સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 1 December 2017

હદ હો ગઇઃ યુપીના સહરાનપુરમાં અપક્ષના ૩૦૦ કુટુંબીઃ મત એકપણ ન મળ્યો! - કોંગ્રેસરની સરકાર આવે તો સેલ્ફ ફાઇનાન્સ ભણતરનું ગ્રાન્ટેડમાં રૂપાંતરઃ ફી ૯પ ટકા જેટલી ઘટશે - હાર્દિક, અલ્પેશ અને જીજ્ઞેશને કરે એટલી સભા કરવા દો - રાહુલના મંદિરોના ફેરા ફોગટ? ધાર્મિક ગુરૂઓ-સંસ્થાઓના ભાજપને આશીર્વાદ! - હાર્દિકની તોળાતી ધરપકડ, રાજકોટમાં મંજૂરી વિના સભા, ખર્ચ કોણે કર્યો તેની તપાસ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

હદ હો ગઇઃ યુપીના સહરાનપુરમાં અપક્ષના ૩૦૦ કુટુંબીઃ મત એકપણ ન મળ્યો!
ઝીરો મત મળ્યોઃ ઇવીએમમાં ગરબડીની આશંકાઃ પંચને રજૂઆત

   સહારનપુર તા. ૨ : ઉત્તરપ્રદેશમાં ૧૬ પાલિકાઓની ચૂંટણીમાં ઈવીએમમાં કેટલીક ગરબડો સામે આવી છે. સહારનપુરમાં નૂરબસ્તીમાંથી ઉભેલા એક અપક્ષ ઉમેદવારને પોતાનો જ વોટ મળ્યો નથી. તેમને કુલ '૦'મત મળતાં અધિકારીઓ સહિત તમામ લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે. અપક્ષ ઉમેદવાર શબાનાએ કહ્યું કે, તેમનો વોટ કયાં ગાયબ થઈ ગયો તે જ તેમને સમજાતું નથી.
   મીડિયા સમક્ષ તેમણે પોતાની ફરિયાદ કરી હતી અને ચુંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલ કર્યો હતો. શબાનાના દાવા પ્રમાણે તેમના પરિવારમાં કુલ ૩૦૦ જણાં છે અને તેમાંથી એક પણ જણનો વોટ તેમને મળ્યો નથી. શબાનાને બીજા બુથ પરથી એકાદ બે વોટ મળ્યા છે પણ જયાં તેમના ૩૦૦ પરિવાજનોએ વોટ આપવાનો હતો ત્યાં તેમને શૂન્ય વોટ મળ્યો છે.
   આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ પણ થયો છે. આ ઉપરાંત લખનૌમાં પણ ઈવીએમની ગરબડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીંના એક યુવાન ઉમેદવારે આ અંગે લેખિતમાં પંચને ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં મતદાન વખતે ઘણાં લોકોએ ઈવીએમની ગરબડ વિશે ફરિયાદો કરી હતી.

Source :-http://www.akilanews.com/02122017/main-news/1512194269-118970

કોંગ્રેસરની સરકાર આવે તો સેલ્ફ ફાઇનાન્સ ભણતરનું ગ્રાન્ટેડમાં રૂપાંતરઃ ફી ૯પ ટકા જેટલી ઘટશે
કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી ઋચી ગુપ્તાની સ્પષ્ટવાતઃ ફીકસના બદલે ફુલ પગાર અપાશે

   અમદાવાદ તા.ર : હરિયાણાના પુર્વ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ભારતના  વિવિધ રાજયોમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી અલગ અલગ વાતો કરે છે. પરંતુ ગુજરાતમાં ભાજચપના રર વર્ષના શાસનનો હિસાબ આપવાના બદલે દુર ભાગી રહયા છે. ગુજરાત સાથે મારે વિશેષ સબંધ છે. ગુજરાત અને ગુજરાતીઓની મહેનત અને ઉદ્યોગ સાહસિકતાને વંદન કરુ છેુ પણ હકિકતમાં ભાજપની જનવિરોધી નિતીના કારણે ગુજરાતની જનતા હેરાન પરેશાન છે. દશ વર્ષના કોંગ્રેસ શાસિત હરિયાણા અને દસ  વર્ષના ભાજપ શાસિત ગુજરાતના ઘણા બધા માપદંડો જોઇએ તો જેમ કે હરિયાણા વ્યકિતદીઠ આવ ક ૧,૩પ,૦૦૦ છે જયારે ગુજરાતમાં વ્યકિત દીઠ આવક ૭પ.૧૧પ રૂપીા છે. ર૦૦૪ થી ર૦૧૦ વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે હરિયાણાએ ર૧.ર ટકા ખર્ચમાં વધારો કર્યો. જયારે ગુજરાતમાં માત્ર ૧૦.પ ટકાનો જ વધારો કરવામાં આવ્યો અને તે પણ આ નાણાં ઉપયોગ શિક્ષણ સિવાય અન્ય જગ્યાએ ખર્ચ કરતા ગુજરાત ર૦ મા ક્રમાકે ધકેલાઇ ગયુ છે. આરોગ્યક્ષેત્રે ગુજરાત પાછળ છે.
   ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ ગુજરાતના નાગરિકો માટે શિક્ષણ આરોગ્ય યુવાનોને રોજગાર, ખેડુતોના દેવામાફી સહિત અનેક મુદાઓ પર વિસ્તૃત કામગીરી કરીને ન્યાય આપવા માટે પ્રતિબધ્ધતા જાહેર કરી ચુકયા છીએ. નવ વિકાસ સુચકાંક રાજયનો કંગાળ દેખાવ રાજયના વિકાસનો આધાર બે બાબતો ઉપર હોય છે. આર્થિક વિકાસ એ માનવ વિકાસ, આર્થિક વિકાસમાં તો ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. સાથે સાથે માનવ વિકાસમાં પણ ઘણુ પાછળ રહી ગયું છે.
   કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા શ્રી પ્રિયંકા ચતુર્વેદીએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ સંબોધન કરીને તેમની સમસ્યાઓ જાણવા મળી, દરેક મહિલા સંવાદમાં મોંઘા શિક્ષણ, મોઘવારી અને સ્વરોજગારી , મહિલા સુરક્ષા સહિત અનેક પ્રશ્નો ઠેરઠેર ઉજાગર થયા ત્યારે કોંગ્રેસ પક્ષ મહિલાઓને ન્યાય માટે અને ખાસ  કરીને તેમના બાળકોને વ્યાજબી ફીમાં શિક્ષણ ઉપલબ્ધ થાય તે માટે પ્રતિબધ્ધ છે.
   કોંગ્રેસ પક્ષ વિદ્યાર્થી અને યુવાનો માટે મોટી જાહેરાત કરતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મંત્રી ઋચી ગુપ્તાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ સતામાં આવતાની સાથે જ સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓ અને યુનિ.માં ચાલતા સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોને સંપુર્ણપણે સરકારી અને  ગ્રાન્ટેડ ધોરણે રૂપાંતર કરશે એટલે કે આ નિર્ણયથી તાત્કાલીક અસરથી વિદ્યાર્થીઓની ફીમાં ૯પ ટકા જેટલો ઘટાડો થશે. જેથી ગુજરાતમાં ૪ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે.
   કોંગ્રેસ પક્ષના નિર્ણયથી માત્ર ગુજરાત યુનિવર્સિટીના ૧.રપ લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે અને જયોર રાજયના ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે.

Source :-http://www.akilanews.com/02122017/gujarat-news/1512195024-66778


હાર્દિક, અલ્પેશ અને જીજ્ઞેશને કરે એટલી સભા કરવા દો
ગુજરાત બીજેપીને આ પ્રકારની સુચના મોદી ટીમમાંથી મળી ગઇ છે અને આવી સુચના આપવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે બીજેપી આ ઇલેકશનમાં મતોનું ધ્રુવીકરણ જોઇ રહી છે

   નવી દિલ્હી તા.૨ : ગુજરાત વિધાનસભાના ઇલેકશનની સ્ટ્રેટેજી દરરોજ બદલાય છે અને બદલાયેલી સ્ટ્રેટેજી સાથે બીજેપી અને કોંગ્રેસ કામ કરી રહી છે. આ સ્ટ્રેટજીમાં છેલ્લા એક વીકથી નાવી જ દિશામાં વિચારવાનું શરૂ થયું છે અને એ વિચાર મુજબ જ નરેન્દ્ર મોદીની ટીમ દ્વારા ગુજરાત બીજેપીને એવી સુચના આપી દેવામાં આવી છે કે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર કે પછી જીજ્ઞેશ મેવાણી જેટલી સભાઓ કરે એટલી તેમને કરવા દો, લાભ બીજેપીને જ થવાનો છે. હકીકત એ છે કે બીજેપી આ ત્ર કમ્યુનિટીના આંદલનને લીધે મતોના ધ્રુવીકરણનો લાભ જોઇ રહી છે. બીજેપીના એક નેતાએ કહ્યું હતું કે 'પાટીદાર, ઓબીસી અને દલિત નેતાઓએ જે પ્રકારે છેલ્લા અઢી વર્ષમાં આંદોલન ચલાવ્યું છે એ જોઇને હવે બીજી બધી કમ્યુનિટી થાકી ગઇ છે. આ નેતાઓ જેટલુ વધારે બોલે છે એટલા એ બધા બીજેપી તરફ વધુ ઝુંકે છે અને એ જ કરવાની અત્યારે નીતિ છે.'
   આ ત્રણ કમ્યુનિટીમાં પાટીદારોનું આંદોલન સૌથી ઉગ્ર છે પણ એવું માનવાની જરૂર નથી કે ગુજરાત ભરના પાટીદારો આ આંદોલન સાથે હોય. કોર કમિટીમાં જોડાયેલા અને ઉત્તર પ્રદેશના ઇલેકશનમાં બીજેપી માટે એકિટવ રોલ કરનારા બીજેપીના એક નેતાએ કહ્યું હતું કે 'સુરેન્દ્રનગર, જુનાગઢ, જામનગર, રાજકોટ, અમરેલી, મહેસાણા અને આશિંક રીતે ભાવનગર એમ આ સાત જીલ્લાના પાટીદારોમાંથી પણ અમુક પાટીદારો જ આંદોલન સાથે જોડાયેલા છે આ જીલ્લાનાં જે પાટીદારો દક્ષિણ ગુજરાતમાં સેટ થયા છે એ તેમને ત્યાં સપોર્ટ કરે છે, પણ એમ છતાં બધા પાટીદારોની વાત નથી અને અન્ય જીલ્લાના પાટીદારો પહેલા પણ આંદોલન સાથે હતા નહી અને અત્યારે પણ છે નહી. આ વિસ્તારના પાટીદારોની ગણતરી કરો તો એ હાર્ડલી બારથી પચીસ ટકા જેટલા મતો છે. પણ એ સિવાયના ૭૫થી ૯૦ ટકા અન્ય કમ્યુનિટીના લોકો છે જેમના મતોના ધ્રવીકરણનો સીધો લાભ બીજેપીને મળશે અને એટલે હવે સ્પષ્ટ રીતે દેખાય છે કે બીજેપી આ વખતે ૧૩૫થી ૧૫૦ સીટ સુધી પહોંચી શકે છે.'
   મતોના આ ધ્રુવીકરણની સ્ટ્રટેજી બીજેપી માટે નવી નથી. ઉતર પ્રદેશની વિધાનસભા ઇલેકશનમાં આ જ ધ્રુવીકરણનો લાભ બીજેપીએ લીધો હતો અને ગઇ કાલે નગરપાલિકાના ઇલેકશનમાં પણ આ જ બેનિફિટ મળ્યો છે.

Source :-http://www.akilanews.com/02122017/main-news/1512194216-118968

રાહુલના મંદિરોના ફેરા ફોગટ? ધાર્મિક ગુરૂઓ-સંસ્થાઓના ભાજપને આશીર્વાદ!
રાહુલે મંદિરોમાં જવાનુ હવે શરૂ કર્યુ પરંતુ ગુજરાતના મંદિરો અને મઠો સાથે મોદીના વર્ષોથી સારા સંબંધો છેઃ ગુજરાતના મોટાભાગના આધ્યાત્મિક ગુરૂઓ અને સંસ્થાઓ મોદીને સમર્થન કરતા હોય છેઃ મોદીના મઠાધિશો અને સંપ્રદાયના વડાઓ સાથે વ્યકિતગત સંબંધો છે
રાહુલના મંદિરોના ફેરા ફોગટ? ધાર્મિક ગુરૂઓ-સંસ્થાઓના ભાજપને આશીર્વાદ!

   નવી દિલ્હી તા.ર : મોટાભાઇ તરીકે જાણીતા ગુજરાતના આધ્યાત્મિક ગુરૂ રમેશભાઇ ઓઝાએ હાલમાં જ પોતાના અનુયાયીઓને કહ્યુ હતુ કે, જીએસટી થોડા મહિનાઓની સમસ્યા છે. દેશના હિતમાં વડાપ્રધાન મોદીને સમર્થન કરવાની અપીલ કરતા તેમણે કહ્યુ હતુ કે, જયારે કોઇ ટ્રેન ટ્રેક બદલતી હોય તો ધીમી પડી જાય છે અને થોડો ઘણો અવાજ પણ આવતો હોય છે. એવામાં તમારે કહેવુ જોઇએ કે, ઠીક છે, અમે તમારી સાથે છીએ કારણ કે એ વ્યકિત આપણા બધા માટે કામ કરી રહ્યો છે તેમણે વડાપ્રધાન મોદીને દેશની શ્રેષ્ઠતા માટે કામ કરનાર નેતા ગણાવ્યા હતા. દેશના સૌથી શ્રીમંત અંબાણી પરિવાર પણ રમેશભાઇ ઓઝાના ચુસ્ત અનુયાયીઓ પૈકીના એક છે.
   આનાથી જણાય છે કે, ગુજરાતના મંદિરો અને મઠોમાં પીએમ મોદીનો સારો એવો ઘરોબો છે અને અસર છે. જયારે રાહુલે હાલમાં જ મંદિરોમાં જ જવાનુ શરૂ કર્યુ છે પરંતુ મોદીના મુળ મઠ અને મંદિરોમાં ઉંડા છે. એક અન્ય પ્રભાવશાળી આધ્યાત્મિક ગુરૂ મોરારીબાપુએ પોતાના અનુયાયીઓને કહ્યુ હતુ કે ચૂંટણી દરમિયાન તેઓએ પોતાની પસંદને લઇને સતર્ક રહેવુ જોઇએ કારણ કે એવુ વારંવાર નથી થતુ કે રાજકાજમાં ધર્મની રક્ષા કરનારા નેતા મળે.
   રમેશભાઇ ઓઝા અને મોરારીબાપુ એવા પ્રભાવશાળી આધ્યાત્મિક લોકોમાંથી એક છે કે જેમનુ વર્ચસ્વ ગુજરાતની મોટાભાગની વસ્તી ઉપર છે. હિન્દુઓમાં જ અનેક પ્રકારના સંપ્રદાય ગુજરાતમાં પ્રચલિત છે અને તેઓનો લોકોના જીવન ઉપર ઉંડો પ્રભાવ છે. સામાન્ય રીતે આ સંગઠનો રાજકીય ટિપ્પણી નથી કરતા પરંતુ એક મામુલી સંકેત પણ અનુયાયીઓના મતદાનની દિશા નક્કી કરી દયે છે.
   આ મઠોની અપીલની અસર છે કે મોટાભાગના અનુયાયીઓ તમાકુ, દારૂ કે માંસનું સેવન નથી કરતા. ખાસ વાત એ છે કે આમાંથી મોટાભાગના ગુરૂ અને સંપ્રદાય ભાજપ અને ખાસ કરીને પીએમ મોદીનું સમર્થન કરતા હોય છે.
   કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના ગુજરાતના પ્રવાસમાં સતત મંદિરોની મુલાકાત લઇ રહ્યા છે પરંતુ પીએમ મોદીના મોટાભાગના મઠોના મઠાધિશો અને સંપ્રદાયના વડાઓ સાથે વ્યકિતગત સંબંધ છે એવામાં એ જોવાનુ રહેશે કે રાહુલ ગાંધીને મંદિરો અને મઠો તરફથી કેટલા આશીર્વાદ મળે છે. ર૦૧૪માં સામાન્ય ચૂંટણીમાં ભાજપના બમ્પર વિજય બાદ અંબાજી મંદિરમાં યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સંતોએ પીએમ મોદીને ભારતના ભાગ્ય વિધાતા ગણાવ્યા હતા. એક વર્ષ પહેલા જ સ્વામી નિત્યસ્વરૂપદાસે કહ્યુ હતુ કે, જો આપણે દેશને સુરક્ષિત બનાવવો હોય તો આપણે પીએમ મજબુત કરવા પડશે. આવતીકાલે મોદી અમદાવાદમાં સ્વામીનારાયણ સંપ્રદાયના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.
   રાજકીય વિશ્લેષક કહે છે કે, સંપ્રદાયોની પરંપરાના પ્રભાવને કારણે ગુજરાતમાં મોટી વસ્તી કોંગ્રેસના સેકયુલરીઝમ સાથે ખુદને નથી જોડતી. સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવારથી લઇને બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ સંસ્થા અને અન્ય સ્વામીનારાયણ સંપ્રદાયોથી લઇને તમામ કથા વાચક હિન્દુ વિચારક તરીકે કામ કરે છે. આ સંસ્થાઓ પશ્ચિમી સંસ્કૃતિનું ખંડન કરતા ભારતીય મૂલ્યોને પ્રોત્સાહીત કરતી હોય છે. ભાજપના એક નેતાનુ કહેવુ છે કે ગુજરાતના મોટાભાગના લોકો ધાર્મિક છે. આમાંથી મોટાભાગના સંગઠન લોકોને અવસાદમાંથી બહાર કાઢવાનુ કામ કરે છે. આનાથી તેઓનો પ્રભાવ વધતો જાય છે.

Source :- http://www.akilanews.com/02122017/main-news/1512194300-118971

હાર્દિકની તોળાતી ધરપકડ, રાજકોટમાં મંજૂરી વિના સભા, ખર્ચ કોણે કર્યો તેની તપાસ

નાનામવા સર્કલ પાસે હાર્દિક પટેલની મહાક્રાંતિ સભા સમૂહ સંમેલનના બદલે રાજકીય લાભ માટે યોજાઇ

રાજકોટ: રાજકોટના નાના મવા સર્કલ પાસે 29મીએ હાર્દિક પટેલની મહાક્રાંતિ સભા મંજૂરી વગર યોજવાના પ્રકરણમાં રિટર્નિંગ ઓફિસરે ગુરુવારે રાત્રે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા હવે રિટર્નિંગ ઓફિસરને આ સભાનો ખર્ચ કોણે ભોગવ્યો છે? તેની તપાસનો આદેશ કરાયો છે. તેમજ વીડિયો રેકોર્ડિંગના ફૂટેજ ચૂંટણીપંચને મોકલી આપવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, નાનામવા સર્કલ પાસે હાર્દિક પટેલની મહાક્રાંતિ સભા સમૂહ સંમેલનના બદલે રાજકીય લાભ માટે યોજાઇ હોય તેમ જણાતા તેના વીડિયો રેકોર્ડિંગના ફૂટેજ ચૂંટણીપંચને મોકલવામાં આવ્યા છે. તેમજ 69-રાજકોટના રિટર્નિંગ ઓફિસર પ્રજ્ઞેશ જાનીને આ જાહેરસભા કોના રાજકીય લાભ માટે યોજાઇ છે અને તેનો ખર્ચ કોણે આપ્યો છે તેની તપાસ કરવા આદેશ કરાયો છે.
મહાક્રાંતિના બેનર હેઠળ મંજૂરી વગર ગેરકાયદેસર સભા યોજી
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે નાના મૌવા સર્કલ પેટ્રોલ પંપની બાજુમાં આરએમસીના ગ્રાઉન્ડમાં તુષાર ગોવિંદ નંદાણીએ વોર્ડ નં.8,9 અને 10માં રહેતા ભાઇ-બહેનોનું દિવાળી પછીનું સ્નેહમિલન રાખવાનું હોય અને સમાજના આગેવાન સંબોધન કરશે તેવી અરજી હેતુથી મહાક્રાંતિના બેનર હેઠળ મંજૂરી વગર ગેરકાયદેસર સભા યોજી, ગેરકાયદેસર મંડળીઓ બનાવી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો છે. જેમાં તુષાર ગોવિંદ નંદાણી અને હાર્દિક પટેલના આરોપી તરીકે ફરિયાદમાં નામ છે.

આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજકોટ શહેર-જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાંથી 6 બેઠક  પર પ્રિસાઇડિંગ ઓફિસરો, ફર્સ્ટ પોલિંગ, પોલિંગ ઓફિસરો અને મહિલા પોલિંગને તાલીમના કાર્યક્રમ શુક્રવારથી શરૂ કરી દેવામાં આવ્યો છે અને ચૂંટણી ફરજ પર મુકવામાં આવેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમની સાથોસાથ આઠેય વિધાનસભા બેઠકના ટેબલ નાખી પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે જ 2298 મતદારોએ મતદાન કર્યું હતું.

સ્નેહમિલનના નામે મહાક્રાંતિ સભા બદલ ગુનો નોંધાયો

 રાજકોટમાં નાના મવા સર્કલ પાસે બુધવારે મહાક્રાંતિ સભા કરનાર હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો છે. કોંગ્રેસના કાર્યકર તુષાર નંદાણીએ દિવાળી પછી સ્નેહમિલનની અરજી કરી હતી. જેમાં હાર્દિક પટેલ સંબોધન કરશે તેવું જણાવ્યું હતું અને બાદમાં સ્નેહમિલનના નામે મહાક્રાંતિ સભા કરી હતી. જેથી આ ગુનો દાખલ કરવામાં આવ્યો છેે. 

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, નાનામવા સર્કલ પાસે હાર્દિક પટેલની મહાક્રાંતિ સભામાં 14 હજારથી વધુ મેદની હાજર રહી હોવાનો આઈબીનો રિપોર્ટ હતો. આ સંમેલન પૂર્વે કોંગ્રેસના કાર્યકરે એવી અરજી કરી હતી કે વોર્ડ નંબર 8,9,10 માં રહેતા પાટીદાર ભાઈ બહેનોનું દિવાળી પછી સ્નેહમિલન રાખવામાં આવ્યું છે.

જેમાં સમાજના આગેવાનો સભાને સંબોધન કરશે પરંતુ બાદમાં મહાક્રાંતિના બેનર હેઠળ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે મંડળી રચી સભા યોજી રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો છે.  પ્રાંત અધિકારી અને 69 વિધાનસભાના ચૂંટણી અધિકારી પ્રજ્ઞેશ જાનીની ફરિયાદ પરથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં હાર્દિક પટેલ ઉપરાંત તુષાર નંદાણી તથા અન્ય આગેવાનો સામે ફરિયાદ થઈ છે.

ફરિયાદીએ વિશેષમાં જણાવ્યું છે કે અરજી નામંજૂર થયા બાદ  તુષાર નંદાણીએ ફરીથી 26/11 ના રોજ હાર્દિક પટેલ સભાને સંબોધન કરશે તેમ જણાવી ફરીથી અરજી કરી હતી અને આ અરજીને મંજૂરી મળી ના હતી. અામ છતાં આર એમસીના પ્લોટમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના બહાના હેઠળ સભા કરી હતી.


Source :- https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-order-to-inquire-about-who-has-spent-the-cost-of-hearty-meetings-in-rajkot-gujar-5759633-PHO.html?ref=ht&seq=1

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment