સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 28 April 2015

આજે મધરાતથી ST કર્મચારીઓની હડતાળ ઃ ૬૬૦૦ બસનાં પૈડાં થંભી જશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

આજે મધરાતથી ST કર્મચારીઓની હડતાળ ઃ ૬૬૦૦ બસનાં પૈડાં થંભી જશે

વિવિધ બાવન માગણીઓના સંદર્ભે માસસીએલ

૨૫ લાખ મુસાફરો તકલીફમાં મૂકાશે કર્મચારીઓ સાથેની વાટાઘાટો પડી ભાંગી

અમદાવાદ,મંગળવાર
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ડ્રાઇવર-કંડક્ટર સહિતના ૪૦ હજારથી પણ વધુ કર્મચારીઓ ૨૯ એપ્રિલને બુધવારની મધ્યરાત્રિને ૧૨ વાગ્યાથી લઇને ૩૦ એપ્રિલને ગુરૃવારની મધ્યરાત્રિના ૧૨ વાગ્યા સુધી સામુહિક રીતે માસ સીએલ પર ઉતરી જવાના છે.જેના કારણે રાજ્યભરમાં ફરતી ૬,૬૦૦ જેટલી S.T બસોના પૈડા થંભી જવાના હોવાથી આ બસોમાં રોજીંદી મુસાફરી કરતા ૨૫ લાખથી પણ વધુ મુસાફરો રઝળી પડશે.રોડ સેફ્ટી બિલ નો ઉગ્ર વિરોધ તેમજ કર્મચારીઓની ૫૨ જેટલી પડતર માંગણીઓને લઇને કર્મચારીઓ લડાયક બન્યા છે.ત્યારે મંગળવારે એસ.ટી.નિગમના મેનેજમેન્ટ સાથેની કર્મચારી સંગઠનોના આગેવાનોની આ લડતને ટાળવા અંગેની બેઠક નિષ્ફળ રહેતા આ સ્થિતિ સર્જાવા પામી છે.
એસ.ટી. નિગમના ત્રણેય માન્ય કર્મચારી સંગઠનો અને નિગમના વહિવટી અધિકારીઓ વચ્ચે આજે બપોરે નરોડા ખાતે આવેલી એસ.ટી. નિગમની મધ્યસ્થ કચેરી ખાતે આ મૃદ્દે બેઠક યોજવામાં આવી હતી. જોકે પોણો કલાક સુધી ચાલેલી આ બેઠકમાં કોઇ જ નિવેળો ન આવતા કર્મચારીઓ સંગઠનોએ તેમના પૂર્વઆયોજીત સામુહિક માસ સીએલના કાર્યક્રમને વળગી રહેવાના નિર્ધાર સાથે કોઇપણ જાતના દબાણ સામે નમતું જોખવાનો ઇન્કાર કરી દેતા સ્થિતિ ગંભીર બની છે.
આ અંગે કર્મચારી સંગઠનોના આગેવાનોના જણાવ્યા મુજબ તેઓએ તેમની ૫૨ જેટલી વિવિધ પડતર માંગણીઓ ન સંતોષાવાના અને કેન્દ્ર સરકારના રોડ સેફ્ટી બિલનો વિરોધ કરવા અંગે ગત ૭ એપ્રિલે મેનેજમેન્ટને આવેદનપત્ર આપ્યું હતું.મેનેજમેન્ટ કે સરકાર આ બાબતને ગંભીરતાથી લેતી જ નથી.મામલો સામુહિક માસ સીએલનો તેમજ ૨૫ લાખ રોજીંદા મુસાફરોની મુખ્ય પરિવહન સેવા સંપૂર્ણ ખોરવાવાનો હોવા છતા છેક ૨૨ દિવસ બાદ તેઓ જાગ્યા છે.અને આજે મંગળવારે વાટાઘાટો માટે બોલાવ્યા હતા.જેમાં તેઓએ અક્કડ વલણ અપનાવતા બેઠક નિષ્ફળ રહેવા પામી હતી.
આ મામલે એસ.ટી.નિગમના સચિવ કે.ડી.દેસાઇએ જણાવ્યું હતું કે કર્મચારી સંગઠનો સાથે વાટાઘાટો ચાલુ છે.આવતીકાલે બુધવારે પણ તે યોજાશે.જો કર્મચારીઓ માસ સીએસ પર ઉતરી જશે તો મેનેજમેન્ટ શું પગલા લેશે તેના પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે એસ.ટી.ની બસ સેવાને આવશ્યક સેવા ધારા (એસ્મા) લાગુ પડતો નથી.ઔધોગિક વિવાદ ધારા ૧૯૪૭ હેઠળ જાહેર ઉપયોગી સેવામાં તેનો સમાવેશ કરાયેલો છે.કર્મચારી સંગઠનોની આ માસ સીએલની હડતાલને ગેરકાયદેસર ગણવામાં આવશે અને તેમની સામે ખાતાકીય તેમજ કાયદાકીય પગલા પણ લેવાશે.
મેનેજમેન્ટ અને કર્મચારીઓની આ લડાઇમાં એસ.ટી.બસોમાં મુસાફરી કરતા લાખો મુસાફરોએ હાલાકી ભોગવવી પડશે.ખા કરીને નોકરીત વર્ગના મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડશે.
.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment