સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 29 April 2016

આર્થિક અનામતની જાહેરાત: શું ચાલે છે ગુજરાત સરકારના મગજમાં?

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

આર્થિક અનામતની જાહેરાત: શું ચાલે છે ગુજરાત સરકારના મગજમાં?

અમદાવાદ: ગુજરાતની ભાજપ સરકારે આજે જાહેર કરેલી 10% આર્થિક અનામત જાહેરાત કરી છે. 6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારજનોને આ અનામતનો લાભ મળી શકશે. આ અંગે પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસે વટહુકમ બહાર પાડવામાં આવશે. પરંતુ આ અનામતના નામે યુવા સ્વાવલંબન યોજનાનો અમલ કરવાનો સરકારનો આડકતરો ઇરાદો હોવાનો બંધારણના તજજ્ઞનો માની રહ્યાં છે.
 
અનામત કે આર્થિક સહાય? સમજો સરકારનું ગણિત?
 
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજ્ય સરકારે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે યુવા સ્વાવલંબન યોજના અમલમાં મૂકી હતી, પરંતુ આંદોલનકારીઓએ આ યોજનાને લોલીપોપ કહીને ફગાવી દીધી હતી. પાટીદારોની અનામત અંગેની માંગણીને સંતોષવા માટે રાજ્ય સરકારે યુવા સ્વાવલંબન યોજનાના નિયમોને જ અનામતના નામે આપીને પાછલા બારણે અનામતના બદલે યોજનાનું અમલ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. કેમ કે, જો સરકાર 10% EBC પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા જાય તો અન્ય વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય તેમ છે, જે ગેરબંધારણીય કહેવાય. પરિણામે સરકાર 10% EBC અનામતમાં એવું વિચારી રહી છે કે 49% SC, ST અને OBCની અનામત બેઠકોને બાદ કરતાં 51% જનરલ બેઠકોમાં કોમન મેરિટ લિસ્ટ બનાવી એમાંથી જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે પછાત હશે તેમને યુવા સ્વાવલંબન યોજનાના નિયમોને આધારે સરકાર આર્થિક મદદ કરશે.
 
CMએ શું કહ્યું?
 
મુખ્યમંત્રી આનંદીબેને જણાવ્યું હતું કે, યુવા સ્વાવલંબન યોજનાનું અમલીકરણ યથાવત સ્થિતિમાં જાળવી રાખવા સાથે યુવાનોને આ પ્રસ્તાવિક 10% આર્થિક અનામતનો લાભ મળશે. તેમજ પ્રસ્તાવિક અનામતનો લાભ નવા શૈક્ષણિક વર્ષ જૂન, 2016થી મળશે. જેના લાભાર્થીઓમાં તમામ બિનઅનામત જ્ઞાતિઓનો સમાવેશ થશે.

શિક્ષણ
 
- સરકારે આજે 10% EBCમાં 6 લાખની આવક મર્યાદા નક્કી કરી છે, જે આવક મર્યાદા યુવા સ્વાવલંબન યોજનામાં પણ છે.
- યુવા સ્વાવબંન યોજના હેઠળ પ્રતિ વર્ષ રાજ્યના વિદ્યાર્થીઓને રૂ. ૧૦૦૦ કરોડ સુધીનો લાભ મળશે એવી જાહેરાત સરકારે કરી હતી. આ યોજનાનું અમલ વર્ષ 2015-16થી યોજનાનો અમલ થશે. જ્યારે સરકારે જાહેર કરેલી 10% અનામતનું અમલ પણ નવા શૈક્ષણિક સત્રથી થશે.
- યુવા સ્વાવલંબન યોજના હેઠળ ધોરણ ૧૨માં ૯૦ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને ચાર વર્ષના અભ્યાસક્રમોમાં રાજ્ય સરકાર વિદ્યાર્થી દીઠ રૂ. બે લાખ સુધીની ફી સહાય આપશે.
- યુવા સ્વાવલંબન યોજના હેઠળ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પાસ કરી પ્રથમ ૮૦ પર્સેન્ટાઈલમાં આવતા જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા ટેકનિકલ કોર્સમાં ગ્રાન્ટેડ કૉલેજમાં તથા સેલ્ફ ફાયનાન્સમાં પ્રવેશ મેળવશે તેમને આમ ડિપ્લોમાના ત્રણ વર્ષના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી દીઠ રૂ. ૭૫ હજાર સુધીની ફી સહાય રાજ્ય સરકાર આપશે.
- બી.એ., બી.કોમ., બી.એસસી., બી.એડ્.ના ડિગ્રી કોર્સમાં વિદ્યાર્થીદીઠ રૂ. ત્રીસ હજાર સુધીની મર્યાદામાં ફી સહાય સરકાર આપશે.
- સરકારી પ્રાથમિક શાળા અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા એસ.સી., એસ.ટી. અને બક્ષીપંચના વિદ્યાર્થીઓને મફત ગણવેશ, મફત પાઠ્યપુસ્તકો અને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે.
 
નોકરી
 
- બિનઅનામત દરેક વર્ગની હાલની મહત્તમ વયમર્યાદામાં પાંચ વર્ષનો વધારો કરવાનો નિર્ણય. આગામી ભરતી પ્રક્રિયાથી તેનો લાભ મળવાપાત્ર થશે.
- રાજ્ય સરકાર મુદ્રા યોજના હેઠળ મેળવેલ રૂ. 10 લાખ સુધીની બેન્ક લોન ઉપર ત્રણ વર્ષ સુધી દર વર્ષે પાંચ ટકાની મર્યાદામાં વ્યાજ સહાય પૂરી પાડશે.

10% EBCમાં હાલ પૂરતું અલગ મેરિટ બહાર પાડવું શક્ય નથી
 
ગુજરાત સરકારે શિક્ષણમાં 10% આર્થિક અનામત આપવી હોય તો માત્ર વટહુકમના માધ્યમથી આપી શકે નહીં, પરંતુ તેઓ ખાસ કિસ્સામાં આર્થિક પછાત વિદ્યાર્થીઓ માટે અલગ મેરિટ બનાવી શકે છે. તે માટે રાજ્ય સરકારે પોતાના શિક્ષણ વિભાગ દ્વારા અનામતના બદલે ખાસ કોટા નક્કી કરીને આર્થિક રીતે પછાત માટે અલગ મેરિટ બનાવી શકે. પરંતુ બંધારણીય રીતે તેને ખાસ દરજ્જો આપવો પડે. પરિણામે સરકારે જાહેર કરેલી 10% EBCમાં હાલ પૂરતું અલગ મેરિટ બહાર પાડવું શક્ય નથી.
 
EBC નહીં પરંતુ SEBC જોઇએ
 
કોઇપણ રાજ્યની સરકારે આર્થિક અનામત આપવું હોય તો તેના માટે EBC નહીં પરંતુ SEBCનો દરજ્જો આપવો પડે. આ માટે ગુજરાત વિધાનસભામાં માત્ર કાયદો પસાર કરવાથી મળી શકતું નથી. SEBC આપવા માટે કેન્દ્રમાં રાજ્યસભા અને લોકસભામાં ભારતીય બંધારણમાં એમેન્ડમેન્ટ લાવીને સુધારો કરી SEBCને અનામત આપી શકે છે. અગાઉ કેન્દ્રમાં નરસિંહ રાવની સરકારે આ પ્રયાસ કર્યો હતો. પરંતુ સુપ્રિમ કોર્ટે ફગાવી દીધો હતો.
 
કેવી રીતે અનામત અમલમાં આવશે?
 
- આજે સાંજે કેબિનેટની બેઠક
- અનામત અંગેનો ઠરાવ મંત્રીમંડળની બેઠકમાં કરવામાં આવશે.
- આ અંગેનો વટહુકમ બહાર પાડવા માટે રાજ્યપાલને મોકલવામાં આવશે.
- બાદમાં રાજ્યપાલની મંજૂરી બાદ વટહુકમનો અમલ શરૂ થશે.
- અમલ થયા બાદ આગામી વિધાનસભામાં આ વટહુકમનો ખરડો પસાર કરીને કાયદામાં સુધારા કરવામાં આવશે.
.
Source :-http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-AHM-c-69-1283548-NOR.html





Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment