સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 4 December 2017

ચેતી જજો ગુજરાતીઓ, 48 કલાકમાં ગુજરાતમાં ત્રાટકશે ”ઓખી”, તંત્ર એલર્ટ પર - ઓખીને કારણે આજે ગુજરાતનો દરિયો બનશે તોફાની, 70 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે - મધરાત સુધીમાં ઓખી દ.ગુજરાતના કાંઠે ત્રાટકશે - ઓખી ઇફેકટ... મુંબઇમાં રાતથી વરસાદઃ શાળા- કોલેજો બંધ -ફાટેલી કે ખરાબ નોટો બેંકોમાં બદલાવી શકાશે - ખેડૂતો ભારે ચિંતીતઃ સૌરાષ્ટ્રમાં કપાસ - જીરા - કોથમીરને નુકસાન...

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

ચેતી જજો ગુજરાતીઓ, 48 કલાકમાં ગુજરાતમાં ત્રાટકશે ”ઓખી”, તંત્ર એલર્ટ પર


તામિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપને ધમરોળ્યા બાદ ચક્રવાત ઓખી દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ પ્રયાણ કરી રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં 48 કલાકમાં ગમે ત્યારે ઓખી વાવાઝોડુ ત્રાટકી શકે છે તેવી આગાહી કરી દેવામાં આવી છે. આ અંગે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ગુજરાતની ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાત્કાલિક બેઠક મળી હતી. આ બાદ મહેસૂલ સચિવ પંકજ કુમારની પણ પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમા ઓખી વાવાઝોડને લઈને તંત્ર એલર્ટ થયું છે તેવી માહિતી તેમજ ક્યાં ક્યાં કેવું મેનેજમેન્ટ છે તેની માહિતી આપવામાં આવી હતી. વાવાઝોડાથી રાજ્યના સુરતની આજુબાજુના દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 5મી ડિસેમ્બરની મદ્યરાતથી વાવાઝોડાની અસર શરૂ થશે. જેમાં 50થી 70 કિમીની ઝડપે પવન ફુંકાશે. આ સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ પણ ખડેપગે તૈનાત કરી દેવાઈ છે.
ઓખી વાવાઝોડાને લઈ તંત્ર બન્યુ એલર્ટ છે. ગાંધીનગર ખાતે યોજાયેલી મીટિંગમાં હવામાન વિભાગના જયંત સરકાર પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમા માહિતી અપાઈ હતી કે, વાવાઝોડુ ઓખી ગુજરાત તરફ નબળુ પડી આગળ વધી રહયુ છે. સુરત નવસારીના દરીયાકિનારામાંથી જમીનમાં દાખલ ગુજરાતમાં એન્‍ટ્રી મારતા નબડુ પડી જશે.
 : Two NDRF teams stationed each at Surat, Navsari and Rajkot . Army/Navy/IAF/BSF Alerted in 
  • નવસારીમાં દરિયા કિનારાના 7 ગામોને એલર્ટ કરી દેવાયા છે. એનડીઆરએફની 2 ટીમ તૈનાત કરી દેવાઈ છે.
  • ગીરસોમનાથ, ભાવનગર, અમરેલી, દીવમાં વરસાદની આગાહી કરવામા આવી છે.
  • ઓખી વાવાઝોડુ આવતીકાલે મધ્યરાત્રિએ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરશે.
  • 50થી 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
  • ગુજરાતમાં પ્રવેશ કરતા વાવાઝોડુ નબળું પડશે
  • દરિયાનાં મોજાની 1થી 2 ફૂટ ઉંચા ઉછળશે
  • માછીમારોને દરિયામાંથી પરત ફરવા અંગે કરાઈ જાણ
  • તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી
  • ઘોઘા – દહેજ રો – રો ફેરી 6 ડિસેમ્બર સુધી બંધ કરાઈ
  • રાજ્યોના મોટાભાગના શહેરોમાં વરસાદી વાતાવરણ છવાયુ છે
 All Concerned Collectors are taking all Precautionary actions.  teams being deployed at critical places. Other Forces have been alerted.
દક્ષિણ સૌરાષ્‍ટ્ર અને ગુજરાતના વિસ્‍તારોમાં માવઠાની સંભાવના હવામાન વિભાગે કરી છે. રાજુલા, ભાવનગર, લિંબડી, નવસારી, સુરત, અંકલેશ્‍વર અમદાવાદની આજુ બાજુમાં માવઠુ થશે. દક્ષિણ ભારતમાં તાંડવ મચાવનાર તોફાન ઓખીના કારણે હવામાન વિભાગે એક ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્‍તાર માટે છે. હવામાન વિભાગે આપેલી ચેતવણીના કારણે વિધાનસભા ચુંટણીના પ્રચારને પણ અસર પડે તેવી શકયતા છે. નોંધનીય છે કે ગુજરાતમાં પ્રથમ તબકકા માટે ૧૮ ડિસેમ્‍બરે મતદાન યોજવાનું છે.
 is very likely to cross South Gujarat near Surat as a deep depression by mid night of 5th December 2017.
Sea condition would be rough to very rough.
Fishermen are advised not to venture into the Sea.

વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, તથા સૌરાષ્‍ટ્રના બોટાદ, અમરેલી, રાજકોટ, ગિરસોમનાથ તેમજ ભાવનગરમાં વરસાદની પણ શકયતા દશાર્વી છે. આ ઉપરાંત વેરાવળ, માંગરોળ બંદર પર ૨ નંબરનું સિગ્નલ લગાવાયુ છે. હવામાન વિભાગે માછીમારોને દરિયોના ખેડવાની સુચના આપી છે તેમજ ચેતવણીમાં એ પણ જણાવાયું છે કે આ દરમિયાન ૬૫ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે ફુંકાવાની શકયતા છે.

ઓખી ચક્રવાતને લઈ નેવીએ ગુમ થયેલી બોટનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં 250થઈ વધુ બોટને શોધવાનું કામ ચાલી રહ્યુ છે. સૂત્રો અનુસાર, મુંબઈ અને આસપાસની 250 જેટલી બોટો ગુમ છે. જેના માટે 5 જેટલા હેલિકોપ્ટરની મદદ સર્ચ ઓપરેશનમાં લેવાશે.
પોરબંદરની પરિસ્થિતિ
ઓખી વાવાઝોડાને કારણે પોરબંદરના દરિયા કિનારા પરથી પણ સમુદ્ર ખેડવા ગયેલી બોટ કિનારા પર પરત ફરી ગઈ છે. મોટાભાગની ફિશીંગ બોટ પાછી આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 500 જેટલી બોટ સાથે 3000 માછીમારો દરિયો ખેડવા ગયા હતા. તમામ બોટ સાંજ સુધી કિનારે પરત ફરશે.
લક્ષદ્વીપ, કેરળ અને તામિલનાડુમાં વિનાશનું તાંડવ
ચક્રવાત ઓખીએ લક્ષદ્વીપ, કેરળ અને તામિલનાડુમાં ભારે વિનાશ વેર્યો છે. અત્યાર સુધીમાં 22 લોકો જીવ ગુમાવી ચૂક્યાં છે અને 700થી વધુ માછીમારોને બચાવી લેવાયા છે. હજુ 115 માછીમારો લાપતા હોવાનું અનુમાન છે. સરકાર દ્વારા જે રીતે બચાવકાર્ય હાથ ધરાયાં તેની સામે સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. દરિયાકિનારના વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે. તેમણે સરકાર સમક્ષ નુકસાન પામેલી દરિયાઈ દીવાલોને ફરી બનાવવાની અને દરિયાકિનારા પર રહેતાં લોકોનું પુનર્વસન કરવાની માગ કરી છે. દરિયામાં ફસાયેલા માછીમારોને બચાવવા હવે સ્થાનિકો દરિયામાં જવા લાગ્યાં છે. સરકાર દ્વારા અપાયેલી ચેતવણીને અવગણી 40 કરતાં વધુ બોટમાં માછીમારો પોતાના સ્વજનોને શોધવા નીકળી પડયાં છે.

Source :- http://sandesh.com/cycloneockhi-reaches-to-gujarat/

ઓખીને કારણે આજે ગુજરાતનો દરિયો બનશે તોફાની, 70 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે


અરબી સમુદ્રમાં સર્જાયેલા ઓખી વાવાઝોડાના કારણે ગુજરાતનો દરિયો તોફાની બનવાની શક્યતા સેવાઇ રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ઓખી વાવાઝોડા ના પગલે હવામાન વિભાગે આગામી 24 થી 48 કલાક માં આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકી શકે છે અને સંભવતઃ 50 થી 70 કિમી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને દરિયા માં માછીમારી માટે ગયેલી ફિશીંગ બોટો ને પરત આવી જવા અને દરિયો ના ખેડવા તાકીદ કરવામાં આવી છે અને નજીકના બંદરો પર સલામતી ખાતર પહોંચી જવા જણાવવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતની ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાત્કાલિક બેઠક મળી હતી. વાવાઝોડાથી રાજ્યના સુરતની આજુબાજુના દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આજે મધરાતથી વાવાઝોડાની અસર શરૂ થશે તેવી સંભાવના કરી છે.


સરકારી તંત્ર એલર્ટ પર મૂકી દેવાયું
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઓખી વાવાઝોડાના એલર્ટને ધ્યાને લઈ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 6 ટીમ સુરત, નવસારી અને રાજકોટમાં તહેનાત કરવામાં આવી છે. બનાસકાંઠાના વહીવટી તંત્રએ જિલ્લામાં 4થી 6 ડિસેમ્બર સુધી હાઈએલર્ટ જાહેર કર્યું છે. 4 થી 7 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર ક્ષૈત્રમાં ભારેથી અતિભારે તીવ્રતાવાળું ઓખી વાવાઝોડું ત્રાટકવાની શકયતાના કારણે ભારે પવન ફૂંકાવા સાથે હળવાથી ભારે વરસાદ પડી શકે છે. ભાવનગર, અમદાવાદ, સુરત તરફથી આ ચક્રવાત પસાર થશે. સુરત પાસેના દરિયાકાંઠેથી દક્ષિણ, દક્ષિણ- પશ્ચિમ દિશામાં 870 કિલોમીટર દૂર રહેલું ઓખી વાવાઝોડું 5મીની મધરાત્રિએ ગુજરાતના દરિયાકાંઠાને સ્પર્શે તેવી સંભાવના છે. આથી, રાજ્ય સરકારનું સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયું છે. આગામી 48 કલાક વાવાઝોડા-વરસાદનો ખતરો હોવાથી લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામા આવી છે. તેમજ અધિકારીઓને આગામી 48 કલાક સુધી હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપ્યા છે. એનડીઆરએફની ટીમ પણ તૈનાત રાખી દેવામા આવી છે. વેરાવળ બંદરની 1898 ફિશીંગ બોટો દરિયામાં ગઈ હતી. જેમાંથ 1038 બોટ પરત આવી ગઈ છે. જ્યારે 860 બોટોને કોસ્ટગાર્ડની મદદથી જુદા જુદા બંદરો પર સહીસલામત લાંગરી દેવાઈ છે. તો વેરાવળ બંદર માં પણ તામિલનાડુની 51 જેટલી બોટો આવતા ફિશરીઝ વિભાગ દ્વારા આ પરપ્રાંતીય બોટોને વેરાવળ બંદર પર લંગારવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઓખી વાવાઝોડું નજીક આવી રહ્યું છે ત્યારે જિલ્લા કલેક્ટર અજયપ્રકાશ દ્વારા પણ સાંજે તમામ વિભાગ ના મુખ્ય અધિકારીઓની તાકીદ ની બેઠક બોલાવેલી અને સંભવિત આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારી ની સમીક્ષા કરી હતી અને દરેક વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી.
ઓખી વાવાઝોડાની રાજ્યભરમાં અસર
ઓખીને કારણે સોમવારે આખો દિવસ ગુજરાતના વિવિધ શહેરોમાં વાદળવાયું વાતાવરણ છવાયું હતું. જેમાં અમદાવાદના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ થઈ રહ્યો છે. રાજ્યોના અનેક વિસ્તારોમાં મોડીરાતથી ઝરમર વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટમાં પણ તેની અસર જોવા મળી છે. વાવાઝોડુ દક્ષિણ ગુજરાતમાં ત્રાટકવાની શક્યતા છે. જેમાં તે હજી દક્ષિણ ગુજરાતથી 750 કિમી દૂર છે તેવું કહેવાય છે. ત્યારે આજે ગુજરાતનો દરિયો દરિયો તોફાની બની રહેશે.
જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ
ઓખી વાવાઝોડાના સંભવિત ખતરાને કારણે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્ન લગાવી દેવામાં આવ્યું છે. અહી 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. વરસાદનું પ્રમાણ પણ વધી શકે છે. જાફરાબાદની 19 બોટ હજી પણ દરિયામાં હોવાથી તંત્ર તથા માછીમારોના પરિવારમાં ચિંતા વ્યાપેલી છે.

Source :-http://sandesh.com/okhi-cyclone-effect-in-gujarat/


મધરાત સુધીમાં ઓખી દ.ગુજરાતના કાંઠે ત્રાટકશે
સુરતના કિનારે ઓખીનું લેન્ડ ફોલઃ તંત્ર એલર્ટઃ એનડીઆરએફની ટીમો તૈનાતઃ વલસાડથી લઇને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સુધીના કાંઠે ૭૦ કિમીની ઝડપે પવન ફુંકાશે સુરતમાં તમામ કર્મચારીઓની રજા રદ્દઃ સ્ટેન્ડ ટુઃ ૧૫-૧૭ કિ.મી.ની સ્પીડથી વાવાઝોડુ આગળ વધે છે ગુજરાતના ૯ જિલ્લામાં ૨ થી ૪ ઇંચ વરસાદ પડવાની સંભાવના ગઇકાલે મુંબઇમાં ડિસેમ્બર મહિનાનો દાયકાનો સૌથી વધુ વરસાદ પડયાઃ શાળા - કોલેજો બંધ
   નવી દિલ્હી તા. ૫ : ગુજરાતના દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈએલર્ટ આપી દેવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે મધરાત સુધીમાં ઓખી સુરતના દરિયા કિનારે ત્રાટકી શકે છે. ચક્રવાત સોમવારે સાંજે ગુજરાતના દરિયા કિનારાથી ૭૭૦ કિમી દૂર હતું જે પ્રતિ કલાક ૧૫-૧૭ કિમીની ઝડપે સુરત તરફ વધી રહ્યું છે. જેના કારણે સોમવાર સવારથી જ પોરબંદર, ભાવનગર, રાજકોટ, આણંદ અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે અને મોડી સાંજથી છૂટોછવાયો વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે.
   ૫૦ લાખ જેટલી વસ્તી ધરાવતા સુરતમાં NDRFની ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સુરતના મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નારસને અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, 'ડિઝાસ્ટર મેનેજમેન્ટ પૂર્ણરૂપે તૈયાર છે અને ડિઝાસ્ટર પ્લાન વર્કિંગ કરી દેવામાં આવ્યો છે. તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. વિજ કંપનીઓને ચક્રવાત દરમિયાન પાવર બંધ કરવા અને ત્યારબાદ ફરી પૂર્વવત કામગીરી શરૂ કરવા માટે કહી દેવામાં આવ્યું છે. ઇલેકિટ્રસિટીના ખુલ્લા જંકશન બોકસને બંધ કરી દેવામાં આવ્યા છે અને હાઈરાઇઝ ટાવર લાઇટને ૬ ડિસેમ્બર સુધી નીચે કરી દેવામાં આવી છે. શહેરના ૭૮૦૦ સ્ટ્રોમ વોટર ડ્રેન કિલન કરી દેવામાં આવ્યા છે. તેમજ જો ઝાડ પડવાના કેસમાં રસ્તો કિલયર કરવા માટે ૬૦ કટિંગ મશિન સાથે ૬૦ લોકો ધરાવતી એક એવી કુલ ૧૫ ટીમ સ્ટેન્ડબાયમાં તૈયાર રાખવામાં આવી છે.'
   મુંબઈમાં સોમવારે ઓખી વાવાઝોડાના કારણે ડિસેમ્બર મહિનામાં દશકાનો સૌથી વધુ વરસાદ નોધવામાં આવ્યો હતો. જેના પગલે મંગળવારે રાજય સરકાર દ્વારા સ્કુલ અને કોલેજોમાં તકેદારીના ભાગે રજા ઘોષિત કરવામાં આવી છે. જોકે મુંબઈ યુનિવર્સિટીએ જાહેર કર્યું હતું કે યુનિવર્સિટીઝની એકઝામ તેના શેડ્યુલ પ્રમાણે જ લેવામાં આવશે.
   દ.ગુજરાતમાં નવસારી-વલસાડ અને સૌરાષ્ટ્રમાં અમરેલી-ભાવનગર ખાતે NDRFના વધુ ચાર ટીમો તહેનાત કરવામાં આવી છે. પ્રિન્સિપલ રેવન્યુ સેક્રેટરી પંકજ કુમારે કહ્યું કે, 'દ. ગુજરાતના વલસાડથી લઈને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સુધીના દરિયાકાંઠે વાવાઝોડાના કારણે ૭૦ કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે.' તેમણે વધુમાં કહ્યું કે, 'ગુજરાતના વલસાડ, સુરત, નવસારી, ભરુચ, ડાંગ, તાપી, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર આ નવ જીલ્લામાં ૭૦-૧૦૦ mm જેટલો હળવોથી ભારે વરસાદની શકયતા જોવાઈ રહી છે.' વાવાઝોડાના કારણે અમે દરિયાકાંઠાના વિસ્તારમાં સામાન્ય નુકસાનની ભીતી સેવી રહ્યા છે. જોકે દરેક જાતની આપત્તિ સામે લડવા માટે તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે.

Source :-http://www.akilanews.com/05122017/main-news/1512450473-119141

ઓખી ઇફેકટ... મુંબઇમાં રાતથી વરસાદઃ શાળા- કોલેજો બંધ
વાવાઝોડુ ૮પ કિ.મી.ની ઝડપે સુરત તરફ આગળ વધી રહ્યુ છેઃ કાલે સવારે ત્રાટકશેઃ મહારાષ્ટ્રમાં ટકેદારીના પગલાઃ રાહત અને બચાવ ટુકડીઓ એલર્ટઃ દરિયો તોફાની બનશે
   મુંબઇ તા.પ : દક્ષિણમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાતી વાવાઝોડુ ઓખીએ હવે મુંબઇમાં ટકોરા દીધા છે. ઓખીને કારણે ગઇકાલે સાંજથી મુંબઇમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે રાજય સરકારે શાળા-કોલેજોમાં રજાની જાહેરાત કરી છે. વરસાદ અને તાપમાન ઘટવાથી માર્ગો પર રોજ કરતા ઓછા જોવા મળી રહ્યા છે. ટ્રેનોમાં ભીડ પણ ઓછી જોવા મળી રહી છે.
   ભારતીય હવામાન ખાતાની મુંબઇ કચેરીએ ચેતવણી આપ્યા બાદ રાજય સરકારે અનેક જિલ્લાઓમાં રજા જાહેર કરી દીધી છે. મધ્ય રેલ્વે મુંબઇ ડીવીઝનના જણાવ્યા પ્રમાણે રાહત બચાવ કાર્ય માટે તમામ ચીજવસ્તુઓની તૈયારી રાખવામાં આવી છે. સાથોસાથ રપ૦થી વધુ જવાનોને ભીડ નિયંત્રણ માટે સ્ટેશનો ઉપર ગોઠવવામાં આવ્યા છે. વાવાઝોડુ મુંબઇથી ૬૭૦ કિ.મી. દુર કેન્દ્રીત છે.
   આજે મુંબઇ અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળતા લોકોને ત્યાં નહી જવા જણાવાયુ છે. વરિષ્ઠ અધિકારીઓના કહેવા મુજબ ઓખી વાવાઝોડુ સુરત તરફ ૮પ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યુ છે. વાવાઝોડાને કારણે માછલી પકડવા ગયેલા સેંકડો માછીમારો લાપતા છે. મહારાષ્ટ્રમાં ઓખીનો ખતરો ટળી ગયો છે પરંતુ સુરત તરફ આગળ વધતુ વાવાઝોડુ તેલના કુવાઓ ઉપર અસર કરે તેવી શકયતા છે.
   અત્રે એ નોંધનીય છે કે કેરળ અને તામિલનાડુમાં ઓખીએ ર૦થી વધુ લોકોનો ભોગ લીધો હતો. આવતીકાલે સવારે આ વાવાઝોડુ ડિપ ડિપ્રેશન થઇને ગુજરાતના કાંઠે ત્રાટકે તે પુર્વે તે મહારાષ્ટ્રમાંથી પસાર થશે તેથી મહારાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. રાહત અને બચાવ ટુકડીઓ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.

Source :- http://www.akilanews.com/05122017/main-news/1512450594-119143



ફાટેલી કે ખરાબ નોટો બેંકોમાં બદલાવી શકાશે
રિઝર્વ બેંકના નવા નિયમ મુજબઃ ૫૦ ટકાથી વધુ ચલણી નોટનો ટુકડો હોવો જોઇએઃ ૪૦ ટકાથી ઓછો ભાગ હશે તો નહિ બદલી અપાય
ફાટેલી કે ખરાબ નોટો બેંકોમાં બદલાવી શકાશે
      મુંબઇ તા. ૫ : તમારી પાસે રહેલી ચલણી નોટો ફાટી જાય છે. તો તે કોઈ લેવા માટે તૈયાર નથી હોતું. તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને જણાવીશું કે તમારી એ ફાટલી નોટોના પૂરા પૈસા કોણ આપશે. આરબીઆઈએ તેના માટે પણ એક નિયમ બનાવી રાખ્યો છે.
      આરબીઆઈના નવા નિયમ મુજબ તૂટેલી, ફાટેલી અને અન્ય કોઈ રીતે ખરાબ થયેલી નોટ હવે તમામ બેંકોમાં બદલાવી શકાશે. જો બેંકમાં ખાતું નહીં હોય તો પણ તમે નોટ બદલાવી શકશો. કોઈ પણ બેંકની કોઈ પણ શાખામાં તમે આ નોટ બદલાવી શકો છો. તેના પૂરે પૂરા પૈસા પણ તમને મળશે.
      જો તમારી પાસે ૫ , ૧૦ અને ૨૦ રૂપિયાની નોટોના ૨ કે તેથી વધુ ટુકડા હશે અને તમારી પાસે એક નોટનો ટુકડો ૫૦% થી વધારે હોય છે તો તમને તે નોટોના પૂરા પૈસા મળશે. જો તેનાથી ઓછું હશે તો કંઈ નહીં મળે.
      ૫૦, ૧૦૦, ૫૦૦ના નોટને બદલવા માટે નોટનો એક ભાગ ઓછામાં ઓછો ૬૫ ટકા હોવો જોઈએ. આ કન્ડીશનમાં પૂરા પૈસા મળશે. જો નોટનો ભાગ ૪૦-૬૫ ટકાની વચ્ચે હશે તો નોટના ૫૦ ટકા કિંમત મળશે. જો ૪૦ ટકાથી ઓછો ભાગ હશે તો તેની કોઈ કિંમત મળશે નહીં. આરબીઆઈના નિયમ મુજબ સંપૂર્ણ રીતે સળગેલા, ફાટેલા નોટ બદલી શકાશે નહીં.
       એક દિવસમાં ૨૦ નોટો અથવા ૫૦૦૦ રૂપિયાથી વધુની નોટો બદલાવવી હોય તો તેના માટે ચાર્જ આપવો પડશે. જો કોઈ બેંક નિયમો મુજબ ખરાબ નોટ બદલવાની ના પાડે તો બેંકને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. જો નોટ પર સીરિયલ નંબર, ગાંધીજીનું વોટરમાર્ક અને ગવર્નરની શપર દેખાય છે તો બેંકને નોટ બદલી આપવી જ પડશે.(૨૧.૧૪)



Source :- http://www.akilanews.com/05122017/main-news/1512450079-119140


ખેડૂતો ભારે ચિંતીતઃ સૌરાષ્ટ્રમાં કપાસ - જીરા - કોથમીરને નુકસાન...
કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારીઃ પાકને નુકસાનનો ડરઃ દક્ષિણ ગુજરાતમાં ખાંડ ઉત્પાદન માટે ફાયદોઃ ટામેટા - મરચા - રીંગણને પણ અસર થશેઃ વરસાદ કેવો પડે તેના પર આધાર
ખેડૂતો ભારે ચિંતીતઃ સૌરાષ્ટ્રમાં કપાસ - જીરા - કોથમીરને નુકસાન...
   નવી દિલ્હી તા. ૫ :  IMD દ્વારા કરવામાં આવેલી હવામાનાનની આગાહી અનુસાર, ઓખી વાવાઝોડાને કારણે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શકયતા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આ કમોસમી વરસાદને કારણે પોતાના પાકને નુકસાન પહોંચવાની ચિંતા છે.
   જૂનાગઢ એગ્રીકલ્ચર યૂનિવર્સિટીના ડોં. આર.કે.મથુકિયા જણાવે છે કે, આ વાતાવરણના કારણે સૌરાષ્ટ્રમાં જીરા અને કોથમીરના પાકને નુકસાન પહોંચશે. આ પાકની વાવણી એક મહિના પહેલા જ કરવામાં આવી છે અને તેની લણણી માટે પણ હજી એક મહિનાની વાર છે. જીરૃં અને કોથમીર ઘણાં સંવેદનશીલ પાક છે, અને આવા વાતાવરણમાં ઘણાં જલ્દી રોગ લાગી જાય છે.
   આ સિવાય એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના ડિરેકટર બી.એમ.મોદી જણાવે છે કે, આ કમોસમી વરસાદ ઘઉં અને ચણાની વાવણી માટે મદદરૂપ સાબિત થશે. અન્ય પાકોની વાવણી થઈ ગઈ છે, માટે બની શકે કે આ વાતાવરણને કારણે તેમાં ઉપદ્રવ થાય. અને જીરામાં આ શકયતા ઘણી વધારે છે.
   અન્ય એક નિષ્ણાંત બી.આર.શાહ જણાવે છે કે, ભરૂચમાં કપાસના પાકની લણણી કરવાની હજી બાકી છે અને આ વરસાદને કારણે તેની ગુણવત્તામાં ચોક્કસપણે ફરક જોવા મળશે. વરસાદને કારણે કપાસ પીળો પડી જાય છે. ઉત્તર ગુજરાતમાં જીરાના પાકને નુકસાન થાય તેવી શકયતાઓ છે.
   ઉલ્લેખનીય છે કે સુરતમાં લગભગ ૬૦૦૦ હેકટર જમીન પર કેળાની વાવણી કરવામાં આવી છે અને દર વર્ષે લગભગ ૩૦,૦૦૦ મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે. ખેડૂતોને ચિંતા છે કે વાવાઝોડાને કારણે ફૂંકાતા ભારે પવન અને વરસાદને કારણે તેમના પાકને નુકસાન થઈ શકે છે. જો કે આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં ખાંડ માટેના શેરડીના પાકને ફાયદો થશે.
   સુરતથી ડેપ્યુટી ડિરેકટર ઓફ હોર્ટિકલ્ચર દિનેશ પાટલિયા જણાવે છે કે, કારેલા, દૂધી, જેવા પાકને નુકસાન થઈ શકે છે. આ સિવાય ટામેટા, મરચાં, રિંગણ વગેરેના પાકને પણ અસર થશે. વરસાદ કેટલો અને કેવો પડે છે તેના પરથી નક્કી થશે કે પાકને કેટલું નુકસાન થશે.(૨૧.૧૦)

Source :- http://www.akilanews.com/05122017/main-news/1512450496-119142

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App







 CLICK HERE TO DOWNLOAD









Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment