સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday 8 February 2015

ભારતમાં લોકોને ઈન્કમટેક્સ ભરવાની કોઈ જરુર નથી- ડો.સુબ્રમણ્યમ સ્વામી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ભારતમાં લોકોને ઈન્કમટેક્સ ભરવાની કોઈ જરુર નથી- ડો.સુબ્રમણ્યમ સ્વામી

સરકાર નવી વૈકલ્પિક વ્યવસ્થા અમલમાં મુકી શકે છે

ભાજપના આગેવાન ડો.સુબ્રમણ્યમ સ્વામીનુ વક્તવ્ય યોજાયુઃ કેજરીવાલ એક વર્ષ પણ સરકાર નહી ચલાવી શકેે
(પ્રતિનિધિદ્વારા)     વડોદરા,રવિવાર
.જો ટુજી અને ત્રીજી સ્પેક્ટ્રમ કે પછી કોલસાની ખાણોની હરાજીમાંથી લાખો કરોડ રુપિયા મળી શકતા હોય,વિદેશમાં રહેલુ લાખો કરોડોનુ કાળુ નાણુ પાછુ લાવી શકાતુ હોય તો  લોકો પર ટેક્સ નાંખવાની અને તે ઉઘરાવવા માટે જાત જાતની કવાયત કરવાની જરુર શું છે..મારે પોતાને  આ મુદ્દે વડાપ્રધાન સાથે વાત થઈ છે અને હાલની ટેક્સ સિસ્ટમના વિકલ્પ તરીકે નવી  સિસ્ટમ કેન્દ્ર સરકાર લાવી શકે છે તેમ  ભાજપના આગેવાન અને પૂર્વ કેબીનેટ મંત્રી ડો.સુબ્રમણ્યમ સ્વામીનુ કહેવુ છે.
ડો. સ્વામી આજે વડોદરામાં વક્તવ્ય આપવા માટે આવ્યા હતા.તે દરમ્યાન પત્રકારો સાથેની વાતચીતમાં તેમનુ કહેવુ હત કે ે એક્ઝીટ પોલ ઈશારો કરી રહ્યા છે કે કેજરીવાલ ચૂંટણીમાં જીત મેળવશે પરંતુ તે સરકાર ચલાવી નહી શકે અને એક વર્ષમાં ચૂંટણી યોજાશે તે નિશ્ચિત છે.કેજરીવાલ અને તેમના સાથીદારો ડાબેરી વિચારસરણીમાં માનનારા છે.ચૂંટણીમાં હાર જીત ચાલ્યા કરતી હોય છે.કદાચ દિલ્હીમાં કોર્પોરેશન ભાજપના કબ્જામાં છે અને જરુરી સુવિધાઓ લોકોને મળી નહી હોવાથી આ બાબત ભાજપના વિરોધમાં જઈ શકે છે.જોકે મહત્વની વાત એ છે કે કોંગ્રેસની દુર્દશા થઈ છે અને કોંગ્રેસ ખતમ થઈ જશે પછી બીજા રાજ્યોમાં ભાજપની સામે કોઈ નહી હોય.ડો.સ્વામીનુ કહેવુ હતુ કે જમ્મુ કાશ્મીરમાં ભલે સરકાર બને પરંતુ રામ મંદિર નિર્માણ, કલમ ૩૭૦ અને કોમન સિવિલ કોડના મુદ્દામાંથી ભાજપે પીછેહઠ કરવી જોઈએ નહી અને આ વચન પાંચ વર્ષમાં પુરા કરવા પડશે.
આ પહેલા નવરચના યુનિવર્સિટીના ઈન્યુવેટ ફેસ્ટીવલમાં ડો.સ્વામીએ વિદ્યાર્થીોને સંબોધતા કહ્યુ હતુ કે ભારતને હવે રિસર્ચ કરી શકે,આત્મનિર્ભર રીતે સાહસ કરીને પોતાની કારકિર્દી બનાવી શકે તેવી નવી પેઢીની જરુર છે.ભારતને ક્રુડ ઓઈલ પરનુ અવલંબન ઓછુ કરવુ હશે તો નવી પેઢીએ જ રિસર્ચ કરીને નવો વિકલ્પ શોધવો પડશે.ભારતમાં તમામ લોકોના ડીએનએ એક જ છે.વર્ણવ્યવસ્થા અંગે તેમજ આર્ય અને દ્રવિડ થીયરી અંગે લોકોના મગજમાં ગેરસમજ  ઉભી કરવામાં આવી છે.
તેમનુ કહેવુ હતું કે આઝાદી પછી સોવિયેત મોડેલ અપનાવીને ભારતે ભૂલ કરી હતી.જે ભુલ નરસિંહરાવે સુધારી હતી.જોકે તેના માટે મનમોહનસિંઘને વધારે અને નરસિંહરાવને સાવ ઓછી ક્રેડીટ અપાય છે.નહેરુજી કેમ્બ્રિજની પરીક્ષામાં નપાસ થયા હતા અને ડો.આંબેડકરે કોલંબીયા જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પીએચડી સુધીનો અભ્યાસ કર્યો હતો,આમ છતા આપણે નહેરુજીને પંડીતજી કહીએ છે.

ભારતને ધાર્મિક સહિષ્ણુતાની શિખામણ આપનારા
ઓબામા પહેલા પોતાની પોલીસનુ કાળા લોકો પ્રત્યેનુ વર્તન સુધારે

ભારતને ધાર્મિક સહિષ્ણુતાની શિખામણ આપતા પહેલા બરાક ઓબામાએ પોતાની પોલીસને કાળા લોકો સાથે તે જે વર્તાવ કરે છે તે સુધારવાની અને શિખામણ આપવાની જરુર છે તેમ ભાજપના આગેવાન  અને પૂર્વ કેબિનેટ મંત્રી ડો.સુબ્રમણ્યમ સ્વામીનુ કહેવુ હતુ.
અમેરિકામાં ભારતીય મૂળના લોકો ખ્રિસ્તી બનીને ચૂંટણી જીતે છે તો શું તે દબાણના કારણે ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરે છે તેની તપાસ ઓબામાએ કરાવી જોઈએ અને ભારતને ભાષણ આપવાની જરુર નથી.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment