સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 10 August 2016

ગુજરાતમાં 15મી ઓગસ્ટથી 12 સ્ટેટ હાઈવે પર ટોલ ટેક્સમાંથી મુક્તિ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

ગુજરાતમાં 15મી ઓગસ્ટથી 12 સ્ટેટ હાઈવે પર ટોલ ટેક્સમાંથી મુક્તિ

15મી ઑગસ્ટથી રાજ્યના સ્ટેટ હાઈવે પર આવેલા ટોલ ટેક્સમાંથી ખાનગી વાહનો અને એસટી બસને મુક્તિ મળશે તેમ આજે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું છે. તેમણે કહ્યું કે સ્ટેટ હાઈવે પરના 12 રસ્તાઓ પર આવેલા ટોલ બુથ પર ખાનગી કાર અને થ્રી વ્હીલરને ટોલ ટેક્સ આપવો નહીં પડે. એસટી બસને પણ ટોલમાંથી મુક્તિ આપતા તેના ભાડામાં આશંકિ ઘટાડો થાય તેવી પણ શક્યતા છે. ટોલ પરના કોન્ટ્રાકટરોને રાજ્ય સરકાર પૈસા ચૂકવશે, આથી રાજ્ય સરકારનો વર્ષે અંદાજે 150 કરોડ રૂપિયાથી વધુનો બોજો પડશે. જો કે નેશનલ હાઈવે પર લેવાતા ટોલટેક્સ યથાવત જ રહેશે.
રાજ્યના આ 12 સ્ટેટ હાઈવે પરના ટોલ બુથ પરથી ટોલટેક્સ ભરવામાંથી મુક્તિ
1. અમદાવાદ-મહેસાણા
2. વડોદરા-હાલોલ
3. અમદાવાદ-વીરમગામ-માળીયા
4. હાલોલ-ગોધરા-શામળાજી
5. રાજકોટ-જામનગર-વાડીનાર
6. હિંમતનગર બાયપાસ
7. કીમ-માંડવી
8. ભુજ-નખત્રાણા
9. ડીસા-પાથાવાડા-ગુંદરી
10. વડોદરા -છાયાપુરી
11. કપડવંજ-મોડાસા
12. બગોદરા-બામણબોર
આ રસ્તા પર ટોલટેક્સ યથાવત
1. અમદાવાદ-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે
2. અમદાવાદ-ઈંદોર હાઈવે
3. હજીરા-બારડોલી હાઈવ
4. રાજકોટ-જૂનાગઢ-પોરબંદર હાઈવે
5. જૂનાગઢ-સોમનાથ હાઈવે
6. બામણબોર-સમખીયાળી-કંડલા રોડ
આનંદીબેન પટેલે પોતાની વિદાયના થોડાંક દિવસ પહેલાં જ જાહેરાત કરી હતી કે 15મી ઑગસ્ટથી સમગ્ર રાજ્યમાં ખાનગી કાર અને થ્રી વ્હીલરને કોઇ જગ્યાએ ટોલ ટેક્સ ભરવાનો નહીં રહે. ટોલ ટેક્સની આવકમાં જે નુક્સાન થશે તે સરકાર ભોગવશે. જો કે બેનના સ્થાને આવેલા રૂપાણીએ બેનની જાહેરાત 15મી ઑગસ્ટથી જ અમલમાં મૂકવી ઘણી મુશ્કેલ હોવાનું કહેતા જણાવ્યું હતું કે સરકાર ટોલ ટેક્સમાંથી મુક્તિ ચોક્કસ આપશે પરંતુ 15મી ઑગસ્ટથી તેનો અમલ કરવો મુશ્કેલ છે. જો કે રૂપાણીએ આ નિવેદન આપ્યા બાદ લોકોમાં તેની સામે નારાજગી જોવા મળી હતી અને સોશ્યલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
આજે નીતિન પટેલે ટોલ ટેક્સમાંથી પ્રજાને આશંકિ રાહત આપવાની જાહેરાત કરી છે. જોકે નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ યથાવત રહેશે.
ગુજરાતમાં હાઈવે અને નેશનલ હાઈવે પર ટોલ ટેક્સના નામે ઉઘાડી લૂંટ કરાતી હતી, ખાનગી કંપનીઓ સાથેના પીપીપી ધોરણે રોડ-રસ્તાનું ડેવલપમેન્ટ કરાયા પછી કેટલાંક વર્ષો સુધી ટોલ ટેક્સ ઉઘરાવાઈ રહ્યો છે. તેની અનેક ફરિયાદોને આધારે રાજ્ય સરકારે ટોલટેક્સ માફ કરવાનો અતિ મહત્ત્વનો નિર્ણય લીધો છે, અને પ્રજાજનોને મોટી રાહત મળે તેવા સમાચાર આપ્યા.

Source :-http://sandesh.com/no-toll-tax-on-state-highway-in-gujarat-from-15-august/




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment