સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 12 February 2015

મોદી-કેજરીવાલ વચ્ચે આખરે મુલાકાત થઇ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

મોદી-કેજરીવાલ વચ્ચે આખરે મુલાકાત થઇ

ચમત્કારને નમસ્કાર ઃ સમય સમય બળવાન...!

કેજરીવાલે શપથવિધિ સમારોહનું આમંત્રણ આપ્યું પણ વડાપ્રધાન કાલે દિલ્હીમાં ન હોવાથી

બન્ને નેતાઓએ દિલ્હીના વિકાસ અંગે ચર્ચા કરી
કેજરીવાલ સરકારમાં સિસોદીયાને નાયબ મુખ્યપ્રધાન બનાવાય તેવી વકી
ચાર નવા ચહેરા સાથેની માત્ર ૭ સભ્યોની કેબિનેટની યાદી રાજ્યપાલને મોકલાઇ

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૧૨
દિલ્હીના મુખ્યપ્રધાનપદેથી ગત વર્ષે ૧૪ ફેબુ્રઆરીએ રાજીનામું આપનારા અને આ વર્ષે વેલેન્ટાઇન્સ ડે પર જ ફરી શપથ ગ્રહણ કરનારા આમ આદમી પાર્ટી (આપ)ના વડા અરવિંદ કેજરીવાલ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને દિલ્હીને પૂર્ણ રાજ્યના દરજ્જા સહિત રાજધાનીને સ્પર્શતા શ્રેણીબદ્ધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. કેજરીવાલે ૧૪મીએ દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનારા તેમના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા મોદીને આમંત્રણ પણ આપ્યું હતું પરંતુ મોદીએ એમ કહ્યું હતું કે તેઓ ૧૪મીએ દિલ્હીમાં ન હોવાથી ઉપસ્થિત રહી શકે તેમ નથી.
કેજરીવાલ 'આપ'ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદીયા સાથે સવારે ૧૦.૩૦ કલાકે વડાપ્રધાનના નિવાસે પહોંચ્યા હતા. મોદી સાથેની તેમની બેઠક ૧૫ મિનિટ લાંબી ચાલી હતી. ઉલ્લેખનીય છે કે મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ગત લોકસભાની ચૂંટણી પૂર્વે માર્ચ મહિનામાં 'આપ'ના પ્રચારાર્થે કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. તે વખતે તેઓ રાજ્યના પ્રશ્નો અંગે મોદી સમક્ષ રજૂઆત કરવા જતા હતા ત્યારે પાંચ કિ.મી. દૂર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવીને તેમને ગાંધીનગર જતા અટકાવાયા હતા. જોકે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 'આપ'નું ઝાડુ બરાબરનું ફરી વળ્યા બાદ 'સમય સમય બળવાન' એ ન્યાયે મોદીએ કેજરીવાલને શુભેચ્છા પાઠવી ત્યારે કેજરીવાલે તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કર્યા બાદ આખરે આજે બન્ને વચ્ચે મુલાકાત થઇ હતી. અન્ય એક સંબંધિત ઘટનાક્રમમાં સિસોદીયાને કેજરીવાલ સરકારમાં નાયબ મુખ્યપ્રધાન બનાવાય અને કેબિનેટમાં ચાર નવા ચહેરા સમાવાય તેવી શક્યતા છે.
મોદી સાથેની બેઠક બાદ સિસોદીયાએ જણાવ્યું હતું કે, 'અરવિંદે વડાપ્રધાનને કહ્યું કે કેન્દ્રમાં અને દિલ્હીમાં ભારે બહુમતીવાળી સરકારો હોવાથી દિલ્હીના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની આ સોનેરી તક છે. બન્નેએ દિલ્હીને સંપૂર્ણ રાજ્યના દરજ્જા અંગે પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાને આ મુદ્દા પર ધ્યાન આપવાની ખાતરી આપી હતી.'
દરમિયાન, કેજરીવાલેે મોદી સાથેની મુલાકાત પૂર્વે પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથેની બેઠકમાં તેમના ૭ પ્રધાનોની યાદીને આખરી ઓપ આપ્યો હતો. બાદમાં આ યાદી રાજ્યપાલ નજીબ જંગને મોકલાઇ હતી. સૂત્રોના કહેવા મુજબ કેજરીવાલ 'આપ'ને રાષ્ટ્રીય સ્તરે વિસ્તારવા પર ધ્યાન આપી શકે તે માટે સિસોદીયાને નાયબ મુખ્યપ્રધાન બનાવી મોટી જવાબદારીઓ સોંપાશે. કેબિનેટમાં રાખી બિરલા, સૌરભ ભારદ્વાજ, સોમનાથ ભારતી અને ગીરીશ સોનીના સ્થાને ચાર નવા ચહેરા- ગોપાલ રાય, જીતેન્દ્ર તોમર, સંદીપકુમાર અને અસીમ અહમદ ખાનને સ્થાન મળવાની શક્યતા છે. ગત સરકારમાં આરોગ્ય પ્રધાન રહેલા સત્યેન્દ્ર જૈનનું કેબિનેટમાં સ્થાન જળવાઇ રહેવાની પણ શક્યતા છે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment