સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 26 December 2017

સાવધાન, ફેસબુક મેસેન્જરમાં ફેલાઇ રહ્યો છે માલવેર - સરકારી બાબુઓને ચેતવણી - સંપત્તિની વિગતો આપો નહીતો પ્રમોશન નહીં - મોંઘવારીમાં પીસાતો મધ્યમવર્ગઃ રાહતલક્ષી પગલાની જરૂર - ચૂંટણી પરિણામોનું પોસ્ટમોર્ટમ કરવા ૩૦મીએ બોટાદમાં ચિંતન શિબિર યોજશે પાસ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

સરકારી બાબુઓને ચેતવણી - સંપત્તિની વિગતો આપો નહીતો પ્રમોશન નહીં

કર્મચારી અને તાલીમ વિભાગે તમામ કેન્દ્રિય વિભાગો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓને લેખિતમાં જણાવ્યું છે કે તેઓએ તેમની રિયલ એસ્ટેટ રિટર્ન (આઇપીઆર) ની વિગતો 31 જાન્યુઆરી 2018 સુધી રજૂ કરવી પડશે

નવી દિલ્હી : સરકાર ટૂંક સમયમાં જ સરકારી બાબુઓના પ્રમોશન અને વિદેશી પોસ્ટિંગનો માર્ગ મુશ્કેલ બનાવા જઈ રહી છે. સરકારે દેશના તમામ આઇએસ અધિકારીઓને આગામી મહિને પૂર્ણ સંપત્તિની વિગતો ફાઇલ કરવાની સૂચના આપી છે. જો અધિકારીઓ આ ન કરે તો, તેમણે આગામી દિવસોમાં પ્રમોશન અને વિદેશી પોસ્ટિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, કર્મચારી અને તાલીમ વિભાગે તમામ કેન્દ્રિય વિભાગો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લેખિતમાં જણાવ્યું છે કે તેઓએ 31 જાન્યુઆરી, 2018 સુધીમાં તેમના રિયલ એસ્ટેટ રિટર્ન (આઇપીઆર) ની વિગતો રજૂ કરવી પડશે.
મહેકમ અધિકારી પી.કે. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 4 એપ્રિલ, 2011 ના રોજ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા સૂચનો અનુસાર, અધિકારીઓને તેમની મિલકતની વિગતો 31 જાન્યુઆરી, 2018 સુધી આપવાનું રહેશે, અથવા તેમને વિજીલન્સ ક્લિયરન્સ મેળવવામાં મુશ્કેલી પડશે.
2011 ની આ સૂચનાઓ મુજબ, જે અધિકારી પોતાને સંબધિત વિગતો પૂરી નહી પાડે, તેમને વિજીલન્સ ક્લિયરન્સ નહી મળે અને ભવિષ્યમાં તેમના પ્રમોશન અને ભારત સરકારના વરિષ્ઠ સ્તરના પદ માટે નિમણૂક માટે તેમનું નામ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
પોતાની વિગતો રજીસ્ટર કરાવવા માટે અધિકારીઓ પાસે ઓનલાઇન મોડ્યુલ્સની સુવિધા ઉપલબ્ધ છે. અહીં અધિકારીઓ તેમના આઇપીઆરની હાર્ડ કૉપિ અપલોડ કરી શકે છે.
Source :-http://www.akilanews.com/Main_news/Detail/27-12-2017/120615

મોંઘવારીમાં પીસાતો મધ્યમવર્ગઃ રાહતલક્ષી પગલાની જરૂર

દેશની અડધી વસ્તી મધ્યમવર્ગનીઃ આવક નીચી અને સીમિત જ્યારે ખર્ચા વધતા જાય છે : મોદી સરકારે હવે જાગવું જરૂરીઃ રાહતલક્ષી પગલા લેવા જોઇએ

નવી દિલ્હી તા. ૨૬ : ગુજરાતની ચૂંટણીના વિજય પછી દિલ્હીમાં પોતાનાં વકતવ્યમાં વડા પ્રધાને એક સૂચક વાત કરી કે હવે મધ્યમ વર્ગને રાહતો આપવાનો સમય આવી ગયો છે. જે મુદ્દો દેશના ૬૦-૬૫ કરોડ મધ્યમ વર્ગના માનવીઓનાં મનમાં હતો તેને વાચા આપીને વડા પ્રધાને રોગનું સાચું નિદાન કર્યું લાગે છે. જો આ ચિંતા વહેલી કરાઈ હોત તો ચૂંટણીનું પરિણામ અલગ જ હોત! હવે એ વાત સમજાઈ છે કે, વીસ ટકા વ્હાઇટ કોલર વર્કર્સ સિવાયના બધા જ એંસી ટકા મધ્યમ વર્ગનાં કુટુંબોની એક બાજુ આવક નીચી તથા સીમિત છે તો બીજી બાજુ મોંઘવારીના માર નીચે તેમનાં કુટુંબનો ખર્ચ બેસુમાર વધતો જાય છે અને આમ બંને બાજુથી પિસાતા દેશની અડધી વસતી જેટલા આ વર્ગનું હવે પૂરતું ધ્યાન આપવાની જરૂર છે.
૧૯૯૧માં વૈશ્વિકીકરણનો હેતુ એ હતો કે દેશમાં બધા નાગરિકો સુખી-સમૃદ્ઘ બને તથા દેશ ઝડપથી વિકસિત બને પણ આજે ૨૭ વર્ષ વીતી ગયાં પછી પણ આપણે લોકોમાં સુખ-સમૃદ્ઘિ લાવી શકયાં નથી. તે સમયે પણ ૧૯૯૧માં ૩ કરોડ લોકો ઇન્કમટેકસ ભરતાં હતાં અને આજે પણ હમણાં આંકડા પડયા તે પ્રમાણે એટલાં જ લોકો જ ઇન્કમટેકસ ભરે છે, હા, ફરક એટલો પડયો છે કે પૈસાદારો-ઉદ્યોગપતિઓનાં રિટર્ન મોટાં થયાં છે અને મધ્યમ વર્ગ ઠેરનો ઠેર છે. આ એક જ આંકડો દર્શાવે છે કે, દેશના મધ્યમ વર્ગ તથા સાથે સાથે ગરીબ વર્ગ માટે હવે જબરજસ્ત કાર્યક્રમો તેમની આવક વધે તે માટે જરૂરી છે.
ભલે દેશમાં ફુગાવાનો-મોંઘવારીનો આંક સાવ નીચો ઊતરી ગયેલો દેખાતો હોય પણ હકીકત તો એ જ છે કે, વેપારીઓ દ્વારા બેફામ ભાવો વધતા જ જાય છે તથા તેને સરકાર પણ રોકી શકતી નથી. કન્ઝયુમર ચીજો, ઘરગથ્થુ ચીજો, ખાવા-પીવાની ચીજો, જીવનજરૂરી ચીજો, સામાજિક સેવાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય, ગેસ, વીજળી, ટ્રાન્સપોર્ટની સગવડોએ સૌ હવે મધ્યમ વર્ગની પહોંચની બહાર નીકળી ગઈ છે. કહેવું તો કોને કહેવું એ પ્રશ્ન છે! ૧૯૯૧માં સુધારા શરૂ કરાયા ત્યારે ૫૧ રૂપિયે મળતો રાંધણગેસનો બાટલો આજે પંદર ગણો મોંઘો રૂ. ૭૫૦એ મળે છે. એ જ રીતે પેટ્રોલ - ડીઝલ દસ ગણાં મોંઘાં થઈ ગયાં છે. વીજળીના ભાવોમાં ફયૂઅલચાર્જ, મીટરભાડું, સરકારી કર વગેરે વીજવપરાશ કરતાં વધુ છે. ઘણા ગરીબોએ તો આ સગવડો ભોગવી પણ નહીં હોય, જયારે પૈસાદારોને ભાવોની પડી નથી, પરંતુ વચ્ચેનો મધ્યમ વર્ગ આમાં પિસાઈ રહ્યો છે, ઉપરથી તે સમયે બચતો પર ૧૩-૧૪ ટકા વાર્ષિક વ્યાજ મળતું હતું તે હવે અડધું ઘટીને ૭-૮ ટકા થઈ ગયું છે અને ઉપરથી ટીડીએસ કપાઈ જાય છે. આમાં મધ્યમ વર્ગના સિનિયર સિટીઝનો, વિધવાઓ, પેન્શનરોની દશા બહુ ખરાબ થઈ ગઈ છે. ઘરો ભાંગવાનાં અને માતા-પિતાને વૃદ્ઘાશ્રમમાં મોકલવાનું આ પણ એક કારણ છે. આમ મધ્યમ વર્ગનાં લોકો ધીરેધીરે ગરીબીમાં ધકેલાઈ રહ્યાં છે. આપણા ખેડૂતો જે મધ્યમ વર્ગમાં ગણી શકાય તે બધા જ આજે ગરીબીરેખાની નીચે આવી ગયાં છે. કરોડો ખેતમજૂરોની પણ આ જ દશા છે, એટલે તેમના માટે મનરેગા જેવી રોજગારીની યોજનાઓ તથા શહેરોમાં બાંધકામનાં મજૂરો માટે અન્નપૂર્ણા જેવી રૂ. ૧૦માં ભોજનની યોજનાઓ ચલાવવી પડે છે. આ છે આજે મધ્યમ વર્ગની દશા!
મધ્યમ વર્ગને નડતા મુખ્ય પ્રશ્નો છે પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ અને વીજળીના ઊંચા ભાવો તથા તેના પર લેવાતા કમરતોડ સરકારી ટેકસ, જે કોઈ નેતા ઘટાડવા માગતા નથી. ગુજરાતમાં નર્મદાનાં પાણીથી રેલમછેલ થવાને બદલે આજે રાજકોટ, જામનગર, અમદાવાદ જેવાં શહેરમાં પણ મધ્યમ વર્ગને પાણીના ધાંધિયા છે. ગામડાંની તો વાત જ કયાં કરવી. શિક્ષણમાં સેલ્ફ ફાઇનાન્સ તથા આરોગ્યમાં કોર્પોરેટ હોસ્પિટલોએ મધ્યમ વર્ગનો દાટ વાળ્યો છે. આ બંનેના કોમર્શિયલાઇઝેશનને રોકવા કોઈ સરકાર કેમ તૈયાર નથી તે જ સમજાતું નથી. પ્રોપર્ટીના ભાવો એટલા આસમાને ચડાવાયા છે કે ૫૦ -૬૦ ચો. વારનું નાનકડું એક બેડરૂમનું મકાન પણ હવે મધ્યમ વર્ગની પહોંચની બહાર નીકળી ગયું છે, એટલે સરકારે હવે એફોર્ડેબલ હાઉસિંગની કેપિટલ સબસિડીવાળી યોજના લાવવી પડી છે. કોલેજોમાં લાખોની ફી તથા ડોનેશનો મધ્યમ વર્ગીય કુટુંબ કયાંથી આપી શકે? આ કેમ રોકાતું નથી?
મધ્યમ વર્ગને રાહત આપવા માટે ઉપરોકત બધા વિષયો પર કેન્દ્ર અને રાજય સરકારોએ પગલાં લેવાં જોઈએ. નાનાં શહેરોના ચહેરા બદલી વધુ રહેવાલાયક બનાવવા જોઈએ. તે માટે તમામ નગરપાલિકાઓ તથા પંચાયતોને નાણાકીય રીતે સક્ષમ બનાવવી જોઈએ. ગુજરાતની નેવુ ટકા પંચાયતો ખોટમાં ચાલે છે. સરકારી ગ્રાન્ટ પર નભે છે. તે લોકોની કઈ સગવડો સંતોષકારક રીતે પૂરી પાડી શકશે? કેન્દ્રીય નાણાં પંચો જે ૧૯૬૨માં ગુજરાતની સ્થાપના સમયે તેનાં નાણાંમાંથી ગુજરાતને ૬ ટકા નાણાં ફાળવતું હતું તે આજે અડધા-માત્ર ત્રણ ટકા જ કેમ થઈ ગયા? રાજયની જિલ્લા આયોજન સમિતિઓને સક્રિય-સક્ષમ બનાવી લોકોની સગવડો ઝડપથી પૂરી પાડવી જોઈએ. રાજયનાં નાણાં પંચોને વધુ ગંભીરતાથી લેવાં પડશે. મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પૂરી કરવા તેમના પ્રશ્નો સમજવા પડશે. તેમની આવક અને ખર્ચની સમીક્ષા કરવી પડશે. જીવનજરૂરી ચીજોના ભાવો પર અંકુશ રાખવા પડશે. નાણાપ્રધાને બજેટની નાણાકીય ખાધ ઘટે તેની સાથે સાથે મધ્યમ વર્ગની ખરીદશકિત વધે તેની ચિંતા કરવી પડશે. તો આ બધું રાજનેતાઓ-બ્યૂરોક્રેટ્સ સમજશે તો મધ્યમ વર્ગને બચાવી શકાશે. જોઈએ વડા પ્રધાને દર્શાવેલી ચિંતા શું રંગ લાવે છે!
Source :-http://www.akilanews.com/Main_news/Detail/26-12-2017/120533

ચૂંટણી પરિણામોનું પોસ્ટમોર્ટમ કરવા ૩૦મીએ બોટાદમાં ચિંતન શિબિર યોજશે પાસ

હાર્દિક સહિતના આગેવાનો હાજર રહેશે : ૨૫૦૦ને અપાયા નિમંત્રણ

નવી દિલ્હી તા. ૨૬ : હાર્દિક પટેલની આગેવાનીવાળા પાટીદાર સંગઠન 'પાટીદાર અનામત આંદોલન સમિતિ' ૩૦ ડિસેમ્બરે બોટાદમાં ચિંતન શિબિર કરશે. તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામનું એનાલિસિસ કરવા માટે હાર્દિક સહિતના આગેવાનો એકઠા થશે.
આ ઉપરાંત, ચૂંટણીઓમાં ઈવીએમના ઉપયોગ સામે વિરોધ કરવાની રણનીતિ પણ આ ચિંતન શિબિરમાં ઘડવામાં આવશે. આ ચિંતન શિબિર તોફાની બની રહે તેવી શકયતા છે, કારણકે પાસના અનેક આગેવાનો ચૂંટણીના પરિણામોને લઈને હાર્દિકથી નારાજ છે.
બોટાદના પાસ કન્વિનર દિલિપ સાબવાએ જણાવ્યું હતું કે, હાર્દિક સહિતના તમામ પાસના આગેવાનોને આ શિબિર માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, લગભગ ૨૫૦૦ જેટલા આગેવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું છે.
આટલા પ્રયાસો બાદ પણ ભાજપની આ ચૂંટણીમાં જીત કઈ રીતે થઈ તે અંગે મનોમંથન કરવામાં આવશે. અમારો મુખ્ય એજન્ડા ઈવીએમનો વિરોધ કરવાની નીતિ ઘડવાનો રહેશે. અમે માનીએ છીએ કે, ભાજપ ઈવીએમમાં ચેડાં કરીને ચૂંટણીઓ જીતવાનું ચાલુ રાખશે તેમ દલિપ સાબવાએ કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે, ઈવીએમ સાથે કઈ રીતે ચેડા કરવા શકય છે તે જાણવા માટે તેઓ સ્વીડનથી એકસપર્ટને બોલાવી શકે છે. સાબવાએ કહ્યું હતું કે, કોંગ્રેસ જનાક્રોશને મતમાં તબદિલ કરવામાં કેમ નિષ્ફળ ગઈ તે અંગે પણ મનોમંથન કરવામાં આવશે. આ ઉપરાંત, પાટીદારોના રોષનો ભાજપ કે કોંગ્રેસ રાજકીય ફાયદો ન ઉઠાવી જાય તે પણ ચોક્કસ કરવામાં આવશે.
અમે ભાજપનો સાથ છોડી ચૂકયા છીએ, પરંતુ જો કોંગ્રેસ પણ અમારો રાજકીય ઉપયોગ જ કરશે તો અમે આમ આદમી પાર્ટી કે પછી એનસીપી જેવા ત્રીજા વિકલ્પને પણ અપનાવી શકીએ છીએ તેમ પણ તેમણે કહ્યું હતું. પાસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સંગઠનમાં અનેક લોકો કોંગ્રેસ દ્વારા કરાયેલી ટિકિટ ફાળવણીથી નારાજ છે. આ ઉપરાંત, કોંગ્રેસને ખૂલીને ટેકો આપવાના હાર્દિકના નિર્ણય સામે પણ આગેવાનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.
Source :-http://www.akilanews.com/Main_news/Detail/26-12-2017/120542

સાવધાન, ફેસબુક મેસેન્જરમાં ફેલાઇ રહ્યો છે માલવેર

ફેસબુક મેસેન્જર યુઝ કરતા હોય તો સાવધાન : ફકત ડેસ્કટોપ અથવા વેબબ્રાઉઝના વર્ઝનને કરે છે પ્રભાવીત

નવી દિલ્હી તા.૨૬ : પહેલીવાર સાઉથ કોરિયામાં જોવા મળેલ એક માલવેર ફેસબુક મેસેન્જર દ્વારા ખૂજ જ ઝડપથી દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે. 'ડિગ્માઇન' નામના આ માલવેર બાબતે ટોકયોની સાઇબર સિકયોરિટી એજન્સી ટ્રેડ માઇક્રોએ ચેતવણી જાહેર કરી છે. જે મુજબ સાઉથ કોરિયા બાદ આ માલવેર વિયેતનામ, અજરબૈજાન, યુક્રેન, ફિલીપીન્સ, થાઈલેન્ડ અને વેનેઝુએલામાં પગ પેસારો કરી ચૂકયો છે.
નિષ્ણાંતો મુજબ આ માલવેર ખૂબ ઝડપથી અન્ય વિકસિત અને વિકાસશીલ દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે. જોકે હાલ આ માલવેર ફેસબુક મેસેન્જરના ડેસ્કટોપ અથવા વેબબ્રાઉઝર વર્ઝનને જ પ્રભાવિત કરી રહ્યો છે. ટ્રેંડ માઇક્રોએ પોતાના બ્લોગમાં લખ્યું કે આ માલવેરની ફાઇલને અન્ય બીજા કોઈ પ્લેટફોર્મ પર ખોલવામાં આવે તો તે બેઅસર રહે છે.
ડિગ્માઇનને ઓટોઇટ કોડમાં તૈયાર કરવામાં આવેલ એકિઝકયુટેબલ સ્ક્રિપ્ટ ફાઇલ છે. જે વીડિયો જેવી દેખાય છે તેમજ જો તમે ફેસબુક એકાઉન્ડ ઓટો લોગઇન પર મુકેલું હશે તો તમારા એકાઉન્ટમાંથી ડિગ્માઇન તમારા ફ્રેન્ડને આ ફાઇલ મેસેજ સ્વરુપે મોકલી દે છે. આ એક ફંકશનાલિટી કોડ છે જેને કમાન્ડ એનડ કંટ્રોલ સર્વરથી પુશ કરવામાં આવે છે જેનો મતલબ છે કે તેને અપડેટ પણ કરી શકાય છે.
આ માલવેર શકય તેટલી વધુવાર યુઝરના કોમ્પ્યુટરમાં રહેવાનો તમામ પ્રાયસ કરે છે અને વધુ નુકસાન પહોંચાડવાની કોશિષ કરે છે. આ માલવેરની મદદથી કોઈ તમારા કોમ્પ્યુટરના ઇન્સ્ટોલિંગ અને રજિસ્ટ્રેશન જેવા કમાન્ડ પર પણ કાબુ રાખી શકે છે.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/26-12-2017/120605

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App




 CLICK HERE TO DOWNLOAD





Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

1 comment: