સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 28 August 2014

આજે ગણેશ ચતુર્થીઃ ભક્તો ગણપતિની આરાધનામાં લીન બનશે - આજે સંવત્સરી, 'મિચ્છામી દુક્કડં'સાથે પર્યુષણનું સમાપન

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

આજે ગણેશ ચતુર્થીઃ ભક્તો ગણપતિની આરાધનામાં લીન બનશે

- 'ગણપતિ બાપ્પા મોરિયા...'ના નાદ સાથે ગણેશોતત્સવ શરૃ

- ગણપતિ આરાધના સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ મોટા પાયે આયોજન

અમદાવાદ, ગુરુવાર
સર્વદેવોના અધિષ્ઠાતા અને પ્રાર્થના-પૂજન-અર્ચનાનો પ્રારંભ જેમનાથી થાય છે તેવા ગણાધિપતિ ગણનાયકનું પર્વ એટલે ગણેશ ચતુર્થી. આવતીકાલે ગણેશ ચતુર્થીની ઉજવણી સાથે જ દસ દિવસ માટે ભાવિકો વિધ્નહર્તાની ભક્તિમાં લિન્ન થઇ જશે. શહેરમાં ઠેક-ઠેકાણે ગણેશ સ્થાપન માટે મંડપ તૈયાર કરવામાં આવ્યા છે. ઢોલ-નગારા સાથે ગણેશજીનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે.
ગણેશ આરાધના સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ મોટા પાયે આયોજન આગામી દિવસોમાં કરવામાં આવ્યું છે.  ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હોય ત્યારે જાણે સાક્ષત્ લંબોદર પધાર્યા હોય તેવો માહોલ જોવા મળે છે. આવતીકાલથી ગણેશજીને મોદકનો ભોગ ધરાવવામાં આવશે. આ ઉપરાંત ગણેશજીને દુર્વા તેમજ ગુલાબ-જાસૂદના ફુલ પણ ધરાવવામાં આવે છે. શહેરના લાલ દરવાજા ખાતે આવેલા ગણેશ મંદિર ખાતે શુક્રવારે મળસ્કેથી જ લાંબી લાઇન લાગવાનું શરૃ થઇ જશે.  વસ્ત્રાપુર લેક પાસે આવેલું ગણેશ મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે. આ ઉપરાંત ધોળકા પાસે આવેલા ગણેશપુરા ખાતે દર્શન કરવા રાજ્યના દૂર-દૂરના વિસ્તારોમાંથી ભાવિકો ઉમટી પડશે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે શનિ અને ગુરુ, બંને પોત-પોતાની ઉચ્ચ રાશીમાં સ્થિત છે. આવો યોગ ગણેશોત્સવના આ તહેવારમાં લોકો પ્રભુની ઘરે પણ સ્થાપના કરતા હોય છે. છેલ્લે ૫૮ વર્ષ અગાઉ ૧૯૫૫માં સર્જાયો હતો જ્યારે ગુરુ-શનિ ઉચ્ચ સ્થાને હતા અને ગણેશ ચતુર્થી ઉજવવામાં આવી હતી. હવે ૫૯ વર્ષ બાદ એટલે ૨૦૭૩માં આવો યોગ ફરી સર્જાશે. આ વખતે ગણેશ ચતુર્થીમાં અન્ય એક યોગ એ સર્જાશે કે સૂર્ય પોતાની રાશી સિંહમાં સ્થિત રહેશે. બુધ ગ્રહ પણ થોડા દિવસ બાદ પોતાની ઉચ્ચ રાશી કન્યામાં આવશે. આ પ્રકારનો યોગ સદીઓમાં એક વાર સર્જાતો હોવાનું જ્યોતિષશાસ્ત્રનું માનવું છે. ૮ સપ્ટેમ્બરે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. આ દિવસ ગ્રહ અનુસાર અદ્ભૂત રહેશે. આ દિવસે ગુરુ કર્કમાં, શનિ તુલામાં અને બુધ કન્યામાં રહેશે. સૂર્ય પોતાની રાશી સિંહમાં અને મંગળ પોતાની રાશી વૃશ્ચિક રાશીમાં જ્યારે રાહુ-કેતુ મિત્ર રાશીમાં રહેશે. નવમાંથી સાત ગ્રહ અનૂકળ સ્થિતિમાં રહેશે, જે દુર્લભ યોગ છે.

આજે સંવત્સરી, 'મિચ્છામી દુક્કડં'સાથે પર્યુષણનું સમાપન

- આજે બારસા સૂત્રનું વાંચન

- વિવિધ જૈન સંઘમાં શ્રાવક-શ્રાવિકાઓનું સંવત્સરી પ્રતિક્રમણ થશે.

અમદાવાદ, ગુરુવાર
ત્યાગ-તપ, સંયમ-સાધના, અભય-અનુકંપા, આત્મનીરિક્ષણ-આત્મશુદ્ધિ, આત્મોદ્ધાર-આત્મસાક્ષાત્કારનું પર્વ પર્યુષણ તેના અંતિમ ચરણમાં છે.  દેરાવાસી મૂર્તિપૂજક જૈનો દ્વારા આવતીકાલે સંવત્સરી પર્વની ઉજવણી કરવામાં આવશે. પર્વાધિરાજ પર્યુષણનો આઠમો એટલે કે આવતીકાલનો સંવત્સરીનો દિવસ ખૂબ જ મહત્વનો ગણવામાં આવતો હોય છે. સંવત્સરીના પ્રતિક્રમણમાં વર્ષ દરમિયાન જાણતા-અજાણતા થયેલી નાની-મોટી ભૂલ કે પાપની આલોચના કરી સર્વ જીવોની ક્ષમા માગશે તેમજ ક્ષમા આપશે. શુક્રવારે વહેલી સવારથી જ દેરાસરોમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો જોવા મળશે. દર્શન બાદ જૈનો એક-મેકને 'મિચ્છામી દુક્કડં' કહેશે તેમજ પારણા યોજવામાં આવશે. શનિવારે સ્થાનકવાસી જૈન સમાજ સંવત્સરીની ઉજવણી કરશે.
 સંવત્સરીના દિવેસ સૌથી મહત્વપૂર્ણ બે કર્તવ્ય અદા કરવામાં આવે છે. આ પૈકી એક છે બારસા સૂત્રનું ગુરુ મુખે શ્રવણ અને બીજું છે સર્વ જીવ સાથે હાર્દિક ક્ષમાપના કરવાપૂર્વક-પ્રતિક્રમણનું. એક વાર જે પાપ-ભૂલની માફી મગાઇ તે ફરીથી ન સેવાય તેનો સંકલ્પ કરીને તે માટેને કાળજી લેવાની હોય છે. પરસ્પર માફી માગવા-આપવાના આ વ્યવહારને 'મિચ્છામી દુક્કડં' એવા પ્રાકૃત ભાષાના વાક્ય દ્વારા કરવાનું જૈનોનું આચરણ આજે જૈનાના પરિચિત અજૈનોમાં પણ પ્રચલિત બન્યો છે.
 સંવત્ત+સરી આ બંને શબ્દોનું મિલન થઇ સંવત્સરી શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. સંવત એટલે એક વર્ષ અને સરવું એટલે નીકળી-ઘટી જવું. જીવનમાંથી આરાધના-સાધના કરવા માટે મળેલા એક મહત્વપૂર્ણ વર્ષની બાદબાકી થયાનો સૂચક સંવત્સરી શબ્દ છે. પર્યુષણના કુલ આઠ દિવસ સુધી વિવિધ પ્રકારના તપ, જાપ, જ્ઞાાન, ધ્યાન પ્રવચન-શ્રવણ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, જિન પૂજા, વિપુલ દાન, બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન, એક દિવસથી લઇને મહિના કે તેથીય ઉપરના નિરંકારી તપનું આસેવન, ભક્તિભાવના...આવા વિવિધ અનુષ્ઠાનોથી આ પર્વાધિરાજને આરાધાય છે. પર્યુષણ પર્વના આજના સાતમા દિવસે કલ્પસૂત્ર વાંચનનો ચોથો-અંતિમ દિવસ હતો. આજે સવારે ઉપાશ્રયોમાં કલ્પસૂત્રના વાંચન દરમિયાન બારસા સૂત્રના ચડાવા બોલવામાં આવ્યા હતા. આવતીકાલે સવારે ૧૪ પૂર્વધર પૂ.ભદ્રબાહુ  સ્વામી વિરચિત શ્રી બારસાસૂત્રનું સમજૂતિ સાથે વાંચન થશે. બપોરે ૩ઃ૦૦ કલાકે લગભગ તમામ મૂર્તિપૂજક જૈન સંઘમાં શ્રાવક-શ્રાવિકાઓનું સંવત્સરી પ્રતિક્રમણ થશે.  જે લોકોએ કલ્પસૂત્રનું શ્રવણ ન કર્યું હોય તેઓ બેથી ત્રણ કલાક ચાલનારા 'બારસા સૂત્ર' સાંભળવાથી એ કર્તવ્ય પૂર્ણ થાય છે.


Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment