સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 26 February 2015

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત્ ઃ ૮નાં મોત,૧૮૧ કેસ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત્ ઃ ૮નાં મોત,૧૮૧ કેસ

અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસો-મૃત્યુનો સિલસિલો જારી

સ્વાઇન ફ્લૂનો મરણઆંક ૨૪૭, કુલ કેસો ૩,૯૫૦ અત્યાર સુધી ૨,૫૧૮ દર્દીઓ સાજા થઇ ઘેર પર

અમદાવાદ , ગુરૃવાર
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ વધુને વધુ પ્રસરી રહ્યો છે. સરકારના અથાગ પ્રયત્નો છતાંયે સ્વાઇન ફ્લૂના કસો અને મૃત્યુમાં વધારો નોંધાઇ રહ્યો છે. ખાસ કરીને આખાયે ગુજરાતમાં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસો નોંધાયા છે. આજેપણ ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના ૮ દર્દીઓના મોત થયાં હતાં જયારે નવા ૧૮૧ પોઝિટીવ કેસો નોંધાયા હતાં.
સૂત્રોના મતે, ગુજરાતમાં સ્વાઇન ફ્લૂની સ્થિતિ એટલી ગંભીર બની છેકે, અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા ૩૯૫૦ સુધી પહોંચી છે. આજે અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના ૭૩ પોઝિટીવ દર્દી નોંધાયા હતાં. સિવિલમાં ૩૩૦ દર્દીઓની ઓપીડીમાં તપાસ કરાઇ હતી જે પૈકી ૧૬ દર્દીઓને તાકીદે સ્વાઇન ફ્લૂના વોર્ડમાં દાખલ કરાયાં હતાં. હાલમાં અમદાવાદ સિવિલમાં કુલ ૧૭૯ દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદમાં અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના કુલ કેસોનો આંક ૧૮૩૬ થયો છે. આજે અમદાવાદમાં વધુ ત્રણ દર્દીઓના સ્વાઇન ફ્લૂને લીધે મોત થયાં હતાં જેથી મરણઆંક વધીને ૬૪ થયો છે. ગુજરાતમાં આજે મહેસાણામાં ૨, સુરત,ભાવનગર અને અમરેલીમાં એક એક એમ કુલ મળીને આઠ દર્દીઓના મોત થયાં હતાં. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસો વધવાનો સિલસીલો આજેય યથાવત રહ્યો હતો. વડોદરામાં ૧૩,સુરતમાં ૩૧, અમરેલીમાં ૮ પોઝિટીવ કેસો નોંધાયા જયારે બનાસકાંઠા,ભાવનગર અને ખડામાં પાંચ પાંચ કેસો નોંધાયા હતા. કચ્છ,ગાંધીનગર,જામનગર અને ભરૃચમાં ત્રણ ત્રણ કેસોની નોંધણી થઇ હતી. અત્યાર સુધી ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કુલ ૩૯૫૦ કેસો નોધાયાં છે જયારે સ્વાઇન ફ્લૂ પિડિત ૨૫૧૮ દર્દીઓ સાજા થઇ ઘેર પરત ફર્યાં છે. સરકારના અથાગ પ્રયત્નો છતાંયે હજુયે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ કાબૂમાં આવી શક્યો નથી.

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂની પરિસ્થિતિ
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કુલ કેસો ઃ ૩૯૫૦
રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો મરણઆંક ઃ ૨૪૭
દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ ઃ ૨૫૧૮
અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કુલ કેસો ઃ ૧૮૩૬
અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો મૃત્યુઆંક ઃ ૬૪


અમદાવાદ સિવિલમાં સ્વાઇન ફ્લૂ વિશે એનાલિસિસ કરાશે
સ્વાઇન ફ્લૂ પિડિત ૧૦૦ દર્દીઓએ અમદાવાદ સિવિલમાં આખરી શ્વાસ લીધાં છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી મરનારાં દર્દીઓની કુલ સંખ્યા પૈકી ૪૫ ટકા દર્દીઓ અમદાવાદ સિવિલમાં મોતને ભેટયાં છે તેમાંયે એક વાત એવી બહાર આવી છેકે, બાળકો અને સ્ત્રીઓના સ્વાઇન ફ્લૂને કારણે સૌથી વધુ મૃત્યુ થયાં છે. આ કારણોસર અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્રિવેન્સીવ એન્ડ સોશિયલ મેડીસીન વિભાગના નિષ્ણાતો આ મુદ્દે એનાલિસિસ કરશે. આ તારણો સાથેનો એક રિપોર્ટ પણ રાજ્ય આરોગ્ય વિભાગને સુપરત કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, સિવિલમા સ્વાઇન ફ્લૂથી મોતને ભેટનારાં ૧૦૦ દર્દીઓ પૈકી ૧૫ બાળકો અને ૪૫ મહિલાઓનો સમાવેશ થાય છે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment