સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 8 July 2014

કંપની કાયદામાં વધારે રાહતોની માંગણી કરતું ખાનગી કોર્પોરેટ ક્ષેત્ર

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

કંપની કાયદામાં વધારે રાહતોની માંગણી કરતું ખાનગી કોર્પોરેટ ક્ષેત્ર

જો કે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય આ અંગે વધુ તપાસ કરી રહ્યું છે

નવી દિલ્હી, મંગળવાર
કોર્પોરેટ બાબતોના મંત્રાલયે મંગાવેલા સૂચનોના એક ભાગરૃપે નવા કંપની ધારામાં મોટાભાગની ખાનગી પરંતુ અનલિસ્ટેડ કંપનીઓએ વધુ રાહતો માગી છે જેની ઉપર કોર્પોરેટ મંત્રાલય વિચારણા કરી રહ્યું છે. સૂત્રોએ કહ્યું હતું કે  મંત્રાલયને પહેલી જુલાઇ સુધી એક હજાર કરતાં પણ વધુ સૂચનો મળ્યા હતા. કેટલાકે એવું સુચન કર્યુંં હતું કે ડિપોઝિટ સ્વિકારનાર ખાનગી કંપનીઓ ઉપર કોઇ પણ જાતની શરતો લાદવી જોઇએ નહીં. નવા કંપની ધારામાં ખાનગી કંપનીઓ ઉપર એના સભ્યો પાસેથી ભંડોળ લેવા અથવા તો ડિપોઝિટો સ્વિકારવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મંત્રાલયને મળેલા એક સૂચનમાં કહેવામાં આવ્યું હતું કે  સભ્યો પાસેથી ભંડોળ મેળવવા ઉપર રાહત આપવી જોઇએ અને  નોંધાયેલા વેલ્યુઅરેસ પાસેથી મુલ્યાંકન કરાવ્યા વગર ખાનગી કંપનીઓને મુક્તિ આપવી જોઇએ.
અન્ય કેટલાક સુચનોમાં એક સુચન એ પણ હતું કે  ખાનગી અનલિસ્ટેડ કંપનીઓના દરેક વર્ગ ઉપર ઓડિટર્સના રોટેશન ઉપર રાહત આપવી જોઇએ, એમ સૂત્રો એ કહ્યું હતું. નવા કંપની ધારા૨૦૧૩ની સમીક્ષા કરી રહેલા મંત્રાલયે સૂચિત રાહતો અંગે પહેલી જુલાઇ સુઘી લોકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા.
' ખાનગી કંપનીઓ એના સભ્યો પાસેથી જો ડિપોઝિટો ઉઘરાવે તો એની ઉપર કોઇ શરત લાદવી ન જોઇએ. કંપનીઝ એક્ટ ૧૯૫૬ માં આવી કોઇ જ જોગવાઇ નથી. જો કે ખાનગી કંપનીઓમાં સભ્યો પાસેથી ભંડોલ મેળવવું એ અસામાન્ય બાબત નથી. સેકશન ૭૩ (૨)માં  કંપનીઓ માટે ક્રેડિટ મેળવવાનું કામ એકદમ મુશ્કેલ બનાવી દેશે' એમ  અનેક ખાનગી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરનાર એક લો ફાર્મના વડાએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે તમામ ખાનગી કંપનીઓને ઓડિટર્સની ફરજીયાત રોટેશન પધ્ધતિને કાઢી નાંખવી જોઇએ. ભલેને એની પેઇડ અપ કેપિટલ ગમે તેટલી કેમ ના હોય.  જો કે કોર્પોરેટ બાબતોના મંત્રાલયે તો એના મુસદ્દામાં રોટેશન પધ્ધતિની વાત લખી જ હતી.
૨૪મી જૂનના રોજ મંત્રાલયે એક ડ્રાફટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં અનલિસ્ટેડ  ખાનગી કંપનીઓને કંપનીઝ એકટ ૨૦૧૩ની ઘારા ૧૩મંાથી રાહત આપવામાં આવી હતી. મંત્રાલયે એવું સુચન કર્યું હતું કે  ડિપોઝિટો સ્વીકારવા સબંધિત કલમો જે કંપનીમાં ૫૦ કે ઓછા સભ્યો હોય એને લાગુ પડશે નહીં. જો કે ડ્રાફટ નોટિફિકેશનમાં જ્યારે ડાયરેકટર અથવા તો એ જેની તરફેણ કરે એની લોન મંજૂર કરતી વખતે શરતી મુક્તિ આપવામાં આવી હતી. ' આ બાબત તમામ ખાનગી કંપનીઓને રાહત આપવી જોઇએ અને નહીં કે કોઇ ખાસ કંપનીને જે ડ્રાફ્ટ નોટિફિકેશનમાં આવરી લેવાઇ હોય' એમ તેમણે કહ્યું હતું.
 એક કંપનીના મેનેજીંગ પાર્ટનરે કહ્યું હતું કે  ' ડ્રાફટ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલી જોગવાઇઓને અમે આવકરીએ છીએ. આ એક સારૃં પગલું છે. જો કે  કોર્પોરેટ શાસન ચેઇનમાં આ એક નબળી કડી હોવાથી ખાનગી કંપનીઓને રાહત આપતી વખતે સાવઘાની રાખવી જોઇએ' એમ તેમણે કહ્યું હતું.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment