સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 4 July 2016

Gayatri Solution Group LED Light Spical Discount on MRP Email :- inquiry.gsg13@gmail.com

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group LED Light





Gayatri Solution Group LED Light Spical Discount on MRP Email :- inquiry.gsg13@gmail.com


GSG Oreva
Oreva’s range of led lights is highly efficient, safe and affordable. These ‘value for money’ products not only conserve a large amount of energy but also illuminate spaces with style.
Applications: Residential, Offices, Work Shops, and Outdoor
Warranty
  • 2 Years for Lamps and DownLights
Life Hours
  • Lamps – 15000 hrs
Oreva LED Price List:
Products
Type
MRP
LED Lamps
4W-ECO-LED
Rs. 255
6W-ECO-LED
Rs. 315
8W-ECO-LED
Rs. 365
10W-ECO-LED
Rs. 430
12W-ECO-LED
Rs. 475
5W-DX-LED
Rs. 335
7W-DX-LED
Rs. 385
9W-DX-LED
Rs. 505
11W-DX-LED
Rs. 555
Full Glass LED Lamps
5W-GL-LED
Rs. 375
LED Mini Lamp
0.5W-MINI-LED
Rs. 85
1W-MINI-LED
Rs. 99
3W-DX-LED
Rs. 295
LED Night Lamp
0.2W-LED
Rs. 75
0.5W-LED
Rs. 99
1W-DX-LED
Rs. 145
2W-DX-LED
Rs. 225
Down Lights
6W 4-inch (Round)
Rs. 595
12W 5-inch (Round)
Rs. 995
16W 6-inch (Round)
Rs. 1325
20W 7-inch (Round)
Rs. 1475
6W 4-inch (Sqaure)
Rs. 635
12W 5-inch (Square)
Rs. 1025
16W 6-inch (Square)
Rs. 1355
20W 7-inch (Square)
Rs. 1500
Panel Lights
6W 4-inch (Round)
Rs. 595
12W 5-inch (Round)
Rs. 995
16W 6-inch (Round)
Rs. 1325
20W 7-inch (Round)
Rs. 1475
24W 8-inch (Round)
Rs. 1795
6W 4-inch (Sqaure)
Rs. 635
12W 5-inch (Sqaure)
Rs. 1025
16W 6-inch (Sqaure)
Rs. 1355
20W 7-inch (Sqaure)
Rs. 1500
24W 8-inch (Sqaure)
Rs. 1815
Spot Lights
3W 3-inch spotlight
Rs. 365
5W 4-inch spotlight
Rs. 615
7W 4-inch spotlight
Rs. 675
Tube Lights
13W 2-feet T8 Tube light
Rs. 1225
20W 3-feet T8 Tube light
Rs. 1490
26W 4-feet T8 Tube light
Rs. 1895

Overa LED Products Type: Lamps, Night Lamps, Down Lights, Panel Lights, Spot Lights, Tube Lights, and Street Lights
Any Products more Detail or get best price Please email :- inquiry.gsg13@gmail.com

Products :-

Overa LED Products Type: Lamps, Night Lamps, Down Lights, Panel Lights, Spot Lights, Tube Lights, and Street Lights
Source :-http://www.ledlightsinindia.com/information/led-light-prices-in-india



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday, 29 June 2016

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ભરતી: 17,532 કોન્સ્ટેબલની ભરતી કરાશે - સાતમું વેતન પંચઃ કોને કેટલું મળશે વાર્ષિક ઈન્ક્રીમેન્ટ અને પગાર, જાણો - 7thPayCommission: 23.5% પગાર વધશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ભરતી: 17,532 કોન્સ્ટેબલની ભરતી કરાશે

- 10 ટકા EBC સાથે યોજાશે ભરતી, ધોરણ 12 પાસ ઉમેદવારો ઉમેદવારી કરી શકશે

- લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન જી.એસ માલિકે કરી જાહેરાત

- 5 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પર 10,000ના ફિક્સ પગાર બાદ કાયમી કરાશે

વડોદરા, તા. 29 જુલાઈ 2016

ગુજરાતના પોલીસ વિભાગના લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન જી.એસ માલિકે આજે જાહેરાત કરી હતી કે ગુજરાત પોલીસમાં ખાલી પડતી 17,532 જેટલી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની જગ્યા માટે વર્ગ 3ની ભરતી યોજવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રથમ વાર ફિઝિકલ એક્ઝામ પૂર્વે લેખિત પરીક્ષા યોજવામાં આવશે જેમાં 100 માર્કસના પરીક્ષામાં 0.25 નેગેટિવ માર્ક પણ ગણતરીમાં લેવામાં આવશે. આ ભરતીમાં 7 થી 10 જુલાઈમાં ફોર્મ ભરવામાં આવશે અને તેના માટે ધોરણ 12 પાસ ઉમેદવારો ઉમેદવારી કરી શકશે. અગાઉ પોસ્ટ ઓફિસમાં અરજી ફોર્મ સ્વીકારવામાં આવતા હતા જયારે આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ પણ ભરી સકાશે જેની ફી 105 રૂપિયા જેટલી હશે. ભરતીની વાય મર્યાદા 18 થી 33 વર્ષની જનરલ કેટેગરી માટે રાખવામાં આવી છે. જયારે અનુસૂચિત જાતિ અને અનામત મેળવતા વર્ગ માટે  5 વર્ષની છૂટ આપવામાં આવશે. જયારે ખાસ કરીને 10 ટકા EBCની પણ ગણતરી અહીં થનાર છે જેથી સવર્ણો પણ ભરતીમાં EBCનો લાભ લઇ સકશે.

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ભરતી.
ગુજરાત પોલીસના લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેન જી.એસ મલિકે વધુમાં જણાવ્યું હતું કે આ ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી મોટી ભરતી છે જયારે આ ભરતીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જયારે લેખિત પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. પાસ થયેલા ઉમેદવારો ને ત્યાર બાદ શારીરિક ક્ષમતા કસોટી આપવાની રહેશે જે બાદ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની ટ્રેનિંગ શરુ થશે. ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો ને 10,000 ફિક્સ પગાર પર સરકાર ના ધારાધોરણ પ્રમાણે 5 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પર રાખવમાં આવશે અને ત્યાર બાદ નિયમો અનુસાર કાયમી કરવામાં આવશે.

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી, PMએ 7માં પગારપંચને મંજૂરી આપી

- કેન્દ્રના 50 લાખ કર્મચારીઓ અને 52 લાખ પેન્શનરોને લાભ

- સરકારી તિજોરી પર 1.2 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ

નવી દિલ્હી, તા. 29 જૂન 2016

કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 23 ટકા સુધીના વધારાને મોદી કેબિનેટની પરવાનગી મળી ગઇ છે. આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 7માં પગાર પંચની ભલામણોનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.

પીએમ મોદીએ આ સંબંધમાં નાંણા મંત્રાલય પાસે સાતમાં પગાર પંચની રિપોર્ટ માંગી હતી. નવો પે સ્કેલ 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવશે. તેથી તમામ કર્મચારીઓને છ મહિનાનું ઍરિયર્સ પણ મળશે.

કેબિનેટ બેઠકમાં મૂળ રૂપથી 7માં પગાર પંચની ચર્ચા કરવાની હતી. સૂત્રો અનુસાર મોદી સરકારે 7માં પગારપંચની દરેક ભલામણોને પરવાનગી આપી દીધી છે. જેનાથી 98.4 લાખથી વધારે કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળશે. આ કર્મચારીઓમાં 52 લાખ પેન્શનભોગી પણ સામેલ છે.

પી.કે.સિન્હાની અધ્યક્ષતામાં રચાઇ સમિતિ
જાન્યુઆરીમાં સરકારના કેબિનેટ સચિવ પી.કે.સિન્હાની અધ્યક્ષતામાં સાતમાં પગારપંચની ભલામણોની પ્રક્રિયા માટે એક ઉચ્ચસ્તરીય સમિતિનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.

જણાવવામાં આવી રહ્યુ છે કે જુલાઇમાં આ રિપોર્ટ લાગુ કરી દેવામાં આવશે અને જાન્યુઆરી 2016થી કર્મચારીઓને ઍરિયર્સ આપવામાં આવશે. છઠ્ઠુ પગારપંચ 1 જાન્યુઆરી, 2006થી લાગુ કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્ણયથી સરકારની તિજોરી પર 1.2 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. જે GDPના 0.7% છે.

સાતમું વેતન પંચઃ કોને કેટલું મળશે વાર્ષિક ઈન્ક્રીમેન્ટ અને પગાર, જાણો

કેન્દ્ર સરકારે સાતમાં વેતન પંચની ભલામણોનો સ્વીકાર કર્યો છે. સરકારના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના 98 લાખ કર્મચારીઓને લાભ થશે.
કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 23 ટકાનો વધારો થશે. જ્યારે લઘુત્તમ વેતન રૂ. 18 હજાર હશે. આ સાથે પહેલી જાન્યુઆરી 2016થી એરિયર્સની ચુકવણી કરાશે. સાતમાં વેતન પંચથી કોને કેટલો લાભ થશે તેની વિગતો અત્રે રજૂ કરી છે.
1.       લઘુત્તમ પગાર રૂ. 18 હજાર થશે.
2.        મહત્તમ માસિક પગાર થઈ જશે રૂ. અઢી લાખ (કેબિનેટ સેક્રેટરી)
3.       આઈએએસ, આઈઆરએસ અને આઈપીએસ માટે હશે એકસરખું પે બેંડ.
4.       પહેલી જાન્યુઆરી 2016ની અસરથી થશે એરિયર્સની ચુકવણી
5.       દર વર્ષે મળશે ત્રણ ટકા ઈન્ક્રીમેન્ટ
6.       સેના સર્વિસ વેતન હેઠળ સર્વિસ ઓફિસર, જેસીઓ/ORS, નોન-કોમ્બેટ (એરફોર્સ)ને ક્રમશ રૂ. 15,500, 10,800, 5,200, 3,600 અને 3,600 આપવાની કરાઈ છે જોગવાઈ

7thPayCommission: 23.5% પગાર વધશે, કેબિનેટની લીલીઝંડી 

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીખબરી. કેન્દ્રીય કેબિનેટે સાતમા પગાર પંચની ભલામણોને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 23.6 ટકા સુધીના વધારો કરવા માટે લીલીઝંડી આપી દીધી છે. કેબિનેટે મૂળ પગારમાં 14.27% અને ભથ્થા વગેરે મળીને 23.6% સુધી વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. જો કે આ પગાર વધારાને ઓછો માનવામાં આવી રહ્યો છે. પગાર પંચની ભલામણ 1 જાન્યુઆરી, 2016થી લાગૂ થશે. એટલે કે કર્મચારીઓને 1 જાન્યુઆરીથી વધેલા પગારનું એરિયર મળશે.


કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 47 લાખ હાલના કેન્દ્રીય કર્મચારીઓ અને 52 લાખ પેન્શરને ફાયદો થશે. પગાર પંચની ભલામણો ગયા વર્ષે નવેમ્બરમાં આવી હતી. તેમાં મૂળ પગારમાં 14.27 ટકા સુધીનો વધારો કરવાની ભલામણ કરાઈ હતી. આ વધારો છેલ્લાં 70 વર્ષમાં પંચની ભલામણમાં સૌથી ઓછો બતાવાઇ રહ્યો છે. છઠ્ઠા પગાર પંચે 20 ટકાના વધારાની ભલામમ કરી હતી. 2008મા તેના લાગૂ કરતાં સમયે તત્કાલીન યુપીએ સરકારને બમણો વધારો કરી દીધો હતો.


પંચની ભલામણોમાં પ્રસ્તાલિત ભથ્થાને જોડતા ભલામણો અનુસાર પગારમાં 23.55 ટકા સુધીનો વધારો થશે. સાતમા પગાર પંચની ભલામણો આ વર્ષે 1 જાન્યુઆરીથી લાગૂ થશે.
 

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gujarat-police-recruit-17532-constables-with-10-percentage-ebc-quota,   http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/narendra-modi-govt-approves-7th-pay-commission-today-in-cabinet-meeting,   http://www.sandesh.com/article.aspx?newsid=3424143,  http://www.sandesh.com/article.aspx?newsid=3424130



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday, 8 June 2016

જોજો, શિક્ષકો પર ભરોસો ન મૂકતા: શિક્ષકો ભ્રષ્ટાચારી, ચોર કે કૌભાંડી લાગે છે !

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

જોજો, શિક્ષકો પર ભરોસો ન મૂકતા: શિક્ષકો ભ્રષ્ટાચારી, ચોર કે કૌભાંડી લાગે છે !

- પ્રવેશોત્સવની હિમાયત કરતા આનંદીબહેનનાં નિવેદનોની સોશિયલ મિડિયા પર મજાક

- પ્રવેશોત્સવમાં શાળાદીઠ ૯૪૦૦નો ખર્ચ પણ સરકાર માત્ર રૃ।. ૫૦૦ આપે છે

અમદાવાદ, સોમવાર
આવતીકાલે મંગળવારથી ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં ત્રણ દિવસનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થશે. વાસ્તવમાં એપ્રિલ મહિનામાં જ બાળકોનું નામાંકન થઈ ગયું હોય છે. તેમજ બાળકોએ શાળાઓમાં આવવાનું પણ શરૃ કરી દીધું હોય છે. આમ છતાં આવા મહોત્સવો યોજીને સરકાર પોતાનો પ્રચાર અને પ્રસિદ્ધિ જ કરી રહી છે. દુ:ખની વાત એ છે કે પ્રવેશોત્સવ પાછળ શાળા દીઠ રૃ. ૯૪૦૦નો ખર્ચ થઈ રહ્યો છે પરંતુ સરકાર શાળા દીઠ માત્ર રૃ. ૫૦૦ જ ચુકવે છે !!
સોશ્યિલ મીડિયા પર શાળા પ્રવેશોત્સવમાં શાળાને ક્યાં કેટલો ખર્ચ થાય છે તેની સમગ્ર વિગતો મુકવામાં આવી છે. શાળાના આચાર્યો અને શિક્ષકો જ આ મેસેજને આગળ મોકલી રહ્યા છે. જેમાં લખાયું છે કે 'બહેનશ્રી, તમારી સરકારની ૫૦૦ રૃપિયાની ગ્રાન્ટમાંથી છેલ્લા ૧૫ વર્ષથી પ્રવેશોત્સવ શિક્ષકો ધામધૂમથી ઊજવે છે...! તોયે તમે કહો છો કે.. જોજો શિક્ષકો પર ભરોસો ન મૂકતા !!' કેમ ?? શિક્ષકો ભ્રષ્ટાચારી લાગે છે ? ચોર કે કૌભાંડી લાગે છે ?
મેસેજમાં એવો બળાપો પણ કાઢવામાં આવ્યો છે કે પ્રવેશોત્સવ માત્ર તમારી સરકાર પોતાના પ્રચાર માટેનો તાયફો છે !! બીચારા બાળકોએ તો એપ્રિલ માસની ફરજીયાત ગણતરીમાં જ પોતાનું નામાંકન કરાવી દીધું હોય છે. શાળા શરૃ થતાનાં પ્રથમ દિવસથી જ તેઓ શાળામાં આવતા થઈ જાય છે. આમ છતાં સરકાર બાળકોના નામાંકનનું 'નાટક' કરે છે. તેમનાં આવા પ્રચારમાં નાછૂટકે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ જોડાવવું પડે છે. તા. ૮, ૯ અને ૧૦ એમ ત્રણ દિવસ દરમિયાન વિવિધ મંત્રીઓ સહિત ૯૨ પદાધિકારીઓ અને ૩૫૯ IAS-IPS જેવા ઉચ્ચ અધિકારીઓ પ્રવેશોત્સવમાં જોડાશે. મુખ્યમંત્રી પોતે સમગ્ર પ્રવેશોત્સવનું નેતૃત્વ કરી રહ્યા છે. આમ છતાં છેલ્લા ૧૪ વર્ષમાં શિક્ષણની ગુણવત્તા સુધરી નથી. પ્રવેશમાત્ર બાળકોની સંખ્યામાં પણ કોઈ ફરક પડયો નથી.

એક શાળાને કુલ કેટલો ખર્ચ થાય છે ?
મંડપ-સ્ટેજ પાછળ
રૃ. ૩૦૦૦
સાઉન્ડ ખર્ચ
રૃ. ૧૦૦૦
ફળ છાબ નંગ-૫ હાર-ફૂલછડી
રૃ. ૮૦૦
સુશોભન સામગ્રી
રૃ. ૫૦૦
બાળકોને ઇનામ-સન્માન
રૃ. ૧૦૦૦
અધિકારીઓને બદામ કાજું
રૃ. ૫૦૦
મીનરલ વોટર બોટલો
રૃ. ૧૦૦૦
ગ્રામજનો-મહેમાનો માટે ચા-નાસ્તો
રૃ. ૧૫૦૦
અધિકારીને જમણવારનો ખર્ચ
રૃ. ૧૦૦૦
 

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-be-careful-not-to-put-trust-in-teachers



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday, 3 May 2016

PM મોદીએ BJP સાંસદોનો લીધો બરાબર ઉધડો, કહ્યું 'ગામડાંઓમાં જાઓ છો ખરા?' - દર વર્ષે વરસાદ આવે કે ના આવે પણ ચૂંટણીઓ અવશ્ય આવે છે ! (ચીની કમ) - અરે વાહ...સાંસદોના પગારમાં તોતીંગ વધારા સામે મોદીએ વાંધો ઉઠાવ્‍યોઃ સાંસદો ખુદ વેતન નક્કી ન કરેઃ પે કમીશન રચવુ જોઇએ - જુન પછી કેન્દ્રીય કર્મચારીઓ માટે અચ્છે દિનઃ ન્યુનતમ પગાર થશે ર૧૦૦૦

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

PM મોદીએ BJP સાંસદોનો લીધો બરાબર ઉધડો, કહ્યું 'ગામડાંઓમાં જાઓ છો ખરા?'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપના સંસદીય દળની બેઠકમાં સાંસદોનો બરાબર ક્લાસ લીધો હતો. વડાપ્રધાને સાંસદોને પૂંછયું કે શું તમે બધા ગામડાઓમાં જાઓ છો ખરા? તેમણે એમ પણ કહ્યું કે તમે બધા સરકારની યોજનાઓને સામાન્ય જનતા સુધી પહોંચાડો છો કે નહીં. જો તમે નહીં જનતા સુધી યોજનાઓ નહીં પહોંચાડો તો સરકારની યોજનાઓની જનતાને માહિતી કેવી રીતે મળશે.

વડાપ્રધાને એનડીએ સરકારની યોજનાઓ અને ઉપલબ્ધિઓ પર પ્રકાશ ફેંકતા કહ્યું કે 3 કરોડ 18 લાખ નવા ગેસ કનેક્શન આપવામાં આવ્યાં છે. મુદ્રા બેંકના કારણે પણ ત્રણ કરોડ લોકોને ફાયદો થયો છે. વડાપ્રધાને સાંસદો પર ટિપ્પણી કરતા કહ્યું કે શું તમે આ બધુ જનતાને જણાવ્યું છે ખરા? જ્યાં સુધી સાંસદો જણાવશે નહીં ત્યાં સુધી જનતાને ખબર કેવી રીતે પડશે કે સરકાર લોકોના હિતમાં કામ કરી રહી છે.

પૂર્વની યુપીએ સરકાર પર આકરા પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે જૂની સરકાર પોતાની યોજનાઓનો ઢંઢેરો પીટતી હતી. આપણે ઓછામાં ઓછુ જે કામ થઈ રહ્યું છે તેની જાણકારી તો લોકોને આપવી જોઈએ. સાંસદોને સીધો પ્રશ્ન પૂછતાં પીએમ મોદીએ કહ્યું કે ઉર્જા ઉત્સવ ઉજવવાની વાત થઈ હતી તો શું સાંસદોએ તેની જાણકારી જનતાને આપી? તેમણે એમ પણ પૂછયું કે કયા કયા  સાંસદોએ પોતાના મતવિસ્તારમાં ઉર્જા ઉત્સવની ઉજવણી કરી. સંસદીય દળની બેઠકમાં સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડુએ પાર્ટી સાંસદોને ઓગસ્ટા ડીલ પર પાર્ટીના વલણ અંગે પણ માહિતી આપી હતી.

દર વર્ષે વરસાદ આવે કે ના આવે પણ ચૂંટણીઓ અવશ્ય આવે છે ! (ચીની કમ)


ચીનીકમ અદેશનાં પાંચ રાજ્યોમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. આ દેશમાં ચૂંટણી હવે બારમાસી ઉત્સવ છે. દર થોડા થોડા સમયે કોઈ ને કોઈ પ્રકારની ચૂંટણીઓ આવતી જ રહે છે. આ ચૂંટણીઓ પતશે એટલે દેશના સૌથી મોટા પ્રદેશ ઉત્તર પ્રદેશની ચૂંટણી આવશે. એટલે આ પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામો લોકોના વલણનું દર્શન કરાવશે.
સટ્ટાબજાર શું કહે છે ?
સૌથી પહેલાં દેશના બે મુખ્ય રાજ્યો આસામ અને પશ્ચિમ બંગાળમાં  થઈ રહેલી ચૂંટણીઓ અંગે સટ્ટાબજાર શું કહે છે તે જોઈએ. સટોડિયાઓ પોતાનો દાવ ખેલી રહ્યા છે. સટ્ટાબજાર આસામમાં ભાજપને નંબર-૧ કહે છે જ્યારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનો જાદુ યથાવત્ રહેશે એમ માને છે. સટ્ટાબજારની ગણતરી અનુસાર આસામની કુલ ૧૨૬ બેઠકોમાંથી ભાજપને ૫૬થી ૫૭, કોંગ્રેસને ૨૯થી ૩૦, એઆઈયુડીએફને ૧૩થી ૧૪, એજીપીને ૯થી ૧૦ અને અન્યને ૧૪થી ૧૫ બેઠકો મળશે તેમ માને છે. એ જ પ્રમાણે પશ્ચિમ બંગાળની કુલ ૨૯૪ બેઠકોમાંથી તૃણમૂલ કોંગ્રેસને ૧૭૩થી ૧૭૬, સીપીઆઈ (એમ)ને ૭૨થી ૭૫, કોંગ્રેસને ૨૮થી ૩૦, ભાજપને ૬થી ૭ અને અન્યને ૫થી ૬ બેઠકો મળશે તેમ માને છે. અલબત્ત, સટોડિયાઓ હંમેશા સાચા જ પડે છે તેવું નથી. મતલબ કે આસામમાં ભાજપ મોખરે છે, પરંતુ સ્પષ્ટ બહુમતીથી હજુ ૧૨ બેઠકો દૂર છે જે તે મેનેજ કરી શકે છે.
હાઈટેક પ્રચાર
હાલ જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલુ છે તેમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. ક્યારેક ઉમેદવારો પદયાત્રા કરીને મતદારોના ઘરનું બારણું ખટખટાવતા હતા તે ઉમેદવારો હવે મોબાઈલ મારફતે મતદારોના બેડરૂમમાં પ્રવેશી ચૂક્યા છે. આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરાલા અને પોંડિચેરીમાં દરેક રાજકીય પક્ષો મોબાઈલ મેસેજીસનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સર્વે અનુસાર રાજ્યની બધી જ ૨૯૪ બેઠકો પૈકી ચોથા ભાગની બેઠકો પર સોશિયલ મીડિયાની અસર રહેશે. રાજકીય પક્ષો તેમના ઉમેદવારોની તસવીરો, પોસ્ટર્સ તથા વીડિયો અપલોડ કરી રહ્યા છે. કેરળમાં સીપીએમને પણ ખ્યાલ આવી ગયો છે કે, ચૂંટણીની વૈતરણી પાર કરવા માટે સોશિયલ મીડિયાની હોડીમાં સફર કરવી જરૂરી છે. કેટલાક પક્ષોના ઉમેદવારોએ પોતાની વેબસાઈટ બનાવી છે તો કેટલાકે પોતાના બ્લોગ બનાવ્યા છે. ઓનલાઈન પ્રચાર માટે આઈટી નિષ્ણાતોની ટીમ તૈનાત કરી છે. એક એવું અનુમાન છે કે, ભાજપના નેતાઓએ લોકસભાની ચૂંટણીમાં સરેરાશ ૮૦,૯૮૧ ટ્વિટ કર્યા હતા. મતલબ કે હવે ચૂંટણીઓ હાઈટેક બનતી જાય છે.
પાંચ રાજ્યોનો ખેલ
આ ચૂંટણીઓ પતે તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ અન્ય વિધાનસભાની ચૂંટણીઓમાં પણ સારાં પરિણામો હાંસલ કરવા માટે અગાઉથી જ પાંચ દાવ ખેલ્યા છે. પાર્ટીએ પાંચ રાજ્યોમાં જાતિગત સમીકરણોના આધારે નવા પ્રમુખો નીમ્યા છે. યુપીમાં કેશવ પ્રસાદ મૌર્ય, કર્ણાટકમાં પૂર્વ મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પા, પંજાબમાં વિજય સાપલા, તેલંગાણામાં ડો. કે. લક્ષ્મણ અને અરૂણાચલ તાપિર ગાવને પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
કેશવપ્રસાદ મૌર્ય
આ બધામાં ઉત્તર પ્રદેશના નવા નીમાયેલા કેશવ પ્રસાદ મૌર્યનું નામ સૌથી વધુ ચોંકાવનારું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ કેશવ પ્રસાદ મૌર્ય પણ બચપણમાં તેમના પિતાની દુકાનમાં ચા અને અખબાર વેચતા હતા. તેઓ ૧૮ વર્ષ સુધી અલ્હાબાદમાં વિશ્વ હિંદુ પરિષદના પ્રચારક રહ્યા છે. યુ.પી.ના ફુલપુર મતક્ષેત્રમાંથી ૨૦૧૪માં પહેલી જ વાર તેઓ સાંસદ બન્યા. તેઓ અતિ પછાત જાતિમાંથી આવે છે. તેમની સામે હત્યાથી માંડીને કેટલાક અપરાધિક મામલાઓ કોર્ટમાં છે. તેમને ઉત્તર પ્રદેશમાં ભાજપના અધ્યક્ષ બનાવીને પક્ષે કટ્ટર હિંદુવાદી છબીની સાથે પછાત વર્ગના મતદારોને રિઝવવાની કોશિશ કરી છે.
બી. એમ. યેદિયુરપ્પા
કર્ણાટકના મજબૂત લિંગાયત સમાજને આકર્ષવા માટે બી. એસ. યેદિયુરપ્પાને કર્ણાટકમાં ભાજપે પ્રમુખ બનાવ્યા છે. તેમની સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા છે. ભ્રષ્ટાચારના આરોપસર જ તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા હતા. લાગે છે કે, તેમની પસંદગી પક્ષની મજબૂરી છે. પક્ષ માને છે કે, તેમના કદનો કોઈ નેતા નથી જે કર્ણાટકમાં કમળ ખીલાવી શકે. ૨૦૦૮માં ભાજપે દક્ષિણ ભારતમાં પહેલી વાર કર્ણાટકમાં યેદિયુરપ્પાની નેતાગીરીમાં જ સરકાર બનાવી હતી. ભ્રષ્ટાચારના આરોપો બાદ ભાજપે તેમને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. ૨૦૧૨માં ભાજપને છોડી દઈ તેમણે નવી પાર્ટી બનાવી હતી. તે પછી ભાજપ હારી ગયું. હવે તેમને જ કર્ણાટકમાં ભાજપને સુકાની બનાવવામાં આવ્યા છે. રાજનીતિમાં આવું થાય તેમાં કાંઈ નવું નથી.
વિજય સાંવલા
પંજાબમાં આવનારી ચૂંટણીઓને અનુલક્ષીને ભાજપે કેન્દ્રીય રાજ્યમંત્રી વિજય સાંપલાને પક્ષના પ્રમુખ બનાવ્યા છે. તેઓ રવિદાસિયા દલિત સમુદાયમાંથી આવે છે. તેમણે સરપંચના પદથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. હોશિયારપુરની અનામત બેઠક પર ભાજપની ટિકિટ લઈ તેઓ ચૂંટણી લડયા હતા અને લોકસભામાં પ્રવેશ મેળવ્યો હતો. ભાજપે પંજાબમાં દલિત કાર્ડ ખેલીને અકાલીઓને નારાજ કર્યા હોવાનું કહેવાય છે, કારણ કે પંજાબના દલિતો અત્યાર સુધી અકાલીઓ સાથે રહ્યા છે. જોકે, હવે આમ આદમીની પાર્ટી પણ પંજાબમાં પોતાનું સ્થાન મજબૂત કરવા કોશિશ કરી રહી છે. તેની નજર પણ દલિત વોટ્સ પર છે.
ટૂંકમાં હાલની ચૂંટણીઓ પતે તે પહેલાં જ આવનારી બીજી ચૂંટણીઓ માટે ખેલ શરૂ થઈ ગયો છે. દેશમાં દર વર્ષે વરસાદ આવે કે ના આવે પણ ચૂંટણીઓ તો અવશ્ય આવે જ છે.
આનંદો.
ચૂંટણીઓના બહાને કાળું નાણું તો બજારમાં પ્રવાહિત થશે.
અરે વાહ...સાંસદોના પગારમાં તોતીંગ વધારા સામે મોદીએ વાંધો ઉઠાવ્‍યોઃ સાંસદો ખુદ વેતન નક્કી ન કરેઃ પે કમીશન રચવુ જોઇએ
સંસદીય સમિતિએ ૧૦૦ ટકા પગાર વધારાની ભલામણ કરી હતી જે મોદીને મંજુર નથી
અરે વાહ...સાંસદોના પગારમાં તોતીંગ વધારા સામે મોદીએ વાંધો ઉઠાવ્‍યોઃ સાંસદો ખુદ વેતન નક્કી ન કરેઃ પે કમીશન રચવુ જોઇએ
   નવી દિલ્‍હી તા.૩ : ભાજપના સાંસદ યોગી આદિત્‍યનાથના વડપણવાળી સંસદીય સમિતિ તરફથી સાંસદોના પગાર અને ભથ્‍થામાં ૧૦૦ ટકા વધારાની ભલામણ પર પીએમ મોદીએ જોરદાર વાંધો ઉઠાવ્‍યો છે. પીએમઓનુ માનવુ છે કે, પોતાના પગાર અંગે સાંસદોએ ખુદ નિર્ણય લેવો ન જોઇએ. પીએમ મોદીનુ માનવુ છે કે, સાંસદોના વેતનનો ફેંસલો પણ પે કમીશન કે તેના જેવી કોઇ બોડીએ કરવો જોઇએ જે સમયના હિસાબે તેમાં વધારો કરતી રહે.
   પીએમ મોદીનુ સુચન છે કે, સાંસદોના પગારને રાષ્‍ટ્રપતિ, ઉપરાષ્‍ટ્રપતિ કે કેબીનેટ સેક્રેટરી જેવી પોસ્‍ટના પગારમાં થતા વધારા સાથે જોડી દેવી જોઇએ. મળતી માહિતી મુજબ મોટાભાગના સાંસદોએ કહ્યુ છે કે, ખર્ચ અને મોંઘવારી વધવાને કારણે પગાર વધારાની જરૂર છે. થોડા દિવસ પહેલા રાજયસભામાં સપા નેતા નરેશ અગ્રવાલે આ મુદો ઉઠાવ્‍યો હતો. કેટલાક સાંસદોનુ કહેવુ હતુ કે, તેમનો પગાર કેબીનેટ સેક્રેટરીથી વધુ હોવો જોઇએ.
   યોગી આદિત્‍યનાથના વડપણવાળી સમિતિએ સાંસદોના પગાર પ૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ રૂ. દર મહિને કરવા ભલામણ કરી હતી. આ સિવાય મત વિસ્‍તાર ભથ્‍થામાં પણ ૪પ,૦૦૦ થી ૯૦,૦૦૦ કરવા ભલામણ કરી હતી. છેલ્લે સાંસદોનો પગાર ર૦૧૦માં વધ્‍યો હતો.(૩-૭)
જુન પછી કેન્દ્રીય કર્મચારીઓ માટે અચ્છે દિનઃ ન્યુનતમ પગાર થશે ર૧૦૦૦
સચિવોના સમૂહે ન્યુનતમ વેતન ર૧૦૦૦ અને મહત્તમ વેતન ર,૭૦,૦૦૦ કરવાની ભલામણ કરશેઃ ૩૦ જુન સુધીમાં રિપોર્ટ સરકારને સોપશેઃ ૧૧ જુને મહત્વની બેઠકઃ રિપોર્ટ સોંપાયા બાદ સરકાર એક મહિનામાં નિર્ણય લેશેઃ તહેવારોની સીઝન પહેલા જ કર્મચારીઓને રાજી કરી દેવા આયોજન
જુન પછી કેન્દ્રીય કર્મચારીઓ માટે અચ્છે દિનઃ ન્યુનતમ પગાર થશે ર૧૦૦૦
   નવી દિલ્હી તા.૩ : કેન્દ્રીય કર્મચારીઓ માટે જુન પછી અચ્છે દિન આવશે. ૭માં પગારપંચની ભલામણોના અમલ માટે રચવામાં આવેલી સચિવોની સમિતિએ પોતાનો અંતિમ રિપોર્ટ ૩૦ જુને આપી દેવાની તૈયારી શરૂ કરી છે. તેમાં સૌથી મહત્વની બાબત એ હશે કે, કેન્દ્રીય કર્મચારીઓનુ ન્યુનતમ અને મહત્તમ વેતનને લઇને સચિવોના સમૂહનું વલણ ઘણુ ઉદાર રહ્યુ છે.
   સુત્રોના જણાવ્યા પ્રમાણે સચિવોના સમૂહે કેન્દ્રીય કર્મચારીઓનુ ન્યુનતમ વેતન ર૧,૦૦૦ રૂ. અને મહત્તમ વેતન ર,૭૦,૦૦૦ રૂ. કરવાની ભલામણ કરી શકે છે. અત્રે એ નોંધનીય છે કે, ૭માં વેતનપંચે ન્યુનતમ વેતન ૧૮,૦૦૦ અને મહત્તમ ર,પ૦,૦૦૦ કરવાની ભલામણ કરી હતી.
   જો સચિવોના સમૂહની આ ભલામણો સ્વીકારી લેવામાં આવશે તો કેન્દ્રીય કર્મચારીઓને અપેક્ષાથી ઘણો વધુ પગાર મળશે. સરકારે કેબીનેટ સેક્રેટરી પી.કે.સિંહાના નેતૃત્વમાં સચિવોના એક સમૂહની રચના કરી છે. આ સમૂહ ૭માં વેતનપંચની ભલામણોનો અભ્યાસ કર્યા બાદ પોતાની ભલામણો અને સુચનો આપશે.
   સચિવોના સમૂહે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો પાસેથી ૭માં વેતનપંચની ભલામણો અંગે સુચનો માંગ્યા છે. તમામ મંત્રાલયો અને વિભાગોએ પોતાના સુચનો ૧૧મી જુન પહેલા સોંપવાના છે. ૧૧ જુને અંતિમ બેઠક મળશે અને તે પછી સચિવોનો સમૂહ ૩૦ જુન સુધીમાં પોતાના રિપોર્ટને અંતિમ ઓપ આપશે અને સરકારને સોંપશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલય પણ ઇચ્છે છે કે, રિપોર્ટ જુન કે જુલાઇ સુધીમાં તેમને મળી જાય કે જેથી તેની પાસે આ ભલામણો પર અંતિમ નિર્ણય લેવા માટે ઓછામાં ઓછા એક મહિનાનો સમય મળે. સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત તહેવારોની સીઝન પહેલા કરવા માંગે છે. આનાથી અર્થતંત્રને પણ ફાયદો થશે. જો કર્મચારીઓના હાથમાં એ વખતે પૈસા આવશે તો તેઓ તહેવારોમાં વધુ ખર્ચ કરશે. આનાથી બજારમાં પણ રોનક વધશે.
   નાની બચતના વ્યાજદરમાં ઘટાડો કરવાથી આમ આદમી નારાજ છે. એવામાં હવે કેન્દ્રીય કર્મચારીઓની નારાજગી સરકાર નથી ઇચ્છતુ. આ જ કારણોસર સચિવોની સમિતિ ઉદાર બની છે. કેન્દ્રીય યુનિયનોએ પણ પગાર વધારાના મામલામાં કંજુસાઇ સામે લાલબત્તી ધરી છે.
   નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ કહ્યુ છે કે, પગાર વધારાથી જે નાણાકીય બોજ વધશે તે સહન કરવા સરકાર તૈયાર રહે. પ્રથમ વર્ષે બોજો વધારે રહેશે.
Source :-http://sandesh.com/article.aspx?newsid=3255947
http://sandesh.com/article.aspx?newsid=3255881
http://www.akilanews.com



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)