સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 23 September 2015

શા માટે કરવો જોઈએ રોજ ગાયત્રી મંત્ર, જાણો 6 વાતો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

શા માટે કરવો જોઈએ રોજ ગાયત્રી મંત્ર, જાણો 6 વાતો


ગાયત્રી મંત્ર  ૐ ભૂર્ભવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ને વેદોમાં તમામ મંત્રોથી ચડિયાતો અને ચમત્કારી બતાવવામાં આવ્યો છે. શા માટે કરવો જોઈએ ગાયત્રી મંત્ર, જાણો 6 વાતો

1. ચારેય વેદોમાં ગાયત્રીમંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્રના રચયિતા ઋષિ વિશ્વામિત્ર છે અને દેવતા સવિતા છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રમાં એટલી શક્તિ છે કે તે સમસ્ત બ્રહ્માંડને હલાવી શકે. એટલું જ નહિં તેના નિત્ય જાપ કરવાથી નકારાત્મક ઉર્જા જેવી કે ભૂત-પ્રેત, કે કોઈ અન્ય નડતર સ્પર્શી પણ શકતું નથી.

2. ગાયત્રી મંત્રની વિસ્તૃત છણાવટ કરીએ તો આ મંત્રના જાપથી અનેક લાભ મળે છે. આ મંત્ર નો અર્થ છે કે તે પ્રાણસ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અંતઃકરણમાં ધારણ કરીએ છીએ. તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગે લઈ જાઓ. આ મંત્રના જાપથી બૌદ્ધિક ક્ષમતા અને મેધાશક્તિ એટલે કે સ્મરણશક્તિ વધે છે. આ મંત્ર કરવાથી વ્યક્તિનું તેજ વધે છે. સાથે જ દુઃખોથી છૂટવાનો રસ્તો મળે છે.

3. ગાયત્રી મંત્રને શાપિત મંત્ર  માનવામાં આવે છે. આ મંત્રના જપ સૂર્યોદયથી બે કલાક પહેલાંથી  લઈને સૂર્યાસ્તના એક કલાક પછી સુધી કરી શકાય છે. મૌન અને માનસિક જાપ ક્યારેય પણ કરી શકાય છે પણ એવું કહેવાય છે કે રાત્રિએ કરેલા ગાયત્રી મંત્રના જાપ લાભકારી હોતા નથી.

4. ગાયત્રીમંત્રના 24 અક્ષરો છે. આ ચોવીસ અક્ષર ચોવીસ શક્તિઓ અને સિદ્ધિયોના પ્રતિક છે. આ કારણ છે કે ઋષિઓએ પણ ગાયત્રી મંત્રને ભૌતિક જગતમાં દરેક પ્રકારની મનોકામનાને પૂર્ણ કરનારો ગણાવ્યો છે.

5. આર્થિક મામલે સ્થિતિ સારી ન રહેતી હોય તો ગાયત્રીમંત્રની સાથે શ્રીંનો સંપુટ લગાવીને જપ કરવાથી આર્થિક બાધાઓ દૂર થઈ જાય છે. જુઓ આ રીતે લગાવાય શ્રીંનો સંપુટ.... શ્રીં ૐ ભૂર્ભવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ શ્રીં .

6. વિદ્યાર્થીઓ માટે આ મંત્ર બહુ જ ફાયદાકારક છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ગાયત્રી સદબુદ્ધિનો મંત્ર છે. તેથી આ મંત્રને મુકુટમણિ કહેવામાં આવે છે. દરરોજ 108 વાર ગાયત્રીમંત્રનો જપ કરવામાં આવે તો પ્રખર બુદ્ધિ શક્તિ વિકસે છે. કોઈ પણ વિષયને લાંબા સમય સુધી યાદ રાખવાની ક્ષમતા વધી જાય છે. જે વ્યક્તિની બુદ્ધિ અને વિવેકને નિખારવાનું કામ કરે છે.




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment