સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 16 November 2015

પાટીદાર, તુવેરદાળ અને ફિક્સ પગારદારથી ભાજપ હેરાન

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

પાટીદાર, તુવેરદાળ અને ફિક્સ પગારદારથી ભાજપ હેરાન


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદારની નારાજગી, તુવેરદાળના ભાવ અને ફિક્સ પગારદારોનો રોષ ભાજપને ભારે પડી રહ્યો છે. એ ઉપરાંત ભાજપની અંદરની હુંસાતુંસી ચોથા પરિબળ તરીકે સત્તાધારી ભાજપને કનડી રહ્યો છે. ચૂંટણીઓનો જંગ ભલે પ્રચારની દૃષ્ટિએ જોરદાર રીતે જામ્યો નથી, પરંતુ રાજકીય ગણિતો સાથે એકબીજાના ખેલ બગાડી દેવાના પ્રયાસો ચરમસીમાએ પહોંચ્યા છે. આ ખેલનું સમરાંગણ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો વિસ્તાર નારણપુરા અને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનો મતવિસ્તાર ઘાટલોડિયા બનવા પામ્યો છે.

અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાનો અને નગરપાલિકાથી પંચાયત સુધીની ચૂંટણી માટે ૨૭ નવેમ્બરે પ્રચાર પડઘમ શાંત થશે. પરંતુ આ યુદ્ધ મતદાન પછી પણ ખેલાય એવી રીતે યોદ્ધાઓ મેદાનમાં ઉતર્યા છે. આનાથી સૌથી મોટો પડકાર ભાજપને છે. અત્યાર સુધી એન્ટી ઇન્કમ્બન્સીની સાથે તુવેરદાળ, મગદાળના ભાવો, ફિક્સ પગારદારો, પાટીદારોનો પડકાર હતો, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં દાવેદારો શસ્ત્રો સજાવીને મેદાનમાં ઉતરી પડતાં ભાજપની પરેશાનીમાં વધારો થયો છે. અમદાવાદમાં સૌથી મોટો મોરચો વિધાનસભા વિસ્તાર એવા ઘાટલોડિયા અને નારણપુરામાં ખુલ્યો છે.

અહીં પાટીદારોની નારાજગી સાથે જૂથબંધીએ એવી સ્થિતિ સર્જી છે કે ખુદ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને પાંચ દિવસમાં ત્રણ વખત વિસ્તારની મુલાકાત લઇને કાર્યકરો સાથે સંવાદ કરવો પડી રહ્યો છે. મંગળવારે સાંજે મુખ્યપ્રધાન એઇસી સર્કલ નજીક એક પાર્ટી પ્લોટ ખાતે યુવા મોરચા કાર્યકર્તા સંમેલનને સંબોધવાના છે. ભાજપમાં ઉમેદવારોની પસંદગીના મામલે ભલે આ વખતે ખાનપુર કાર્યાલયે તોડફોડ થઇ નથી કે ક્યાંય નારાજ થઇને ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરવાની ઘટના બની નથી. એ વેળાએ સમયસર રીતે પ્રદેશ ઉપપ્રમુખ અને અમદાવાદના સંગઠન પ્રભારી આઇ.કે. જાડેજાએ મામલો સંભાળી લીધો હતો. પરંતુ હવે જે રીતે ૪૮ વોર્ડ પૈકી ૩૮ જેટલા વોર્ડમાં સળવળાટ થઇ રહ્યો છે તેનાથી નેતાગીરીને રોજે રોજની સ્થિતિનો દિવસમાં બે વખત હિસાબ લેવો પડી રહ્યો છે.

ખાનપુર કાર્યાલયમાં એક ટીમને સતત આ જ કામ સોંપાયું છે કે ક્યાં કેવી સ્થિતિ છે. બીજી તરફ નારણપુરા અને ઘાટલોડિયા વિધાનસભા હેઠળ આવતા વોર્ડમાં સ્થિતિ વધારે દોડાદોડી કરાવે તેવી છે. ઘાટલોડિયા મુખ્યપ્રધાનનો હાલનો મતવિસ્તાર છે. પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારમાં પોલીસ અત્યાચારની સૌથી વધારે ઘટનાઓ બનેલી છે. હાલ તો પાટીદારો ભાજપને એનું મન કળવા દેતાં નથી, પરંતુ અહીં સૌથી વધારે કોંગ્રેસના બેનરો ઝુલતા થઇ ગયા છે. મોટી સંખ્યામાં પાટીદારો કોંગ્રેસમાં જોડાયા છે.

ઘાડલોડિયા વિધાનસભામાં આવતા વોર્ડની સ્થિતિ માટે મુખ્યપ્રધાને પાંચ દિવસમાં ત્રણ વખત બેઠકો યોજી છે. એટલું જ નહીં એમના પરિવારના સભ્યો સંજય પટેલની સાથે ઇલેશ પટેલ, ભુપેન્દ્ર પટેલ જેવાને પણ સતત દોડતા રખાયા છે. પાટીદારો કોઇ રીતે મન કળવા દેતાં નથી અને બીજી તરફ જે વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યાલય ખુલી શકતા ન હતા એવી જગાએ હાલ કોંગ્રેસના કાર્યાલયોમાં દેખાતો ઉત્સાહ ભાજપની ઊંઘ બગાડી રહ્યો છે.

નારણપુરા વિસ્તારમાં પાટીદારોના પ્રભુત્વની સાથે અહીં દાવેદારોની કત્લેઆમ ભાજપને ભારે પડી શકે છે, તેમ કહી સૂત્રો કહે છે કે, મુળ કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારને અનેક મથામણ પછી ભાજપનો ગઢ બનાવી શકાયો છે. તેમાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની જ જાણે ચીઠ્ઠી ચલાવાઇ હોય એમ એમની જ ટુકડીના સભ્યોને ટિકિટો અપાઇ છે. સ્ટેડિયમ વોર્ડમાં એક મહિલાને મળેલી ટિકિટ અંગે પક્ષનો કાર્યકર ફોડ પાડતાં ડરી રહ્યો છે. આ બધા કારણોસર નવા સીમાંકનને લીધે દાવેદારો કપાયા છે.

આવા દાવેદારોમાં સ્ટેડિયમ વોર્ડમાં હેમંત જાની, કિરીટ પટેલ, નારણપુરામાં હિતેશ પટેલ, રમેશ પટેલ, ઝાલા, નવાવાડજમાં ડો.કમલેશ પટેલ, મુકેશ, હેમાંક્ષુ પટેલનો ચાન્સ લાગ્યો નથી. આ તમામ કાર્યકરો વર્ષોથી પાર્ટી માટે કામ કરતાં અને ટિકિટ માટે સક્ષમ દાવેદારો હોવા છતાં એમના દાવાને ધ્યાને લેવાયો નથી. આથી સ્થિતિ એવી છે કે તેઓ બાહ્ય રીતે સક્રિય તો છે, પરંતુ એટલો ઉત્સાહ અને ઉમંગ નથી એવુ કાર્યકરો કહી રહ્યા છે.

સ્ટેડિયમ વોર્ડ ગણાય ગાંધીજીના બાવલાથી સુભાષચંદ્ર બોઝ (આરટીઓ) સુધીનો છે, પરંતુ આ પટ્ટામાંથી એકેયને ઉમેદવાર બનાવાયા નથી તેનો ભારોભાર રોષ કાર્યકરોમાં છે. સમગ્ર વિસ્તારના મોટાભાગના ઉમેદવારો સામે સ્થાનિક લોકોમાં પણ રોષ છે. નારણપુરામાં રોજે રોજ પરિસ્થિતિને સાનુકૂળ કરવા માટે થતી ગ્રુપ મિટિંગ્સના રિપોર્ટ હજુ સુધી પોઝેટિવ થઇ શક્યા નથી. આને લીધે સંગઠન પ્રભારી આઇ.કે. જાડેજા ઉપરાંત યમલ વ્યાસ, ભાવનાબેન દવે, બિપિન પટેલ, હર્ષદ દાઢી જેવાને વિશેષ જવાબદારી સાથે મોકલવામાં આવ્યા છે.

આની સાથે અમિત શાહના ઇશારે કેટલાક સક્ષમ કાર્યકરોને વિધાનસભા વિસ્તારના કાર્યાલયમાં રિપોર્ટિંગની જવાબદારી તો કેટલાકને અન્ય વોર્ડમાં જવાબદારી સોંપીને બહાર ધકેલી દીધા છે. આ સંજોગોમાં ભાજપના જ કાર્યકરો નારણપુરા અને ઘાટલોડિયા વિધાનસભાના વોર્ડમાં ખેલાઇ રહેલો જંગ કોની સામેના યુદ્ધનો ઇશારો કરે છે એની હવે ખુલ્લેઆમ ચર્ચા કરતા થઇ ગયા છે. આમાં હાર અને જીત બન્ને ભાજપની જ થશે.




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment