સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 18 February 2014

ગુજરાતની ભોળી જનતા ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો. આજ સમય છે બઘાએ એક થઇને કઇક કરી બતાવવાનો, ભ્રસટાચાર રોકવાનો.

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)



ગુજરાતની ભોળી જનતા ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો. આજ સમય છે બઘાએ એક થઇને કઇક કરી બતાવવાનો, ભ્રસટાચાર રોકવાનો.

ગુજરાતમાં તલાટીની પરીક્ષા મા પેપર કોરુ છોડીને પાસ કરવા માટે અફવા સાચી નીકળી ગુજરાત સમાચાર પમાણે “ હકિકતે એવું ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે તલાટી કમ મંત્રીની કુલ ૧પ૦૦ જગ્યામાંથી ૮૦૦ જેટલી જગ્યા માટે ઉમેદવાર દિઠ ૧૦ લાખ રૃપિયા લઈને સેટિંગથી ભરવાની હતી. જો આવી રીતે પ્રતિ ઉમેદવાર ૧૦ લાખની રકમ લેવામાં આવે તો ૮૦ કરોડ રૃપિયા જેવી જંગી રકમ મેળવી શકાય. અને ચૂંટણી ફંડ માટે તગડી રકમ મળી શકે.”
રીતે પૈસા આપિને જે ટલાટી બનસે તે તમારી સેવા નહિ કરે પણ તેના પૈસા વસુલ કરવા ભ્રસટાચાર કરશે. તલાટીની પરીક્ષા માટે લગભગ 12 લાખ લોકો પરિક્ષા આપવાના છે. માત્ર 1500 જગિયા છે. ષડયંત્ર બહાર આવિયુછે છતા હજુ પૈસા આપી ભ્રસટાચાર કરનાર ના નામ બહાર આવયા નથી, ખરેખર તો ભ્રસટાચાર કરનારને પરીક્ષા માથી બાકાત કરી ભરતી કરવી જોઇએ, આજ સમય છે 12 લાખ પરિક્ષા આપનાર લોકોને જાગવાનો કઇક કરી બતાવવાનો.

ગુજરાતમા નવા ભરતી થયેલા સરકારી કર્મચારી ના ફુલ પગાર માટેનો કેસ જીતી ગયા હોવા છતા હજુ કોર્ટમા તારીખ પર તારીખ પડે છે, આજ સમય છે સરકારી કર્મચારીને જાગવાનો કઇક કરી બતાવવાનો,
ગુજરાત સમાચાર પમાણે  “ પોલીસ કાયદાની રક્ષક નહીં પરંતુ ભક્ષક જણાય છે  હાઇકોર્ટ “ આ હકીકત સાચી છે મારો પણ એવોજ અનુભવ રહયો છે, ફરીયાદિ ના કેસમા ખોટા પુરાવા રજુ કરી ફરીયાદિનેજ આરોપી બનાવિ હજુ કઇ બાકી રહી જતુ હોય તો ખોટુ કામ કરવા માટે સરકારી કાગળ ખરચ માટે 1000 રુપીયા લાંચ માગે છે સમુહમા, કોર્ટમા તારીખ પર તારીખ પડે છે, ન્યાય માગવો કોના જોડે ?, આવા અનુભવ ગણા લોકોના હશે, આજ સમય છે ગુજરાતની ભોળી જનતાને જાગવાનો કઇક કરી બતાવવાનો,
ભ્રસટાચાર ને લગતી કોઇ પણ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા સમાચર પત્રોમા અને પોલિસ ને જાણ કરો.
ઇમેલ -inquiry.gsg13@gmail.com, hiteshpatel_2410@yahoo.in,
નોઘ -  આવિ કોઈ પણ પરીક્ષા મા ભ્રસટાચાર થાય છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો. ભ્રસટાચાર વગરનુ ગુજરાત આપણિ એકતાથીજ બનિ શકે છે.
આટૅીકલ ને દરેક સોશીયલ નેટવૅક શેર કરો લાઈક કરો (ફેસબુક) અને  ભ્રસટાચાર વગરનુ ગુજરાતના નિરમાણ મા તમારો ફાળો આપો.
ચુટણી આવિ રહી છે 12 લાખ પરિક્ષા આપનાર લોકો, સરકારી કર્મચારી, ભ્રસટાચાર નો ભોગ બનેલા લોકો તથા તેમના પરીવાર ના વોટ સરકાર બદલી શકે છે,  ભ્રસટાચાર નાબુદ કરી શકે છે, પોતાના હક મેળવિ શકે છે.


નોકરી માટે રૃપિયા ૮ થી ૧૦ લાખ આપવા એ રોકાણ જ છે

નોકરી ઇચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ કહે છે

ભષ્ટાચારની પેલે પાર લોકોની પણ ચોંકાવી દે તેવી માનસિકતા

સરકારી નોકરી કરનાર યુવક યુવતીઓનાં માંગા વધુ આવે છે
અમદાવાદ, મંગળવાર
ગુજરાતીઓ ભલે બિઝનેસ સાહસિક કે વેપારી ગણાતા હોય તેમ છતાં સરકારી નોકરીઓ માટેનો મોહ જરાં પણ ઓછો હોય તેમ જણાતું નથી. મોટા ભાગના વાલીઓ જો ખરેખર સરકારી નોકરી મળતી હોય તો દેવું ખરીને પણ નાણા ખર્ચવા માટે તૈયાર છે. ભલે આપણે કોપોર્રેટ દુનિયા અને કલ્ચરની વાત કરતા હોઇએ પરંતુ આજે પણ સરકારી નોકરી સામાજીક સ્ટેટસનો જ એક ભાગ ગણાય છે.આપણે ત્યાં સમાજમાં એવો એક બહોળો વર્ગ છે જે ધંધા રોજગારમાં આવતા ચડાવ ઉતાર તથા નોકરીની અનિશ્ચિતા જેવા પરિબળોના લીધે કાયમી એવી નોકરી કરવાનું પસંદ કરે છે. કલ્યાણસિંહ ચંપવાત પ્રકારના કૌભાંડ માટે લોકોની માનસિકતા પણ ઓછી જવાબદાર નથી.
આ તો વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ જેવું છે
કલોલમાં રહેતા જગદિશભાઇ પટેલ( નામ બદલ્યું છે)નો  છોકરો રૃપેશ એમએ સુધી ભણેલો છે. તે હાલમાં પિતાને વ્યવસાયમાં મદદ કરે છે પરંતુ પિતાની ઇચ્છા તેને નોકરીએ લગાવી દેવાની છે. ટકા ઓછા પડતા હોય કે મેરિટમાં લોચા પડતા હોય તેવા સંજોગોમાં પૈસા આપવા માટે પણ તૈયાર થઇ જાય તેવા છે.તેઓ માને છે કે  લાખો રૃપિયા ભણતર પાછળ કર્યા પછી પણ જયારે નોકરી મેળવવાની વાત આવશે ત્યારે નોકરી મળવાની નથી.કારણ કે નોકરી માટે ટકા અને આવડત કરતા પણ લાગવગ હોવી જરૃરી છે. તેઓ વધુમાં કહે છે કે નોકરી માટે વ્યહવાર એ તો વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ જેવું છે.
એક વાર નાણા આપવાના ને પછી કાયમી શાંતિ
જો કે સરકારમાં પર્સનલ ટેલેન્ટનો ઉપયોગ કરવાની તક મળતી હોય કે ના મળતી હોય તેમ છતાં મહિને સુરક્ષિત આવક ઉપરાંત વધારાની આવકનું પણ આકર્ષણ રહે છે. આણંદના એક વાલી રસિકભાઇ (નામ બદલ્યું છે.) કહે છે પહેલા સંબંધથી કામ થતું એ હવે પૈસાથી થાય છે એ હવે સૌ એ સમજી લેવા જેવું છે. એક વાર ભલેને નાણાનો પટારો ખોલવો પડે પરંતુ પછી તો કાયમને માટે શાંતિ તો ખરી જ ને ?
સરકારી નોકરી મળતી હોયતો એ ઉત્તમ
 ખેડૂત લક્ષ્મણભાઇ (નામ બદલ્યું છે) કહે છે અમે ગામડામાં ખેતી કરીએ છીએે અમે જેવી મજુરી કરી એવી મજુરી હવે અમારા સંતાનોથી થાય તેમ નથી બીજુ કે ખેતીમાં હવે ખર્ચા વધતા જાય છે આથી પહેલા જેવી બરકત પણ રહી નથી આથી જો છોકરાઓને સરકારી નોકરી મળતી હોયતો એ ઉત્તમ છે. તેઓ એમ પણ કહે છે કે ગામડામાં રહે એના કરતા  છોકરાઓ બહાર નોકરી કરીને સુખી તો થાય.
નોકરીયાત  યુવક યુવતીના માંગા વધુ આવે છે
અન્ય એક વાલી કહે છે આજે વેપાર ધંધા કે ખેતીમાં ગમે તેટલી આવક હોય કે સોના ચાંદી ઘરે હોય પરંતુ છોકરાઓની સગાઇ નોકરીના કારણે જલદી થાય છે.આથી ભલે ને મહિને પાંચ હજારનો પગાર હોય અને મારે મહિને જીવન ચલાવવા રૃપિયા મોકલવા પડે તો મોકલવા માટે પણ તૈયાર છું. કારણ કે ગામડાની હાડમારી કરતા તો નોકરી કરીને શાંતિથી જીવવું વધારે સારૃં છે.નોકરી મળતી હોય તો જરૃર પડે દેવું કરવા પણ તૈયાર છું.
 
 

પોલીસ કાયદાની રક્ષક નહીં પરંતુ ભક્ષક જણાય છે ઃ હાઇકોર્ટ

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિક્ષા ચાલકને ગોંધી રાખવાના કેસમાં હાઇકોર્ટની ટીકા

ગૃહવિભાગના અગ્ર સચિવ, અમદાવાદ પોલીસ કમિશનર ACBના ડાયરેક્ટરને કેસમાં પક્ષકાર બનાવ

અમદાવાદ,મંગળવાર
ઓટોરીક્ષા ચાલકને ગેરકાયદે રીતે ગોંધી રાખી તેને માર મારવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે શહેર ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ તરલ ભટ્ટ અને બે કોન્સ્ટેબલ નૌશાદ અને શકીલનો આજે ઉધડો લઇ નાંખ્યો હતો. જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ ઝેડ.કે.સૈય્યદની ખંડપીઠે ખાસ કરીને પીએસઆઇ તરલ ભટ્ટને ઝાટકતાં જણાવ્યું હતું કે, તમે ક્રાઇમ બ્રાંચના અધિકારી છો ત્યાર ેતમને કાયદાની વિશેષ જાણકારી હોવી જોઇએ અને તમને ખબર પડવી જોઇએ કે, કાયદો હાથમાં ના લેવાય. પોલીસના આ પ્રકારના વલણ પરથી એમ જણાય છે કે, પોલીસ કાયદાની રક્ષક નહી ભક્ષક છે.
હાઇકોર્ટે આ કેસમાં રાજયના ગૃહવિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી, શહેર પોલીસ કમિશનર અને એસીબીના ડાયરેકટરને પક્ષકાર બનાવવા હુકમ કર્યો હતો. વધુમાં,  હાઇકોર્ટે કસૂરવાર પીએસઆઇ તરલ ભટ્ટ અને બંને કોન્સ્ટેબલ વિરૃધ્ધ ખાતાકીય પગલાં સહિતના શું પગલા લેવાશે તેનો રિપોર્ટ તા.૫ મી માર્ચ સુધીમાં રજૂ કરવા નવા પક્ષકાર બનાવાયેલા સત્તાવાળાઓને તાકીદ કરી છે. હાઇકોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ક્રાઇમબ્રાંચના પીએસઆઇ તરલ ભટ્ટ અને અન્ય બે કોન્સ્ટેબલો તરફથી હવે આ કેસમાં રાજય સરકારના સરકારી વકીલ હાજર રહી શકશે નહી, આ કસૂરવાર કર્મચારીઓએ તેમની રીતે ખાનગી વકીલ રોકીને તેમનો બચાવ કરવો હોય તો કરી શકે છે.
સલીમ શેખ નામના એક ઓટોરીક્ષા ચાલકની પત્ની રીઝવાના શેખ દ્વારા કરાયલી અરજીમાં એવી આક્ષેપભરી રજૂઆત કરાઇ હતી કે, શહેર ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ સાણંદ રેલ્વે ક્રોસીંગ પાસેથી તેમના પતિને ત્રણ દિવસ પહેલાં પકડયો હતો અને તેને ગેરકાયદે રીતે ગોંધી રાખ્યો હતો. એ દરમ્યાન ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલો નૌશાદ અને શકીલભાઇએ તેમના પતિને બહુ ઢોર માર માર્યો હતો. ક્રાઇમબ્રાંચના અધિકારીઓ તેમના પતિને મુકત કરવા પેટે એક લાખ રૃપિયાની માંગણી કરી રહ્યા છે.
આ કેસમાં હાઇકોર્ટે ક્રાઇમબ્રાંચના પીએસઆઇ તરલ ભટ્ટ અને બંને કસૂરવાર કોન્સ્ટેબલોને આજે અદાલત સમક્ષ રૃબરૃ હાજર રખાવ્યા હતા.
અરજદારપક્ષ તરફથી ક્રાઇમબ્રાંચ દ્વારા ગઇકાલે સલીમ શેખને પાઠવાયેલા સમન્સના અસ્તિત્વને લઇ પણ ગંભીર સવાલ ઉઠાવાયા હતા અને એવો આક્ષેપ કરાયો હતો કે, સલીમ શેખને પોલીસે ગેરકાયદે ગોંધી રાખ્યો હતો અને અદાલતમાં આ બધુ ડેવલપમેન્ટ થયા બાદ પોલીસે પાછળથી સમન્સનો પુરાવો બચાવમાં ખોટી રીતે ઉભો કર્યો છે.

ગેરકાયદેસર ડિટેઇનની વાતથી તમામ પોલીસ અધિકારીઓ વાકેફ હોય છે
ગુનેગારો પાસેથી ભાગબટાઈ કરવાની પોલીસની મોડસ ઓપરેન્ડી
૫૬ જેટલાં વાહનો ચોર્યાં હોય તો ધરપકડને કાગળ પર કેમ ન બતાવી ?

અમદાવાદ,મંગળવાર
અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં વાહનચોરી કરનાર ગેંગના સાગરિત સલીમ શેખને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાના મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોલીસનો ઉધડો લેવામાં આવ્યા બાદ પોલીસની કામગીરી પર ઘણા સવાલો ઉભા થયા છે. પણ હકીકત એ છે કે આરોપીઓને પુછપરછ માટે ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાની વાતને પોલીસ કમિશનરથી માંડીને ગૃહ વિભાગના અધિકારીઓ સુધીના અધિકારીઓ વાકેફ હોય છે. તેમ છંતાય, આરોપીઓ પાસે ગુનો કબુલાવાના બહાને આરોપીને શંકાને આધારે કોઇ પણ કાગળ વિના કે ગેરકાયદેસર ગોંધી રાખીને શારિરીક માનસિક ટોર્ચર કરીને તેની પાસે ગુનો કબુલાયા બાદ તેની સાથે મિલીભગત કરી ચોરીના મુદ્દામાલમાંથી ભાગબટાઇ કરવાનો ઇરાદો હોય છે. પીએસઆઇ કે પીઆઇ દ્વારા ગેરકાયદેસર રીતે આરોપીઓને ગોંધી રાખવામાં આવતા હોવાની વાત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સારી રીતે જાણતા હતા. તેમ છંતાય, પણ નીચેથી ઉપર સુધી ભાગબટાઇનો હિસ્સો મેળવવા માટે પોલીસ અધિકારીઓ આખઆડા કાન કરાયા હતા. ત્યારે સલીમ શેખની પત્નીની રજુઆતને પોલીસ વિભાગ કે ગૃહવિભાગના કોઇપણ અધિકારીઓએ ધ્યાન ન ધરતા હાઇકોર્ટના શરણે જવુ પડયું હતું. ત્યારે પોલીસની દાનત જો ખરેખર સાચી હોય તો સલીમ શેખ તેમજ તેના સાગરિતો ૫૬ જેટલા વાહનોની ચોરી કરી હોય તો તેને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાને બદલે તેની ધરપકડ કે અટકાયતને કાગળ પર બતાવવાની જરૃર હતી. પણ, સલીમશેખ જેવા આરોપીઓ પાસેથી ચોરી કબુલાવીને તેની પાસેથી કેટલી રકમનો તોડ કરવો? તેવા ઇરાદા અધિકારીઓના હોવાથી આરોપીઓને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં જ આવતા હોય છે.
બીજી તરફ ગંભીર ગુનાને આચરનાર તત્વોને  પણ પોલીસની બેદરકારીને કારણે મોકળું મેદાન મળી જાય છે અને કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને આબાદ છટકી જતા હોય છે.ત્યારે પોલીસે કાયદાની મર્યાદામાં રહીને ગુનાખોરીને ડામવાની જરૃર છે. નહી કે ગુનેગારો પાસેથી ભાગબટાઇ લેવા માટે તેમની ગેરકાયદેસર અટકાયત કરીને ટોર્ચર કરી અંગત લાભ લેવો.

Source :-http://gayatrisolutiongroup.blogspot.in/, http://gayatrisolutiongroup.com/, http://gujaratsamachar.com,
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment