સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 5 January 2018

પ્રખ્યાત એન્ટી-વાયરસ સોફ્ટવેર કંપની ક્વીકહીલએ(Quick Heal) જણાવ્યું છે કે Android.banker.A9480 નામના 'માલવેર'થી 232 જેટલી બેન્કિંગ એપ્સ પ્રભાવિત થઈ હોય શકે છે - ગ્લોબલ પાટીદાર સમિટ: 2026ને લઈને પ્લાનિંગ, CM રહ્યા હાજર - ડો. તેજસ પટેલ દ્વારા રોબોટીક હાર્ટ સર્જરી - હવે ATMમાંથી પૈસા કાઢવા કાર્ડ કે પિનની જરૂર નહીં પડે! - રૂ. ૨૦૦૦ની ચલણી નોટો હવે ઘરથી બેંક ભણી - મુંબઈમાં ૭૦ આંગડીયાના ૧૫૦ કરોડના ૩૦૦૦ પાર્સલ જીએસટીના અધિકારીઓએ સીઝ કર્યા

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

પ્રખ્યાત એન્ટી-વાયરસ સોફ્ટવેર કંપની ક્વીકહીલએ(Quick Heal)  જણાવ્યું છે કે Android.banker.A9480 નામના 'માલવેર'થી 232 જેટલી બેન્કિંગ એપ્સ પ્રભાવિત થઈ હોય શકે છે જેમાં SBI, ICICI, HDFC જેવી નામી બેંકિંગ એપ્લિકેશન્સ પણ સામેલ છે. ક્વીકહીલના મત મુજબ આ 'માલવેર' યુઝર્સના લોગ-ઇન ડેટા, એસએમએસ અને કોન્ટેક્ટ લિસ્ટ જેવી ખાનગી અકિલા માહિતીઓ ચોરી શકવા શક્ષ્મ છે. આ માલવેર યુઝર્સનાં ઉપકરણમાં ક્રિપ્ટોકર્સિ એપ્પને પણ પ્રભાવિત કરી શકે છે જે ખુબજ ગંભીર બાબત છે.: (11:38 am IST)


મુંબઈમાં ૭૦ આંગડીયાના ૧૫૦ કરોડના ૩૦૦૦ પાર્સલ જીએસટીના અધિકારીઓએ સીઝ કર્યાઃ જીએસટીની ચોરી થતી હોવાની શંકાના પગલે સીઝની કાર્યવાહી : હિરા ઉદ્યોગમાં ફડફડાટ : સુરત, અમદાવાદ અને રાજકોટના પાર્સલ અટવાયા (11:27 am IST)

Source :-http://www.akilanews.com/

ડો. તેજસ પટેલ દ્વારા રોબોટીક હાર્ટ સર્જરી
વાસ્કયુલર રોબોટિકસ ટેકનોલોજીઃ અમેરિકાની બહાર વિશ્વમાં સહુ પ્રથમ અમદાવાદ ખાતે પ્રારંભઃ પદ્મશ્રી - વિશ્વવિખ્યાત ડો. તેજસ પટેલે ભારતને ઐતિહાસિક ગૌરવ આપ્યું: રોબોટ દ્વારા એન્જીયોપ્લાસ્ટી - સ્ટેન્ટીંગ કરનાર પ્રથમ કાર્ડિયોલોજિસ્ટ બન્યાઃ પત્રકાર પરિષદમાં રસપ્રદ વિગતો અકિલા અપાઇઃ રોબોટિકસના સાથથી દૂર-સુદૂરના શહેરો - ગામોમાં - સ્થળો પર પણ સ્ટેન્ટના દર્દીઓને ટેલી સ્ટેન્ટીંગ જેવી ટેકનોલોજી ઉપલબ્ધ બનશે, જે દેશ-દુનિયા માટે ક્રાંતિ અમદાવાદ તા. ૪ : વિશ્વખ્યાત કાર્ડિયોલોજિસ્ટ અકીલા - પદ્મશ્રી એવોર્ડી ડો. તેજસ પટેલે હૃદય અંગેની આરોગ્ય સેવામાં અસાધારણ ઉડાન ભરી છે. અમદાવાદમાં અત્યાધુનિક રોબોટિક ટેકનોલોજીના ઉપયોગથી કોરોનરી એન્જીયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગનો પ્રારંભ કર્યો છે. આ ટેકનોલોજી અમેરિકા બાદ વિશ્વમાં માત્ર ભારતમાં અમદાવાદ ખાતે કાર્યરત બની છે. ડો. તેજસ પટેલે અમદાવાદને વૈશ્વિક સ્તરે અસાધારણ ગૌરવ અપાવીને ઐતિહાસિક સિધ્ધિ હાંસલ કરી છે. તેઓ ભારતમાં વાસ્કયુલર રોબોટિક ટેકનોલોજી લાવનારા પ્રથમ કાર્ડિયોલોજીસ્ટ બન્યા છે. ગુજરાત માટે આ ગૌરવ આભને આંબનારૂ છે. ભારતની ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીના ઇતિહાસમાં ભારતના પનોતા પુત્ર અને વિશ્વ વિખ્યાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ એવા અમદાવાદની એપેકસ હાર્ટ ઇસ્ટિટયૂટના ચેરમેન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. તેજસ પટેલે (એમ.ડી., ડી.એમ., એફ.એસ.સી.આઇ., એફ.એ.સી.એસ.આઇ., એફ.એ.સી.સી. એફ.ઇ.એસ.સી., એફ.એસ.સી.એ.આઇ.)વધુ એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. તેમણે એપેકસ હાર્ટ ઇન્સ્ટિટયૂટ ખાતે વ્યાવસાયિક ધોરણે સૌ પ્રથમ કોરપાથ જી.આર.એકસ. (યુ.એસ.એફ.ડી.એ. માન્ય) લગાવવાની જાહેરાત કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સની બહારની આ એકમાત્ર અને પ્રથમ વેસ્કયુલર રોબોટિક સિસ્ટમ્સ છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ડો. તેજસ પટેલે ઊંડાણથી રસપ્રદ વિગતો આપી હતી. ડો. તેજસ પટેલ વિશ્વ કક્ષાએ નામાંકિત છે અને ટ્રાન્સરેડિયલ એકસેસ ટેકનિકના પ્રણેતા છે અને તેમણે પોતાની ૨૫ વર્ષોની કારકિર્દી દરમિયાન આશરે ૫૦૦૦થી પણ વધારે ફીઝીશ્યનોને તાલીમ આપી છે. ડો. તેજસ પટેલે રોબોટિક પધ્ધતિની મદદ દ્વારા રાઇટ ડોર્સલ ટ્રાન્સરેડીયલ એકસેસ દ્વારા હોસ્પિટલનું પ્રથમ સ્ટેન્ટિંગ કર્યું હતું. પોતાના કેન્દ્ર ખાતે વાસ્કયુલર રોબોટિકસ ઇન્સ્ટોલેશનના ૩ અઠવાડિયામાં ડો. તેજસ પટેલે ડો. સંજય શાહ સાથે મળીને એકયુટ માયોકાર્ડિયલ ઇન્ફેકશન (એ.એમ.આઇ.) અને ક્રોનિક ટોટલ ઓકલુઝન (સી.ટી.ઓ.)વાળા દર્દીઓ જેવા જટિલ ૫૦થી પણ વધારે કેસોમાં કોરોનરી એન્જીયોપ્લાસ્ટી - સ્ટેન્ટિંગ કર્યું છે. ભારતમાં ગુજરાત, અમદાવાદની એપેકસ હાર્ટ ઇન્સ્ટિટયૂટ અત્યાધુનિક કાર્ડિયોલોજી કેન્દ્ર છે અને હવે તે ભારતના અને સમગ્ર વિશ્વના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્સને રોબોટિક આસિસ્ટેડ પકર્યુટેનીયસ કોરોનરી ઇન્ટરવેન્શન્સ (પી.સી.આઇ.)ની તાલીમ આપવા માટેનું યે.એસ.એ. બહારનું પ્રથમ 'ગ્લોબલ સેન્ટર ઓફ એકસેલેન્સ' બન્યું છે. અહીં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ - વિદેશથી લોકો પૂર્ણ વિશ્વાસ સાથે હાર્ટની સર્જરી, એન્જીયોપ્લાસ્ટી, એન્જીયોગ્રાફી સહિતની આધુનિક સારવાર માટે વર્ષોથી આવી રહ્યા છે. ડો. તેજસ પટેલ હંમેશથી જ એક દુરંદેશીભર્યા તબીબ રહ્યા છે અને હૃદયરોગોની વાત છે ત્યાં સુધી તેઓ હંમેશા જાણે કાયમ આરોગ્યલક્ષી કાળજીને નવિનત્તમ રાખવા માટે સદાય સતર્ક હોય છે. તેઓ માને છે કે, આ ટેકનોલોજી કોરોનરી આર્ટરી ડિસીઝની સારવાર બાબતે ભારતને આગલી હરોળમાં મુકી આપશે. તેમને લાગે છે કે, ભારતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોનરી આર્ટરી ડિસીઝના દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા ચિંતાજનક વધારાને પહોંચી વળવા માટે સર્વશ્રેષ્ઠ ટેકનોલોજીની તાતી જરૂર છે. રોબોટિકસની સહાયથી સુદૂરના સ્થળો પર પણ સ્ટેન્ટના દર્દીઓને ટેલી-સ્ટેન્ટિંગ જેવી ટેકનોલોજી રોબોટિકસ દ્વારા ઉપલબ્ધ થઇ શકશે, તબીબો માટે નક્કર તબીબી નિર્ણયો કરી શકે તે માટે ઇન-બિલ્ટ આર્ટિફિસિયલ ઇન્ટેલીજન્સ (આઇ.આર.) અને સીનીયર કાર્ડિયોલોજીસ્ટ્સ યુવા કાર્ડિયોલોજીસ્ટને તાલીમબધ્ધ કરી શકશે. આ તમામ પ્રગતિઓની આપણા રાષ્ટ્રમાં આરોગ્યલક્ષી સેવાઓ પર ખૂબ અસરકારક પુરવાર થશે. ડો. પટેલે જણાવ્યું હતું કે, 'કોરપાથ જી.આર.એકસ.થી સૌ પ્રથમ કેસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હું અને મારા જોડીદાર ડો. સંજય શાહ આ સિસ્ટમ્સથી ખૂબ જ પ્રભાવિત થયા છીએ અને જે પ્રકારે સામાન્ય અને જટિલ બંને પ્રકારની પ્રોસીજર આ પધ્ધતિ દ્વારા વધુ ચોક્કસાઇપૂર્વક થઇ શકે છે તે ખરેખર અદ્ભૂત છે.' રોબોટિકસ એ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વનો હિસ્સો છે. એપેકસ હાર્ટ ઇન્સ્ટિટયૂટ દ્વારા અમે આ ટેકનોલોજીને ભારત તથા વિદેશોમાં પણ ફેલાવવા માંગીએ છીએ. શ્રી રિયાઝ દેસાઇ (મેનેજીંગ ડિરેકટર ઓફ માઇક્રોપોર્ટ ઇન્ડિયા)એ જણાવ્યું હતું કે, 'માઇક્રોપોર્ટમાં અમે સૌને પરવડે તેવા ભાવે ભારતીય દર્દીઓને વિશ્વકક્ષાની સારવાર દાખલ કરવાનું અમારૃં ધ્યેય છે. એપેકસ હાર્ટ ઇન્સ્ટિટયૂટ, ગુરૂદ્વારા પાસે, એસ.જી. રોડ, અમદાવાદમાં યુ.એસ.એ.ની કોરીન્ડસ વાસ્કયુલર રોબોટિકસ સાથે ભાગીદારીમાં ભારતમાં વિશ્વની એકમાત્ર વાસ્કયુલર રોબોટિકસ સિસ્ટમ્સ દાખલ કરતા અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ. આ સાથે જ યુ.એસ.એ.ની બહાર ભારત સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવો દેશ બન્યો છે જે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી વાસ્કયુલર રોબોટિકસ ક્ષેત્રમાં ન માત્ર દર્દીને ચોકસાઇ અને સલામત સર્જરી આપે છે પરંતુ સર્જરી દરમિયાન દર્દી અને કાર્ડિયોલોજીસ્ટ્સ અને કેથ લેબ સ્ટાફને પણ રેડિએશનની અસરમાંથી ખાસી એવી મુકિત આપે છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દર્દીઓને પોસાય તેવા ભાવે આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવાના સ્વપ્નને અમે પણ સાકાર કરવા માંગીએ છીએ. જી.આર.એકસ. રોબોટિકસ સિસ્ટમ્સને દાખલ કરવાથી તેમના આ સ્વપ્નને પૂર્ણ કરી શકાશે. અમે એપેક્ષ ઇન્સ્ટિટયૂટના ડો. તેજસ પટેલની સાથે ભાગીદારી બદલ ધન્યતા અનુભવીએ છીએ જેઓ એક મહાન પ્રશિક્ષક, સંશોધક આધુનિકતા સ્વિકારનાર અને એક વિદ્વાન તરીકે પ્રખ્યાત છે. ડો. પટેલ પોતાના જ્ઞાનને પોતાના સાથીઓ સાથે વહેંચીને માનવ કલ્યાણમાં આસ્થા ધરાવે છે.' માર્ક ટોલાન્ડ, પ્રમુખ અને સી.ઇ.ઓ., કોરિન્ડસએ અગાઉ જણાવ્યું હતું કે, એપેકસ હાર્ટ ઇન્સ્ટિટયૂટે ભારતમાં સૌ પ્રથમ રોબોટિકસ પ્રોગ્રામ દાખલ કરતા અમે હાર્દિક ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ, તથા તેના ઉપયોગના પ્રથમ ત્રણ દિવસોમાં જ અગિયાર પી.સી.આઇ. પ્રોસીજર કરી તે બાબતે અમે હર્ષ અનુભવીએ છીએ. ભારતમાં કોરિન્ડસનું નવું અને વિકસી રહેલું માર્કેટ છે, અને આ ક્ષેત્રમાં અમારી પ્રિસીશન વાસ્કયુલર રોબોટિકસ દાખલ કરતા ડો. તેજસ પટેલ અને એપેકસ હાર્ટ ઇન્સ્ટિટયૂટ કામ કરવા અમે આતુર છીએ. આપ પણ કોઇ પણ કવેરી એપોઇન્ટમેન્ટ કે બીજી જાણકારી માટે એપેકસ હાર્ટ ઇન્સ્ટિટયૂટ, ગુરૂદ્વારા પાસે, અમદાવાદ મો. ૯૮૨૪૮ ૨૧૧૪૬ અથવા ૯૯૦૪૪ ૦૭૭૫૫ ઉપર સંપર્ક કરી શકો છો. પદ્મશ્રી એવોર્ડી ડો. તેજસ પટેલ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (તસ્વીરો - પૂરક અહેવાલઃ નિમિષ ગણાત્રા) (9:50 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/05-01-2018/121223

હવે ATMમાંથી પૈસા કાઢવા કાર્ડ કે પિનની જરૂર નહીં પડે! 
લેસ કરન્સીવાળી અર્થવ્યવસ્થાન તૈયાર કરવાનું બેંકનું સ્વપ્નઃ આધાર નંબર અને ફિંગરપ્રિન્ટના ઉપયોગથી મળશે પૈસાઃ યસ બેંક લાવશે ખાસ એટીએમ નવી દિલ્હી તા. ૫ : જો તમારે હજુ પણ એટીએમમાંથી પૈસા કાઢવા માટે એટીએમ કાર્ડ અને પિન નંબરની જરૂર પડે છે તો જલ્દી જ અકિલા હવે એવું નથી થવાનું. જી હા. યસ બેન્ક એવું એટીએમ લાવશે જેમાં એટીએમ કાર્ડ કે પિન નંબરની જરૂર નહીં પડે. પ્રાઈવેટ ક્ષેત્રની બેન્કે ફિનટેક ક્ષેત્રની સ્ટાર્ટઅર નિયરબાય ટેકનોલોજી સાથે કરાર કર્યો છે. આ અકીલા કરાર અંતર્ગત નિયરબાય ટેક બેન્કને આધાર આધારિત એવું એટીએમ ઉપલબ્ધ કરાવશે, જેનાથી કાર્ડ અથવા પિન નંબરની જરૂર નહીં હોય. ગ્રાહક રિટેલરો પાસે પૈસા કરાવી શકશે અને નીકળા શકશે. યસ બેન્કે નિવેદનમાં કહ્યું કે પેનિયરબાય મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ સ્માર્ટફોન પર કરી શકાશે. તેમાં કોઈ રિટેલર ગ્રાહકો માટે આધાર એટીએમ-આધાર બેન્ક શાખાના રૂપમાં કામ કરશે અને રોકડ જમા કરાવવા અથવા નીકાળવાની સુવિધા આપશે. યસ બેન્ક અને નિયરબાયે આ સેવા શરૂ કરવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે નજીકમાં કામ કર્યું છે. પેનિયરબાય આધાર એટીએમ યસ બેન્ક અને બિઝનેસ કોરસ્પોન્ડેન્ટ દ્વારા ઉપલબ્ધ હશે. આ નેટવર્કમાં ૪૦,૦૦૦ ટચ પોઈન્ટ હશે. આધાર નંબર અને આંગળીની ફિંગરપ્રીન્ટનો ઉપયોગ કરીને ગ્રાહક તેવા સ્થાનો પરથી રોકડ અથવા અન્ય લેવડદેવડ કરી શકશે. નિયરબાયે આધાર સેવાઓ વિશે જાગૃતતા તથા તેને લોકપ્રિય બનાવવા માટે રિટેલર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા સાથે કરાર કર્યો છે. જે અંતર્ગત ગ્રાહકોને જાગૃત કરવામાં આવશે અને આ સેવા દેશના દૂરના સ્થાનો સુધી પહોંચાડવામાં આવશે. નિયરબાય ટેકનોલોજી્સના સંસ્થાપક આનંદકુમાર બજાજે કહ્યું કે આ સેવા સાથે અમારો ઉદ્દેશ્ય ચુકવણી માટે સુવિધા આપવાનો છે. યસ બેન્કના મુખ્ય ડિઝિટલ અધિકારી રિતેશ પઈએ કહ્યું કે આ જોડાણ દ્વારા અમે લેસ કરન્સીવાળી અર્થવ્યવસ્થાનું સપનું પુરું કરવા ઈચ્છીએ છીએ.(૨૧.૬) (9:11 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/05-01-2018/121214

રૂ. ૨૦૦૦ની ચલણી નોટો હવે ઘરથી બેંક ભણી
 લોકો ૨૦૦૦ની નોટો કાઢવા લાગ્યા નોટો છાપવાનું બંધ કર્યું અને મેસેજથી લોકો રસ્તો કરવા લાગ્યા નવી દિલ્હી તા. ૫ : નોટબંધી બાદ જ્યારે રૂ. ૨૦૦૦ની ગુલાબી નોટો લોકોના હાથમાં આવતી હતી ત્યારે તેનો સંગ્રહ શરૂ કરી દીધો હતો. હવે આ ગુલાબી નોટોનું ભાવી ગુલાબી ન હોવાનું આરબીઆઇએ અકિલા તેનું પ્રિન્ટીંગ બંધ કરી દેતા સ્પષ્ટ થઇ ગયું છે. જેને પગલે હવે લોકો પોતાના ઘરમાં સંગ્રહીને રાખેલી ૨૦૦૦ની નોટો વહેલામાં વહેલી તકે બહાર કાઢવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. બેંકમાં જમા કરાવાતી કરન્સીમાં અકીલા સૌથી વધુ ૨૦૦૦ની નોટો જ આવી રહી છે. ગૃહિણીઓએ પણ બચતમાં રાખેલી ૨૦૦૦ની નોટો હવે બહાર આવી રહી છે. જેને પગલે હવે ૨૦૦૦ની નોટો ઘરથી બેંક ભણી જઇ રહી છે. વર્ષ ૨૦૧૬માં સરકારે જ્યારે રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ચલણમાંથી રદ્દ કરી હતી ત્યારે લોકોને પોતાની પાસેના રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બેંકમાં જમા કરાવવા માટે અને એકસચેન્જ કરાવવા માટે જે તકલીફ પડી હતી તેનું પુનરાવર્તન ન થાય તેના માટે એડવાન્સમાં જ ૨૦૦૦ની નોટોનો નિકાલ શરૂ કરી દેવાયો છે. મોટાભાગની બેંકોના એટીએમમાંથી પણ હવે ૨૦૦૦ની નોટો નીકળતી નથી. સરકારે રૂ. ૧૦૦૦ અને ૫૦૦ની નોટ રદ્દ કરી દીધી હતી. સરકારે આ નોટો બેંકમાં જમા કરાવવા માટે ૫૦ દિવસનો સમય આપ્યો હતો. તે દિવસ દરમિયાન લગભગ આખો દેશ બેંકો આગળ લાઇનો લગાવીને ઉભો હતો. આ નોટોના બદલે સરકારે રૂ. ૨૦૦૦ની નવી નોટો ચલણમાં મુકી હતી. છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ૨૦૦૦ની નોટો ચલણમાંથી રદ્દ કરી દેવાશે તેવો મેસેજ વહેતો થતાં લોકો પોતાની પાસેની આ નોટો બહાર કાઢી રહ્યા છે.
Source :-http://www.akilanews.com/Main_news/Detail/05-01-2018/121240

ગ્લોબલ પાટીદાર સમિટ: 2026ને લઈને પ્લાનિંગ, CM રહ્યા હાજર

32 દેશમાંથી 10,000 જેટલા ડેલિગેટ્સ અને 3,00,000થી વધુ મુલાકાતીઓ આ ઈવેન્ટમાં હાજર રહેશે એવો આશાવાદ આયોજકોએ સેવ્યો છે
અમદાવાદ: સરદારધામ દ્વારા મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજના સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપવા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. 32 દેશમાંથી 10,000 જેટલા ડેલિગેટ્સ અને 3,00,000થી વધુ મુલાકાતીઓ આ ઈવેન્ટમાં હાજર રહેશે એવો આશાવાદ આયોજકોએ સેવ્યો છે. સમાજના તમામ લોકોને આ ઈવેન્ટમાં ભાગ લેવા આમંત્રણ આવ્યું છે. ત્યારે તેમાં હાજરી આપવા માટે મુખ્યમંત્ર વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ખાસ હાજર રહ્યા છે. પરંતુ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. ખૂબ ઓછી સંખ્યામાં સમિટમાં ભાગ લેવા માટે લોકો પહોંચ્યા છે.

સીએમ હાજર રહ્યા

ગ્લોબલ પાટીદાર સમિટમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ હાજર રહ્યા હતા. અહીં તેમણે દિપ પ્રાગટ્ય કરીને સમિટને ખુલ્લું મુક્યું હતું. તો તેમની સાથે ભાજપના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. ધારણા કરતાં ઓછી સંખ્યામાં પાટીદાર સમિટમાં લોકો હાજર રહ્યા છે.
કન્વેન્શન

આર્થિક પાસાઓને અનુલક્ષીને આયોજીત કરવામાં આવેલુ દેશનું સર્વપ્રથમ સમાજલક્ષી કન્વેન્શન
સમાજ અને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા પ્રેરણાદાયક વક્તવ્યો
કોર્પોરેટ જગત સાથે ચર્ચા-વિચારણા કરવાની અમૂલ્ય તક
બિઝનેસ મેનેજમેન્ટ અને ટેકનોલોજી અંગે ખાસ સેશન
ખ્યાતનામ નિષ્ણાંતો દ્વારા માર્કેટીંગ તેમજ બ્રાન્ડ બિલ્ડીંગ અંગે જાણકારી
B2B મિટીંગ્સ

ધંધા-વ્યાપારમાં વૃદ્ધિ માટે પ્રિ-રજીસ્ટર્ડ B2B મિટીંગની સુવિધા
મેન્યુફેક્ચરર્સ, હોલસેલર્સ, રિટેઈલર્સ, સર્વિસ પ્રોવાઈડર્સ તેમજ રો-મટીરીયલ સપ્લાયર્સ માટે ધંધાકીય-વ્યવસાયિક જોડાણની વિશેષ તકો
ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા ડેલીગેટ્સની વિગતવાર માહિતી ઉપલબ્ધ
અરસપરસ સમયની અનુકૂળતા પ્રમાણે મીટીંગની સુવિધા
સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બિઝનેસ ડેલીગેટસ સાથે નેટવર્કિંગનો અનોખો અવસર
બિઝનેસ સેમિનાર

સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા ધંધાકીય માર્ગદર્શન
નિષ્ણાંત વક્તાઓ દ્વારા બિઝનેસ મેનેજમેન્ટ અંગે વક્તવ્યો
સમાજને ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિશીલ બનાવવા હેતુસર ચર્ચા
બહેનો માટે રોગજારીની તકો અંગે ખાસ સેમિનાર
ટેક્સ પ્લાનિંગ, ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ, ઓનલાઈન માર્કેટીંગ અને બેન્કિંગ વિશે ખાસ સેમિનાર
પરસ્પર ફાયદાકીય MoUની સવલતો
એક્ઝિબિશન

500થી વધારે વિવિધ વ્યાપારી એકમો દ્વારા મેગા એક્ઝિબિશન
50,000થી વધારે પ્રોડક્ટ્સનું પ્રદર્શન
આધુનિક ટેકનોલોજી અને નવીન પ્રોડક્ટસ અંગે જાણકારી
વ્યાપાર-ધંધા અંગે ચર્ચા કરવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ
જોબફેર

ઉદ્યોગો માટે સક્ષમ વ્યાવસાયિકો મેળવવાની અને કુશળ યુવાનો માટે રોજગારીની ઉત્તમ તક
100થી વધારે અગ્રણી કંપનીઓની ઉપસ્થિતિ

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-global-patidar-business-summit-2018-begging-in-gandhinagar-NOR.html?ref=ht

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



 CLICK HERE TO DOWNLOAD




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

2 comments:



  1. Wonderful information! I found amazing information on the blogs i suggest everyone to follow the links below to get download files from this website.

    gbwhatsapp apk
    acmarket apk
    freedom apk
    live nettv apk
    aptoide apk


    ReplyDelete
  2. This is amazing site!Also check the new uk lottery result is all about the recent result.
    thunderball results: tonight saturday

    ReplyDelete