સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 18 July 2014

દેશના મોટાભાગના રાજ્યોમાં અનાજના સ્ટોકસ માટે વ્યવસ્થાનો અભાવ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

દેશના મોટાભાગના રાજ્યોમાં અનાજના સ્ટોકસ માટે વ્યવસ્થાનો અભાવ

નેશનલ ફૂડ સિક્યુરિટી એકટ અંતર્ગત અનાજ

પહોંચતું કરવાની રાજ્યોની ક્ષમતા સામે શંકા


ઓકટોબર સુધીમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એકટ ૨૦૧૩નો અમલ કરવા કેન્દ્રએ રાજ્યોને સૂચના આપી છે ત્યારે જાહેર વિતરણ પદ્ધતિ હેઠળ લાભાર્થી   વ્યક્તિઓની સંખ્યા જે હાલમાં ૫૫ કરોડ છે તે વધીને ૮૪ કરોડ થવાની ધારણાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી જાહેર વિતરણ પદ્ધતિમાં રાજ્યોની નબળી કામગીરીને ધ્યાનમાં રાખતા ૮૪ કરોડ લાભાર્થીઓને અનાજ પૂરું પાડી શકશે કે કેમ તે સામે શંકા સેવાઈ રહી છે.
ગરીબી રેખાથી ઉપરના પરિવારો માટે ફાળવાતા અનાજનો સંપૂર્ણ ક્વોટા ઊંચકવામાં રાજ્યો નિષ્ફળ રહ્યા હોવાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે. આજ રીતે ગરીબો માટેની અન્ત્યોદય અન્ન યોજના હેઠળ ફાળવાયેલા અનાજની ડિલિવરી લેવામાં પણ રાજ્યો નિષ્ફળ રહ્યા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૨-૧૩ની વાત કરીએ તો ગરીબી રેખાથી ઉપરના લાભાર્થીઓ માટે ચોખાનો ઉપાડ ફાળવણીના ૮૧ ટકા રહ્યો હતો અને ૨૦૧૩-૧૪નો આ આંક ૭૭ ટકા રહ્યો હતો. આજ રીતે ઘઉંની વાત કરીએ તો ગરીબી રેખાથી ઉપરના લાભાર્થીઓ માટે ઘઉંનો ઉપાડ ૨૦૧૨-૧૩માં ફાળવણીના ૬૯ ટકા રહ્યો હતો અને ૨૦૧૩-૧૪નો આ આંક ૭૬ ટકા રહ્યો હતો.
અંદાજે આઠ કરોડ પરિવારો ગરીબી રેખાથી ઉપરના છે જ્યારે ૬ કરોડ ગરીબી રેખાથી નીચેના હોવાનું માનવામાં આવે છે. અનાજના નબળા ઉપાડ માટે રાજ્યોમાં સ્ટોરેજનો અભાવ તથા નબળી વિતરણ ક્ષમતા કારણભૂત હોવાનું અન્ન મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. વિવિધ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે પરંતુ ચોખા અને ઘઉંની પ્રાપ્તિમાં  જ આ નીતિ વધુ અસરકારક રીતે કામ કરતી હોવાનું જોવા મળે છે.
કેન્દ્ર ઉપરાંત રાજ્યો દ્વારા જાહેર કરાતા ઊંચા ટેકાના ભાવ સરકારી એજન્સીઓ માટે અનાજ ખરીદીની કામગીરીમાં ઢીલ ઊભા કરતા હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. છેલ્લા બે વર્ષમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) દ્વારા ઘઉંના નીચા ઉપાડ છતાં તેના ગોદામમાં ૬.૮૦ કરોડ ટનનો સ્ટોક પડયો છે જે બફર સ્ટોકસની આવશ્યકતા કરતા લગભગ બમણો છે.
ગરીબી રેખાથી ઉપરના પરિવારો માટે ફાળવાયેલા અનાજનો પૂરો સ્ટોક નહીં ઉપાડનારા રાજ્યોમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, આન્ધ્ર પ્રદેશનો મુખ્યત્વે સમાવેશ થાય છે. રાજ્યોને તેમની વસતિના આધારે જાહેર વિતરણ પદ્ધતિ માટેના અનાજની ફાળવણી કરવામાં આવે છે.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here 
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment