સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 15 October 2014

ગુરૃપુષ્ય યોગ અને સુવર્ણની ખરીદીને કોઇ લેવા દેવા નથી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

ગુરૃપુષ્ય યોગ અને સુવર્ણની ખરીદીને કોઇ લેવા દેવા નથી

રવિપુષ્ય હોય ત્યારે તંત્ર અને યંત્ર સાધના ઉત્તમ ફળ આપે

ચંદ્રને આધિન પુષ્ય નક્ષત્ર જ્યારે ગુરૃવારે આવે ત્યારે મંત્ર સાધના અને અનુષ્ઠાન માટે શ્રેષ્ઠ
(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,બુધવાર
ગુરૃપુષ્યામૃત યોગમાં સુવર્ણ એટલે કે સોનાની ખરીદી કરવાની પરંપરા પાછલા એક દાયકાથી શરૃ થઇ છે પણ શાસ્ત્રોક્ત રીતે ગુરૃપુષ્ય યોગ અને સોનાની ખરીદીને કોઇ લેવા દેવા નથી તેવો મત હિન્દુ શાસ્ત્ર અને જ્યોતિષના નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો છે. તેઓનુ કહેવુ છે કે ગુરૃપુષ્ય  અને રવિપુષ્ય યોગમાં સોના જેવી કોઇ ભૌતિક વસ્તુઓની ખરીદીનુ નહી પરંતુ મંત્ર આધિન દેવતાઓના અનુષ્ઠાન અને મંત્ર સિદ્ધિ માટે આ બન્ને યોગ ઉત્તમોતમ ગણાય છે.
જે મંત્રને લઇને લોકોમાં ગુરૃપુષ્ય યોગમાં સોનાની ખરીદી માટે ગેરસમજ ઉભી થઇ છે તે મંત્ર એવો છે કે 'દેવાનાં ચ રૃષિણાં ચ ગુરૃ કાંચન સન્નીભં, બુદ્ધિ ભૂતં ત્રિલોકેશં, તમ નમામી બૃહસ્પતિમ્' જેનો મતલબ એવો થાય છે કે દેવો અને રૃષીઓ જેમને કાંચન(સુવર્ણ-સોનુ) સમાન ઉત્તમ માને છે તે ગુરૃ અને  ત્રણ લોકમાં જેમની બુદ્ધિ સર્વશ્રેષ્ટ અને અતિ ઉત્તમ છે તેવા બૃહસ્પતિને એટલે કે ગુરૃને નમન. એટલે ગુરૃને કંચન સમાને ચળકતા અને શુદ્ધ ગણાવ્યા છે તેનો મતલબ એવો નથી થતો કે ગુરૃપુષ્યમાં સુવર્ણની ખરીદી કરવી જોઇએ.
શાસ્ત્રોએ વર્ણન કર્યુ છે કે 'ગુકારો રંધકારસ્તી, રૃકારો તેજ મચ્યતે' એટલે કે જે અંધકારમાથી તેજ તરફ અને અજ્ઞાાનમાથી જ્ઞાાન તરફ લઇ જાય તે ગુરૃ છે. એટલે ગુરૃ જ્ઞાાન આપે છે. જ્યારે ગુરૃવારના દિવસે પુષ્ય નક્ષત્ર આવે ત્યારે ગુરૃપુષ્ય યોગ સર્જાય છે અને રવિવારના દિવસે પુષ્યનક્ષત્ર હોય ત્યારે રવિપુષ્ય યોગ હોય છે. આ બન્ને યોગ વર્ષમાં બે કે ત્રણ વખત આવતા હોય છે. જેમા ગુરૃપુષ્ય યોગ સર્જાય ત્યારે સાત્વી સાધના માટે અતિ ઉત્તમ કાળ ગણાય છે. તે દિવસે લક્ષ્મી અને સરસ્વતિની આરાધાના કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તી થાય છે જ્યારે રવિપુષ્ય યોગ દરમિયાન તંત્ર અને યંત્ર સાધનાને શ્રેષ્ઠ ગણવામા આવી છે. માટે નિષ્ણાંતોનુ માનવુ છે કે પુષ્ય નક્ષત્રમા સર્જાતા આ બે શ્રેષ્ઠ યોગ દરમિયાન સોનુ અને અન્ય ભૌતિક સામગ્રીઓની ખરીદીમા સમય વેડફવા કરતા ઘરમા જ મંત્ર સાધના કરીને ગુરૃની કૃપા દ્રષ્ટી મેળવવી જોઇએ.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment