સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 21 September 2017

હેં... ચાલુ વર્ષે કેટલો વેપાર કરશો? ઇન્કમટેક્ષે અત્યારથી માંગ્યો હિસાબ -વેપારી ૨૮ સપ્ટેમ્બર સુધીમાં જીએસટી ટ્રાન-૧ નહીં ભરે તો જૂના સ્ટોકની ક્રેડિટ ગુમાવશે - GSTR-3B રિટર્ન ભરવાનો આજે છેલ્લો દિવસઃ મુદત વધારવાની માંગ - દિવાળીના તહેવાર બાદ સીએઆઇટી જીએસટી મુદ્દે આંદોલન નીતિ ઘડશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

વેપારી ૨૮ સપ્ટેમ્બર સુધીમાં જીએસટી ટ્રાન-૧ નહીં ભરે તો જૂના સ્ટોકની ક્રેડિટ ગુમાવશે
મહાભારતના યુદ્ધ જેવી સ્થિતિઃ વેપારી, એકાઉન્ટન્ટ, સી.એ. વચ્ચે વધતી માથાકુટ : નિષ્ણાતોના મતે ૩૧ ઓકટોબર સુધી રિટર્ન ફાઈલિંગની મુદત લંબાવી હોવાની વાત ગેરમાર્ગે દોરનારી

   નવી દિલ્હી, તા. ૨૧ :. વેપારીઓ ૨૮મી સપ્ટેમ્બર સુધીમાં જીએસટી ટ્રાન-૧ નહીં ભરે તો જીએસટીના અમલ પહેલાના જૂના સ્ટોક પરની ક્રેડીટ ગુમાવશે તે મુજબનું અર્થઘટન કર નિષ્ણાતો દ્વારા કરાઈ રહ્યુ હોય વેપારીઓના જીવ ઉચાટે ચડયા છે.
   ટ્રાન-૧ ફોર્મના આધારે વેપારી જીએસટીના કાયદાના અમલ પહેલાં જ સ્ટોક હોય તેની પર ક્રેડીટ કલેઈમ કરી શકે છે. આ ફોર્મ કાયદો લાગુ પડયાના ૯૦ દિવસમાં ભરવાનું રહે છે. પાછલા દિવસોમાં જીએસટી કાઉન્સીલે આ ટ્રાન-૧ ફોર્મ ભરવાની મુદત ૩૧ ઓકટોબર સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. જેના પગલે વેપારીઓએ રાહત અનુભવી હતી પરંતુ તાજેતરમાં આ અંગેનું નોટીફીકેશન બહાર પડયું તેમા રૂલ ૧૨૦ એનો ઉલ્લેખ કરાયો છે. જેનો અભ્યાસ કરતા એવી બાબત બહાર આવી છે કે મુદત લંબાવાઈ નથી.
   ટેકસ કન્સલ્ટન્ટ હેમાંશુ જોશી કહે છે કે, ટ્રાન-૧ ફોર્મ સબમિટની મુદત લંબાવાઈ નથી માત્ર ભરેલા ફોર્મમાં સુધારા કરવા માટે ૩૧ ઓકટોબર સુધીનો સમય અપાયો છે કારણ કે નોટીફીકેશનમાં ૧૨૦-એ કલમનો ઉલ્લેખ છે. ખરેખર ૧૧૭-એ કલમનો ઉલ્લેખ હોય તો જ મુદત લંબાવાઈ એમ માની શકાય. એટલે વેપારીઓએ ૨૮ સપ્ટેમ્બર સુધીમાં ટ્રાન-૧ ફાઈલ તો કરી જ દેવુ પડશે. અન્યથા જૂના સ્ટોક પરની ક્રેડીટ નહીં મળે.
   આ સાથે જ જોશીએ કહ્યું કે, ૩ બી ફોર્મ અપલોડ કરવાના અંતિમ દિવસે પણ વેબસાઈટ ઠપ્પ હતી. જેથી વેપારીઓ પર કર વત્તા વ્યાજનો બોજો આવશે. અગાઉ પણ જે વેપારી સમયસર ફોર્મ ભરી નહોતા શકયા તેઓ પર વ્યાજ લાગ્યુ છે અને દંડ પણ ભરવો પડયો છે.
   જીએસટીનો કાયદો અમલમાં મુકાયો ત્યારથી જ જાણે મહાભારતનું યુદ્ધ છેડાયુ હોવાની લાગણી વેપારી, એકાઉન્ટન્ટ અને કર નિષ્ણાતો અનુભવી રહ્યા હોવાનું ઉમેરતા જોશીએ કહ્યુ કે, એકાઉન્ટન્ટ, વેપારી અને કર નિષ્ણાત વચ્ચે ધકકા ખાઈ રહ્યા હોય તકરારો વધી ગઈ છે.

Source :-  http://www.akilanews.com/21092017/main-news/1505990137-114569

GSTR-3B રિટર્ન ભરવાનો આજે છેલ્લો દિવસઃ મુદત વધારવાની માંગ

   નવી દિલ્હી તા.૨૧ : ઓગસ્ટ મહિનાના જીએસટીઆર-૩બી સેલ્સ અને પર્ચેઝના સમરી રિટર્ન ફાઇલ કરવાની આજે છેલ્લી તારીખ છે ત્યારે રાજયમાં કુલ આઠ લાખ રજિસ્ટર્ડ વેપારીઓની સામે હજુ સુધી ખૂબ જ ઓછી માત્રામાં રિટર્ન ફાઇલ થઇ શકયા છે. આજે સમરી રિટર્ન ફાઇલ નહીં કરનારને આવતી કાલથી પર ડે રૂ. ૨૦૦ પેનલ્ટી લાગશે. એટલું જ નહીં સમગ્ર દેશમાં ૬૦ લાખથી વધુ રજિસ્ટર્ડ વેપારીઓમાંથી ૧૦ લાખથી વધુ વેપારીઓ જીએસટીઆર-૩બી રિટર્ન ફાઇલ કરી શકયા છે. રિટર્ન ભરવામાં ટેકિનકલ મુશ્કેલી પડી રહી છે અને તેના કારણે વેપારીઓ દ્વારા રિટર્ન ફાઇલ થઇ શકતા નથી.
   એક બાજુ નવરાત્રિ અને દિવાળીના તહેવારો નજીક છે. આવા સંજોગોમાં વેપારીઓ દ્વારા જીએસટીઆર-૩બી રિટર્ન ફાઇલ નહીં થઇ શકવાના કારણે વેપારીઓ ચિંતામાં મુકાઇ ગયા છે તથા પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. દરમિયાન ઓગસ્ટ મહિનાનું ટેકસ રિટર્ન ભરવા માટે ૨૦ સપ્ટેમ્બર છેલ્લી તારીખ હતી.
   જુલાઇ મહિના માટે ટેકસ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૨૦ ઓગસ્ટથી વધારી ૨૫ ઓગસ્ટ કરવામાં આવી હતી. ત્યાર બાદ ટેકસ નહીં ભરનાર વેપારીઓને ભરવામાં આવતા ટેકસ પર વ્યાજ આપવું પડે છે, જોકે સરકારે વેપારીઓની વધતી જતી હાલાકીના પગલે રોજ લેવામાં આવતી પેનલ્ટીને દૂર કરી હતી.
   ગુજરાત સેલ્સટેકસ બાર એસોસિયેશનના પ્રેસિડેન્ટ વારીસ ઈશાનીના જણાવ્યા પ્રમાણે તહેવારો તથા ટિેકનકલ મુશ્કેલીના કારણે જીએસટીઆર-૩બી સમરી રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે આ રિટર્ન ભરવાની મુદત વધારવાની માગ કરવામાં આવી છે.
   ઉચ્ચક વેરા માટે અગાઉ ૧૬ ઓગસ્ટ સુધી જ અરજી કરવાની હતી, પરંતુ ૧૪, ૧૫, ૧૬ તારીખે વેબસાઇટ ચાલતી ન હતી તથા વેપારીઓને ઓનલાઇન અરજી કરવામાં મુશ્કેલી પડતી હોવાના કારણે સરકારે મુદત વધારી દીધી હતી. સોમવારથી ફરી એક વખત ઓનલાઇન વિન્ડો ખૂલી છે. ૩૦ સપ્ટેમ્બર સુધી ઉચ્ચક વેરાનો લાભ લેવા માટે વેપારી અરજી શરી શકશે, પરંતુ સરકારની નવી નીતિ મુજબ ઉચ્ચક વેરાનો લાભ ૧ ઓકટોબરથી જ મળશે, જેના પગલે ઉચ્ચક વેરાનો લાભ લેનાર વેપારીઓ ચિંતામાં મુકાઇ ગયા છે. ટેકસ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એમ ત્રણ મહિનાનો વેપારીઓએ રેગ્યુલર ટેકસ ભરવો પડશે. એટલું જ નહીં વેપારીઓએ સ્ટોકની વિગતો પણ આપવી પડશે. ઉલ્લેખનીય છે કે વેપારીઓએ ૧ ઓકટોબરથી ઉચ્ચક વેરાનો લાભ મળવાના બદલે ૧ જુલાઇથી જ આ લાભ મળે તેવી માગ કરી છે.

Source :-  http://www.akilanews.com/21092017/main-news/1505990032-114565

દિવાળીના તહેવાર બાદ સીએઆઇટી જીએસટી મુદ્દે આંદોલન નીતિ ઘડશે
૨૧ સપ્ટેમ્બરથી ૨૦ ઓકટોબર રાજ્યવ્યાપી વિરોધ કરીને વ્હાઇટ પેપર સુપરત કરાશેઃ સરકારને ૧ માસ આપીએ છેઃ સીએઆઇટી

   સુરત તા. ૨૧ : જીએસટીના અમલને અઢી માસ વિતી જવા છતાં દેશભરના ઉદ્યોગોની ગાડી પાટે ચઢી નથી. જીએસટીને સરળ કરવાની માંગ સાથે હવે સીએઆઇટી સરકારને એક માસ આપશે, જેમાં ૨૧ સપ્ટેમ્બરથી ૨૦ ઓકટોબર સુધી વડાપ્રધાન સહિતનાને વ્હાઇટ પેપર સુપરત કરી વિરોધ નોંધાવશે. જો કે, દિવાળી બાદ કમિટી આંદોલન શરૂકરવા રણનીતિ ઘડશે.
   જીએસટી પોર્ટલ તથા જીએસટીની ગુંચવણ ભરેલી સિસ્ટમના કારણે દેશભરના વેપારીઓ હેરાન થઇ રહ્યા છે. સરળીકરણ માટે વિવિધ રાજયોના એસોસિએશન તથા વેપારી અગ્રણીઓએ કેન્દ્ર સરકારને કરેલી રજૂઆતને કાને ધરાઈ રહી નથી. ત્યારે ચેમ્બરમાં યોજાયેલી સીએઆઇટીની બે દિવસીય નેશનલ કોન્ફરન્સમાં ૨૧ રાજયોના ૧૦૦ વેપારીઓની સંમતિથી એક માસ આંદોલન ચલાવવાનો નિર્ણય કરાયો છે, જેમાં કેન્દ્ર કક્ષાએ ૨૧ સપ્ટેમ્બરથી ૨૦ ઓકટોબર સુધી વડાપ્રધાન, કેન્દ્રીય નાણામંત્રી,રેવેન્યૂ સેક્રેટરી, સીબીડીટી ચેરમેન, ચેરમેન જીએસટી પોર્ટલ તથા રાજય વ્યાપી સીએઆઇટીની કમિટી સીએમ, એમપી, એમએલએ, વેટ અને જીએસટી કમિ. તથા કલેકટર, ગવર્નરને વ્હાઇટ પેપર સુપરત કરી વિરોધ નોંધાવશે.
   જીએસટીના ઇન્વાઇટી મેમ્બર અને સીએઆઇટીના નેશનલ મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, દિવાળી બાદ ફરી એક વાર સીએઆઇટીની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળશે, જેમાં આંદોલનની તારીખ નક્કી કરીશું. નવરાત્રિથી દિવાળી સુધી એક માસ વેપારની સીઝન હોઇ છે, સમય દરમ્યાન વેપારીઓને જાગૃત કરવાની કામગીરી કરીશું.
   જીએસટી પોર્ટલ તથા જીએસટીની ગુંચવણ ભરેલી સિસ્ટમના કારણે દેશભરના વેપારીઓ હેરાન થઇ રહ્યા છે. સરળીકરણ માટે વિવિધ રાજયોના એસોસિએશન તથા વેપારી અગ્રણીઓએ કેન્દ્ર સરકારને કરેલી રજૂઆતને કાને ધરાઈ રહી નથી. ત્યારે ચેમ્બરમાં યોજાયેલી સીએઆઇટીની બે દિવસીય નેશનલ કોન્ફરન્સમાં ૨૧ રાજયોના ૧૦૦ વેપારીઓની સંમતિથી એક માસ આંદોલન ચલાવવાનો નિર્ણય કરાયો છે, જેમાં કેન્દ્ર કક્ષાએ ૨૧ સપ્ટેમ્બરથી ૨૦ ઓકટોબર સુધી વડાપ્રધાન, કેન્દ્રીય નાણામંત્રી,રેવેન્યૂ સેક્રેટરી, સીબીડીટી ચેરમેન, ચેરમેન જીએસટી પોર્ટલ તથા રાજય વ્યાપી સીએઆઇટીની કમિટી સીએમ, એમપી, એમએલએ, વેટ અને જીએસટી કમિ. તથા કલેકટર, ગવર્નરને વ્હાઇટ પેપર સુપરત કરી વિરોધ નોંધાવશે.
   જીએસટીના ઇન્વાઇટી મેમ્બર અને સીએઆઇટીના નેશનલ મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, દિવાળી બાદ ફરી એક વાર સીએઆઇટીની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળશે, જેમાં આંદોલનની તારીખ નક્કી કરીશું. નવરાત્રિથી દિવાળી સુધી એક માસ વેપારની સીઝન હોઇ છે, સમય દરમ્યાન વેપારીઓને જાગૃત કરવાની કામગીરી કરીશું.
   સરકાર મોઢું ફેરવે છે
   પ્રવીણ ખંડેલવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું, સરકાર છે જેણે અમારી સાથે જંતરમંતર પર બેસીને વિરોધ કર્યો છે. બીન પણ વગાડી છે. અર્ધનગ્ન થઇ વિરોધ પણ નોંધાવ્યો છે. અત્યાર સુધીમાં ૧૨૧૧ કોમોડિટીઝના રેટ કિલયરિફાઇ કર્યા છે ત્યારે ૧૯૧૧ કોમોડિટીઝના રેટ ૨૮ ટકા છે તો તેને રિવ્યૂ કરી ટેકસ સ્લેબ નીચા લાવવા જોઇએ.
   કેન્દ્ર સમક્ષ માગણી
   .   પોર્ટલનું થર્ડ પાર્ટી ટેકનોલોજીનું ઓડિટ
   .   જીએસટી કાઉન્સિલ માટે ૫ મંત્રીના તૈયાર કરેલા સમૂહ મંડળ વેપારીના પ્રતિનિધિનો સમાવેશ
   .   અનાજ, કપડાં, મકાન, સ્કિલ ડેવલોપમેન્ટ, શિક્ષણ અને મેડિકલ પર જીએસટીના દરનો રિવ્યૂ કરી ટેકસ સ્લેબ ઘટાડવા માંગ

Source :- http://www.akilanews.com/21092017/main-news/1505968623-114535

હેં... ચાલુ વર્ષે કેટલો વેપાર કરશો? ઇન્કમટેક્ષે અત્યારથી માંગ્યો હિસાબ

કેન્દ્ર સરકારની ગજબની નીતિઃ વેપાર થાય કે ન થાય પહેલા કર ભરોઃ ગત વર્ષની સરખામણીએ ઓછો એડવાન્સ ટેક્ષ ભરનારા વેપારીઓ પર કાર્યવાહીનો સંકેત
   નવી દિલ્હી તા. ૨૨ : એક બાદ એક કર પ્રણાલીમાં થઇ રહેલા સતત અને ઝડપી ફેરફારના લીધે કરદાતાઓ એટીએમ (એની ટાઇમ મશીન) સમાન બની ગયા છે. જેને સરકારી કર વિભાગો દ્વારા અવાર-નવાર ખંખેરવામાં આવી રહ્યા છે. વેપાર કરો કે નહીં કરો પહેલાં કર ભરો એવી નીતિ સરકારી કર વિભાગોએ અપનાવી લીધી હોય એમ લાગે છે. એકતરફ જીએસટીમાં વેપારી ગૂંચવાયેલા છે ત્યાં બીજી તરફ આવકવેરા વિભાગે એડવાન્સ ટેકસ ઓછો ભર્યો હોય તેવા કરદાતાઓ સામે કાર્યવાહી કરવાના સંકેત આપી દીધા છે. ચાલુ વર્ષમાં કેટલો વેપાર થશે? તેનો અંદાજ સીબીડીટીએ અત્યારથી જ માગી લેતા કરદાતાઓ દોડતા થઇ ગયા છે.
   સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગઇ તા. ૧૯મીના રોજ એડવાન્સ ટેકસ માટેનો નવું ડ્રાફટ નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તે મુજબ આવકવેરાના નવા નિયમ ૩૯-A તેમજ આવકવેરા પત્રક ૨૮ AA દાખલ કરવાની જોગવાઇ છે. આ બ્ંને નિયમ હેઠળ કંપનીઓ તેમજ કલમ ૪૪ AB હેઠળ ટેકસ ઓડિટને પાત્ર કરદાતાઓને આવરી લેવાનું પ્રયોજન છે.
   આ નિયમ હેઠળ નાણાકીય વર્ષના ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બરના સમયગાળાની અંદાજિત આવક તેમજ ટેકસનું પત્રક ફોર્મ ૨૮ AA મુજબ તા. ૧૫ નવેમ્બર સુધીમાં ભરવાનું રહેશે. આ ઉપરાંત જે કેસમાં એપ્રિલથી સપ્ટેમ્બરની અંદાજીત આવક આગળના વર્ષના એ જ સમયગાળાની આવકથી ૧૦ ટકા અથવા રૂ. ૫ લાખથી ઓછી હોય તો એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળાની અંદાજીત આવકનું પત્રક તા. ૩૧ જાન્યુઆરી સુધીમાં ભરવાનું રહેશે. જો એડવાન્સ ટેકસમાં ઘટાડો જણાશે તો કરદાતા કલમ ૨૩૪ B તથા ૨૩૪ હેઠળ માસિક ૧.૫ ટકા મુજબ વ્યાજ ભરવાને પાત્ર થશે એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બિરજુ શાહ જણાવે છે. શાહ કહે છે કે, આ પ્રક્રિયાના લીધે કરદાતા પર વ્યાજનું ભારણ વધશે.
   ઉલ્લેખનીય છે કે, જીએસટીમાં ૬૫,૦૦૦ કરોડની ક્રેડિટ કલેઇમ થઇ હોય આડકતરી રીતે આવકવેરા તરફથી વિગતો મંગાવી કરદાતાને ચારેતરફથી ઘેરવાના પ્રયાસરૂપે પણ આ હિલચાલ શરૂ થઇ હોવાનું મનાઇ રહ્યું છે.
   જીએસટીની ભૂલભૂલૈયામાં અટવાયેલા વેપારીઓ સામે ધંધો કરવો કે ટેકસ પળોજળ પૂરી કરવી એવો યક્ષ પ્રશ્ન ઉભો થયો છે. કરપ્રણાલી સરળ કરવાના નામે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા અખતરાઓથી વેપારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.(૨૧.૧૧)

Source :- http://www.akilanews.com/22092017/main-news/1506060844-114631

 

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



 CLICK HERE TO DOWNLOAD




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment