ તાપમાન ૦.74 + 0.18.c (1.33 0.32.ફેરનહિટ) વધ્યું. કલાયમેટ ચેંજ માટે ઇંટરગવાર્ન્મેંટલ પૈનલ (આઇપીસીસી) નું કહેવું છે કે તાપમાનમાં આ વૃધ્ધિ ગ્રીન હાઉસ ગેસોમા કોન્સંટ્રેશનમાંવૃધ્ધિ થવાને કારણે થઇ રહી છે અને આનું મુખ્ય કારણ છે માનવી. માનવીની રોજબરોજની જિંદગીમાં ઇંધણનોવધુ ઉપયોગ અથવા જંગલો ઓછા થવા જેવી ઘણી વસ્તુઓ તાપમાનમાંવૃધ્ધિ માટે જવાબદાર છે. આઇપીસીસીનું એ પણ કહેવું છે કે સોલર રેડિયેશન અને જવાળામુખી જેવી પ્રાકૃતિક ઘટનાઓથી પણ તાપમાન વધી રહ્યું છે. પરંતુ વોર્મિગ પછી કૂલિંગ એ ઝડપથી થતું નથી. ઉધોગીકરણ પછી તો વોર્મિગ વધવાનો સિલસિલો વધતો જ ગયો છે.ગ્લોબલ વોર્મિગના આ બધા કારણોથી ૪૦ થી પણ વધુ વૈજ્ઞાનિક સોસાયટીઓએપોતાનીમહોરલગાવી છે, આમાં ઘણાં બધાં ઔધોગિક દેશ પણ સામેલ છે.

ગ્લોબલ વોર્મિગ ઉદ્દભવવા પાછળ મુખ્યત્વે ઉધોગીકરણ,શહેરીકરણ અને વસ્તીવૃધ્ધિ આ ત્રણ કારણ જવાબદારગણાવી શકાય. ઉધોગીકરણ અને શહેરીકરણને લીધે ઉધોગો અને વાહનોમાંથી નીકળતા ઝેરી વાયુઓ જેવા કાર્બન ડાયોકસાઇડ (co2) ,ક્લોરોફલોરો કાર્બન (CFC),મિથેન (CH4) અને નાઇટ્રોજન ઓકસાઇડ(NO) વગેરે વાયુઓને લીધે ઓઝોન સ્તરમાં ગાબડુંપડે છે અને સુર્યના ક્ષ કિરણો સીધા પૃથ્વી પરપડે છે. આમાનાં કેટલાક ક્ષ કિરણો પરાવર્તીત થઇને પાછા અવકાશમાં જાય છે. તે કિરણોને આ ઝેરી વાયુઓનું પડ રોકીને પાછા પૃથ્વી પર ફેંકે છે જેનાથી પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. વૃક્ષો કાર્બન ડાયોકસાઇડ ગ્રહણ કરીને આપણને ઓક્સિજન આપે છે તેમજ પૃથ્વી પર વાતાવરણને ઠંડુ રાખે છે. પરંતુ વસ્તીવૃધ્ધિને લીધે વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થવાથી પણ પૃથ્વી પર તાપમાનમાં વધારોથયો છે. જેની માનવસમાજ તેમજ સમગ્ર સૃષ્ટિ ઉપર અસર થઇ છે. તેમજ વધતા જતાંઅણુપરીક્ષણને પણ ગ્લોબલ વોર્મિગ માટેજવાબદાર ગણાવી શકાય.

વીસમી સદીમાં પૃથ્વી પરનું તાપમાન સામાન્યથી 0.5. સે. સુધી વધ્યું હતું અને હવે એ સંભાવના છે કે ઇ.સ. 2050ની સાલ સુધીમાં પૃથ્વીનું તાપમાન લગભગ 1.5. સે. થી 5.5. સે. સુધી વધશે, એ પૃથ્વી પર તાપામાનના પ્રકોપનો સંકેત છે. આજે વિશ્વના મોટાભાગના દેશો પર આપત્તિ આવી રહી છે. જેનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિગ છે. થોડા સમય પહેલા મ્યાનમાર અને બાંગ્લાદેશે ભયંકર તોફાનોનો સામનો કર્યો હતો. તેમજ જમૈકામાં ગુસ્તાવ નામનાં વાવાઝોડાએ દેશને બરબાદ કરી નાખ્યો. એક બાજુ અતિવૃષ્ટિ અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. આમ ઋતુચક્ર્માં ફેરફાર થવાથી માનવસમાજ પર સૌથી મોટી અસર થતી જણાય છે.
ગ્રીનહાઉસ ઇફેકટની સૌથી વધારે અસર હિમખંડો ઉપર થઇ છે. જેના કારણે હિમશિખરો પીગળવા લાગ્યા છે અને તેની સાથે સંકળાયેલી પરિસ્થિતિ અસંતુલીત થવા લાગી છે. હિમવર્ષા ઓગળવાથી નદીઓના પાણીમાંવધારોથાયછે અને પુરની સ્થિતિ સર્જાય છે.હિમખંડો તૂટવાની ઘટના આજે સામાન્ય બનતી જાય છે. લગભગ ૬૦ કિલોમીટર ક્ષેત્રફળમાં ફેલાયેલા આઇલ્સ હિમખંડનું વિખંડન એટલું પ્રભાવી હતું કે તેનાથી ૨૫૦ કિલોમીટર સુધી ભૂકંપનો અનુભવ કરાવી દીધો હતો. આ ઘટના ૧૩, ઓગસ્ટ ૨૦૦૫માં ઘટી હતી . હિમનદીઓ ઓગળવાથી તેની અસર માત્ર હિમની પરિસ્થિતિ ઉપર જ નથી પડતી પરંતુ તેની અસર સમુદ્ર ઉપર પણ થતી જોવા મળે છે. સમુદ્રનું સ્તર હવે ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું છે. એક અભ્યાસઅનુસાર ૩ સેન્ટીગ્રેટ તાપમાન વધવાથી સાગરનું જલસ્તર ૦.૨ થી ૧૦૫ મીટર સુધી ઉંચું આવે છે. સમુદ્રમાં પાણીનીસપાટી ઉંચી આવવાથી દરિયાકિનારાના વિસ્તારો પર તેની અસર જોવા મળે છે.

વૈશ્વિક તાપમાનમાં ગ્રીનહાઉસ ઇફેક્ટની અસર ખેતીપર પડે છે.ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં આનો પ્રભાવ સૌથી વધુ હોય છે. લગભગ ૨.સેન્ટીગ્રેટ તાપમાનનો અસામાન્ય વધારો થવાથી પાકો પર તેની અસરો પડેલી જોવા મળે છે. ખાસ કરીને ઘઉં, મકાઇ, ડાંગર વગેરે છોડ પર પણ તેની અસર ઝડપથી વર્તાય છે. ધરતી પર વધતું જતું રણ એ એક સમસ્યા બનતી જાય છે. વિશ્વના ૧૧૦ દેશોમાં મરુસ્થલીકરણ પોતાનો પગ પસાર કરી ચૂકયો છે. એમાં વિકસિત દેશ અને વિકાસશીલ દેશ બંનેનો સમાવેશથાયછે.વૈશ્વિક તાપમાનને લીધે વૃક્ષોનો ઝડપથી વિકાસ ન થવાને કારણે રણપ્રદેશ ઝડપથી આગળ વધી રહ્યા છે. અનુમાન છે કે દર વર્ષે ૫ લાખ હેકટર જમીન માનવીની ઉપભોક્તાવાદી સંસ્કૃતિને લીધે રણપ્રદેશમાં ફેરવાઇ રહી છે. આના પાછળ વૃક્ષછેદન અને વધારે પડતા વૈશ્વિક તાપમાનનો સૌથી મોટો હાથ છે.
પૃથ્વીપર તાપમાનમાં વધારો થવાથી માનવ જીવન ઉપર તેની અસર પડી છે. જીવન જીવવાની રક્ષાત્મકપ્રણાલી ખરાબ રીતે નાશ પામી રહી છે. અનેક રોગોનો ફેલાવો વધી રહ્યો છે. ચામડીના રોગીઓની સંખ્યા અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની તેમજ ઓસ્ટ્રેલિયામાં વધી રહી છે. મેલેરીયા તેમજ ફાયલેરીયાની બીમારીનો પ્રભાવ કેન્યા તેમજ ઇન્ડોનેશિયા જેવા દેશોમાં વધારે જોવા મળે છે. અતિશય ગરમીથી શ્વસનદરમાં વધારો થયો છે. આંખોના રોગમાં ખાસ કરીને મોતીયાની સંખ્યામાં અને ચામડીનાં કેન્સરમાં વધારો થયો છે. ગ્લોબલ વોર્મિગના લીધે વાતાવરણ સાથે અનુકૂલન નસાધી શકવાથી આજે ઘણી બધી પશુ-પક્ષીઓની જાતિ લુપ્ત થતી જાય છે. જેની સીધી અસર પરિસ્થિતિ તંત્ર પર પડે છે.ગ્લોબલ વોર્મિગથી બચવા માટેના ઉપાયો નીચે મુજબ છે

ગ્લોબલ વોર્મિગથી બચવા માટેના ઉપાયો:
  • કૃષિ કચરામાંથી બનેલા બાયોફ્યુઅલનો ઉપયોગ– સેલ્યુલોઝને તોડવાની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખરાબ લાકડાને ઇંધણ તરીકે વાપરી શકાય છે. આ પ્રયોગનો પ્રેક્ટિકલ ઉપયોગ જલદીથી થઇ શકે છે.
  • કાર્બન કેપ્ચર ટેકનિક– નવી કાર્બન કેપ્ચર ટેક્નોલોજીમાં મૂડીરોકાણ કરવાની જરૂર છે. વિવિધ દેશોની સરકારો આ ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવા માટે વિચારી રહી છે. આ ટેકનોલોજીમાં પાવર પ્લાન્ટ અને રીફાઇનરીથી એકત્ર કરવામાંઆવેલ કાર્બનને વાતાવરણમાં છોડવાને બદલે કોઇ અંડરગ્રાઉન્ડમાં સ્ટોર કરવાથી ગ્લોબલ વોર્મિગનું જોખમ ઘટાડી શકાય છે.
  • પવન ઊર્જા-જો પવન ઊર્જાનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો ૩૦ ટકા વિજળીની બચત થઇ શકે તેમ છે. ગુજરાત જેવા દરિયા કિનારે આવેલાં રાજયો આનો મહત્તમ લાભ લઇ શકે છે.
  • સૌર ઊર્જા –વિશ્વમાં જેટલી ઊર્જા પરંપરાગત રીતે ઉત્પન્ન કરવામાં આવે છે તેના કરતાં પણ વધુ ઊર્જા સૂર્ય દ્વારા મેળવી શકાય છે. સૂર્ય ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવાથી પૈસાની પણ ઘણી બચત થશે અને પ્રકૃતિનું દોહન થતું અટકી જશે.
  • ઘરેલું માઇક્રો જનરેટર– આ પ્રકારના માઇક્રો જનરેટરનો ઉપયોગ કરીને ઘર, ઓફિસ અને કંપનીઓમાં પાણી ગરમ કરી શકાય છે. આનાથી વીજળીની ઘણી બચત થઇ શકે છે.
  • પર્યાવરણનો દ્ષ્ટિકોણ રાખી ઇમારતો તૈયાર કરવી –ઇમારતો તૈયાર કરતી વખતે વેન્ટિલેશનનું ધ્યાન રાખવું. જેથી પવનની અવરજવર થઇ શકે અને ઇમારતોમાં બિનજરૂરી વીજળીનો ઉપયોગ કરવો ન પડે.
  • બળેલા કોલસામાંથી કાર્બન અલગ કરવો –હવાની અનુપસ્થિતિમાં બળેલાં કૃષિ દ્રવ્યોમાંથી ચારકોલ બનાવવો. બળેલો કોલસો ઘણો સ્થાયી હોય છે. કાર્બનને હવામાં છોડ્યા વગર નવસો વર્ષ સુધી અંડરગ્રાઉન્ડમાં સ્ટોર કરી શકાય છે.
  • સમુદ્ર ઊર્જા- લહેરો અને તરંગોમાં ઊર્જાની ઘણી સંભાવનાઓ છે. ઊર્જા ઉત્પાદક મોજાંપાણીની ૫૦ મીટર અંદર તરંગ ઊર્જા ઉત્પન્ન કરે છે. તેનો ચુંબકીય હિસ્સો સમુદ્રનાં પાણીમાં અને ઇલેક્ટ્રિક હિસ્સો ઊંચા મોજાં સાથે જોડાયેલ હોય છે. સમુદ્રની લહેરોનો ઘૂઘવાટ નિયોડિમિયમ આર્યનમાંથી ઉત્પન્ન ચુંબક જે ઇલેકિટ્રક કોયલને આગળ પાછળ ધકેલે છે જેનાથી ઊર્જા ઉત્પન્ન થાય છે.
  • બાયોગેસ સ્ટવનો ઉપયોગ- સડી ગયેલા કાર્બનિક કચરા દ્વારા છોડવામાં આવેલ મિથેન ગેસ પ્રાપ્ત ઊર્જાથી ચાલતોબાયોગેસ સ્ટવ સૌથી સારો વિકલ્પ છે.
  • ઇલેકિટ્રક કાર અને ટુ વ્હીલર–પેટ્રોલ-ડિઝલથી ચાલતી કારની તુલનામાં ઇલેકિટ્રક કાર સસ્તી પડે છે. સાથે CNG ગાડી પણ સસ્તી પડે છે. પેટ્રોલ-ડિઝલ બળવાથી પર્યાવરણને નુકશાન થાય છે, જયારે ઇલેકિટ્રક કાર અને CNGમાં આ સમસ્યા ઊભી થતી નથી.
આમ,પ્રાથમિક શિક્ષણથી લઇને કોલેજોનાં અભ્યાસક્રમમાં પર્યાવરણ વિષય દાખલ કરી બાળકો તેમજ યુવાનોને જાગૃત કરવા જોઇએ. ટૂંકમાં, પૃથ્વીને બચાવવી કે તેનો નાશ કરવો તેનો ફેંસલો આપણા હાથમાં છે.
*************************************************** 
અર્પિત ર. પટેલ




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

ગ્‍લોબલ વોર્મિગ એટલે શું? - ગ્‍લોબલ વોર્મિગના પ્રકારો - ગ્‍લોબલ વોર્મિગના કારણો - ગ્‍લોબલ વોર્મિગની અસરો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

ગ્‍લોબલ વોર્મિગ એટલે શું?
‘જેમ-જેમ ઉષ્‍ણતાશોષક વાયુનું પ્રમાણ વધતું ગયું છે, તેમ-તેમ પૃથ્‍વીનું લાંબાગાળાનું સરેરાશ વૈશ્વિક તાપમાન ધીરે-ધીરે વધતું ગયું છે. વૈશ્વિક તાપમાન વધવાની પ્રક્રિયાને ગ્‍લોબલ વોર્મિગ કહેવાય છે.’

અત્‍યાર સુધી આપણે માનતા હતા કે પૃથ્‍વી અત્‍યંત મોટી છે. તથા પ્રકૃતિ એટલી શક્તિશાળી છે કે આપણી કોઇપણ પ્રવૃત્તિથી પ્રકૃતિનાં સામાન્‍ય વ્‍યવસ્‍થાતંત્ર ઉપર કોઇ નોંધ પાત્ર કે લાંબા ગાળાની અસરો થશે નહિ. પરંતુ હવે સિધ્‍ધ થયુ છે કે માનવી પ્રાકૃતિક વ્‍યવસ્‍થાતંત્રને નોંધપાત્ર રીતે બદલી રહ્યો છે. આધુનિક સમયમાં ઔદ્યગિક ક્રાંતિને કારણે પૃથ્‍વીના વાતાવરણના બંધારણમાં પરિવર્તન થયું છે. જેને લીધે ગ્‍લોબલ વોર્મિગની ઘટના બનવા પામી છે.

ગ્‍લોબલ વોર્મિગ અંગેનો સૌ પ્રથમ વિશ્વસનીય અંદાજ ૧૯૬૦ માં અમેરિકાની પ્રિન્‍સ્‍ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આપ્‍યો હતો. તેમણે બતાવ્‍યું હતું કે ઉદ્યોગો અને વાહન વ્‍યવહારમાં વપરાતા ખનીજ બળતણ (કોલસો, તેલ અને કુદરતી વાયુ) ને કારણે વાતાવરણમાં ફેલાતા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ જો બે ગણું થશે તો ૨૧ મી સદીના અંતે વૈશ્વિક તાપમાન ર સે. જેટલુ વધશે અને તેથી આબોહવામાં મોટું પરિવર્તન થશે.

ગ્‍લોબલ વોર્મિગથી ગરમ થતા ટાપુઓ

સમુદ્રની સપાટીનું વધવું એ નક્કર હકિકત છે. બંગાળના અખાતમાં આવેલા સુંદરવન પર નજર નાખતા જ ખ્‍યાલ આવે કે આ ઘટના કેટલી ભયાનક છે. એક ટાપુને આખોને આખો સમુદ્રએ પોતાના પેટમાં સમાવી લીધો છે ૭૦૦૦ લોકો પોતાનું સર્વસ્‍વ ગુમાવી ચૂક્યા છે. આ તો હજુ શરૂઆત છે.

બંગાળના અખાતમાં આવેલા મૌસમી ટાપુના બલિહાર ગામમાં વસતા મુસ્‍તફાઅલી નામના ખેડુતની ૧૨ વીઘા જમીન ગયા વર્ષ દરિયમાં સમાઇ ગઇ એટલું જ નહિ છેલ્‍લા દસ વર્ષમાં ત્રણવાર તે પોતાનું ઘર ખોઇ ચૂક્યો છે. ખેતી છોડીને મૂસ્‍તફા હવે માછીમારીથી પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે.

સુંદરવનનાં દક્ષિણ તરફના ૧૩ ટાપુઓની જમીનો દર વર્ષે સમુદ્રની વધતી જતી સપાટીને પરિણામે ડૂબતી જાય છે. ૧૦૦૦ કુટુંબોની વસતી જતી સપાટીને પરિણામે ડૂબતી જાય છે. ૧૦૦૦ કુટુંબોની વસતી ધરાવતો ‘લોકોચાર ’ ટાપુ તેમજ બીજો ‘સુપાટીભગા’ નામનો નિર્જન ટાપુ તો પૂરે પૂરા સમુદ્રની નીચે આવી ચૂક્યા છે.

સુંદરવનમાં ૧૦૨ ટાપુઓ આવેલા છે. જેમાં ભારતના પર્યાવરણ માટે અતિ મહત્‍વનાં એવાં મેન્ગ્રુવનાં ૬૦ % જંગલો આવેલા છે. ૧૮૫૫ ની સાલમાં મેન્ગ્રુવથી છવાયેલાં હતાં જ્યારે આજે માત્ર ૯.૬૦૦ ચો.કિમીમાં જ તે બચ્‍યાં છે.

અહીં એ નોંધવું જરૂરી છે કે, ગ્‍લોબલ વોર્મિગની આવી પ્રતિકુળ અસરો ફક્ત ભારત કે બાંગ્‍લાદેશ પર થાય છે તેવું નથી. સેરોલ્‍સ જેવા ટાપુઓનો તો કુલ ભૌગોલિક વિસ્‍તાર જ સમુદ્ર ઉંચો આવવાને કારણે ઘટી જવાનો છે. નેધરલેન્‍ડ જેવા સમુદ્રની સપાટીથી નિચાણના વિસ્‍તારના દેશો તો હંમેશા દહેશતમાં જ જીવે છે. એટલું જ નહિ, આર્કટિકમાં બરફ ઓછો થઇ રહ્યો છે. અમેરીકાના દક્ષિણ-પશ્ચિમ વિસ્‍તારમાં દુકાળની સમસ્‍યા ઉભી ઉભી થઇ છે. આ બધી જ ચેતવણીઓ છે.

ગ્‍લોબલ વોર્મિગના પ્રકારો

ગ્‍લોબલ વોર્મિગના મુખ્‍ય પ્રકારો આ મુજબ છે.
  1. ઓઝોન વાયું પ્રમાણ

  2. સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો સામે પૃથ્‍વીનું રક્ષણ ઓઝોનને કારણે શક્ય છે, પરંતુ માનવ સર્જિત પ્રદુષણને કારણે ઓઝોનના પ્રમાણમાં ઘટાડો થયો છે. મનુષ્‍ય અને પ્રાણી પર અસર થાય છે. જેમને ચામડીનું કેન્‍સર આંખના રોગ થાય છે. તેમજ તેમની જીવનક્રિયા પર અસર થાય છે. વનસ્‍પતિની ઉત્‍પાદન શક્તિમાં ઘણો ઘટાડો થાય છે. વનસ્‍પતિની અમુક જાતો નાશ પામે છે, તાપમાન વધે એટલે સમુદ્રની વનસ્‍પતિ નાશ પામે છે. માટે જ ૧૬ મી સપ્‍ટેમ્‍બર ૨૦૦૩ માં દિવસને ઓઝોન બચાવવા ‘આંતરરાષ્‍ટ્રીય ઓઝોન સ્‍તર બચાવ દિવસ’ તરીકે ઉજવાયો હતો.
  3. ઉષ્‍માવર્ષા/તેજાબી વર્ષા

  4. અમેરિકાની વર્જિનીયા પ્રાંતના વ્હીલિંગ શહેરમાં ઇ.સ. ૧૯૭૮ માં તેજાબી વર્ષા થઇ હતી. તેમાં વાદળમાં એક લીંબુના રસ જેટલી ખટાશ હતી અને આટલી જ ખટાશવાળો વરસાદ પડ્યો હતો. આ વર્ષાને કારણે ત્‍યાનાં તળાવમાંના માછલાંની સંખ્‍યા ‘શૂન્‍ય’ થઇ ગઇ હતી. આવા તળાવને ‘મરેલું તળાવ’ કહે છે. તેજાબી વરસાદથી વૃક્ષ અને છોડનાં પાન નાશ પામે છે. તેનો વિકાસ થતો અટકી જાય છે. જમીનમાં કેલ્શિયમ, મેગ્‍નેશિયમ, લોહ જેવા પોષક દ્રવ્‍યો નાશ થાય છે. પરિણામે જમીનની ફળદ્રુપતા પણ ઓછી થાય છે. પરિણામે જમીનની ફળદ્રુપતા પણ ઓછી થાય છે. તેજાબી વર્ષા પાણીનું ભયાનક પ્રદુષણ કરવામાં મોટો ફાળો આપે છે અને નદી, સરોવરની જીવસૃષ્‍ટિ પર વિપરિત અસર થાય છે.
  5. ગ્રીન હાઉસ ઇફેક્ટ

  6. પૃથ્‍વી પારરક્ત વિકિરણનું ઉત્‍સર્જન કરીને તેની ગરમી ગુમાવે છે. વાતાવરણમાં સૂક્ષ્‍મ પ્રમાણમાં અસ્‍તિત્‍વ ધરાવતા મુખ્‍યત્‍વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ભેજ અમુક તરંગ લંબાઇના પારરક્ત વિકિરણનું શોષણ કરે છે. અને તેનું પુનઃ ઉત્‍સર્જન કરે છે. જેનો થોડો હિસ્‍સો વાતાવરણની બહાર અવકાશ માં જાય છે અને બાકીનો હિસ્‍સો પૃથ્‍વીને ગરમ રાખે છે. આ પ્રક્રિયા દ્વારા પૃથ્‍વીનું લાંબાગાળાનું સરેરાશ તાપમાન લગભગ ૧૫ સે. જેટલું હુંફાળું અને જીવન માટે અનુકૂળ રહે છે. આમ, કાર્બન ડાયોક્સાઇડ અને ભેજ ગરમીનો સંગ્રહ કરીને એક ‘કામળા’ જેવું કામ કરે છે., વાતાવરણમાં ગરમીના સંગ્રહ કરીને એક ‘કામળા’ જેવું કામ કરે છે. વાતાવરણમાં ગરમીના સંગ્રહ કરવાની આ પ્રક્રિયા ‘ગ્રીન હાઉસ ઇફેક્ટ વાયુ’ કહેવાય છે.
    ગ્રીન હાઉસ ઇફેક્ટ’ નામ રાખવાનું કારણ એ છે કે વનસ્‍પતિ ઉછેરવા માટે વપરાતા કાચા ઘરને ‘ગ્રીન હાઉસ’ કહે છે આવા કાચા ઘરના કાચના છાપરામાં થી સૂર્યનો પ્રકાશ અંદર જઇ શકે છે. પણ અંદરની જમીન દ્રારા ઉત્‍સર્જિત થતું પારરક્ત વિકિરણ કાચની દિવાલમાંથી બહાર જઇ શકતું નથી. તેથી ગ્રીન હાઉસની અંદર ગરમી જળવાઇ રહે છ.
ગ્‍લોબલ વોર્મિગના કારણો

આપણે ઔદ્યોગિકીકરણ અને વિકાસાના નામે કારખાનાં, ઇમારતો, કાર, વિમાન વગેરેમાં બેફામ બનીને કોલસો, ખનીજ તેલ અને પેટ્રોલ, ડિઝલ, કેરોસીન વાપર્યા તેથી પાર વિનાનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ઠલવાયો છે. ધરતી પર સિમેન્‍ટના જંગલો ઉભાં કર્યા છે. જે સૂર્યનાં કિરણોને સૌથી વધુ ગરમી સાથે પાછા ફેંકે છે અને વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ તેને અવકાશમાં પાછા જવા દેતો નથી. એ ગરમી વાતાવરણમાં જ ઘુમરાતી રહે છે.

આ સ્‍થિતિ કાર્બન ડાયોક્સાઇ, મિથેન, નાઇટ્રેસ ઓકસાઇડ વગેરે વાયુઓના કારણે સર્જાય છે. તેમાં મુખ્‍ય ભૂમિકા કાર્બન ડાયોક્સાઇડ નામના વાયુની છે. વાતાવરણમાં ગરમીને કેદ કરી રાખનાર બીજો વાયુ મિથેન છે. તે મોટા પાયે પશુપાલન, ડાંગરની ખેતી, રાસાયણિક પ્રક્રિયા માટે વસ્‍તુઓને સડાવવાની પ્રવૃતિ અને ઔદ્યોગિકીકરણથી વાતાવરણમાં ઠલવાતો રહ્યો છે, આ વાયુ કાર્બન ડાયોક્સાઇડ કરતાં વીસ ગણી વધુ ગરમીને કેદ કરે છે. એટલે ઓછો હોવા છતાં વધુ અસર કરે છે. નાઇટ્રીક ઓક્સાઇડ ખાતરોના બેફામ ઉપયોગથી અને જૈવિક બળતણ બાળવાથી હવામાં ઠલવાય છે. આ બધાને સરવાળે વાતાવરણમાં એટલા વાયુઓ ઠલવાયા છે કે સૂર્યના પ્રકાશ સાથે વરસતી ગરમી વાતાવરણમાં જ કેદ થઇને સમગ્ર પૃથ્‍વીને રીતસર શેકી રહી છે.

ગ્‍લોબલ વોર્મિગની અસરો

છેલ્‍લાં ૫૦ વર્ષમાં હવામાનના ઉષ્‍ણતામાનમાં ૧૦૦% નો વધારો નોંધાયો છે. તેથી માત્ર આપણે ગરમી સહન કરવી પડે તેવું નથી. તેના કારણે સમગ્ર પૃથ્‍વીની વાર્ષિક સિસ્‍ટમમાં ભારે ગરબળ ઉભી થઇ રહી છે. ૧૯૯૮ થી સતત દર વર્ષે સરેરાશ ઉષ્‍ણતામાન વધતુ રહ્યું છે. અને ૨૦૦૫ નું વર્ષ સદીઓમાં સૌથી ગરમ વર્ષ સાબિત થયું છે. ગરમીના કારણે ઉત્તર ધ્રુવની હિમાચ્‍છાદિત પર્વતમાળાઓ અને દક્ષિણ ધ્રુવના હિમાચ્‍છાદિત મેદાનો ઓગળી રહ્યા છે. તેથી ધ્રુવ પ્રદેશો ઠંડક ગુમાવી રહ્યા છે. હજારો વર્ષથી જરાય ન ઓગળેલો બરફ ઓગળીને મહાસાગરોમાં ઠલવાઇ રહ્યો છે. તેથી મહાસાગરના આંતરિક પ્રવાહો બદલાઇ રહ્યા છે અને જળચર જીવસૃષ્‍ટિ નાશ પામી રહી છે, પરિણામે તેના આધારે જીવનાર અન્‍ય જીવોનું જીવન પણ જોખમમાં આવી પડશે. બરફ ઓગળવાથી મહાસાગરોમાં પાણીની સપાટી વધતી જાય છે. છેલ્‍લા સૌ વર્ષમાં મહાસાગરોની સપાટી ૯ ઇંચ જેટલી વધી છે. તે આગામી બે ત્રણ દાયકામાં છ ફૂટ વધી જવાની શક્યાતાઓ છે. તેથી કિનારાનાં અનેક શહેરોની ધરતી ડૂબી જશે. ઉનાળાઓ વધુ ને વધુ ગરમ થતા જશે. એટલે ઉષ્‍ણતામાન જીવલેણ બનતુ જશે. નાગરિકો જે ગરમીથી ટેવાયા ન હોય તેવી ભયાનક ગરમી પડવાથી હજારોની સંખ્‍યામાં મૃત્‍યુ પામશે. ૨૦૦૩ માં માત્ર ગરમીથી ૩૫૦૦૦ મોત થયાં હતાં. તે ૨૦૦૫ માં વધીને ૫૦૦૦૦ થયાં હતાં.

શિયાળો, ઉનાળો અને ચોમાસું અસ્‍થિર અને ઘાતક બની જતાં દરેક ઋતુના પાક નિષ્‍ફળ જશે અને અનાજની કારમી અછતથી વિશ્વવ્‍યાપી ભૂખમરો ફરી વળશે. ધ્રુવ પ્રદેશોની ઠંડી ઘટવાથી અને હવાની તથા મહાસાગરોની ગરમી વધવાથી ચોમાસાના વાદળોને આખા વિશ્વમાં ફેરવનાર વ્‍યાપારી પવનો ઘૂમરી ખાતા થઇ જશે અને વિનાશક વાવાઝોડુ સેંકડોની સંખ્‍યામાં બનશે. વધતી ગરમીના પરિણામે હવામાં ભેજનું પ્રમાણ વધશે. પરિણામે મલેરિયા, ડેન્‍ગ્યુ, ફ્લુ જેવા ચેપી રોગોના વાયરસ વગેરે અનેક ગણા વધુ પ્રમાણમાં જન્‍મશે અને ફેલાશે. વિજ્ઞાનીઓએ ધાર્યુ હતું તેના કરતાં અનેક ગણી વધુ ઝડપથી હવામાન અને ઋતુઓમાં પરિવર્તન આવી રહ્યું હોવાથી ઉપરોક્ત બધી જ ધારણાઓ કરતાં કારમા પરીણામો આગામી દસ કે પંદર વર્ષમાં પણ આવી શકે.

ગ્‍લોબલ વોર્મિગ રોકવાના ઉપાયો

નહાતી વખતે ડોલ અને લોટો વાપરવાને બદલે શાવર લો તો વર્ષે ૩૫૦ પાઉન્‍ડ પાણી ઓછુ વપરાશે અને ઓછું ગરમ કરવાથી ૫૦૦ પાઉન્‍ડ કાર્બન ડાયોક્સાઇડ ઓછો બનશે. કોઇપણ વીજળીક સાધનને કામ વિના ચાલુ ન રાખો, ટી.વી. જોવું ન હોય તો પણ વિજળીની સ્‍વિચ ચાલુ જ રાખવાથી ૪૦ ટકા વધુ વીજળી વપરાય છે. સડી શકે તેવો કચરો ખેતર કે બગીચામાં વાપરવાથી તેમાં સડો નહીં થાય અને મિથેન વાયુ નહિવત બનશે. રિસાઇકલ કરેલી વસ્‍તુઓ વાપરો. તમારા ઘરમાં વીજળીનો વપરાશ જે રીતે થઇ રહ્યો છે તેની તપાસ કરી. હવા-ઉજાસના નિષ્‍ણાતો કહે તે સુધારા કરવાથી વર્ષે ૧૦૦૦ પાઉન્‍ડ કાર્બન ડાયોક્સાઇડ બચશે. રાંધતી વખતે વાસણો પર ઢાંકણ લગાવવાથી ગેસ અથવા વીજળીનો વપરાશ ૭૦ ટકા ઘટી જાય છે. એટલી વીજળી અને ગેસ બચાવવાથી કાર્બન ડાયોક્સાઇડ ઓછો બનશે. ઘરની આસપાસ અને કામની જગ્‍યાએ વધુ વૃક્ષ વાવો. તેથી હવામાન ઠંડુ રહેશે. અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ થતો રહેશે. કાર અથવા બાઇક ભાગીદારીમાં વાપરો. તેથી પેટ્રોલ અને ગેસની બચત થશે. અને બળતણ ઓછું વાપરતાં હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રદુષણ પણ ઓછું ઠલવાશે. બધી જગ્‍યાએ રૂબરૂ દોડી જવાને બદલે બને એટલા કામ ટેલિફોન અને ટેલિકોન્‍ફરન્‍સથી જ કરી લેવાનો પ્રયાસ કરો. તેથી વાહનનો વપરાશ ઓછો થશે અને બળતણની બચત થશે. વિમાની મુસાફરીઓ બને તેટલી ઓછી કરો. કારણ કે સૌથી વધુ પ્રમાણમાં બળતણ વિમાનો વાપરે છે અને હવામાં ખૂબ ઉંચે કાર્બન ડાયોક્સાઇડ ફેલાવવાનું સૌથી હાનિકારક કામ કરે છે.
સંદર્ભ :-
1. www.globalwarming1.net
2. www.sciencedaily.com
3. www.globalwarmingeffect.blogdetik.com
*************************************************** 
રાવલ હાર્દિક જનકકુમાર




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)