સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 19 November 2015

IS તોયબા સાથે હાથ મિલાવી ભારતમાં હૂમલા કરે તેવી શક્યતા

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

IS તોયબા સાથે હાથ મિલાવી ભારતમાં હૂમલા કરે તેવી શક્યતા

ભારતીય સૈન્યના લેફ્ટનન્ટ જનરલ આર.આર.નિમ્ભોરકરે ચિંતા વ્યક્ત કરી

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ૭૦૦ આતંકવાદીઓ સક્રિય ઃ પી.ઓ.કે.માં ૩૭થી વધુ આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે
(પીટીઆઇ)    જમ્મુ,તા.૧૯
પેરિસ હુમલા માટે જવાબદાર આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ (આઇએસ) ભારતમાં હૂમલા કરાવવા માટે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે હાથ મિલાવી શકે છે. ફ્રાન્સના પેરિસમાં વિવિધ સ્થળોએ આઇ.એસ.ના આતંકવાદીઓ કરેલા હુમલા બાદ ભારતમાં પણ સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા જાપ્તો વધારી દેવામાં આવ્યો છે.

ભારતીય સૈન્યના લેફ્ટનન્ટ જનરલ આર.આર.નિમ્ભોરકરે કહ્યું કે, ભારતમાં આતંક ફેલાવવા માટે આઇ.એસ. પાકિસ્તાન જૂથ લશ્કર-એ-તોયબાની મદદ લે તેવી શક્યતા છે. આઇ.એસ.ને ગમે તે ભોગે પોતાનો પ્રચાર-પ્રચાર કરવો છે અને આ માટે તેઓ ગમે તે હદ સુધી જઇ શકે છે. આ શક્યતા છે. તેઓ ગમે તેની મદદ લઈને આતંક ફેલાવી શકે છે, આ શક્યતાને નકારી શકાય તેમ નથી. આર.આર.નિમ્ભોરકર ભારતીય સૈન્યની ૧૬ ટુકડીના જરનલ કમાન્ડિંગ ઓફિસર છે.
લેફ્ટ. જનરલ નિમ્ભોરકરે એમ પણ ઊમેર્યું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મિરમાં આશરે ૭૦૦થી વધુ આતંકવાદીઓ સક્રિય છે અને તેઓ ભારતમાં ઘુસીને આતંક ફેલાવી શકેછે.પાકિસ્તાન અધિકૃત કાશ્મિરમાં સીમા રેખાની પેલે પાર આતંકવાદીઓને તાલીમ આપતા કેમ્પ હજુ પણ ચાલે છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, તાજેતરમાં પકડાયેલા આતંકવાદી નાવિદે આપેલી માહિતી અનુસાર પાકિસ્તાન અધિકૃત કાશ્મિરમાં કુલ ૩૭ જેટલા આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે. તેઓ સતત આ પ્રવૃત્તિઓ ચલાવે છે અને અમે જ નહીં આખા વિશ્વને તેની ખબર છે. જો કે ખરેખર કેટલાક આંતકવાદી ટ્રેનિંગ કેમ્પ ચાલે છે, તેનો ચોક્કસ આંકડો મળી શક્યો નથી. જો કે ઉધમપુરમાંથી પકડાયેલા આતંકવાદીની માહિતી અને અમને મળતા ઈનપુટ્સને ધ્યાનમાં રાખીએ તો આશરે ૭૦૦ જેટલા આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મિરમાં તાલીમ મેળવી રહ્યા છે, જેમાંથી અડધો અડધ તો ભારતમાં પ્રવેશવાની તક શોધે છે.
તેમણે એમ પણ ઊમેર્યું કે, અમારી ફરજ હરહંમેશ દેશની રક્ષા માટે તૈયારરહેવાની છે.આંતકવાદી સંગઠનનું નામ આઇ.એસ. હોય, લશ્કર-એ-તોયબા હોય કે હિઝબ-ઉલ-મુજાહિદિન હોય પણ દરેક આંતકવાદી હૂમલાનું પરિણામ તો એક જ હોય છે. અમારું કામ તેઓ તેમના મિશનમાં કામિયાન ન થાય તે જોવાનું અને તેમને અટકાવવાનું છે. નોંધપાત્ર છે કે નજીકના ભૂતકાળમાં કાશ્મિરમાં આઇ.એસ.ના ઝંડા લહેરાતા જોવા મળી ચૂક્યા છે,જેના કારણે સૈન્ય વધુ સજાગ બન્યું છે.




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment