સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 28 September 2017

GST: જુનો માલ વધુ ૩ મહિના વેચી શકાશેઃ મુદત લંબાવવા તૈયારી - ATMમાંથી કેશ ન નીકળે પણ ખાતામાંથી પૈસા કપાઇ જાય, તો શું કરવું? કયાં કરવી ફરિયાદ? - ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણીઃ બે તબક્કે મતદાન

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

GST: જુનો માલ વધુ ૩ મહિના વેચી શકાશેઃ મુદત લંબાવવા તૈયારી
વેપારીઓની માંગણી પર ગ્રાહક મંત્રાલયે ૩ મહિના સમય લંબાવવાનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલ્યોઃ નાણા મંત્રાલયની મંજુરી બાદ થશે એલાનઃ ડબ્બાબંધ વસ્તુઓ પર સંશોધિત એમઆરપી લખવાની પરવાનગીમાં છુટ આપવાનો અધિકાર ગ્રાહક મંત્રાલય પાસે છે
   નવી દિલ્હી તા.ર૯ : જીએસટી સાથે જોડાયેલી મુશ્કેલીઓને જોતા સરકાર કંપનીઓને જુનો માલ વેચવા માટે ત્રણ મહિનાની વધુ મુદત આપવાની તૈયારી કરી રહી છે. આનાથી કંપનીઓ, નિકાસકારો અને દુકાનદાર જીએસટી લાગુ થયા પહેલા બનેલા સામાન પર નવા દરનું સ્ટીકર લગાવી ૩૧ ડિસેમ્બર સુધી સામાન વેચી શકશે.
   ૧લી જુલાઇથી જીએસટી લાગુ થયા બાદ જુનો માલ વેચવાની છુટ ૩૦ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઇ રહી છે. ગ્રાહક મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે તમામ રાજયોના તંત્રએ તારીખ વધારવા માટે વિનંતી કરી છે. તેમણે કહ્યુ છે કે બજારમાં હજુ પણ મોટી સંખ્યામાં જીએસટીથી પહેલા તૈયાર થયેલો માલસામાન ઉપલબ્ધ છે એવામાં ૧લી જુલાઇથી પહેલા બનેલા સામાન પર પ્રકાશિત મહત્તમ રિટેઇલ પ્રાઇસની સાથે સંશોધિત મુલ્ય લખવાની પરવાનગી પણ વધારે જરૂરી છે.
   જો ગ્રાહક મંત્રાલય સંશોધિત મુલ્ય લખીને સામાન વેચવાની પરવાનગી ન આપે તો સંશોધિત નિયમો અનુસાર ૧લી ઓકટોબરથી જીએસટી લાગુ થવાના પહેલા બનેલો સામાન જપ્ત કરવાની પણ જોગવાઇ છે.
   એક અધિકારીએ કહ્યુ છે કે ગ્રાહક મંત્રાલયને ડબ્બાબંધ વસ્તુઓ પર સંશોધીત એમઆરપી લખવાની પરવાનગીમાં છુટ આપવાનો અધિકાર છે. આ વિષય જીએસટી સાથે જોડાયેલો છે તેથી નિર્ણયની માહિતી નાણા મંત્રાલયને મોકલવામાં આવી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલય તરફથી પરવાનગી મળતા જ તેનુ સત્તાવાર રીતે એલાન થઇ શકે છે. મંત્રાલય આજે કે કાલે જાહેરાત કરશે.
   દરમિયાન જીએસટી બાદ માત્ર થોડી જ ચીજોના ભાવો ઘટયા છે. કેન્દ્ર સરકારનો પ્રયાસ છે કે, જે વસ્તુઓના ભાવ ઘટયા છે કંપનીઓ તેનો લાભ ગ્રાહકોને આપે.
   અત્રે એ નોંધનીય છે કે, ભાવ વધારવા પર ઓછામાં ઓછા બે અખબારોમાં જાહેરાત આપવી જરૂરી છે. ૧ર૩ કંપનીઓએ ભાવ વધારવાની જાહેરાત અખબારમાં કરી છે. ટેકસ ઘટયા બાદ ૩૦ કંપનીઓએ એમઆરપી સંશોધિત કરી ભાવો ઘટાડયા છે. ૩પ૦ કંપનીઓએ સામાન પર વધેલા ભાવ લખ્યા (જીએસટી બાદ). અત્યાર સુધીમાં ગ્રાહક મંત્રાલયને પ૦૦ જેટલી ફરિયાદો મળી છે

Source :-http://www.akilanews.com/29092017/main-news/1506659312-115062

ATMમાંથી કેશ ન નીકળે પણ ખાતામાંથી પૈસા કપાઇ જાય, તો શું કરવું?
કયાં કરવી ફરિયાદ?
<br />ATMમાંથી કેશ ન નીકળે પણ ખાતામાંથી  પૈસા કપાઇ જાય, તો શું કરવું?
   મુંબઇ તા. ૨૯ : ઘણીવાર ATMમાંથી કેશ નિકાળતા સમયે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવું પણ બને છે કે તમે ATMમાંથી પૈસા નિકાળી રહ્યા હોય. પરંતુ કેશ નથી નિકળતું. અને તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે.
   આવી સ્થિતિમાં તમારા પૈસાને કલેમ કરવા માટે તમારે બેન્કમાં ફરિયાદ કરવી પડે છે. મોટાભાગના મામલામાં આવા બેન્ક આવા ટ્રાન્ઝેકશન મામલે તમારા એકાઉન્ટમાં પૈસા ક્રેડિટ કરી આપે છે.
    પરંતુ કોઈ કારણસર જો બેન્ક આ પૈસા તમારા એકાઉન્ટમાં ક્રેટિડ ન કરે તો તમને લાગશે કે તમારી સાથે ખોટું થઈ રહ્યું છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. આ મામલે ખુદ ગ્રાહક મંત્રી રામ વિલાસ પાસવાને ટ્વીટ કરીને જાણકારી આપી છે.
   પાસવાને આવી જ એક ઘટના ટ્વીટ કરીને જણાવી. તેમણે જણાવ્યું કે, ATMમાંથી પૈસા નિકાળતા સમયે ગ્રાહકને પૈસા ન મળ્યા. પરંતુ ખાતામાંથી પૈસા કપાઈ ગયા. ગ્રાહકે તેની ફરિયાદ બેન્કને કરી, તો બેન્કે તેના સમાધાન થઈ જવાની વાત કરી પરંતુ તેમ ન થયું. આ પછી ગ્રાહકે ઉપભોકતા વિભાગની હેલ્પલાઈન પર ફોન કરીને આ મામલાની જાણકારી આપી અને માત્ર ૧૮ દિવસમાં આ સમસ્યાનું સમાધાન થઈ ગયું અને ગ્રાહકને તેના પૈસા મળી ગયા.
   જો તમારી સાથે પણ કયારેક આવું બને તો તમે અઠવાડિયાના કોઈપણ દિવસે હેલ્પલાઈન ટોલ ફ્રી નંબર ૧૪૪૦૪ અથવા ૧૮૦૦-૧૧-૪૦૦૦ પર પોતાની ફરિયાદ નોંધવી શકો છો. જો તમે ઈચ્છો તો ગ્રાહક વિભાગની વેબસાઈટ www.consumerhelpline.gow.in પર જઈને તમારી ફરિયાદ ત્યાં પણ આપી શકો છો. (૨૧.૧૨)

Source :- http://www.akilanews.com/29092017/main-news/1506662050-115069

ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણીઃ બે તબક્કે મતદાન

ચૂંટણી પંચમાં જોરશોરથી તૈયારીઃ ઓકટોબરના મધ્યમાં જાહેર થશે તારીખોઃ હિમાચલમાં એક તબક્કે મતદાનની તજવીજઃ ગુજરાતમાં પહેલીવાર ૧૦૦% VVVPAT મશીનોનો થશે ઉપયોગઃ NRI માટે પ્રોક્ષી વોટીંગની વ્યવસ્થાઃ બંને રાજ્યોના પરિણામો એક સાથે આવશે

નવી દિલ્હી તા. ૨૯ : ઓકટબર માસના મધ્યમાં ચૂંટણી કમિશન ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. આ બંને રાજયોની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષો એકબીજાની સામસામે આવશે.
   એવું જણાઈ રહ્યું છે કે ચૂંટણી કમિશન હિમાચલ પ્રદેશમાં નવેમ્બરના મધ્યમાં અને ગુજરામાં ડિસેમ્બર માસમાં બે તબક્કામાં ચૂંટણી યોજવા વિચાર કરી રહ્યું છે. ઉપરાંત સાથોસાથ ખાલી પડેલી ચાર લોકસભા બેઠકો ઉત્ત્।રપ્રદેશમાં ગોરખપુર અને ફુલપુર તેમજ રાજસ્થાનમાં અજમેર અને અલવર બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજવા વિચારી રહ્યું છે.
   આ ચૂંટણીમાં પહેલીવાર ઇલેકશન કમિશન કોઈપણ રાજયમાં સમગ્ર ચૂંટણી પૂર્ણરૂપે વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેઇલ(VVPAT) મશિન દ્વારા કરાવશે. આ મશિનની મદદથી મતદાતા પોતે જેને વોટ આપ્યો છે તેને વોટ મળ્યો છે કે નહીં તે રિસિપ્ટ દ્વારા નિશ્ચિત કરી શકશે.
   જોકે કમિશન પહેલીવાર કોઈ એક સમગ્ર રાજયમાં VVPATનો ઉપોયગ કરવાનું હોય બીજા કેટલાક ઇનિશિએટિવને હાલ પૂરતા પડતા મૂકવામાં આવ્યા છે જેમ કે દરેક પોલિંગ સ્ટેશનમાં એક નિશ્ચિત ટકાવારીમાં પેપર ટ્રેઇલ રિસિપ્ટની ગણતરી કરવી.
   જયારે કેન્દ્રીય કેબિનેટે ભારત બહાર રહેતા લોકોને પ્રોકસી વોટિંગની સુવિધા આપવાનો પ્લાન હાલ આ બે રાજયોની ચૂંટણીમાં પડતો મૂકયો છે. ઓગસ્ટ મહિનામાં જ રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ એકટમાં સુધારા કરતો કાયદો લાવવા માટે સરકાર દ્વારા સુધારા બિલનો મુસદ્દો તૈયાર કરાયો હતો જેને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.
   આ નવા સુધારાના કારણે ભારત બહાર રહેતા ભારતના નાગરીકોને ચૂંટણીમાં વોટ નાખવા માટે હજારો રૂપિયા ખર્ચીને ભારત આવવાની જરૂર નહીં રહે તેઓ પોતે જે દેશમાં છે ત્યાંથી જ નક્કી કરવામાં આવેલ પ્રોકસી પદ્ઘતીથી વોટિંગ કરી પોતાનો વોટ આપી શકશે. પરંતુ આ સુધારા બિલને હજુ સંસદની મંજૂરી બાકી છે.
   ઇલેકશન કમિશન પૂરજોશમાં બંને રાજયોમાં ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં જ ઇલેકશન કમિશનની ટીમે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ અંગે નિરિક્ષણ કર્યું હતું. જયારે ગુજરાતમાં ચૂંટણી વ્યવસ્થાની તૈયારી અંગે નિરિક્ષણ કરવા માટે ઓકટોબરના બીજા સપ્તાહમાં ઇલેકશન કમિશન રાજયમાં આવી શકે છે.
   હિમાચલ પ્રદેશમાં ઇલેકશન કમિશનની ટીમ સામે સર્વસામાન્ય માગણી એવી મુકવામાં આવી હતી કે ચૂંટણી નવેમ્બરના મધ્યભાગ સુધીમાં કરી લેવી જોઈએ. કેમ કે ત્યાર બાદ વધુ મતદાતા ધરાવતા અને પ્રદેશ બરફાચ્છાદીત્ત્। થઈ જશે જેથી ચૂંટણીમાં મતદાનની ટકાવારી પર અસર વર્તાઈ શકે છે.
   સૂત્રોએ જણાવ્યું કે રાજયમાં સૌથી વધુ મતદાતા ધરાવતી ત્રણ બેઠક લાહૌલ સ્પિતિ, કિન્નૌર અને ભારમોરમાં નવેમ્બરના મધ્યબાદ બરફ પડતો હોવાથી મતદાતા અને ચૂંટણી અધિકારીને મુશ્કેલી ન પડે માટે કમિશન નવેમ્બર મધ્યમાં જ હિમાચલપ્રદેશની ચૂંટણી પૂર્ણ કરી લેવા માગે છે. આ માટે ૧૦૦૦૦ જેટલા પેરા મિલિટરી જવાનો ફાળવવા ઇલેકશન કમિશને ગૃહવિભાગને પત્ર પણ લખી દીધો છે.
   જયારે ગુજરાત માટે ઇલેકશન કમિશન પોતાના શેડ્યુલ પ્રમાણે ડિસેમ્બરમાં જ ચૂંટણી યોજશે. જોકે બંને રાજયોના પરીણામ સાથે જ આપશે. ઇલેકશન કમિશનના ઓફિસરના જણાવ્યા મુજબ 'મતદાન અને ગણતરી વચ્ચે એક મહિનાનો ગાળો ઇલેકશન કમિશન અને મતદાતાઓ માટે કોઈ નવી બાબત નથી. આ પહેલા પણ દેશની વિવિધ ચૂંટણીમાં આવું થઈ ચૂકયું છે. આ જ વર્ષે પંજાબની વિધાનસબા ચૂંટણીનું પરીણામ એક મહિના બાદ UP, ઉત્ત્।રાખંડ અને ગોવા સાથે આપવામાં આવ્યું હતું.'
   ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા અંગે વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલની આગેવાનીમાં કોંગ્રેસનું ડિલિગેશન ઇલેકશન કમિશનને મળ્યું હતું. તેમણે ૧૦૦% VVPAT, નિશ્ચિત ટકાવારીમાં પેપર ટ્રેઇલ રિસિપ્ટની ગણતરી, પોલિંગ સ્ટેશનમાં સીસીટીવી અને અસામાજીક તત્વોથી મતદાન પ્રક્રિયાની સુરક્ષા તેમજ સરકારી અધિકારીઓને તેમના ગૃહ જિલ્લામાંથી અન્યત્ર ફરજ આપવાની માગણી કરી હતી.

Source :- http://www.akilanews.com/29092017/main-news/1506661937-115066

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment