સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 28 April 2016

GOOD NEWS આર્થિક આધાર પર અનામતની જાહેરાત, 1લી મેથી 10 ટકા લોકોને થશે લાભ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

આર્થિક આધાર પર અનામતની જાહેરાત, 1લી મેથી 10 ટકા લોકોને થશે લાભ

અમદાવાદ:આજે ગાંધીનગર ખાતે મળેલી ભાજપનો કોર કમિટીની મીટિંગમાં શ્રવણ વર્ગના બિન અનામત વર્ગના લોકો માટે આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવી છે. 10 ટકા આર્થિક રીતે નબળા લોકોને તેનો લાભ મળશે. આ અંગે પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસે વટહુકમ બહાર પાડવામાં આવશે. છ લાખ સુધીની આવક મર્યાદાવાળા પરિવારોને જ આ અનામતનો લાભ મળશે.

ભાજપે કરી આર્થિક અનામતની જાહેરાત

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સવર્ણ વર્ગના બિન અનામત વર્ગના લોકો માટે 10 ટકા આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે 6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારજનોને આ અનામતનો લાભ મળી શકશે. બિનઅનામત પરિવારજનોને આ લાભ મળી શકશે. આ અંગે પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસે વટહુકમ બહાર પાડવામાં આવશે.
 
- 10%  બિનઅનામત લોકોને મળશે અનામતનો લાભ
- 6 લાખથી ઓછી આવક ધરાવતાં લોકોને મળશે લાભ
- આર્થિક આધાર પર અનામતનો પ્રસ્તાવ
- 1 મેના રોજ બહાર પડશે નોટિફિકેશન
- નોકરી અને એડમિશનમાં મળશે અનામતનો લાભ, આ શૈક્ષણિક વર્ષથી જ મળશે લાભ
- 49% અનામતમાં કોઇ ફેરફાર નહીં

- પાટીદાર આંદોલન સહિતના મુદ્દે ચર્ચા
 
મંત્રી મંડળમાં કોઇ ફેરફાર કરવો કે પછી વિધાનસભાની 2017ની ચૂંટણી સુધી યથાવત્ રાખવું તે બાબતે  વિચારણા કોર કમિટીની બેઠકમાં થઇ હતી. પાસના ત્રણ આગેવાનોને જામીન મળ્યા છે, ત્યારે પાટીદાર આંદોલન બાબતે સરકારનું વલણ અને આગામી રણનીતિ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.

- મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા
 
પ્રદેશ પ્રમુખ તરીકે વિજય રૂપાણીની પસંદગી થઇ ત્યારથી જ મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા પ્રબળ બની હતી, પરંતુ આ બાબતે કોઇ સર્વસહમતિ ન સધાતા કોઇ ઠોસ નિર્ણય લેવાઇ શક્યો ન હતો. ભાજપના સંગઠનમાં પણ ફેરફાર કરવાની શક્યતા જોવાઇ રહી હતી, પણ આ બાબતે ટોચના નેતાઓ વચ્ચે જ અસંતોષ હોવાથી કોઇ ફેરફાર થઇ શક્યો ન હતો. નરેન્દ્ર મોદીના કાર્યાલયના ઓએસડી સંજય ભાવસારના પુત્રના લગ્ન નિમિત્તે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવ્યા છે. તેમની હાજરીમાં આજે પ્રદેશ ભાજપની કોર ટીમની બેઠક મળી છે.

.
 Source :-http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-AHM-c-69-1283545-NOR.html?seq=1





Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

1 comment: