સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 7 July 2014

શાકભાજીના રીટેલ અને જથ્થાબંધ ભાવ વચ્ચેના તફાવતમાં ૮૦ ટકાનો જંગી વધારો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

શાકભાજીના રીટેલ અને જથ્થાબંધ ભાવ વચ્ચેના તફાવતમાં ૮૦ ટકાનો જંગી વધારો

એપ્રિલથી જૂન'૧૪ ત્રિમાસિકમાં

આ સમયગાળા દરમિયાન મહત્વના શાકભાજીની આવક પણ ઘટી ઃ આ પ્રતિકૂળતાના કારણે ગૃહિણીઓના બજેટમાં પણ જોરદાર વધારો
નવી દિલ્હી, સોમવાર
એપ્રિલથી જૂન ૨૦૧૪ના સમયગાળા દરમિયાન શાકભાજીના જથ્થાબંધ અને છૂટક ભાવ વચ્ચેના તફાવતમાં ૮૦ ટકા જેટલો વધારો થયો છે. બીજી તરફ દેશના મુખ્ય ૧૦ શહેરોમાં આ સમયગાળા દરમિયાન શાકભાજીના રીટેલ ભાવમાં ૩૦ ટકા જેટલો વધારો થવા પામ્યો છે એમ ઔદ્યોગિક સંસ્થા એસોચેમ દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેનું તારણ છે. આ સમયગાળા દરમિયાન બટાટા, ડુંગળી અને ટામેટાને બાદ કરતા અન્ય શાકભાજીની આવકોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
દેશમાં શાકભાજીના ભાવમાં ઉછાળાને કારણે નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ગૃહિણીઓના ખર્ચમાં તીવ્ર વધારો થયો છે. દેશના ૩૩ બજારોને આવરી લઈને એસોચેમે કરેલા સર્વેમાં આ તારણ બહાર આવ્યું છે. સર્વેમાં જણાવ્યા મુજબ દેશમાં છૂટક વેચાણ કરતા વેપારીઓ સરેરાશ ધોરણે જથ્થાબંધ ભાવ કરતાં આશરે ૪૮.૮ ટકા ઊંચા ભાવે વેચાણ કરે છે.અભ્યાસમાં જણાવ્યા અનુસાર કોબીજના જથ્થાબંધ અને છૂટક ભાવ વચ્ચેનો તફા વત ૬૯.૪ ટકાથી વધીને ૭૮.૧ ટકા થયો છે. રીંગણના જથ્થાબંધ અને છૂટક ભાવ વચ્ચેનો તફાવત ૬૨.૪ ટકાથી વધીને ૬૬.૭ ટકા થયો છે જ્યારે ફુલાવર માટે આ તફાવત આશરે ૫૯ ટકા છે. સુરતમાં જથ્થા બંધ અને છૂટક ભાવ વચ્ચેનો તફાવત ૪૯.૭ ટકાથી વધીને ૫૦.૮ ટકા થયો છે.
લખનૌમાં આ તફાવત ૪૮.૫ ટકાથી વધીને ૫૪.૮ ટકા થયો છે. સિમલામાં જથ્થાબંધ અને છૂટક ભાવ વચ્ચેનો તફાવત ૩૭.૯ ટકાથી વધીને ૪૭.૩ ટકા જમ્મુમાં ૩૭.૫ ટકાથી વધીને ૪૨.૪ ટકા અને ચેન્નાઈમાં આ તફાવત ૩૪.૬ ટકાથી વધીને ૩૭.૩ ટકાનો મોટો વધારો થયો છે.
સર્વેમાં જણાવ્યા પ્રમાણે ૨૦૧૩-'૧૪ દરમિયાન બજારમાં ડુંગળીની આવકમાં ૧૩ ટકાના દરે વધારો થયો હતો, જ્યારે ટામેટાની આવકમાં ૭.૯ ટકાના દરે વધારો થયો હતો. બટાટાની આવકમાં ૬.૨ ટકાના દરે વધારો થયો હતો. ભીંડા અને ફુલાવરની આવકમાં આ સમયગાળા દરમિયાન ૦.૪ ટકા અને ૧.૯ ટકાનો નજીવો વધારો નોંધાયો હતો.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment