સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 29 January 2015

પોરબંદરના પનોતાપુત્ર રાષ્ટ્રપિતાનો આજે નિર્વાણ દિન

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

પોરબંદરના પનોતાપુત્ર રાષ્ટ્રપિતાનો આજે નિર્વાણ દિન

ગોડસેએ બંદૂકની ગોળી મારી ત્યારે

માત્ર વ્યક્તિનો નહીં એક યુગનો કરૃણ અંત આવ્યા

ગાંધીજીના જનમસ્થળે પૂ. બાપુની અંતિમ સમયની તસ્વીરો નિહાળીને આજે પણ પ્રવાસીઓની આંખો થઇ જાય છ ભીની
પોરબંદર, તા. ૨૯
૩૦ જાન્યુઆરરી એટલે ગાંધી નિર્વાણ દિન. આજથી ૬૮ વર્ષ પહેલા જ્યારે પોરબંદરના પનોતા પુત્ર મોહનદાસ કરમચંદ ગાંધીને નથુરામ ગોડસેએ બંદૂકની ગોળી મારી ત્યારે માત્ર વ્યક્તિનો નહીં પરંતુ એક યુગનો કરૃણ અંત આવ્યો હતો. ત્યારે આજે એ બનાવના ૬૮ વર્ષ પછી પણ પૂ. બાપુની અંતિમ સમયની તસ્વીરો નિહાળીને પોરબંદરના કિર્તિમંદિરમાં આવતા પ્રવાસીઓની આંખોમાંથી આંસુનો દરિયો છલકાતો જોવા મળે  છે.
પોરબંદરમાં ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિરમાં દરરોજ અંદાજે ૩ હજારથી વધુ લોકો મુલાકાત લે છે અને ગાંધીજીની વિચારધારા આજે પણ અકબંધ રીતે જોવા મળએ છે. તેની અનુભૂતિ કરે છે. સત્ય અને અહિંસાનાં તેમના સિધ્ધાંતો સિવાય રાષ્ટ્રનો ઉદ્ધાર નથી તેની પણ સમજ કેળવે છે. ત્યારે આ સંકુલની મુલાકીત લેતા પ્રવાસીઓ જ્યારે ઉપરના ભાગે આવેલી ફોટો ગેલેરીમાં જાય છે ત્યારે ગાંધીજીની બાળપણથી માંડીને વૃધ્ધાવસ્થા સુધીની તસ્વીરોને નિહાળે છે. તેમાં ગાંધીજીના અંત સમયની તસ્વીરો પણ રાખેલી છે. ગાંધીજીનો મૃતદેહ તથા શોકમગ્ન અવસ્થામાં તેના અનુયાયીઓ તસ્વીરો જોઇને કોઇની પણ આંખોમાંથી અશ્રુઓનો દરિયો વહેતો જાય છે.
આજે પણ એ દિવસો ભૂલી શકાય તેમ નથી કે જ્યારે બાપુ રાતનું ભોજન દિવસે કરીને બરાબર પાંચ વાગ્યે પ્રાર્થનાસભામાં પહોંચી જતા. લોકો આગળથી પ્રાર્થના માટે ભેગા મળી તેમના આવવાની રાહ જોયા કરતા. બાપુ તેમની વચ્ચેથી પસાર થતા ત્યારે કોઇ તેમને ઝૂકીને પ્રણામ કરતું તો કોઇ તેમને પગે પડતું. બાપુ પ્રાર્થના સ્થાને એક નીચી પાટ ઉપર બેસી જતા. કુરાન અને ગીતાનો પાઠ કરનારા તેમની સાથે જ બેસતા. ભજન ગાનારા પણ ત્યાંજ બેસતા. પ્રાર્થનાની શરૃઆતમાંજ કુરાનમાંથી કેટલીક આયોતો વાંચવામાં આવતી પછી ગીતાનો પાઠ થતો અને ત્યારબાદ ભજન ગાવામાં આળતા. પ્રાર્થના પછી બાપુ લોકોને કંઇક ઉપદેશ આપતા અને પ્રાર્થનાસભામાં તેઓ એવું કહેતા કે હિન્દુ, મુસલમાન તેમજ શીખોની એકતા માટે તેઓ મરી ફીટશે. બાપુ એમ કહેતા કે બધા જધર્મો સાચા છે તેમજ બધા જ ધર્મોના પુસ્તકો સચ્ચાઇનો રસ્તો બતાવે છે. તેઓ એમ પણ કહેતા કે હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું શીખ પણ છું અને ખ્રિસ્તી પણ છું. આ બધા ધર્મો મારા છે. કારણ કે ધર્મોનું મુળ સત્ય અને નેકીમાં રહેલું છે. આપણે સૌ હિન્દુ, મસલમાન, શીખ કે ખ્રિસ્તી છીએ તેવું ક્યારેય વિચારતા નહીં. આપણે સૌ હિન્દુસ્તાની છીએ તેવું યાદ રાખો.
પરંતુ એજ બાપુને અચાનક પ્રાર્થનાસભા વખતે ટોળામાંથી આવેલા નથુરામ ગોડસેએ પ્રણામ કરવાના બહાને ગોળીઓ મારી તેમને હણી લીધા ત્યારે માત્ર ગાંધીજીનું જઅળસાન થયું ન હતું. પરંતુ એક આખા યુગનો અંત આવ્યો હતો. ત્યારે ગાંધીબાપુની દિલ્હીના રાજઘાટ ખાતેની સમાધી ખાતે આજે પણ લોકો અશ્રુઓ વહાવતા પહોંચે છે. એજ રીતે તેમના જન્મસ્થાન કીર્તિમંદિરમાં પણ બાપુની અંતિમ સમયની તસ્વીરો જોઇને સજળ નયને તેમને અંજલી અર્પે છે.

સ્વચ્છતા સંદેશ, સુવાક્યો અને ચિત્ર સાથેનાં
એક હજાર પોસ્ટકાર્ડ લખી વિદ્યાર્થીઓ આપશે મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલિ
જૂનાગઢ સહિત સોરઠમાં આજે ગાંધી નિર્વાણ દિવસ નિમીત્તે શાળા-કોલેજોમાં યોજાશે ચિત્ર સ્પર્ધા

જૂનાગઢ, તા. ૨૯
જૂનાગઢ સહિત સોરઠમાં આવતીકાલે ૩૦મી જાન્યુ.ના ગાંધીજીના નિર્વાણ દિવસ મનાવવામાં આવશે. આ દિવસે શાળા કોલેજમાં ચિત્ર સ્પર્ધા યોજાશે. જ્યારે ટીંબાવાડીમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓ સ્વચ્છતા સંદેશ, સુવાક્યો અને ચિત્ર સાથેના એક હજાર પોસ્ટકાર્ડ લખી અધિકારીઓ, હોદ્દેદારો તથા રાજ્ય તથા રાષ્ટ્રના પ્રધાનોને મોકલી ગાંધીજીને શ્રધ્ધાંજલિ આપશે.
જૂનાગઢ જિલ્લામાં આવતીકાલે ૩૦મી જાન્યુ.ના ગાંધી નિર્વાણ દિવસ નિમીત્તે શાળા-કોલેજોમાં ચિત્ર સ્પર્ધા તથા સફાઇ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત જિલ્લા ગ્રંથાલય ખાતે ગાંધીજીની અલભ્ય તસવીર તથા પુસ્તકોનું પ્રદર્શન યોજાશે. જ્યારે મહાપાલીકા દ્વારા તા.૩૦ના સવારે ૧૦ વાગ્યે ગાંધી ચોકમાં મેયર દ્વારા ગાંધીજીની પ્રતિમાનું પૂજન કરી સુતરની આંટી પહેરાવાશે.
જ્યારે ટીંબાવાડી વિસ્તારમાં આવેલા કૃષ્ણ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છ ભારતના સંદેશ સુવાક્યો તેમજ ચિત્રો સાથે એખ હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવશે. અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલી આપવામાં આવશે. આ અંગે શાળાના ટ્રસ્ટી હરદાસભાઇ વાઢેરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલા એક હજાર પોસ્ટકાર્ડ અધિકારીઓ, હોદ્દેદારો તેમજ અન્ય અગ્રણીઓ તથા રાજ્ય અને રાષ્ટ્રના પ્રધાનોને મોકલવામાં આવશે.

શહીદોને શ્રધ્ધાંજલિ અર્પવા
આજે સવારે ૧૧ વાગ્યે બે મિનીટ પળાશે મૌન

રાજકોટ, ગુરૃવાર
દેશનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનાં પ્રાણ ન્યોચ્છા પર કરનાર શહીદોની સ્મૃતિમાં તા. ૩૦મીએ શહીદ દિન નિમિત્તે સવારે ૧૧ વાગ્યે બે મિનીટનું મૌન પાળી શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવશે. ૧૧નાં ટકોરે રસ્તા ઉપર વાહન વ્યવહાર પણ થંભી જશે. ટ્રેનો - વિમાનોને પણ અટકાવી દેવાશે.
રસ્તા પર થંભી થશે વાહન - વ્યવહાર, ટ્રેનો - વિમાનોને પણ અટકાવી દેવાશે
રાજકોટ કલેકટર દ્વારા જણાવાયું છે કે, સવારે ૧૦.૫૯ કલાકે જુદા જુદા સ્થળોએ આવેલી મિલો તથા ફાયર બ્રિગેડ પણ એક મિનીટ માટે સાઇરન વગાડશે.
સાઇરન બંધ થાય કે તુરંત જ જયાં કામ થતું હોય તેવા સ્થળોએ પોતપોતાની જગ્યાએ ઉભા રહી શકય હોય તો ભેગા મળી મૌન પાળશો. જયાં શકય હોય ત્યાં વર્કશોપ અને કારખાના બંધ રાખવામાં આવે. આકાશવાણી બે મિનીટ પોતાના કાર્યક્રમ બંધ રાખે અને રસ્તા પરનો વાહન વ્યવહાર થંભી જાય. ૧૧.૦૦ વાગે ઉપડવાની ટ્રેનો અને વિમાનોને તેમના મથકે બે મિનીટ માટે અટકાવવામાં આવશે. મૌનનો સમય પુરો થયો છે, તેમ બતાવવા બરાબર ૧૧.૦૨ કલાકથી ૧૧.૦૩ કલાક સુધી ફરીથી સાઇરન વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ શરૃ કરવું.
જે સ્થળોએ સાઇરન કે અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા ન ઉપલબ્ધ હોય ત્યાં ૧૧ કલાકે બે મિનીટ માટે મૌન પાળવાનું રહેશે. આ અંગેનો અમલ કેન્દ્ર તથા રાજય સરકારની તમામ કચેરીઓમાં કરવા જણાવાયું છે.
ગાંધીજીના અસ્થિનું વિસર્જન આજી નદીમાં પણ કરવામાં આવ્યું હતું
રાજકોટ, ગુરૃવાર
મરીઝનો શૈર છે કે બન્યા'તા શ્વાસ જેનામાંથી એ આંધી નહીં આવે, હજારો માંત્માઓ આવશે ગાંધી નહીં આવે. આવતીકાલે ગાંધી નિર્વાણ દિન છે ત્યારે એક કૂતુહલ થાય છે કે ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ રાજકોટમાં શું થયું હતું? શું પરિસ્થિતિ હતી? આ વિશે અનેક વાતો જાણવા મળી છે. જુદી-જુદી જગ્યાઓની જેમ રાજકોટની આજી નદીમાં પણ ગાંધીજીના અસ્થીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય શાળાથી રામનાથપરા સુધી મૌન રેલી નીકળી હતી અને શોકસભા યોજાઈ હતી
 એ સમયે રેડીયો સૌથી શક્તિશાળી માધ્યમ હતું અને તેના મારફતે જ રાજકોટ વાસીઓને જાણ થઈ હતી કે નાથુરામ ગોડસેએ દિલ્હીમાં ગાંધીજીની હત્યા કરી છે. આ સાંભળીને આખુ શહેર સ્તબ્ધ થઈ ગયું હતું. આ માઠા સમાચારની ખરાઈ કરવા સૌરાષ્ટ્ર ભરમાંથી ફોનની ઘંટડીઓ રણકવા માંડી હતી. બે દિવસ સુધી આખુ રાજકોટ બંધ રહ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ રાષ્ટ્રીય શાળાથી રામનાથપરા સ્મશાન સુધી મૌન રેલી યોજી હતી. ત્યાં શોકસભા યોજાઈ હતી. છઠ્ઠી ફેબુ્રઆરીએ ગાંધીજીના થોડાક અસ્થિ રાજકોટ લવાયા હતાં. તે રાષ્ટ્રીય શાળામાં રાખવામાં આવ્યા હતાં.
અસ્થિ દર્શન માટે અઠવાડીયા સુધી હજારો લોકોએ ધસારો કર્યો હતો. ૧૨મી ફેબુ્રઆરીએ શહેરની આજી નદીમાં એ અસ્થી પધરાવવામાં આવ્યા હતાં. આ રીતે ગાંધીજી મૃત્યુ બાદ પણ રાજકોટનો અંશ બની રહ્યાં.

૧૯૨૧માં ગાંધીજીએ સ્થાપેલી રાષ્ટ્રીય શાળાની કલ આજ ઔર કલ

અત્યારે રાષ્ટ્રીય શાળામાં કાળા તલના તેલની ઘાણી, સમૃધ્ધ સંગીત શાળા, ગુંગળાતો ખાદી ઉદ્યોગ અને વલખા મારતી પ્રાથમિક શાળા

એરકન્ડીશન્ડ બાલ મંદિર શરૃ કરાશે ઃ નવી ડીઝાઈનના ખાદી કપડાં બનાવાશે
એક સમયે રાષ્ટ્રીય શાળામાં પટોડા બનાતા, બેકરી હતી, દીવાસળીનું કારખાનું હતું ઃ બાલ મંદિરના બાળકોને બળદ ગાડામાં બેસાડીને સ્કૂલે લેવવામાં આવતા
રાજકોટ, ગુરૃવાર
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ માતૃભાષામાં શિક્ષણ, ખાદી, ગૃહ ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ વગેરે વિચારોને ઉત્તેજન આપવા માટે ૧૯૨૧માં રાજકોટમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી હતી. ૯૪ વર્ષનું અંતર કાપીને ૨૦૧૫ - સુધી પહોંચેલી રાષ્ટ્રીય શાળામાં કેટલીક પ્રવૃત્તિઓ સમય સાથે ચાલી ન શકતા બંધ થઈ ગઈ. કેટલીક વખત સાથે ચાલે છે. પણ ખોડંગાઈને અને આ બધા વચ્ચે આ વિરલ સંસ્થા ઉજ્જવળ આવતીકાલનું સ્વપ્ન સેવી રહી છે.
એક સમયે રાષ્ટ્રીય શાળામાં ૭૫૦ વિદ્યાર્થીઓ ભણતા હતા. ખાદીનું વણાટકામ, બેકરી, દુગ્ધાલય, દીવાસળીનું કારખાનું, પુણી પ્લાન્ટ, પટોળાનું વણાટકામ વગેરે અનેક પ્રવૃત્તિ થતી હતી. બાળ મંદીરમાં ભણતા ભૂલકાઓને બળદ ગાડામાં બેસાડીને શાળાએ લાવવામાં આવતા હતાં. ધીમે-ધીમે પટોળા ઉદ્યોગ, વણાટકામ, પુણી પ્લાન્ટ, બેકરી, દીવાસળીનું કારખાનું આ બધુ જ લુપ્ત થઈ ગયું. શાળામાં બાળકોની સંખ્યા ૭૫૦માંથી ૭૫ થઈ ગઈ. ખાદીનો ઉદ્યોગ હાફવા લાગ્યો છે.
રાષ્ટ્રીય શાળાના સંચાલક ધીરુભાઈ ડોબરીયા જણાવે છે કે, છેલ્લા દસ વર્ષમાં ખાદીનો ક્રેઝ ઘટયો છે. સરકાર પણ હવે અમારી પાસેથી ખાદી ખરીદતી નથી. ખાદીના ભાવ પણ મળતા નથી. મોરારીબાપુએ રાષ્ટ્રીય શાળાને ખાદીની યુનિવર્સિટી કહી હતી પરંતુ અત્યારે અંદાજે રૃા ૧૮ લાખનું ખાદી કાપડ વેચાયા વિનાનું પડયું છે. ખાદી ઉદ્યોગને ફરી ધમધમતો કરવા અમે કેટલાક ડીઝાઈનર શોધ્યા છે. આ ઉદ્યોગનું આધુનિકરણ કરાશે. નવી ડીઝાઈન વાળા જેન્ટસવેર, લેડીઝવેર અને ચીલ્ડ્રનવેર બનાવવામાં આવશે.
બાળમંદિરમાં અત્યારે માત્ર બે, ધોરણ છથી આઠમાં ૬૦ અને એકથી પાંચમાં ૩૦ વિદ્યાર્થીઓ ભણે છે.
રાષ્ટ્રીય શાળામાં કાળા તલના તેલની ચાર ધાણી ચાલે છે. રોજ ત્રણથી ચાર ડબ્બા તેલ નીકળે છે. શિયાળામાં તેની મોટી ડીમાન્ડ રહે છે. તે ઠેઠ અજમેર અને મુંબઈ સુધી જાય છે. તેમાંથી નીકળતો ખોળ કચ્છ અને રાજસ્થાન જાય છે.
તેમણે જણાવ્યું હતું કે અહીં કામાણી અતિથીગૃહ હતું, જે ૨૦૦૨માં ભુકંપ બાદ કડડભુસ થઈ ગયું. તેનું રીપેરીંગ કરી તેને પૂર્વવત કરવાનો વિચાર છે.

અમેરિકાથી ટેલી કોન્ફરન્સમાં અપાય છે શિક્ષણ
મૂળ સૌરાષ્ટ્રના તથા વર્ષોથી અમેરિકામાં વસવાટ કરતા ચીમનભાઈ દેલવાડીયા રાષ્ટ્રીય શાળાના બાળકોને રોજ સવારે ૭.૩૦ વાગ્યાથી ૮.૩૦ સુધી ટેલીકોન્ફરન્સના માધ્યમથી શિક્ષણ આપે છે. તેઓ બાળકોને ગણીત અને અંગ્રેજી શીખવે છે.
પારાવાર મુશ્કેલીઓ વચ્ચે પણ આ એક સકારાત્મક વાત છે. વધુ બાળકોને આકર્ષીને રાષ્ટ્રીય શાળાનો દબદબો પહેલા જેવો કરી શકાય તે માટે એરકન્ડીશન્ડ બાળ મંદિર શરૃ કરવાની યોજના છે.

પુસ્તકની પરબને રાજયમાં સૌથી વધુ પ્રતિસાદ
રાષ્ટ્રીય શાળામાં દર બુધવારે સાંજે ૬.૩૦ થી ૭.૩૦ સુધી બુધસભા યોજાય છે. તેમાં સાહિત્યકારો કવિતા, વાર્તા કે અભ્યાસ લેખ વાંચે છે. દર મહિનાના પ્રથમ રવિવારે સવારે ૯.૦૦થી ૧૧.૦૦ પુસ્તકની પરબ યોજાય છે. તેમાં લોકો પોતાને મનગમતા પુસ્તકો વિના મૂલ્યે લઈ જઈ શકે છે. અને વણજોઈતા અથવા વાંચી લીધેલા પુસ્તકો જમા કરાવી શકે છે. રાજયમાં ઘણાય શહેરોમાં પુસ્તકની પરબ યોજાય છે. પરંતુ સૌથી વધુ પ્રતિસાદ રાજકોટમાં મળે છે.

પંડીત ઓમકારનાથ ઠાકુર બે વખત સંગીત સ્કૂલમાં આવ્યા હતા
રાષ્ટ્રીય શાળામાં ૧૯૩૬થી સંગીત સ્કૂલ ચાલે છે. તેમાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ સંગીતની તાલીમ લે છે. મહારાષ્ટ્રનાં મીરજ ખાતે આવેલી ગાંધર્વ મહાવિદ્યાલય દ્વારા તેની પરીક્ષા લેવાય છે. આ સંગીત શાળામાં પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડીત ઓમકારનાથ ઠાકુર બે વખત આવી ચૂકયા છે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment