સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 8 June 2016

જોજો, શિક્ષકો પર ભરોસો ન મૂકતા: શિક્ષકો ભ્રષ્ટાચારી, ચોર કે કૌભાંડી લાગે છે !

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

જોજો, શિક્ષકો પર ભરોસો ન મૂકતા: શિક્ષકો ભ્રષ્ટાચારી, ચોર કે કૌભાંડી લાગે છે !

- પ્રવેશોત્સવની હિમાયત કરતા આનંદીબહેનનાં નિવેદનોની સોશિયલ મિડિયા પર મજાક

- પ્રવેશોત્સવમાં શાળાદીઠ ૯૪૦૦નો ખર્ચ પણ સરકાર માત્ર રૃ।. ૫૦૦ આપે છે

અમદાવાદ, સોમવાર
આવતીકાલે મંગળવારથી ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં ત્રણ દિવસનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થશે. વાસ્તવમાં એપ્રિલ મહિનામાં જ બાળકોનું નામાંકન થઈ ગયું હોય છે. તેમજ બાળકોએ શાળાઓમાં આવવાનું પણ શરૃ કરી દીધું હોય છે. આમ છતાં આવા મહોત્સવો યોજીને સરકાર પોતાનો પ્રચાર અને પ્રસિદ્ધિ જ કરી રહી છે. દુ:ખની વાત એ છે કે પ્રવેશોત્સવ પાછળ શાળા દીઠ રૃ. ૯૪૦૦નો ખર્ચ થઈ રહ્યો છે પરંતુ સરકાર શાળા દીઠ માત્ર રૃ. ૫૦૦ જ ચુકવે છે !!
સોશ્યિલ મીડિયા પર શાળા પ્રવેશોત્સવમાં શાળાને ક્યાં કેટલો ખર્ચ થાય છે તેની સમગ્ર વિગતો મુકવામાં આવી છે. શાળાના આચાર્યો અને શિક્ષકો જ આ મેસેજને આગળ મોકલી રહ્યા છે. જેમાં લખાયું છે કે 'બહેનશ્રી, તમારી સરકારની ૫૦૦ રૃપિયાની ગ્રાન્ટમાંથી છેલ્લા ૧૫ વર્ષથી પ્રવેશોત્સવ શિક્ષકો ધામધૂમથી ઊજવે છે...! તોયે તમે કહો છો કે.. જોજો શિક્ષકો પર ભરોસો ન મૂકતા !!' કેમ ?? શિક્ષકો ભ્રષ્ટાચારી લાગે છે ? ચોર કે કૌભાંડી લાગે છે ?
મેસેજમાં એવો બળાપો પણ કાઢવામાં આવ્યો છે કે પ્રવેશોત્સવ માત્ર તમારી સરકાર પોતાના પ્રચાર માટેનો તાયફો છે !! બીચારા બાળકોએ તો એપ્રિલ માસની ફરજીયાત ગણતરીમાં જ પોતાનું નામાંકન કરાવી દીધું હોય છે. શાળા શરૃ થતાનાં પ્રથમ દિવસથી જ તેઓ શાળામાં આવતા થઈ જાય છે. આમ છતાં સરકાર બાળકોના નામાંકનનું 'નાટક' કરે છે. તેમનાં આવા પ્રચારમાં નાછૂટકે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ જોડાવવું પડે છે. તા. ૮, ૯ અને ૧૦ એમ ત્રણ દિવસ દરમિયાન વિવિધ મંત્રીઓ સહિત ૯૨ પદાધિકારીઓ અને ૩૫૯ IAS-IPS જેવા ઉચ્ચ અધિકારીઓ પ્રવેશોત્સવમાં જોડાશે. મુખ્યમંત્રી પોતે સમગ્ર પ્રવેશોત્સવનું નેતૃત્વ કરી રહ્યા છે. આમ છતાં છેલ્લા ૧૪ વર્ષમાં શિક્ષણની ગુણવત્તા સુધરી નથી. પ્રવેશમાત્ર બાળકોની સંખ્યામાં પણ કોઈ ફરક પડયો નથી.

એક શાળાને કુલ કેટલો ખર્ચ થાય છે ?
મંડપ-સ્ટેજ પાછળ
રૃ. ૩૦૦૦
સાઉન્ડ ખર્ચ
રૃ. ૧૦૦૦
ફળ છાબ નંગ-૫ હાર-ફૂલછડી
રૃ. ૮૦૦
સુશોભન સામગ્રી
રૃ. ૫૦૦
બાળકોને ઇનામ-સન્માન
રૃ. ૧૦૦૦
અધિકારીઓને બદામ કાજું
રૃ. ૫૦૦
મીનરલ વોટર બોટલો
રૃ. ૧૦૦૦
ગ્રામજનો-મહેમાનો માટે ચા-નાસ્તો
રૃ. ૧૫૦૦
અધિકારીને જમણવારનો ખર્ચ
રૃ. ૧૦૦૦
 

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-be-careful-not-to-put-trust-in-teachers



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

1 comment:

  1. This blog is having the general information. Got a creative work and this is very different one.We have to develop our creativity mind.This blog helps for this. Thank you for this blog. This is very interesting and useful.

    J2ee training in chennai

    ReplyDelete