સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 5 December 2017

ગુજરાત પરથી ટળ્યો ‘ઓખી’નો ખતરો, સામાન્ય વરસાદની સંભાવના - સુરતઃ વાવાઝોડાનું સંકટ ટળ્યું, આવી રીતે દરિયામાં જ ઓખીનો પડી ગયો ખેલ - જિગ્નેશ મેવાણીના કાફલા પર હુમલો, પથ્થર મારી ગાડીના કાચ તોડ્યા - જયરાજસિંહના ગઢમાં હાર્દિકનો કોંગ્રેસ સાથે રોડ શો બન્યો ચર્ચાનો વિષય

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

ગુજરાત પરથી ટળ્યો ‘ઓખી’નો ખતરો, સામાન્ય વરસાદની સંભાવના


ઓખી વાવાઝોડું મંગળવારે સાંજે 7 કલાકે સુરતથી 270 કિમી દૂર પહોંચ્યું હતું
અમદાવાદ: વાવાઝોડું ઓખી સમુદ્રમાં જ સમાઈ ગયું છે, પંરતુ તેની અસર તળે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી હતી. ઓખી વાવાઝોડું મંગળવારે સાંજે 7 કલાકે સુરતથી 270 કિમી દૂર પહોંચ્યું હતું. વાવાઝોડાને કારણે દરિયામાં પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાકની છે. વાવાઝોડું ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં હોવાથી રાજ્યમાં હજુ પણ બે દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે જ રાજ્યમાં 60થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. રાજ્યમાં 115 વર્ષમાં પહેલી વાર વાવાઝોડાને કારણે ડિસેમ્બરમાં વરસાદ પડ્યો છે.
કાલે જ નબળુ પડ્યું હતું ઓખી

વાવાઝોડું નબળું પડ્યું હોવાના સમાચાર મળ્યા હતાં. અને મોડી રાત્રે તે દરિયામાં સમાય તેવી શક્યતા હતી.મંગળવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અડધોથી 2 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સુરત પર સૌથી વધુ અસર હોવાને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્ય સચિવ જે.એન. સિંઘ સાથે સુરત પહોંચ્યા હતા અને તાકીદની બેઠક બોલાવી પરિસ્થિતિની ચર્ચા કરી હતી. સમુદ્રમાં માછીમારી માટે ગયેલી 13 હજાર જેટલી બોટને પાછી બોલાવી લેવાઈ છે, જ્યારે હજુ પણ દરિયામાં રહેલી 1 હજાર જેટલી બોટને પરત લાવવાના પ્રયાસ ચાલુ છે.
ગેસ કાઢવાનું બંધ કરાયું હતું

સુરતના હજીરા પાસે દરિયામાંથી ગેસ કાઢવાના 5 બેઝિનનું કામકાજ તાત્કાલિક ધોરણે બંધ કરાવાયું છે. સુરત શહેરમાં જનજાગૃતિ માટે 13 લાખથી વધુ એસએમએસ કરાયા છે. સુરતના દરિયાકાંઠે આવેલા 29 ગામના 3,360 લોકોનું સ્થળાંતર કરાયું છે. ભરૂચ અને વલસાજ જિલ્લાના 7 હજાર જેટલા અગરિયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. ઓખી વાવાઝોડાંની અસરને પગલે દક્ષિણ સૌરાષ્ટ્રનાં અમરેલી, ગિર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાનાં સમુદ્રતટે માછીમારી પ્રવૃત્તિને ભારે અસર પહોંચી છે. તમામ ફિશરીઝ હાર્બરમાં બોટોનો ખડકલો થઇ જતાં ટ્રાફિક જામ જેવી સ્થિતી સર્જાઇ છે. સોમનાથ તીર્થમાં પણ યાત્રિકોની સંખ્યા સાવ પાંખી થઇ ગઇ છે.

અમરેલી, વેરાવળ, પોરબંદર સહિતના માછીમારોને નુકસાન
ઓખી વાવાઝોડાને પગલે માછીમારી કરવા ગયેલી દક્ષિણ સૌરાષ્ટ્રની બોટોને પરત ફરવું પડ્યું છે. ભરસીઝને અંદાજે 13,000થી વધુ બોટો પરત આવીને કિનારે લંગારવામાં આવી છે. દરિયામાં ઉઠતા લોઢ જેવા મોજાંઓને કારણે કિનારે લંગારાયેલી આ બોટો એક-બીજા સાથે અથડાઈ રહી છે, જેના કારણે બોટોને પણ મોટું નુકસાન થવાની સંભાવના છે. અન્ય રાજ્યનાં માછીમારોએ નજીકના બંદરોએ આશરો લીધો છે.

બંદરોએ 2 અને 3 નંબરનું સિગ્નલ

રાજ્યના તમામ બંદરો પર 2 અને 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સમુદ્રમાં ફસાયેલા માછીમારોને રેસ્ક્યુ કરવા માટો કોસ્ટગાર્ડ કામગીરી કરી રહ્યું છે. દરિયાકિનારે વસેલા માછીમારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વાવાઝોડાની અસર અને આફત

-ભરૂચ, વલસાડમાં 7 હજાર અગરિયાને ખસેડાયા
- આરોગ્ય વિભાગના તમામ કર્મીઓની રજા રદ કરાઈ
- સમગ્ર રાજ્યમાં વાતાવરણ પલટો, અડધોથી 2 ઈંચ વરસાદ
-ઓલપાડ સહિત સુરતમાં કાંઠાના 29 ગામોના 3360 લોકોનું સ્થળાંતર
- રાજ્યના વિવિધ બંદર પર બોટોનો ખડકલો થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ
- રાજ્યના તાપમાનમાં સરેરાશ 6-10 ડિગ્રીનો ઘટાડો થતાં લોકો ઠુંઠવાયા
- વલસાડમાં કલાકો સુધી વીજપુરવઠો ખોરવાઈ જતાં શહેરીજનો અકળાયા
- વાલોડ-વ્યારાના માર્કેટયાર્ડમાં ડાંગરની 50,000થી વધુ ગુણો પલળી જતાં નુકસાન
- 108 અને મેડિકલ સ્ટાફની ટીમને એલર્ટ રહેવા માટે સરકારની સૂચના
- અરવલ્લીના માલપુરમાં કરા પડયા
- હાંસોટ-વમલેશ્વરના ચાર નાવિક ત્રણ દિવસથી લાપતા, બે બોટનો પત્તો નથી
- રાજ્યભરમાં બે દિવસ સુધી ભારે વરસાદની સંભાવના
- સુરતમાં સૌથી વધુ સંકટ હોવાથી રૂપાણી સુરત પહોંચ્યા
ટ્રેન, ફ્લાઇટ અને વાહનવ્યવહાર ખોરાવાયું

- અમદાવાદ એરપોર્ટ પર આવતી-જતી 21થી વધુ ફ્લાઈટો 8 કલાક સુધી લેટ
- સુરતની 9 જેટલી ફ્લાઈટો રદ,
- એસટી નિગમે કંટ્રોલ રૂમ શરૂ કર્યો
- સુરત, વાપી અને વલસાડમાં બુધવારે પણ શાળા-કોલેજ બંધ રહેશે
- મોદીની બુધવારની સભા રદ,
-રૂપાણીની ફ્લાઇટ અડધો કલાક હવામાં

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-cyclone-ockhi-storm-weak-in-arabian-sea-near-surat-NOR.html?ref=ht

સુરતઃ વાવાઝોડાનું સંકટ ટળ્યું, આવી રીતે દરિયામાં જ ઓખીનો પડી ગયો ખેલ


62 કિમીની ઝડપનું ડીપ ડિપ્રેશન 50 કિમીના ડિપ્રેશનમાં ફેરવાતા હાશકારો
સુરત: નોર્થ ઇસ્ટ દિશાથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે દરિયાની સપાટી ઠંડી બની જતા મંગળવારે રાત્રે 10 પછી સુરત તરફ આવતાં ઓખી વાવાઝોડું નબળું પડી જતા હાશકારો થયો છે. આ પહેલા 88 કિલોમીટર પ્રતિ કલાકની પવનની મહત્તમ ઝડપ સાથે આગળ વધતું ઓખી સાયક્લોનિક સ્ટોર્મ (વાવાઝોડું ) નબળું પડીને મંગળવારે દરિયામાં 62 કિલોમીટરની ઝડપ ધરાવતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું. સુરત નજીક આવતા તે 50 કિલોમીટરની ઝડપ ધરાવતા સામાન્ય ડિપ્રેશનમાં બદલાઇ ગયું હતું. એક રીતે કહી શકાય કે, સુરત પરની ઘાત મંગળવારે ટળી ગઇ હતી. જોકે, એક બે દિવસ ઠંડક સાથે વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.
રાતે 12 કલાકે ઓખી વાવાઝોડું સુરતથી લગભગ 100 કિમી દૂર દરિયામાં હતું
સુરતમાં ઓખી ત્રાટકે એ પહેલા મંગળવારે વહેલી સવારથી જ મહત્તમ તાપમાન અધધ 8 ડિગ્રી ગગડીને 19.4 ડિગ્રીએ અને લઘુત્તમ 18.4 પર પહોંચી પહોંચી જતાં વરસાદી માહોલ સાથે શહેર ઠંડુગાર બની ગયું હતું. શહેરમાં 7 એમએમ જેટલો વરસાદ નોંધાયો હતો.નોર્થ ઇસ્ટથી 10 કિલોમીટરની ઝડપે ઠંડા પવનો પણ ફૂંકાતા હતા.ભેજનું પ્રમાણ વધીને 96 ટકા થઇ ગયું હતું. લોકોએ રેઇન કોટ સાથે ગરમ કપડા પણ પહેરવાની ફરજ પડી હતી.આવા હવામાનની અસર ઓખીના ફંટાવાનું કારણ બની હતી. મંગળવારે રાતે 12 કલાકે ઓખી વાવાઝોડું સુરતથી લગભગ 100 કિ.મી દૂર દરિયામાં હતું.
બે દિવસ હવામાં ઠંડક રહેશે અને વરસાદી ઝાપટા પડવાની શક્યતા
ઓખી વાવાઝોડાની રેન્જ 400થી 500 કિલોમીટર છે એટલે તેની અસર જમીન પર થાય છે. મંગળવારે સાંજ સુધી સાઇકલોન ડીપ ડિપ્રેશન (પવનની ગતિ 51થી 62 કિમી)માં ફેરવાયું. તે મોડીરાત્રે સુરત નજીક આવતું હતું ત્યારે સામાન્ય ડિપ્રેશન (પવનની ગતિ 31થી50)માં ફેરવાઇ ગયું. જોકે, આગામી બે દિવસ હવામાં ઠંડક રહેશે અને વરસાદી ઝાપટા પડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.
‘મંગળ’વારે દરિયામાં જ ઓખીનો આ રીતે ખેલ પડી ગયો
- સવારે તે મહત્તમ 88 કિમીની ઝડપ સાથે -સાયક્લોનિક સ્ટોર્મ હતું
- સાંજ સુધીમાં તે મહત્તમ 62 કિમીની ઝડપના -ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું
- રાત્રે તે મહત્તમ 50 કિમીની ઝડપના-ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું
સાયક્લોનનો પ્રકાર અને ગતિ
સુપર સાઇકલોનિક સ્ટોર્મ: 221 km/h
એકસ્ટ્રીમની સાઈક્લોનિક સ્ટોર્મ: 160-220 km/h
વેરી સિવિયર સાઈક્લોનિક સ્ટોર્મ: 118-165 km/h
સિવિયર સાઇક્લોનિક સ્ટોર્મ: 89-117 km/h
સાઈક્લોનિક સ્ટોર્મ: 63-88 km/h
ડીપ ડિપ્રેશન: 51-62 km/h
ડિપ્રેશન: 31-50 km/h
આ કારણથી ડિપ્રેશનમાં ફેરવાયું
1. દરિયા અને જમીન પર ઓછું તાપમાન
2. દરિયાની સપાટી ઉપર ઠંડી
3. નોર્થ-ઇસ્ટથી ફૂંકાતા ઠંડા પવનો
દરિયામાં જ નબળું પડ્યું
ઓખી દરિયામાં નબળું પડી ગયું છે. પવનની ઝડપ 40 કિલોમીટરની છે. સુરત પર તેની કોઇ અસર થવાની નથી.
- મહેન્દ્ર પટેલ, કલેક્ટર, સુરત
ડિપ્રેશનમાં ફેરવાઇ જશે
સાઇકલોન હાલમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. સુરત આવતા ડિપ્રેશનમાં ફેરવાશે.
- દિલીપ હિંદવા, ઇન્ચાર્જ મેટ્રોલોજિકલ ઓફિસર

ડુમસ-સુંવાલી સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા
 
ઓખી વાવાઝોડાને પગલે તકેદારી રાખવા માટે ડુમસ અને સુંવાલીની દરિયા પટ્ટી પર સ્થાનિક પોલીસની સાથે પેરા મિલિટરી ફોર્સને પણ તૈનાત કરી દેવામાં આવી છે. ઓખી વાવાઝોડાને લઈને દરિયાઈ પટ્ટી તરફ જવાના તમામ રસ્તાઓ પર મંગળવારે બપોર પછી લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ડુમસ ચોપાટી તથા સુંવાલી બીચ પર ફરવાની સાથે સહેલાણીઓ ભરતીના પાણી જોવા મંગળવારે સવારથી જ ઉમટી પડ્યા હતા. બપોર પછી ડુમસ પોલીસે સહેલાણીઓને દરિયા કિનારેથી બહાર કાઢયા હતા સાથે ડુમસ ચોપાટી પરની ખાણીપીણીની તમામ દુકાનો બંધ કરાવી દીધી હતી.
  
પોલીસ સાથે પેરા મિલિટરી ફોર્સ તૈનાત 
  
ડુમસ પોલીસે ભીમપોર-સુલતાનાબાદ-ડુમસ આ ત્રણેય જગ્યાએ જે પોઈન્ટો પરથી દરિયા કિનારે જઈ શકાય છે, તેવા તમામ પોઈન્ટો પર ડુમસ પોલીસ તેમજ પેરા મિલિટરી ફોર્સને મંગળવારે બપોરથી ગોઠવી દેવામાં આવી છે. આવી જ રીતે હજીરા સુવાલી બીચ પણ હજીરા પોલીસ તેમજ પેરા મિલિટરી ફોર્સ સાથે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અદાણી પોર્ટની નજીકમાં લારી-ગલ્લાઓને બંધ કરાવી દેવામાં આવ્યા છે. સુવાલી બીચ સહેલાણીઓ ફરવા માટે આવતા હોય છે, મંગળવારે બપોરે સુવાલી બીચ ખાણીપીણીની લારીઓ અને દુકાનો પોલીસે બપોરથી બંધ કરાવી દીધી હતી.

સુરત એરપોર્ટ: સ્પાઇસ જેટની તમામ ફ્લાઇટો રદ
 
ચક્રવાત વાવાઝોડાને કારણે મંગ‌ળવારે સુરતમાં વિઝિબિલિટી ઘટી જવા સાથે હવાનું પ્રેશર પણ વઘી ગયું હતું. એરપોર્ટ પર ફ્લાઇટોને લેન્ડિંગ અને ટેક ઓફ કરવામાં ભારે અગવડતા પડી હતી. સ્પાઇસ જેટે તમામ ફ્લાઇટ રદ કરી દીધી છે. જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ યથાવત રહી હતી. બુધવારે ફ્લાઇટ કઈ ફ્લાઇટ રદ કરવામાં આવશે, તે અંગે સ્પાઇસ જેટ તેમજ એર ઇન્ડિયાના અધિકારીએ કહ્યું હતું કે, બુધવારે વાતાવરણની સ્થિતિ રહેશે ને ધ્યાનમાં રાખીને ફ્લાઇટ ચાલુ રાખવી કે બંધ તે અંગેનો નિર્ણય ગુરૂવારે જ લેવાશે.

આજની સ્થિતિ જોઈ કાપડ અને હીરા બજાર શરૂ કરવા નિર્ણય લેવાશે
   
મંગળવાર રાતથી થનારી ઓખીની અસર પહેલાં ટેક્સટાઇલ અને ડાયમંડ સાથે સંકળાયેલા શહેરીજનો પોત-પોતાના ઘરે સલામત રીતે પહોંચી જાય, તે માટે બપોર બાદ કારખાના, મીલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે શહેર ટેક્સટાઇલ અને ડાયમંડના અગ્રણીઓ ઉપરાંત ફોસ્ટા, ડાયમંડ એસો. તથા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓના પ્રેસિડન્ટ  સાથે થયેલી વાતચીત પ્રમાણે, સાંજે 4:30 વાગ્યા બાદ શહેરના રીંગરોડ અને સારોલી સ્થિત ટેક્સટાઇલ માર્કેટ,ટ્રાન્સપોર્ટ ગોડાઉન વગેરે બંધ કર્યા હતા. મહિધરપુરા-વરાછા મીની બજારના ડાયમંડના યુનિટો પણ બંધ કરી રત્નકલાકારાનો રજા આપી દીધી હતી. સચિન, પાંડેસરાં સહિત વિવિધ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ફાયર સેફ્ટી સમેતની ટીમો તૈનાત કરી દેવાઇ હતી. વહેલી સવારથી જ બહારગામથી ટ્રાન્સપોર્ટમાં આવતાં ટેક્સટાઇલ ગુડ્સને અટકાવી દેવાની સાથે મુંબઇમાં પણ ઓખીની અસરને જોતાં મુંબઇના હીરા બજારમાં બપોરથી જ બંધ રહ્યા હતા. કાપડ, ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં વેપાર સામાન્ય રહ્યો હતો. ફોસ્ટા, ડાયમંડ એસો., અન્ય ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં મંગળવારે કરી દેવાયેલી વહેલી રજા બાદ બુધવારે વાવાઝોડાની સ્થિતિને જોતાં નિર્ણય કરાશે.

નર્મદ યુનિ. અને જીટીયુની આજની પરીક્ષાઓ મોકૂફ
 
વાવાઝોડાને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા ધ્યાનમાં રાખી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેક્નોલેજીકલ યુનિવર્સિટીએ બુધવારે લેનારી તમામ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. આટલું જ નહી, કોલેજમાં પણ એક દિવસની રજા આપી છે. જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠે કહ્યું હતું કે, આવતી કાલે કોલેજમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે અને તેમની પ્રેક્ટિકલ પરીક્ષાઓ મોકૂફ છે. પરીક્ષા અંગેનું નવું ટાઇમ ટેબલ કોલેજમાં પહોચાડી દેવાશે. જ્યારે વીએનએસજીયુના રજિસ્ટ્રાર અરવિંદ ધડૂકે કહ્યું હતું કે બુધવારની પરીક્ષા મોકુફ કરાઇ છે, જેના માટે ટાઇમ ટેબલ પણ બનાવી દેવાયું છે.

બપોર બાદ શાળાઓ બંધ રહી, આજે પણ બંધ રહેશે
  

હવામાન વિભાગની આગાહી મુજબ ઓખી વાવાઝોડાના કારણે શહેરમાં મંગળવારે વહેલી સવારથી દિવસભર પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. ઓખી વાવાઝોડું બુધવારે મધરાત બાદ સુરતમાં ત્રાટકવાની સંભાવનાથી વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી બુધવારે શહેરની તમામ શાળાઓ બંધ રાખવા જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કર્યા છે. શહેરમાં બપોર બાદ વરસાદી માહોલ સાથે વિઝિબિલિટી પણ ઓછી થઇ જતાં વિદ્યાર્થીઓને ઘરે પહોંચવામાં તકલીફ ન પડે અને સરળતાથી પહોંચી જાય તે માટે મંગળવારે બપોર પછી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. સોમવારે ડીઇઓએ પરિસ્થિતિ મુજબ આચાર્યોને શાળા ચાલુ રાખવા બાબતે નિર્ણય લેવા સૂચના આપી હતી. શહેરમાં ઉમરીગર, સંસ્કાર ભારતી, ખાટીવાલા, એંગ્લો ઉર્દૂ સહિતની શાળાઓએ મંગળવારે રજા જાહેર કરી દીધી હતી. જે શાળાઓ મંગળવારે ચાલુ હતી તેમાં પણ વિદ્યાર્થીઓની ખૂબ જ ઓછી હાજરી જોવા મળી હતી. 

Source :-https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-LCL-know-about-okhi-cyclone-how-become-weak-by-cold-wind-NOR.html?ref=ht


જિગ્નેશ મેવાણીના કાફલા પર હુમલો, પથ્થર મારી ગાડીના કાચ તોડ્યા

વાહનો પર પથ્થરમારો થયો, હુમલાની મેવાણીએ ટ્વીટ કરી માહિતી શેર કરી

   પાલનપુર: દલિત નેતા જિગ્નેશ મેવાણી સોમવારે પોતાના વડગામ મતક્ષેત્રમાં આવેલા જુદા જુદા ગામોમાં પ્રચાર કાર્ય કરી રહ્યા હતા તે દરમ્યાન ટાકરવાડા અને પટોસણ ગામમાં વાહનો પર પથ્થરો ફેંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે ગઢ પોલીસનો સ્ટાફ તાત્કાલિક પટોસણ પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી.
ઘટના બાદ મેવાણીએ કર્યું ટ્વિટ
જન સંપર્ક યાત્રા ટાકરવાડા ગામમાં પહોંચી હતી જ્યાં જિગ્નેશ મેવાણીની પાછળની કાર પર પથ્થર વડે હુમલો થતા મેવાણીએ પોતાના કાફલા પર થયેલા હુમલાની પ્રથમ જાણ ટ્વીટરથી કરી હતી બાદમાં પટોસણ ગામમાં પહુચેલા મેવાણીનાં કાફલા પર ઠાકોર સેનાના આગેવાનના વાહન પર પથ્થર વડે હુમલો કરી ઇજા પહુચડવાની કોશિષ કરી હતી. આ મામલાની જાણ ગઢ પોલીસને થતા એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહુચી હતી. અને મામલો શાંત પાડ્યો હતો. જિગ્નેશ મેવાણીએ હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો.

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-BSK-OMC-attack-on-the-carnage-of-jignesh-mevani-the-stone-broke-my-cars-glass-gujarati-n-5762338-PHO.html?ref=ht

જયરાજસિંહના ગઢમાં હાર્દિકનો કોંગ્રેસ સાથે રોડ શો બન્યો ચર્ચાનો વિષય

હાર્દિકે રોડ શોમાં જણાવ્યું હતું કે, આપણે અમિત શાહ જેવાની પાર્ટીમાં નથી, ખેડૂતોને પૂરતા ભાવો મળતા નથી

   ગોંડલ: પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને પાસ કન્‍વિનર હાર્દિક પટેલનો મંગળવારે ગોંડલ પંથકમાં રોડ શો યોજાયો હતો. જેમાં ગોંડલના કોલિથડ, અનિડા, મોવિયા, મોટી ખીલોરી, દેરડી, સુલતાનપુર વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ શો તેમજ ગોંડલના મોવિયા ગામે હાર્દિક પટેલે સુપ્રસિદ્ધ સંત હદ્તપરી બાપુની જગ્યાના દર્શન કર્યા હતા. ગોંડલના ગામડાઓમાં ઠેર ઠેર હાર્દિક પટેલનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. ગોંડલ જયરાજસિંહનો ગઢ માનવામાં આવે છે. ત્યારે હાર્દિકના રોડ શોમાં ગોંડલના કોંગ્રેસના ઉમેદવાર અર્જુન ખાટરીયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા. આથી હાર્દિકની સાથે જોડાયેલા અર્જુન ખાટરીયા અને કોંગ્રેસના કાર્યકરોને લઇને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

હાર્દિકે રોડ શો દરમિયાન શું કહ્યું
ગોંડલમાં યોજાયેલા હાર્દિક પટેલના રોડ શોમાં તેણે જણાવ્યું હતું કે, ખેડૂતને ભાવો નથી મળતા, લોકો પરિવર્તન માંગે છે. આપણે તે ભારતીય જનતા પાર્ટીમાં હતા જ્યાં કેશુભાઈ હતા, પાર્ટી હતી, જેમાં જેતપુરના સવજીભાઈ હતા. કાશીરામ રાણા હતા, અટલ બિહારી બાજપાઇ હતા, આપણે અમિત શાહ જેવાની પાર્ટીમાં નથી. હાર્દિકનો રોડ શો ગોંડલ શહેરમાં પ્રવેશવાની મંજૂરી ન હોવાથી બાયપાસથી નીકળી ગયો હતો.



Source :- https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-LCL-hardik-patel-road-show-in-gondal-and-join-congress-candidate-of-gondal-NOR.html?ref=ht

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD


Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment