સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 10 October 2017

શનિવારે ભાયાવદરમાં હાર્દિક પટેલનો રોડ-શો : જાહેરસભા - 'એ વિકાસ ભાગ્યો...,' વડોદરામાં આશા વર્કરોએ ધારાસભ્યને ભગાડ્યા - રાહુલના રોડ-શોમાં પાટીદાર બહુમતી વિસ્તારોમાં જનમેદની ઉમટી - આનંદીબહેન પટેલની જાહેરાત ભાજપ માટે મુસીબતનું કારણ તો નહિ બને ને? - બજારમાં થોડી ચહલ-પહલઃ વેપારીઓના મોઢા ચમકયા - લગ્નોત્સવ પુષ્કળ છે, ચૂંટણી ૧૪ ડીસેમ્બર પછી રાખજોઃ ચૂંટણી પંચને ભાજપની રજૂઆત - GSTની કમ્પોઝિશન સ્કીમમાં વધુમાં વધુ નાના કરદાતાઓને આવરી લેવાનું લક્ષ્ય - ૧૪ લાખ વેપારીઓએ હજી GST રિટર્ન્સ નથી ભર્યાઃ ભરાતા નથીઃ આજે છેલ્લો દિવસ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

'એ વિકાસ ભાગ્યો...,' વડોદરામાં આશા વર્કરોએ ધારાસભ્યને ભગાડ્યા

કલેક્ટર કચેરીએ કામ અર્થે આવેલા કરજણના ધારાસભ્યને આશા વર્કરોએ ઘેરી લીધા હતા
વડોદરાઃ સમાન વેતન સમાન કામની માંગ સાથે આંદોલન કરી રહેલી આશા વર્કરોએ આજે કલેક્ટર કચેરીમાં કામ માટે આવેલા કરજણના ધારાસભ્ય સતિષ પટેલનો ઘેરાવ કર્યો હતો. ભારે સૂત્રોચ્ચાર સાથે ઘેરાવો કરતાં ધારાસભ્યને ભાગવાનો વારો આવ્યો હતો. ધારાસભ્ય નાસી છૂટતા આશા વર્કરોએ 'વિકાસ ભાગ્યો...'તેવા સૂત્રોચ્ચારો કરી કલેક્ટર કચેરી ગજવી દીધી હતી.
25 દિવસથી ચાલી રહ્યું છે આશાવર્કરોનું આંદોલન
સમાન વેતન સમાન હક, લઘુત્તમ વેતન આપો, ફિક્સ પગાર પ્રથા બંધ કરો જેવી વિવિધ માંગણીઓ સાથે આશા વર્કરો કલેક્ટર કચેરીમાં પ્રતિક અને આમરણાંત ઉપવાસ કરી રહી છે. વિવિધ કાર્યક્રમો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે છેલ્લા 25 દિવસથી આંદોલન ચલાવી રહેલી આશા વર્કરોએ હવે ભાજપાના હોદ્દેદારોનો ઘેરાવ શરૂ કર્યો છે. આજે કરજણના ભાજપાના ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા) કલેક્ટર કચેરીમાં કામ માટે આવ્યા હતા. કલેક્ટર કચેરીની બહાર પોતાની કાર પાર્ક કરીને કલેક્ટર કચેરીમાં આવી રહ્યા હતા.
'વિકાસ ભાગ્યો...'તેવા સૂત્રોચ્ચાર કર્યા
આશા વર્કરોએ એમ.એલ.એ.નો ઘેરાવો કરી સૂત્રોચ્ચારો શરૂ કરી દીધા હતા. હાય રે ભાજપા હાય..હાય.., હાય રે વિકાસ હાય..હાય..જેવા સૂત્રોચ્ચાર કરતા ભાજપા એમ.એલ.એ.ને ઉલટા પગે ભાગી જવાનો વખત આવ્યો હતો. એમ.એલ.એ. સતિષ પટેલ (નિશાળીયા) આશા વર્કરોની રજૂઆત સાંભળ્યા વિના ચાલ્યા જતા આશા વર્કરોએ વિકાસ ભાગ્યો..વિકાસ ભાગ્યો..તેવા સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરીને ગજવી દીધી હતી.
રાહુલ ગાંધીની કાર્યકરો સાથેની બેઠકમાં મુદ્દો ચર્ચાયો
આશા વર્કરોએ એમ.એલ.એ.નો ઘેરાવ કરતા શહેર ભાજપામાં ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ આજે કરજણ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર્યકરો સાથેની બેઠકમાં પણ કરજણના એમ.એલ.એ.ના ઘેરાવની ચર્ચા કેન્દ્ર સ્થાને રહી હતી. નોંધનીય છે કે, આશા વર્કરો સમાન વેતન સમાન હકની માંગ સાથે છેલ્લા 25 દિવસથી આંદોલન ચલાવી રહી છે, પરંતુ, સરકાર દ્વારા તેઓનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી આશા વર્કરોએ કલેક્ટર કચેરીમાં ભાજપાના જે હોદ્દેદારો આવે તેનો ઘેરાવ કરવાની શરૂઆત કરી છે. સોમવારે જિલ્લાના એક સરપંચનો ઘેરાવ કર્યો હતો. તે બાદ આજે કરજણના ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા)નો ઘેરાવ કરતા ભાજપા હોદ્દેદારોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. 

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-c-35-asha-workers-corned-to-bjp-mla-in-vadodara-collector-office-NOR.html?ref=ht

રાહુલના રોડ-શોમાં પાટીદાર બહુમતી વિસ્તારોમાં જનમેદની ઉમટી
ભાજપના ગઢ ગણાતા ખેડા-આણંદ-વડોદરા સહિતના શહેરોમાં
રાહુલના રોડ-શોમાં પાટીદાર બહુમતી વિસ્તારોમાં જનમેદની ઉમટી

   અમદાવાદ : ધારાસભા ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારી છે ત્યારે મિશન ગુજરાતના ભાગરૂપે બીજી વાર ગુજરાત આવેલ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ઉત્તર ગુજરાતના પાટીદાર બહુમતીવાળા વિસ્તારોમાં રોડ-શોને પ્રચંડ લોક સર્મથન મળ્યુ હતું.
   રાહુલના રોડ - શો દરમિયાન તેમની બસની આસપાસ તથા આજુબાજુના ઘરો ઉપર લોકો રાહુલને જોવા ઉમટી પડ્યા હતા. રાહુલ ગાંધી ગઈકાલે સવારે અમદાવાદ પહોંચેલ અને ત્યાંથી હાથીજણ સર્કલથી મિશન ગુજરાતના બીજા ચરણનો પ્રારંભ કરાવેલ. અહીંથી તેમનો કાફલો ખેડા જીલ્લાના ખાત્રજ ચોકડી પહોંચ્યો. જયાંથી નડીયાદ પહુંચી સંતરામ મંદિર તથા સરદાર પટેલના જન્મસ્થળે ગયેલ. ત્યારબાદ આણંદ થઈ વડોદરા ખાતે પહેલા દિવસનો પ્રચાર પૂર્ણ કરેલ. રાહુલ ગાંધીએ વેપારીઓ સાથે બેઠક પણ કરી હતી.
   વડોદરા પહોંચતાની સાથે રાહુલ ગાંધીના રોડ-શોનું પાટીદારો દ્વારા સૂત્રો લખેલી ટોપી પહેરાવી ઉષ્માભર્યુ સ્વાગત કરાયુ હતું. જોવાની વાત એ છે કે ખેડા તથા આણંદની ૧૩ ધારાસભા બેઠકોમાંથી કોંગ્રેસે ૮ બેઠકો જીતી હતી.

Source :-http://www.akilanews.com/10102017/gujarat-news/1507620801-64513


આનંદીબહેન પટેલની જાહેરાત ભાજપ માટે મુસીબતનું કારણ તો નહિ બને ને?
છેલ્લી ઘડીએ પાટીદાર સમાજને મનાવવા પ્રયાસ છતાં ગુજરાતનું વ્હેણ ભાજપ તરફી બનતું નથી એવા સમયે બહેનના પત્રથી કફોડી સ્થિતિ
આનંદીબહેન પટેલની જાહેરાત ભાજપ માટે મુસીબતનું કારણ તો નહિ બને ને?
   નવી દિલ્હી તા. ૧૦ : આનંદીબહેન પટેલે પત્ર લખી રાજકીય દ્રષ્ટીએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે તેમ રાજકીય પંડિતો માની રહ્યા છે. ગયા વર્ષે ૭૫મા વર્ષની ઉજવણી મુખ્યપ્રધાન પદેથી કરે એ પહેલા રાજકીય પરિસ્થિતિને લીધે આનંદીબહેનનો રાજીનામાનો પત્ર ફેસબુક પર મુકાયો હતો.
   એ વખતે એવું કારણ આગળ કરાયું હતું કે, પક્ષમાં ૭૫ વર્ષના સિનિયરોએ પદ કે હોદ્દા પર રહેવું જોઇએ નહીં. આ નિયમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી અમિતભાઇ શાહના કાર્યકાળથી લાગુ થતાં અનેક સિનિયર નેતાઓ હાંસિયામાં ધકેલાઇ ગયા છે. બહેને આ જ વણલખ્યા નિયમને આગળ ધર્યું છે.
   વિધાનસભાના અંતિમ સંબોધનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આગામી ચૂંટણી ઓબીસી કેન્દ્રિત જ લડાશે એવી દિશા સ્પષ્ટ કરી હતી. ઓબીસી, એસટી, એસસી એકતા મંચના કન્વીનર અલ્પેશ ઠાકોરે જેટલા સામાજિક આંદોલન છેડ્યા એનો ભાજપની સરકારે તાબડતોબ ઉકેલ લાવી દીધો હતો, તેના લીધે સામાન્ય કાર્યકરોમાં એક છાપ ઊભી થઇ છે કે અલ્પેશ ઠાકોર ચૂંટણી ટાણે ભાજપ સાથે જોડાઇ શકે છે.
   જયારે પાટીદાર સમાજને અનામત મળવી જોઇએ એવી માગણી સાથે આંદોલન કરી રહેલા હાર્દિક પટેલ સામે ફરીથી કેસ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેની માગણીઓના ઉકેલની દિશામાં કોઇ પહેલ થતી નહતી અથવા તો જાણી જોઇને વિલંબ થઇ રહ્યો હતો. ચૂંટણી માટે વાતાવરણ ઊભું કરવા મથી રહેલા ભાજપને ગુજરાતનું વ્હેણ પોતાના તરફ બનતું નથી એવું જણાતા સાવ છેલ્લી દ્યડીએ પાટીદાર સમાજના આગેવાનો, આંદોલનકારો સાથે બેઠક યોજી ચારેય માગણીઓને શીરાની જેમ સરકારે ગળે ઉતારી લીધી.!
   આમ છતાં આજેય હાર્દિકની સભાઓની મેદની ભાજપના નેતાઓની ઉંદ્ય હરામ કરી રહી છે. આનંદીબહેનના પગલાથી પાટીદાર સમાજમાં અનેક પ્રકારના અર્થદ્યટનો સાથેના સંદેશા વહેતા થયા છે. આ સમયે જ એમણે ચૂંટણીની અનિચ્છા જાહેર કરી પોતાના હથિયાર હેઠાં મુકયા છે કે છુપુ હથિયાર ઉગામ્યું છે એ તો આવનારો સમય જ કહેશે પણ હાલ તો ભાજપની સ્થિતિ વધારે કફોડી બની રહેશે એ સ્પષ્ટ છે. નિષ્ણાતો માને છે કે બહેનના આ પગલાંથી સામાજિક આંદોલનોના પડકારોથી દ્યેરાયેલા ભાજપને આ એક નવો પડકારનો સામનો કરવો પડશે. એમનું માનવું એવું પણ છે કે માની લો કે બહેન ચૂંટણીમાં ઊભા રહે અને જીતી જાય, તો પછી એમને કોઇ પદ ઓફર કરવું હોય તો ફરીથી ૭૫મા વર્ષનો જ મુદ્દો આવીને ઊભો રહે.
   જોકે, આનંદીબહેનના કેટલાક સમર્થકો એવું માને છે કે ગયા વર્ષે બહેન ગુજરાતને ઠીક કરવા મથી રહ્યા હતા ત્યારે એમને રાજીનામું આપવાની ફરજ પડાઇ હતી. હવે ભાજપના રણનીતિકારો ગુજરાતની સ્થિતિને કાબૂમાં લેવા મથી રહ્યા છે ત્યારે બહેને પોતાના હથિયારનો ઉપયોગ કર્યો છે. કે, તમે બધુ ઠીક કરી શકો છો તો કરી લો !
   જે પણ હોય તે પણ કેશુભાઇ પટેલ પછી ભાજપ પાસે મજબૂત બહેનના સ્વરૂપે એક પાટીદાર ચહેરો હતો એ હવે આગામી ચૂંટણીમાં નહીં હોય તેવું અત્યારે દેખાઇ રહ્યું છે.
   આનંદીબેન પટેલે લખેલ પત્ર વાયરલ થયો છે. કોના તરફથી તે વાયરલ કરાયો તે હજુ જાહેર થયું નથી પણ ૪થીએ લખાયેલો પત્ર ૯મીએ જાહેર કરાયો છે ત્યારે તેનાથી મળતા સંકેતોએ રાજકીય ખળભળાટ મચાવી મૂકયો છે. સૂત્રોની માહિતી એવી છે કે, બેને ઘાટલોડિયાને બદલે અન્ય કમજોર બેઠક પરથી ચૂંટણી લડીને અન્ય બેઠકોને પણ બચાવવાની કોશીશ કરવી જોઈએ, એવો એક મત પક્ષની બંધબારણાની બેઠકમાં વ્યકત કરાયો હતો. જયારે બેન તેમની ઘાટલોડિયાની બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા. તેમના નામ માટે ઘાટલોડિયામાંથી સિંગલ નામની રજૂઆત પણ થઈ હતી. હવે, જયારે તેમને અન્ય બેઠકનું સૂચવાતા તેઓ નારાજ થયા હતા એટલે તેમને સમજાવી લેવાના પ્રયત્નો કરાયા હતા પરંતુ બેને ૪થીએ પક્ષ પ્રમુખને પત્ર લખીને પોતે ચૂંટણી લડવા માંગતા નથી એમ જણાવી દીધું હતું. દબાતા અવાજે કેટલાક એમ પણ કહે છે કે, પક્ષના સૂચનને અવગણીને બેન ઘાટલોડિયાથી ચૂંટણી મેદાનમાં ઉતરે તો તેમની સામે પક્ષમાંથી અન્ય વિરોધ જૂથ દ્વારા તેમનું જીતવું મુશ્કેલ કરાય, તેવી શકયતા સામે આવી હતી.

Source :-http://www.akilanews.com/10102017/main-news/1507615161-115683

બજારમાં થોડી ચહલ-પહલઃ વેપારીઓના મોઢા ચમકયા
દિવાળીના સમયે જોવા મળતી ઘરાકી આ વર્ષે જોવા મળતી નથીઃ છેલ્લા બે દિવસમાં થોડી ઘરાકી દેખાતા ધંધો વધવાની વેપારીઓમાં: નોટબંધી બાદ GSTના મારને લઇને લોકોની ખરીદ શકિતમાં થોડો ઘટાડો વર્તાય છે

   અમદાવાદ તા. ૧૦ : હાલ તો દિવાળી નજીક આવી ત્યાં સુધી બજારો ઠંડા જોવા મળ્યા હતા. જો કે રવિવાર અને સોમવારે બજારમાં થોડો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો દિવાળીની ખરીદી કરવા નીકળ્યા હતા. હતાશ વેપારીઓને આ ઘરાકીથી રાહત થઇ હતી. હજુ આવતા અઠવાડિયામાં ઘરાકી વધશે તેવી આશા વેપારીઓ જોઇ રહ્યા છે.
   કોઈ પણ ધંધા સાથે સંકળાયેલા વેપારીઓની એક જ ફરિયાદ છે કે દિવાળીમાં વાત કરવાનો પણ સમય નહોતો મળતો. જયારે હાલ સામી દિવાળીએ ગ્રાહકોની રાહ જોતા નવરા બેસી રહ્યા છીએ. કોઇ જ વેપાર ધંધો નથી. જોકે રવિવાર તથા આજના સોમવારે થોડીક ઘરાકી દેખાઇ હોવાનું વેપારીઓ કહી રહ્યા છે.
   જાણકારોના મતે ગયા વર્ષે નોટબંધીને લઇને લોકોના પૈસા બેંકમાં જમા થઇ ગયા. ત્યાર બાદ તમામ આર્થિક વ્યવહારો ઉપર સરકારની વોચ વધી ગઇ. આટલું ઓછું હતું તેમ GST અમલમાં આવી જતાં વેપારીઓની મુશ્કેલી વધી ગઇ છે. સરકારે GSTનો અમલ પૂરતો અભ્યાસ કર્યા વગર જ કરી દેતાં તમામ ધંધા મંદા થઇ ગયા છે. વેપારીઓની સ્થિતિ દયનીય બની ગઇ છે. પરંતુ કેન્દ્ર સરકારે આપેલી જીએસટીની રાહતો બાદ વેપારીઓના મો પર ફરી નૂર જોવા મળ્યું છે.
   ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતા અમદાવાદ શહેરના કાપડના વેપારીઓની દિવાળી તો જોરદાર જ હોય. જોકે GSTના અમલ અને GST વગર ધંધો જ નહિ કરી શકાતો હોવાથી નાના વેપારીઓ ત્રાસી ગયા છે. મોટા વેપારીઓ પણ દર મહિને રીટર્ન અને સ્ટોકની વિગતો અપડેટ કરવામાંજ વ્યસ્ત છે. માલ આવતો ન હોવાથી અને બજારમાં ગ્રાહકો જ ન હોવાથી અમદાવાદના કાપડ બજારો સુમસામ છે.
   ઇલેકટોનિકસ બજારમાં તો દિવાળી ટાણે રીતસરના ટોળા જોવા મળતા હતા. તેના બદલે અમદાવાદના રીલીફરોડ અને ગાંધીરોડ પરના ઇલેકટોનિકસ બજારમાં ગ્રાહકો જોવા મળતા જ નથી.
   ગ્રેનાઇટ અને માર્બલ બજારમાં પણ ઞ્લ્વ્દ્ગક્ન મારને લઇને ભારે મંદી જોવા મળી રહી છે. ગ્રેનાઇટ અને માર્બલ પર વસુલાતો ૨૮ ટકા ઞ્લ્વ્ ગ્રાહકોને મોંઘો પડી રહ્યો છે. હોમ એપ્લાઇન્સિસની વસ્તુઓ તો દિવાળીમાં જેટલો સ્ટોક હોય તેટલો ખપી જતો હતો. કેમકે સામાન્ય પરિવારો પણ વર્ષો જુના ફ્રીજ કે ટીવી અથવા વોશિંગ મશીન કાઢીને નવું વસાવવાનું પ્લાનિંગ કરતા હોય છે. તેમાંય દિવાળી ધમાકાના નામે આવતી એકસચેન્જ ઓફરના લાભ લેવા માટે લોકો પડા પડી કરતા હતા. તેને બદલે ચાલુ વર્ષે લોકોની ચલાવી લેવાની વૃત્ત્િ। જોવા મળી રહી છે. લોકો આવી વસ્તુઓ આવતા વર્ષે ખરીદીશું તેમ કહી તે ખરીદવાનું ટાળી રહ્યા છે. સ્વજનોને ગિફ્ટ આપવા માટે પણ એપ્લાઇન્સિસની ખરીદી થતી હતી તે તો સંપૂર્ણ બંધ થઇ ગઇ છે. વર્ષોથી દશેરના દિવસે શહેરમાં સંખ્યાબંધ નવી કન્સ્ટ્રકશન સાઇટના પાયા ખોદાતા હતા. ચાલુ વર્ષ તેની પણ જાહેરાતો ઘણી ઓછી જોવા મળી રહી છે.
   સોની બજાર હોય કે ફર્નિચર બજાર હોય કાપડ બજાર કે રેડીમેડ કપડાના બજાર હોય, તમામ વેપાર ધંધામાં દિવાળી ટાણે જોવા મળતી ઘરાકી ખોટ જોવા મળી રહી છે. સામાન્ય લોકો પાસેની રોકડ રૂપિયાનું પ્રમાણ ઘટી જતાં તેમની ખરીદ શકિત પણ ઘટી ગઇ છે. દર દિવાળીએ જે રીતે ખરીદી થતી હતી. તેમાં ચોક્કસ કાપ આવ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. દિવાળીના નવા દિવસોમાં રોજે રોજ નવા કપડાં પહેવાર માટે લોકો બે-ત્રણ જોડી નવા કપડાં ખરીદતા હતા. તેના બદલે હવે એકાદ જોડીથી લોકો ચલાવતા થઇ ગયા છે.
   ખરીદી ઘટવા પાછળના કારણે અંગે જાણકારોનું કહેવું છે કે નોટબંધી વખતે લોકોએ પોતાની પાસેની રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની તમામ નોટો બેંકમાં જમા કરી દેવી પડી છે. ત્યારબાદ લોકોના તમામ અર્થિક વ્યવહારો પર સરકારની વોચ થઇ ગઇ છે. માટે લોકો જરૂર મુજબની જ ખરીદી કરતા થઇ ગયા છે.નોટબંધી બાદ ઞ્લ્વ્દ્ગટ અમલ શરૂ થતાં જે લોકો થોડું ઘણું સોનું કે એકાદ દાગીનો ખરીદવાનું પ્લાનિંગ કરતા હતા, તેઓ રૂપિયા ૫૦ હજારથી વધુની ખરીદી માટે પાનકાર્ડ ફરજીયાત બનાવાતાં ખરીદી કરવાનું ટાળતા થઇ ગયા હતા, જેને પગલે સોની બજારમાં નાના ખરીદદારો નજરે પડતાં બંધ થઇ ગયા છે. જો કે હવે પાનકાર્ડ માટે લિમિટ બે લાખ કરાઈ છે ત્યારે સોની બજારમાં પણ ઘરાકી વધવાની આશા જાગી છે.

Source :-http://www.akilanews.com/10102017/gujarat-news/1507611279-64510

લગ્નોત્સવ પુષ્કળ છે, ચૂંટણી ૧૪ ડીસેમ્બર પછી રાખજોઃ ચૂંટણી પંચને ભાજપની રજૂઆત
લગ્નોત્સવ પુષ્કળ છે, ચૂંટણી ૧૪ ડીસેમ્બર પછી રાખજોઃ ચૂંટણી પંચને ભાજપની રજૂઆત

   રાજકોટ, તા. ૧૦ :. ગુજરાતમાં નવેમ્બર ઉતરાર્ધમાં અને ડીસેમ્બર પ્રારંભે લગ્નોત્સવની મોસમ હોવાથી ધારાસભાની ચૂંટણી ૧૪ ડીસેમ્બર પછી યોજવા ભાજપના પ્રતિનિધિ મંડળે ગઈકાલે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે. ૨૧ જાન્યુઆરી પહેલા નવી સરકારની રચના થઈ જવી જરૂરી છે. જો ચૂંટણી પંચ ભાજપની રજૂઆત માન્ય રાખે તો ૧૪ ડીસેમ્બરથી ૧૪ જાન્યુઆરી વચ્ચે મતદાન થવાની સંભાવના છે.
   ભાજપના આગેવાનો કૌશિક પટેલ, પરિન્દુ ભગત, પ્રફુલ બારોટ વગેરેએ ગઈકાલે ચૂંટણી પંચને રજૂઆત કરેલ કે, ૬-૧૦ અને ૧૪ ડીસેમ્બરે પુષ્કળ લગ્નો છે. ૧૪ ડીસેમ્બર બાદ કમુહુર્તાને કારણે લગ્નોત્સવને બ્રેક લાગે છે તેથી ચૂંટણી ૧૪ ડીસેમ્બર પછી યોજવી જોઈએ.
   ભાજપ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને અન્ય કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા છે.(૨-૧૦)

Source :-http://www.akilanews.com/10102017/gujarat-news/1507616479-64511

GSTની કમ્પોઝિશન સ્કીમમાં વધુમાં વધુ નાના કરદાતાઓને આવરી લેવાનું લક્ષ્ય
ત્રીજા કવાર્ટરથી સુધારાની આશાઃ પોઝિટિવ અસર શરૂ થશે એમ મનાય છે
   નવી દિલ્હી તા.૧૦: GSTના અમલના ૧૦૦ દિવસ પુરા થયા છે અને લોકોની મુંઝવણ તેમ જ વિરોધ કે ફરિયાદને દૂર કરવા માટે સરકાર સક્રિય બની છે કે સરકારને આ ફરજ પડી છે, જે હોય તે પણ સરકાર હવે પછી GSTને વધુ ને વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરશે એ નિશ્વિત જણાય છે. સરકાર વધુમાં વધુ પ્રમાણમાં નાના વેપારી એકમોને આ નવા કરમાળખા હેઠળ કવર કરવાના લક્ષ્ય સાથે કમ્પોઝિટ સ્કીમમાં દાખલ થવાની સ્કીમ ૨૦૧૮ની ૩૧ માર્ચ સુધી લંબાવી રહી છે. આ માહિતી રેવન્યુ-સેક્રેટરી હસમુખ અઢિયાએ તાજેતરમાં જણાવી હતી. એ ઉપરાંત સરકારે આસામના ફાઇનેન્સ મિનિસ્ટર હિમાંતા બિસ્વા સર્માના નેતૃત્વ હેઠળ એક ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની રચના કરી છે, જે કમ્પોઝિટ સ્કીમની સમીક્ષા કરશે અને રેસ્ટોરાં પરના ટેકસને પણ રિવ્યુ કરશે.
   જ્યાં સુધી નિકાસકારોનો સવાલ છે ત્યાં સુધી સરકાર આ વર્ગના રીફન્ડ ઇશ્યુ કરવાનું કાર્ય નવેમ્બરના અંત સુધીમાં પુરૃં કરી દેશે. જોકે પછીના ૬ મહિના નિકાસકારોને GST ભરવાનો રહેશે નહીં.
   GST અમલના ત્રણ મહિના પૂરા  થાય છે ત્યારે ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગુડ્સ (FMCG) સેકટરની કંપનીઓ વર્ષના ત્રીજા કવોર્ટરમાં પૂર્ણ રિકવરીની આશા વ્યકત કરી રહી છે.(૧.૫)

Source :-http://www.akilanews.com/10102017/main-news/1507614951-115678

૧૪ લાખ વેપારીઓએ હજી GST રિટર્ન્સ નથી ભર્યાઃ ભરાતા નથીઃ આજે છેલ્લો દિવસ
   નવી દિલ્હી તા.૧૦: સરકારે ૧૪ લાખ વેપારી-પેઢીઓને જુલાઇ મહિનાનાં ફાઇનલ GST રિટર્ન્સ ભરવા કહ્યું છે. રિટર્ન ફાઇલ કરવાની ૧૦ ઓકટોબરની તારીખ વધુ લંબાવવામાં નહી આવે. ગઇ કાલે સાંજે ૭ વાગ્યા સુધી ૫૩ લાખ પૈકી ૩૯ લાખ વેપારી-પેઢીઓઓએ GSTR-1 અથવા સેલ્સ રિટર્ન્સ ભર્યા હતા.
   GST નેટવર્ક દ્વારા જે વેપારી-પેઢીઓએ GSTR-1 ન ભર્યા હોય એમને બે વખત SMS અને ઇ-મેઇલ મોકલવામાં આવ્યાં હતા. સરકારે GSTR-1 ભરવાની ડેડલાઇન બે મહિના લંબાવી હતી.
   ગઇ કાલે ફાઇનેન્સ મિનિસ્ટ્રીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યંુ હતું કે 'ટેકસપેયરને જુલાઇ મહિનાનું GSTR-1 ભરવા માટે કોઇ એકસ્ટેન્શન આપવામાં નહી આવે જેમણેે હજી સુધી GSTR-1 ન ભર્યુ હોય એમને તરત ભરવાની સલાહ આપવામાં આવે છે. સરકારે જુલાઇ મહિનામાં GST ને કારણે ૯૫,૦૦૦ કરોડ રૂપિયા મેળવ્યા હતા.(૧.૨)

Source :- http://www.akilanews.com/10102017/main-news/1507615235-115685

શનિવારે ભાયાવદરમાં હાર્દિક પટેલનો રોડ-શો : જાહેરસભા

પાટીદાર આગેવાનો-કાર્યકરોની ઉપસ્થિતિ
શનિવારે ભાયાવદરમાં હાર્દિક પટેલનો રોડ-શો : જાહેરસભા
      ભાયાવદર, તા. ૧૦ : વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિએ પણ સરકાર સામે ટક્કર લેવા માટે સક્રિય થઇને એક પછી એક કાર્યક્રમો આપી રહેલ છે.
      તા. ૧૪ ને શનિવારે ભાયાવદરમાં હાર્દિક પટેલનું આગમન થઇ રહેલ હોય અત્યારથી જ ઉત્સવ જેવું વાતાવરણ લાગી રહેલ છે અને આ અંગે રોડ શો તથા સંકલ્પ સભાની તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે. આ અંગે એક અગત્યની મીટીંગ ભાયાવદર પાસના અગ્રણી તેમજ જીલ્લા કન્વીનર નયનભાઇ જીવાણી, પાટીદાર સોશ્યલ ગ્રુપના પ્રમુખશ્રી વલ્લભભાઇ માકડીયા સહિતના ભાઇઓ-બહેનોની ઉપસ્થિતિમાં મળેલ હતી.
      હાર્દિક પટેલ બપોરે ર વાગ્યે ભાયાવદર આવશે. સ્વાગત બાદ બપોરે ૩ થી પ સુધી ભવ્ય રોડ શો યોજાશે. ત્યારબાદ પડવલા રોડ પર આવેલ પટેલનગરમાં સંકલ્પ સભા યોજાયેલ છે. તેમજ પાસના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરશે.
      રોડ શો તેમજ સંકલ્પ સભામાં ભાયાવદર, ઉપલેટા, અરણી, ખીરસરા, વડાળી, સાજડિયાળી, જામટીંબડી, મોટી પાનેલી, કોલકી, સુપેડી, જામજોધપુર વિગેરે ગામોમાંથી પાટીદાર સમાજના ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં આવનાર છે.

Source :- http://www.akilanews.com/10102017/main-news/1507615235-115685

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App






 CLICK HERE TO DOWNLOAD







Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment