સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 5 October 2017

પાટીદાર યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છેઃ મોદી - મોદીની શાહ - જેટલી સાથે ઇમરજન્સી બેઠકઃ કોઇ મોટો નિર્ણય લેશે સરકાર? - દિવાળી પર્વે મીઠાઈ મોંઘી - ડ્રાયફ્રૂટમાં પણ જીએસટીનો ડામ - પેટ્રોલ - ડીઝલમાં રૂ. ૪ થી ૬ના ઘટાડાનો તખ્તો તૈયાર

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

પાટીદાર યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છેઃ મોદી
હરિદ્વારમાં પાટીદાર સમાજની ધર્મશાળાનું ઉદ્ઘાટનઃ પાટીદારોને 'બેટી બચાવ બેટી પઢાવ'માં ભાગ લેવા અપીલ
પાટીદાર યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છેઃ મોદી
   હરિદ્વાર તા. ૬ : વડાપ્રધાન મોદીએ ગુરુવારે હરિદ્વાર ખાતે ગુજરાતના પાટીદાર સમાજ દ્વારા નિર્મિત ઉમિયા માતા મંદિર ટ્રસ્ટ ધર્મશાળાનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે 'પાટીદાર સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. ત્યારે સમાજના વડિલોની જવાબદારી છે કે તેઓ તેમને સાચા અને યોગ્ય માર્ગે લઈ જાય.'
   પોતાના વકતવ્યમાં પીએમ મોદીએ કહ્યું કે, 'પાટીદારો સામે મારે ખૂબ જુના સંબંધ છે. હું ગુજરાતમાં એક સમયે માં ઉમિયા ટ્રસ્ટમાં સ્વયંસેવક તરીકે સેવા આપવા જતો હતો અને જયારે પણ મને કોઇ વસ્તુની જરુર જણાઈ છે ત્યારે હંમેશા મને ટેકો આપ્યો છે. પાટીદર હંમેશા સમાજના ઉત્થાન માટે કામ કરે છે.'
   તેમણે વધુમાં કહ્યું કે, સંસ્થાએ પોતાના સમાજના યુવાનોને ગેરમાર્ગે જતા બચાવવા જોઈએ ઉપરાંત લોકોને અપીલ કરી હતી કે મંદિર અથવા ધર્મશાળા જયાં પણ જાવ ત્યાં હંમેશા સ્વચ્છતાના આગ્રહી રહો અને વાતાવરણને પણ કલીન રાખો.
   પીએમ મોદીએ કહ્યું કે, 'ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ આ ધર્મશાળા ઉત્તરાખંડમાં ધાર્મિક પ્રવાસનને વેગ આપશે. કેમ કે રાજયમાં પ્રમખ ધાર્મિક સ્થળો જેવા કે હરિદ્વાર, ઋષિકેશ, બદ્રિનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી આવેલા છે.'
   તેમજ પાટીદાર સમાજને 'બેટી બચાવ બેટી પઢાવ'યોજનામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરતા કહ્યું કે, 'આપણી દીકરીઓનો બચાવવી તે આપણી જવાબદારી છે.' આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અને ગુજરાતના અનેક પાટીદાર આગેવાનો તથા શ્રેષ્ઠીઓ હાજર હતા. (૨૧.૮)

Source :-http://www.akilanews.com/06102017/main-news/1507264785-115467

મોદીની શાહ - જેટલી સાથે ઇમરજન્સી બેઠકઃ કોઇ મોટો નિર્ણય લેશે સરકાર?
શાહ કેરળનો પ્રવાસ ટુંકાવી દિલ્હી આવ્યાઃ પ્રજાને મળશે દિવાળીની ગીફટ?: અર્થવ્યવસ્થામાં સુસ્તી અંગે વડાપ્રધાન મોદીએ સંભાળ્યો મોરચો
મોદીની શાહ - જેટલી સાથે ઇમરજન્સી બેઠકઃ કોઇ મોટો નિર્ણય લેશે સરકાર?
   નવી દિલ્હી તા. ૬ : ગુરૂવારનો દિવસ દેશની રાજનીતિમાં ખૂબ મહત્વનો રહ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ આખો દિવસ મહત્વની મીટિંગોમાં વ્યસ્ત રહ્યા. તેનાથી સંકેત મળી રહ્યો છે કે આવનારા દિવસોમાં સરકાર કોઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે.
   બીજેપી પ્રેસિડેન્ટ અમિતભાઇને ગુરૂવારે સવારે પીએમઓથી ઈમરજન્સી કોલ આવ્યો. જે બાદ તેઓ કેરળનો મહત્વનો પ્રવાસ અધવચ્ચે જ પડતો મૂકીને આવી ગયા છે. તો નાણાંમંત્રી અરૂણ જેટલીને પણ પૂર્વ નિર્ધારિત મીટિંગ છોડીને પી.એમ આવાસ આવવા માટે કહેવામાં આવ્યું. સૂત્રો અનુસાર ત્રણેય વચ્ચે ૨ કલાકથી પણ લાંબી મીટિંગ થઈ. આ પહેલા પીએમઓના સિનિયર અધિકારીઓ સાથે પણ પી.એમ મોદીની મીટિંગ હતી. મીટિંગ સાથે જોડાયેલી તમામ વાતોને ગુપ્ત રાખવામાં આવી છે. હકીકતમાં સરકાર આર્થિક મંદીને કારણે થઈ રહેલી નિંદા અને સંઘ તરફથી જાહેર કરવામાં આવેલી ચિંતાનો જવાબ મોટો નિર્ણય લઈને આપી શકે છે.
   સૂત્રો અનુસાર મોદી સરકાર ગુજરાત ચૂંટણીથી પહેલી નાના વેપારીઓને મોટા રાહત પેકેજ આપવાના મૂડમાં છે. પહેલા નોટબંધી અને બાદમાં જીએસટીના કારણે નાના વેપારીઓના ધંધા પ્રભાવિત થયા છે. ગુજરાત ચૂંટણીમાં આવા વેપારીઓની સંખ્યા વધારે છે અને બીજેપી માટે તેમની નારાજગી ચિંતાનો વિષય છે. એવામાં નાના વેપારીઓને મોદી સરકાર દિવાળીના અવસર પર મોટી ભેટ આપી શકે છે. સાથે જ જીએસટીની અંદર પણ કેટલીક રાહત આપી શકે છે.
   જોકે અધિકારીઓ અનુસાર કોઈ ખાસ એજન્ડા પર મીટિંગ નહોતી બાલાવવામાં આવી. સૂત્રો અનુસાર આ રાજનીતિક મીટિંગ હોઈ શકે છે. અરૂણ જેટલી બીજેપી માટે ગુજરાતના પ્રભારી છે. તેવામાં આ મીટિંગ ગુજરાતમાં આગલા ૨ મહિનામાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. સરકારને આ વાતનો અંદાજો છે.
   નાના વેપારીઓને થઈ રહેલી પરેશાનીને લઈને સંઘ પણ હાલમાં ચિંતા દર્શાવી છે. મથુરામાં થયેલી આ મીટિંગમાં આ મુદ્દે ચિંતા દર્શાવવામાં આવી હતી. સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ સરકારને નાના વેપારીઓને થઈ રહેલી મુશ્કેલીની દિશામાં યોગ્ય પગલાં લેવા માટે આગ્રહ કર્યો હતો.(૨૧.૭)

Source :-http://www.akilanews.com/06102017/main-news/1507264734-115466

દિવાળી પર્વે મીઠાઈ મોંઘી - ડ્રાયફ્રૂટમાં પણ જીએસટીનો ડામ
મોઢું તો મીઠું કરતા જાવ... આગ્રહ પણ પડશે મોંઘો...મીઠાઈ હવે કડવીઃ અંજીર-પિસ્તા અને ધી મા ૫ ટકા વેટને બદલે ૧૨ ટકા લાગ્યો જીએસટી : શુગર ફ્રી મીઠાઇના ભાવ આસમાને
દિવાળી પર્વે મીઠાઈ મોંઘી - ડ્રાયફ્રૂટમાં પણ જીએસટીનો ડામ
   રાજકોટ તા.૫ : દીપાવલી પર્વ આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે લોકોમાં દિવાળી પર્વને લઈને ખાસ્સો ઉત્સાહ હોય છે દિવાળી પર્વમાં મોઢું મીઠુંના થાયતો પર્વનાં ગણાય તેવું મનાય છે પરંતુ આ વર્ષે જીએસટીના કારણે મીઠાઇ મોંદ્યી મળશે અને જાવાની ઉતાવળ કરતા મહેમાનોને મોઢું તો મીઠું કરતા જાવ નો આગ્રહ પણ મોંઘો પડશે એટલે થોડી મીઠાઇ કડવી લાગશે.
   દિવાળીના ગણતરીના દિવસો બાકી છે મીઠાઇ બજારમાં ભાવ વધારા જોવા મળી રહ્યા છે.દર વર્ષે મીઠાઇ-ફરસાણમાં ૧૦ ટકા જેટલો વધારો નોંધાય છે પરંતુ આ વર્ષે જીએસટીથી વધુ મોંદ્યી મળશે.સામાન્ય લોકો દર વર્ષે તહેવારોમાં મીઠાઇ અને ફરસાણનાં બજેટ બનાવે છે તેમાં આ વર્ષે કાપ મૂકવાનો વારો આવ્યો છે.
   દિવાળી દરમિયાન ડ્રાય ફ્રૂટ્સનું વેચાણ સૌથી વધુ થાય છે.તેવામાં અંજીર-પિસ્તાના ભાવમાં પ ટકા વેટ હતો જે વધીને હવે ૧ર ટકા જીએસટી લાગુ થયો છે જયારે ઘીના ભાવમાં પ ટકા વેટ લાગતો હતો તે વધી હવે ૧ર ટકા જીએસટી દર લાગતાં દ્યી અને ડ્રાય ફ્રૂટ્સ સાથેની મીઠાઇમાં ર૦ ટકાથી વધુનો વધારો થયો છે.
     મોટાભાગનાની માનીતી કાજુકતરી, પિસ્તા રોલ, અંજીર રોલ કે મોહનથાળ સહિતની દ્યી અને ડ્રાય ફ્રૂટથી બનતી મીઠાઇઓ મોંઘી થઇ છે.શુગર ફ્રી મીઠાઇના ભાવ આસમાને છેમીઠાઈ બજારમાં ૮૦૦ થી ર૦૦૦ સુધી કિલોનો બજારભાવ ચાલી રહ્યો છે.ગત વર્ષે કાજુકતરીનો ૭૦૦ કિલોનો ભાવ હતો, જે વધીને આ વર્ષે ૮૦૦ થયો છે.કાજુ-પિસ્તા રોલ,કાજુ અંજીર રોલ, કાજુ ડ્રાય ફ્રૂટ પાનનો ભાવ ૮૦૦ થી ૮ર૦ કિલોનો હતો, જે વધીને આ વર્ષે ૯૦૦ થી ૧૦૦૦ કિલોદીઠ થયો છે.
   બીજીતરફ અંજીર બદામ મીઠાઇ ૯૦૦નો ભાવ હતો, હવે ૯૮૦થી ૧૦રપ સુધી થયો છે.રેગ્યુલર ગણાતી મીઠાઇ મોહનથાળનો ભાવ ૪પ૦ થી વધી પર૦ સુધી થયો છે.કેસર પિસ્તા દ્યારી કે અંજીર રોલનો ભાવ ૪પ૦ થી પપ૦ થયો છે.ચોકલેટ બરફી ૪૦૦થી વધી પપ૦ થઇ છે, જયારે ચોકલેટ બોકસનો ભાવ ૧૦૦ થી ર૦૦ હતો તે હવે વધીને ર૦૦ થી ૩૦૦ થયો છે.

Source :-http://www.akilanews.com/06102017/business-news/1507176367-6342

પેટ્રોલ - ડીઝલમાં રૂ. ૪ થી ૬ના ઘટાડાનો તખ્તો તૈયાર
વડાપ્રધાનના આગમન પ્રસંગે ભાજપ સરકાર દ્વારા વેટ ઘટાડાની જાહેરાત કરાય તેવી શકયતા
પેટ્રોલ - ડીઝલમાં રૂ. ૪ થી ૬ના ઘટાડાનો તખ્તો તૈયાર
   અમદાવાદ તા. ૬ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મુખ્યપ્રધાન વિજયભાઇની વડપણ હેઠળ ચાલતી ભાજપ સરકાર આગામી બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. ૪થી ૬નો ઘટાડો કરી શકે છે. દેશના પેટ્રોલિયમ પ્રધાને બે દિવસ પૂર્વે રાજયોને પેટ્રોલ અને ડીઝલ પર લેવાતા વેલ્યુ એડેડ ટેકસ (વેટ)માં ૫ ટકા સુધીનો ઘટાડો કરવા અપીલ કરી છે તેને સમગ્ર દેશમાં સૌથી પહેલો પ્રતિસાદ ગુજરાતના મુખ્યપ્રધાને આપ્યો હતો. આ ઉપરાંત કેટલાક મહત્વના આર્થિક નિર્ણયોની જાહેરાત પણ એક સપ્તાહમાં રૂપાણી સરકાર કરી શકે છે.
   ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ ઉપર સેસ સાથે કુલ વેટ ૨૮ ટકા જેટલો વસૂલ થાય છે. ડિસેમ્બર, ૨૦૦૯માં વિશ્વભરમાં ભયાનક આર્થિક મંદીની અસર ભારતના અર્થતંત્ર ઉપર પડી ત્યારે કેન્દ્રમાં તત્કાલિન મનમોહનસિંહની સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની આયાત જકાત અને એકસાઇઝમાં ઘટાડો કરી રાજયોને પોતાના વેરા ઘટાડવા અપીલ કરી હતી. ત્યારે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઇએ ચાર પ્રધાનોની સમિતિ બનાવી તેની ભલામણના આધારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ૩ ટકાનો ઘટાડો કર્યો હતો.
   અલબત્ત, ૨૦૧૪ પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વૈશ્વિક કારણો થતાં ઘટાડાને પગલે રાજયની ભાજપ સરકારે વેરાની આવકને જાળવી રાખવા માટે બન્ને પેદાશો પરના વેટ અને સેસના દરમાં વધારો કર્યો હતો. જાન્યુઆરી ૨૦૧૬માં પેટ્રોલ પરનો વેટ ૨૩ ટકા અને ૨ ટકા સેસમાં અનુક્રમે ૧ ટકા અને ૨ ટકાનો વધારો કરી કુલ ૨૮ ટકા વેરો નિયત કર્યો હતો. ડીઝલ પરનો વેટ ૨૧ ટકા અને ૩ ટકા સેસ હતી, તે અનુક્રમે ૩ ટકા અને ૧ ટકા વધારીને ૨૮ ટકા વેરો નિયત કર્યો હતો. જાન્યુઆરી, ૨૦૧૬માં આના કારણે પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે રૂ.૧.૯૦ અને રૂ.૧.૮૨ પ્રતિ લિટર મોંઘુ થયું હતું. ત્યારે પેટ્રોલ રૂ.૬૨ અને ડીઝલ રૂ.૫૦ પ્રતિ લિટરની આસપાસ હતા. આજે પેટ્રોલ રૂ.૭૦થી ૭૧ તથા ડીઝલ રૂ.૬૨-૬૩ની આસપાસ છે. હવે સરકાર ચૂંટણીને અનુલક્ષીને વેટમાં ૫ ટકાનો ઘટાડો કરે તો સરેરાશ રૂ.૪થી ૬ જેટલો પ્રતિ લિટર ઘટાડો થઇ શકે છે.
   લોકરંજક જાહેરાત એકાદ બે દિવસમાં થાય તેવી શકયતા છે, તેમ કહી સૂત્રો ઉમેરે છે કે, શનિ અને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેવા સમયે સંભવતૅં પેટ્રોલ-ડીઝલ પરના વેટની જાહેરાત કરવામાં આવે તેવી તૈયારી હાલ ચાલી રહી છે. (૨૧.૮)
   અમદાવાદ-રાજકોટ સિકસ લેન, રાજકોટ-મોરબી ફોરલેન હાઇવે
   શનિવારથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ચોટીલામાં ૨૭૦૦ કરોડના ખર્ચે બનનાર ગ્રીન ફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ રાજકોટ-અમદાવાદ વચ્ચે સિકસ લેન હાઇવે, રાજકોટ-મોરબીના ફોરલેન હાઇવેનું ખાતમુહૂર્ત થશે.

Source :-http://www.akilanews.com/06102017/gujarat-news/1507264218-64361

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment