સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 3 October 2017

ચૂંટણી ટાણે બોર્ડ-નિગમો અને વિદ્યા સહાયકોને સરકારની 'બોનાન્ઝા ગિફ્ટ' - સુરતમાં BJPની ગૌરવયાત્રા વિરૂદ્ધ બેનરઃ એને કૌરવયાત્રા ગણાવી - 'વિકાસને ડાહ્યો કરવા' ગુજરાતમાં શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓની ફોજ મેદાને - ગજવા હળવા કરજો... દિવાળીએ મીઠાઇ - ફરસાણ મોંઘા થશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

ચૂંટણી ટાણે બોર્ડ-નિગમો અને વિદ્યા સહાયકોને સરકારની 'બોનાન્ઝા ગિફ્ટ'

આ નિર્ણયને લીધે રાજ્ય સરકાર પર વાર્ષિક 10.06 કરોડનો બોજ પડશે 
અમદાવાદ: ચૂંટણી નજીક આવતાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અનુદાનિત 16 બોર્ડ-નિગમોને સાતમાં પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. જેનો લાભ બોર્ડ-નિગમના 1710 કર્મચારીઓને મળશે. જ્યારે આ નિર્ણયને લીધે સરકાર પર વાર્ષિક 10.06 કરોડનો બોજ પડશે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. બીજુ બાજુ સરકાર દ્વારા 100% ગ્રાન્ટ મેળવતી ખાનગી પ્રાથમિક શાળાઓના વિદ્યા સહાયકનો પગાર 19,950 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
1લી ઓક્ટોબર, 2017થી લાભ આપવામાં આવશે
નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સાતમાં પગાર પંચનો નિર્ણય લેતાં ગુજરાત સરકારે પહેલ કરી અધિકારીઓને આ લાભો આપ્યા હતા. જે બાદ બોર્ડ-નિગમને પણ સાતમા પગાર પંચના લાભો પૂરા પાડવાનો વધુ એક કર્મચારીલક્ષી નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં ઘણા નિર્ણયો લીધા છે ત્યારે બોર્ડ-નિગમના કર્મચારીઓ દ્વારા રજુઆતો કરતાં સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડ-નિગમોને સાતમા પગાર પંચનો લાભ 1લી ઓક્ટોબર, 2017થી આપવામાં આવશે. ખાસ કરીને ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના નિવૃત્ત કર્મચારીઓને પેન્શનના લાભો પણ આપવામાં આવતાં હોય છે, તેવા 217 કર્મચારીઓને પેન્શન સુધારણાના લાભો મળશે.
557 વિદ્યા સહાયકોને ચૂકવાશે રૂ. 19,950 પગાર
રાજ્ય સરકાર દ્વારા વિદ્યા સહાયકોના હિતમાં પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની 100% ગ્રાન્ટ મેળવતી ખાનગી પ્રાથમિક શાળાઓના વિદ્યા સહાયકોના પગારમાં પણ નોંધપાત્ર વધારો કરીને 11,500ના બદલે 19,950 માસિક વેતન ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 33 જિલ્લાઓની ખાનગી પ્રાથમિક શાળાઓમાં 557 જેટલા વિદ્યા સહાયકો ફરજ બજાવે છે, જેમને સીધી રીતે સરકારના આ નિર્ણયનો લાભ મળશે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-gujarat-government-announce-to-give-benefit-of-7-pay-scale-to-board-nigam-officers-NOR.html?ref=ht&seq=1

'વિકાસને ડાહ્યો કરવા' ગુજરાતમાં શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓની ફોજ મેદાને

સોશિયલ નેટવર્કિંગની ઝુંબેશને કારણે ભાજપના પ્રદેશ નેતાઓથી માંડીને હાઇકમાન્ડ સુધી તેની ગંભીર નોંધ લેવાઇ
 અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ વિકાસ ગાંડો થયો છેના નામે સોશિયલ નેટવર્કિંગમાં શરૂ થયેલા સત્તા વિરોધી જુવાળને ખાળવા માટે ગુજરાત ભાજપના નેતાઓ ઊંણા ઉતરતા ભાજપે રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓની ફોજ ગુજરાતમાં ઉતારવાની ફરજ પડી છે. વિકાસ ગાંડો થયો છેના નામે શરૂ થયેલી આ ઝુંબેશને બંધ કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડીને કેન્દ્રીય નેતાઓ દર બે દિવસે ગુજરાત આવીને સરકારની યોજનાઓ અને નીતિઓનો પ્રચાર કરી રહ્યાં છે તેમ છતાં હજુ સુધી ભાજપ વિરોધી વાતાવરણને પલટી શકયા નથી.
કેન્દ્રીય મંત્રીઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે
છેલ્લા એકાદ મહિનાથી ગુજરાતની રૂપાણી સરકાર સામે વિરોધનું વાતાવરણ શરૂ થયું હતું. જેમાં વિકાસ ગાંડો થયો છેના નામે સરકાર સામે શરૂ થયેલી સોશિયલ નેટવર્કિંગની ઝુંબેશને કારણે ભાજપના પ્રદેશ નેતાઓથી માંડીને હાઇકમાન્ડ સુધી તેની ગંભીર નોંધ લેવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી એકદમ નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતમાં ભાજપના 22 વર્ષના સાશનમાં પ્રથમ વખત સત્તા વિરોધી પ્રજાનો રોષ જોઇને ચોંકી ઉઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અલગ પ્રકારની રણનીતિ ઘડી હતી. જેમાં કેન્દ્રના મંત્રીઓને ગુજરાતના પ્રવાસે મોકલી ગુજરાત સરકારના બદલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કરેલી કામગીરીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 
પ્રચાર માટે કેન્દ્રીય મંત્રીઓની ફોજ મેદાને
ગુજરાતમાં રૂપાણી સરકાર સામે પાટીદાર અને ઠાકોર સમાજ આંદોલન કરી રહ્યો છે. તો ખેડૂતો અને યુવાનો પણ સરકારની વિરુદ્ધમાં પ્રચાર કરી રહ્યાં છે. ગુજરાતની પ્રજાનો આ વિરોધ જોઇને છેલ્લા એક મહિનામાં કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારામન, અરૂણ જેટલી, ધર્મેન્દ્ર પ્રધાન, પિયુષ ગોયલ, સ્મૃતિ ઇરાની, સુસ્માન સ્વરાજ સહિતના નેતાઓ ગુજરાત આવીને કેન્દ્ર સરકારની કામગીરી અને નરેન્દ્ર મોદી ગુજરાતના હોવાથી મોદીના નામે પ્રચાર કરી રહ્યાં છે. 
ભાજપના વિવિધ કાર્યક્રમો ફ્લોપ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છેલ્લા 20 દિવસમાં ત્રણ કરતાં પણ વધુ વખત ગુજરાત આવીને વિવિધ કાર્યક્રમો કરી રહ્યાં છે. જેમાં યુવાનોને આકર્ષવા માટે સંવાદનો કાર્યક્રમ કર્યો હતો. તે પછી પણ પ્રજા ભાજપ સાથે ન હોવાનો અહેસાસ થતાં અમિત શાહે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે બેસીને પક્ષના વિવિધ સેલ મોરચાઓના આગેવાનો સાથે બેઠકો કરીને કેન્દ્ર અને ગુજરાત સરકારની કામગીરીને ઘર ઘર સુધી પહોંચાડવા આદેશો કર્યા હતા. ગુજરાત ભાજપ દ્વારા હાલ ગૌરવ યાત્રા અને વિસ્તારક યોજના ચાલી રહી છે. પરંતુ તેને પણ પ્રજાનો પૂરતો પ્રતિસાદ મળતો નથી. અગાઉ નર્મદા રથ કાઢવામાં આવ્યો હતો. તેમાં પણ પ્રજાનો સહકાર મળ્યો ન હતો. આ બધી બાબતોને હાઇકમાન્ડે ગંભીરતાથી લઇને ગુજરાત ભાજપના નેતાઓના બદલે કેન્દ્રીય મંત્રીઓના સહારે પ્રચાર કરવાનો પ્રારંભ કર્યો છે. તાજેતરમાં જ ભાજપે ગૌરવ યાત્રા અંગેની એક પત્રકાર પરિષદ કરી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રીને હાજર રાખવાને બદલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા આ યાત્રાની જાહેરાત કરવામાં આવી હતી. 

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-gujarat-election-2017-amit-shah-and-bjp-central-ministers-visit-in-gujarat-NOR.html?ref=ht

 સુરતમાં BJPની ગૌરવયાત્રા વિરૂદ્ધ બેનરઃ એને કૌરવયાત્રા ગણાવી

સુરતમાં BJPની ગૌરવયાત્રા વિરૂદ્ધ બેનરઃ એને કૌરવયાત્રા ગણાવી
   કોણે લગાડ્યાં હશે?: સુરત અને આસપાસના વિસ્તારોમાં BJPની ગૌરવયાત્રા સામે લાગેલાં બેનરો.
   સુરત તા.૩: BJP દ્વારા ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી ગૌરયાત્રાનો વિરોધ અત્યારથી જ સુરત અને દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં શરૂ થઇ ગયો છે અને આ ગૌરવયાત્રા વિરૂદ્ધ પોસ્ટર લાગી ગયા છે, જેમાં આ ગૌરવયાત્રાને કૌરવયાત્રા ગણાવવામાં આવી છે તો સાથોસાથ વિકાસને વિકાર ગણાવવામાં આવ્યો છે. સુરતના કાપોદ્રા, પૂર્ણા પાટિયા, વરાછા જેવા વિસ્તારોમાં આ પોસ્ટર લાગ્યાં છે તો નવસારી અને કડોદરા ગામોમાં પણ આ પોસ્ટર લાગી ગયાં છે જેને લીધે BJP સ્વાભાવિક રીતે ટેન્શનમાં આવી ગઇ છે.
   કૌરવયાત્રા ગણાવવામાં આવેલા આ બેનરમાં BJPને જાતજાતના સવાલો પૂછવામાં આવ્યા છે તો મોંઘવારી અને પાટીદારો પર થયેલા ગોળીબાર વિશે પણ સવાલ પૂછવામાં આવ્યા છે.

Source :-http://www.akilanews.com/03102017/gujarat-news/1507016053-64202

ગજવા હળવા કરજો... દિવાળીએ મીઠાઇ - ફરસાણ મોંઘા થશે

૧૦ થી ૨૦ ટકા મોંઘા થવાની શકયતાઃ ઘી - ડ્રાયફ્રુટ - મોંઘા થયાઃ GSTની અસર : સુગર ફ્રી મીઠાઇના ભાવ આસમાને રૂ. ૮૦૦થી ૨૦૦૦ની કિલોઃ બરફી - કાજુકતરી - કાજુ પીસ્તા રોલ - ઘારી પણ મોંઘીદાટ
ગજવા હળવા કરજો... દિવાળીએ મીઠાઇ - ફરસાણ મોંઘા થશે
   અમદાવાદ તા. ૩ : દિવાળીના તહેવારો નજીક આવતાંની સાથે જ મીઠાઇ બજારમાં ગરમાવો આવ્યો છે, પરંતુ મીઠાઇ મોંઘી થતાં ગૃહિણીઓએ ખરીદીમાં કાપ મૂકવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે દર વર્ષે મીઠાઇ-ફરસાણમાં ૧૦ ટકા જેટલો વધારો થતો રહે છે. આ વર્ષે તેમાં જીએસટીનું ગ્રહણ ઉમેરાતાં મીઠાઇ હવે કડવી બનશે. સામાન્ય જનતા દર વર્ષે તહેવારોમાં મીઠાઇ અને ફરસાણનાં બજેટ બનાવે છે તેમાં આ વર્ષે કાપ મૂકવાનો વારો આવ્યો છે.
   દિવાળીમાં ડ્રાય ફ્રૂટ્સનું વેચાણ સૌથી વધુ થાય છે. અંજીર-પિસ્તાના ભાવમાં પ ટકા વેટ હતો જે વધી હવે ૧ર ટકા જીએસટી લાગુ થયો છે એટલું જ નહીં, ઘીના ભાવમાં પ ટકા વેટ લાગતો હતો તે વધી હવે ૧ર ટકા જીએસટી દર લાગતાં ફી અને ડ્રાય ફ્રૂટ્સ સાથેની મીઠાઇમાં ર૦ ટકાથી વધુનો વધારો થયો છે. કાજુકતરી, પિસ્તા રોલ, અંજીર રોલ કે મોહનથાળ સહિતની ઘી અને ડ્રાય ફ્રૂટથી બનતી મીઠાઇઓ મોંઘી થઇ છે.
   મીઠાઇ મોંઘી થવાના કારણે લોકો ઘર, પરિવાર માટે ચાલુ વર્ષે ઓછા ગ્રામની મીઠાઇ ખરીદશે તેવી ચિંતા વેપારીઓને સતાવી રહી છે. ચોકલેટ પણ લકઝરી આઇટમ બની ગઇ છે. દિવાળીના તહેવારોમાં મુખવાસનું સ્થાન હવે ચોકલેટે લીધું છે, પરંતુ ચોકલેટ પર ર૮ ટકા જીએસટી લાગુ પડતાં ચોકલેટ તો મોંઘી થઇ જ છે, પરંતુ ચોકલેટ પાઇ, ચોકલેટ મફિન્સ, ચોકલેટ બેકરી આઇટમ અને ચોકલેટ બરફી સહિત ચોકલેટવાળી મીઠાઇઓના ભાવમાં ૧૦૦ થી ર૦૦ ટકાનો વધારો થયો છે, જે મીઠાઇ શોખીનો કે આરોગનારાઓને ઝટકો અપાવશે. ચાંદીનો વરખ મોટા ભાગની મીઠાઇમાં વપરાય છે, તેના પર ૩ ટકા અને ફરસાણમાં ૧ર ટકા જીએસટી લાગુ પડતાં ફરસાણ અને મીઠાઇના ભાવ વધ્યા છે. શુગર ફ્રી મીઠાઇના ભાવ આસમાને છે. રૂ.૮૦૦ થી ર૦૦૦ સુધી તેનો કિલોનો બજારભાવ ચાલી રહ્યો છે.
   ગત વર્ષે કાજુકતરીનો રૂ.૭૦૦ કિલોનો ભાવ હતો, જે વધીને આ વર્ષે રૂ.૮૦૦ થયો છે. કાજુ-પિસ્તા રોલ, કાજુ અંજીર રોલ, કાજુ ડ્રાય ફ્રૂટ પાનનો ભાવ ૮૦૦ થી રૂ.૮ર૦ કિલોનો હતો, જે વધીને આ વર્ષે રૂ.૯૦૦ થી ૧૦૦૦ કિલોદીઠ થયો છે. અંજીર બદામ મીઠાઇ રૂ.૯૦૦નો ભાવ હતો, હવે ૯૮૦થી ૧૦રપ સુધી થયો છે. રેગ્યુલર ગણાતી મીઠાઇ મોહનથાળનો ભાવ ૪પ૦ થી વધી પર૦ સુધી થયો છે. કેસર પિસ્તા ઘારી કે અંજીર રોલનો ભાવ ૪પ૦ થી પપ૦ થયો છે. ચોકલેટ બરફી ૪૦૦થી વધી પપ૦ થઇ છે, જયારે ચોકલેટ બોકસનો ભાવ રૂ.૧૦૦ થી ર૦૦ હતો તે હવે વધીને ર૦૦ થી ૩૦૦ થયો છે.
   આ અંગે ફરસાણ અને મીઠાઇ એસોસિયેશનના પ્રમુખ મુરલીધર અગ્રવાલે જણાવ્યું હતું કે ઘી, ફરસાણ અને ડ્રાય ફ્રૂટમાં જીએસટીના દર વધતાં મીઠાઇ મોંઘી થઇ છે, કારણ કે મોટા ભાગની મીઠાઇ ઘી કે ડ્રાય ફ્રૂટવાળી જ રહે છે. અને લોકો પણ એ જ પસંદ કરે છે. ચોકલેટ પણ મોંઘી થતાં ગ્રાહકો ખરીદી કરશે, પરંતુ ગ્રામમાં કાપ મૂકે તેવી શકયતા છે.

Source :-http://www.akilanews.com/03102017/gujarat-news/1507016053-64202

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



 CLICK HERE TO DOWNLOAD




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment