સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday 10 December 2017

૪પ% લોકોએ કામ નિપટાવવા લાંચ આપીઃ સર્વે - મોટા ગુંદા ગામે ભાજપના પોલીંગ એજન્ટને માર પડયો - પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર મોંઘીદાટઃ પાંચમાંથી એક પરિવાર ઉધાર લઇને કે પ્રોપર્ટી વેચીને ચુકવે છે બીલ - સુરત એનાલિસિસ: મતદાર વધ્યા છતાં ઓછા મતદાનને કારણે ભાજપ ગેલમાં

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

૪પ% લોકોએ કામ નિપટાવવા લાંચ આપીઃ સર્વે
બેલગામ ભ્રષ્ટાચાર... પ૧ ટકા લોકો કહે છે તેમના રાજયમાં ભ્રષ્ટાચાર ઘટાડવા કોઇ પગલુ લેવાયુ નથી
   નવી દિલ્હી તા.૧૧ : ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા એક ઓનલાઇન સર્વે અનુસાર લગભગ ૪પ ટકા લોકોએ સ્વીકાર કર્યો છે કે તેઓએ પોતાનુ કામ પુરૂ કરવા માટે છેલ્લા ૧ર મહિનામાં ઓછામાં ઓછા એક વખત લાંચ ચુકવી છે. આ સર્વેમાં દેશના ૧૧ રાજયોના ૩૪૬૯૬ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તેઓને છેલ્લા ૧ર મહિનામાં ભ્રષ્ટાચારના સ્તરમાં બદલાવ અંગે શું વિચારો છો તેની માહિતી લેવામાં આવી હતી. આમાંથી ૧૧ રાજયોના ૧ર૯૬૪ એટલે કેે ૩૭ ટકા લોકોએ સ્વીકાર્યુ હતુ કે, આ ગાળામાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે.
   સર્વે અનુસાર લગભગ ૧પ૬રર લોકો એટલે કે ૪પ ટકાએ સ્વીકાર્યુ હતુ કે, એ સ્થિર રહ્યો છે. સર્વેમાં ૪૮૭૩ લોકો એટલે કે ૧૪ ટકાએ સ્વીકાર્યુ છે કે આ ગાળામાં ભ્રષ્ટાચાર ઘટયો છે. જયારે ૧ર૩પ લોકો એટલે કે ચાર ટકાએ કહ્યુ હતુ કે, અમે કશુ કહી શકીએ નહી.
   સર્વે અનુસાર બે અલગ-અલગ સમાનાંતર સર્વેમાં પ૧ ટકાએ જવાબ આપ્યો હતો કે તેમના રાજયોએ છેલ્લા એક વર્ષમાં ભ્રષ્ટાચાર ઘટાડવા માટે કોઇ પગલુ લીધુ ન હતુ. જયારે ૪પ ટકાએ તેઓએ છેલ્લા ૧ર મહિનામાં પોતાનુ કામ પુરૂ કરવા માટે ઓછામાં ઓછી લાંચ ચુકવી હતી.
 (11:38 am IST)

Source :-http://www.akilanews.com/11122017/main-news/1512972477-119531

મોટા ગુંદા ગામે ભાજપના પોલીંગ એજન્ટને માર પડયો
ભાણવડ તાલુકામાં ૬૦.૦૨ ટકા જેવું ઠંડુ મતદાન
મોટા ગુંદા ગામે ભાજપના પોલીંગ એજન્ટને માર પડયો
   ભાણવડ, તા. ૧૧ :. ખંભાળિયા-ભાણવડની બેઠકના ભાણવડ તાલુકામાં સવારના સમયે મતદારોએ જે ઉત્સાહ દર્શાવ્યો હતો. તેમા જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ઓસરતો ગયો હોય તેવું ચિત્ર જોવા મળ્યુ હતુ. સમગ્ર તાલુકાનું સરેરાશ મતદાન ૬૦.૦૨ ટકા જેવું પ્રમાણમાં અગાઉની ચૂંટણીઓ કરતા ઓછું કહી શકાય તેવું મતદાન થયું હતું. તાલુકાના રેટા કાલાવડમાં ઈવીએમ મશીન ખરાબ થઈ જતા ચૂંટણી અધિકારીએ મશીન બદલવામાં સમય બગાડતા મતદારોમાં રોષ દેખાયો હતો. તો મોટા ગુંદા ગામે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ પોલીંગ એજન્ટો વચ્ચે ચકમક જરી હોવાની અને બીજેપીના પોલીંગ એજન્ટને માર પડયો હોવા જેવા નાના છમકલાના બનાવો બન્યા હતા. લોકશાહીને જીવંત રાખવાના હેતુથી વયોવૃદ્ધ મતદારોએ પણ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો તો લગ્નના માંડવે બેસવા જઈ રહેલી યુવતીએ પણ પોતાના મતાધિકારનો છેલ્લી વખત ઉપયોગ કરી લેવાની તક છોડી ન હતી. મતદાન પૂર્ણ થયા બાદ બન્ને મુખ્ય પાર્ટીના કાર્યકર્તાઓએ પોતપોતાના ઉમેદવારોના વિજયી થવાના દાવા કર્યા હતા. દર વખતે બને છે તેમ મતદાનની આગલી કતલની રાત્રે મુખ્ય બન્ને પાર્ટીઓએ નાણાની રેલમછેલ કરી મતદારોને રીઝવવાની પેરવી પણ થઈ હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી ત્યારે હવે જોવાનું રહ્યુ કે, કયા ઉમેદવારો મતદારોની પસંદ બની રહ્યા છે ? તે તા. ૧૮ના રોજ મતપેટીઓ ખુલ્યા બાદ ખબર પડશે.(૨-૧૨)

Source :-http://www.akilanews.com/11122017/saurashtra-news/1512974005-78489

પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર મોંઘીદાટઃ પાંચમાંથી એક પરિવાર ઉધાર લઇને કે પ્રોપર્ટી વેચીને ચુકવે છે બીલ
ચોંકાવનારો રિપોર્ટઃ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને ઇલાજ માટે અન્યોના મુકાબલે વધુ પૈસા આપવા પડે છેઃ આસામમાં ઇલાજ સૌથી મોંઘોઃ યુપી કરતા સારવારમાં ગુજરાતની હોસ્પિટલનું બીલ ચારગણુ વધારે ચુકવવુ પડે છે
પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર મોંઘીદાટઃ પાંચમાંથી  એક પરિવાર ઉધાર લઇને કે પ્રોપર્ટી વેચીને ચુકવે છે બીલ
   નવી દિલ્હી તા.૧૧ : પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવાનું સતત મોંઘુ થઇ રહ્યુ છે. ઇલાજના નામ પર હોસ્પિટલો દ્વારા થઇ રહેલા ગોરખધંધાનો પણ રોજેરોજ પર્દાફાશ થઇ રહ્યો છે. આ દરમિયાન એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે કે કોઇ હોસ્પિટલમાં ઇલાજ કરાવવા માટે લોકોને અનેક વખત પોતાની પ્રોપર્ટી વેચવાની ફરજ પડી છે અથવા તો અનેક વખત તેઓએ ઉધાર પૈસા લેવા પડયા છે. આ વાત સેન્ટ્રલ બ્યુરો ઓફ હેલ્થ ઇન્ટેલીજન્સ દ્વારા જારી કરવામાં આવેલા નેશનલ હેલ્થ પ્રોફાઇલ ર૦૧૭માં સામે આવી છે.
   રિપોર્ટ અનુસાર ગામડુ હોય કે શહેર બંને જગ્યાએ ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ થવાનુ ઘણુ મોંઘુ થઇ ગયુ છે. શહેરમાં રહેતા દર પાંચમાંથી એક પરિવારે ઉધાર લઇને હોસ્પિટલનું બીલ ચુકવ્યુ છે અનેક કેસમાં ઓળખીતાઓ પણ મદદ કરતા હોય છે.
   રિપોર્ટ અનુસાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને ઇલાજ માટે બાકીના મુકાબલે વધુ પૈસા આપવા પડે છે. શહેરી વિસ્તારોમાં આસામ સૌથી મોંઘુ છે.
   ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં જો કોઇ વ્યકિત હોસ્પિટલમાં દાખલ થાય તો તેણે ૩રપ૦૦ ખર્ચ કરવા પડે છે. જે યુપી કરતા ચારગણા વધારે છે. એ જ વ્યકિત જો આસામની હોસ્પિટલમાં દાખલ થાય તો તેને પર૩૬૮ રૂપિયા ચુકવવા પડે જે દિલ્હી કરતા સાત ગણા વધારે છે.
   રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારમાં રહેતા ર૦ ટકા જેટલા લોકો દેવુ કરીને કે પ્રોપર્ટી વેચીને હોસ્પિટલના બીલ ભરે છે.

Source :-http://www.akilanews.com/11122017/main-news/1512972231-119525

સુરત એનાલિસિસ: મતદાર વધ્યા છતાં ઓછા મતદાનને કારણે ભાજપ ગેલમાં

મતદારો 20% વધ્યા, મતદાન 4.25% ઘટ્યું, મતદાનની ટકાવારી ઘટવાને કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે જીતના દાવા
સુરતઃ પાટીદારોનું ઉગ્ર આંદોલન, જીએસટી સામે આંદોલન અને પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં થયેલા વધારા છતાં શનિવારે યોજાયેલા વિધાનસભાની ચૂંટણીના મતદાનમાં શહેરની 12 બેઠકો પૈકી 11 બેઠકો પર સરેરાશ 4.25 ટકા ઓછુ મતદાન નોંધાયું છે. જ્યારેમાત્ર સુરત પશ્વિમની બેઠક પર વધારે મતદાન નોંધાયું છે. સામાન્ય રીતે આંદોલનો મતદારો તેમનો રોષ મતપેટીઓ ભરીને પ્રગટ કરતા હોય છે. પાંચ વર્ષમાં મતદારોની વધેલી સંખ્યાથી પ્રમાણમાં મતપેટીઓ ભરાઇ નથી. તેમાં એક કારણ એવું પણ બહાર આવ્યુ છે કે વર્ષ 2012 કરતાં વર્ષ 2017માં મતદારોની સંખ્યામાં થયેલા વધારા સામે ટકાવારી ઘટી ગઇ છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસના પરંપરાગત મત તો બંને પક્ષને મળ્યા જ છે. 

મતદાનની ટકાવારી ઘટવાને કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે જીતના દાવા

વર્ષ 2012માં શહેરની 12 વિધાનસભાની બેઠક પર મતદાર યાદીમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 26.39 લાખની હતી. છેલ્લા પાંચ વર્ષમાં મતદાર યાદીમાં 5.22 લાખ જેટલા નવા મતદારોની સંખ્યા 31.61 લાખ પર પહોંચી છે. એટલે મતદારોની સંખ્યા 20 ટકા જેટલી વધાતા પ્રમાણે મતદાનની ટકાવારી 4.25 ટકા ઘટી ગઇ. આમ, જે પ્રમાણે મતદારોનીસંખ્યા વધી તે પ્રમાણમાં ટકાવારી વધી નથી. મતદાનની ટકાવારી ઘટવાને કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે જીતના દાવા કરવામાં આવી રહ્યા છે.
આંદોલનોનો રોષ મત પેટીઓમાં દેખાયો નહીં
  
1. લગ્ન સિઝનની અસર દેખાઇ
  
9 ડિસેમ્બરના રોજ લગ્ન હોવાના કારણે અનેક લોકો શહેરની બહાર હતા, તેમજ ઘરમાં સામાજિક પ્રસંગોની વ્યસ્તતાને કારણે પણ મોટાભાગના લોકો મતદાન કરી શકયા નહોતા. 
  
2. કોંગ્રેસ નહીં ઇચ્છનારાઓ
  
ભાજપ સામે લોકોમાં રોષ હતો પરંતુ મતદાન કરવા જાય અને કોંગ્રેસને મત આપવામાં આવે તો કોંગ્રેસની સરકાર બને તેવી શકયતા દેખાતા કેટલાય લોકો મત આપવા ગયા નહોતા.
  
3. સિલેક્ટેડ મતદારો ફોકસમાં
  
આ વખતે ભાજપના કાર્યકરોએ તેમની વિરૂધ્ધના વિસ્તારોમાંથી લોકોને કાઢવાની પણ દરકાર કરી નહોતી. સિલેક્ટેડ મતદારો જ ફોકસમાં હતા. 
  
4. કેટલાક લોકો વતન જતા રહ્યા
  
પાટીદાર વિસ્તારોના ઘણા મતદારો સૌરાષ્ટ્ર જતા રહ્યા હતા. આ કારણે પણ વોટિંગની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યાનું કહેવાઇ રહ્યું છે. 
  1. મતદારો અનિર્ણાયક રહેતા ટકાવારીમાં ઘટાડો થયો
  
મતદાન ઓછું થાય તો ભાજપને નુકસાન અને કોંગ્રેસને ફાયદાનું ગણિત માંડવામાં આવતુ હોય છે. હાલમાં પાટીદાર અનામત આંદોલન ઉપરાંત એન્ટી ઇન્કમબન્સી ફેકટરમાં વધારે મતદાન થાય, તો ભાજપને નુકસાન થતું હોવાનું ગણિત માંડવામાં આવતું હોય છે. તેના બદલે ઓછું મતદાન થતા સરવાળે ભાજપને ફાયદો થાય, તેવી પણ હકીકતો બહાર આવી છે. આ ઉપરાંત છેલ્લા દિવસોમાં કરવામાં આવેલા પ્રચારને કારણે મત કોને આપવો તેનો પણ નિર્ણય યોગ્ય રીતે નહીં કરનારાઓએ પણ મતદાનથી દૂર રહ્યા હતા, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ મતદાન સાથે હોવાથી મોટાભાગના લોકો સૌરાષ્ટ્ર જતા રહ્યા હતા તે પણ એક કારણ ઓછા મતદાન માટે ગણી શકાય.
  
મતદારો અસમંજસમાં
  
છેલ્લા ચાર પાંચ દિવસથી ઉમેદવારો દ્વારા કરવામાં આવતા પ્રચાર મુદાઓ ઝડપથી બદલાતા હતા. તેના કારણે જે મતદાતા કોને મત આપવો તેના મુદે અસમંજસભરી સ્થિતીમાં મતદારો હતા તે મત આપવા જ ગયા નહીં હોવાની ગણતરી કરી શકાય. આ ઉપરાંત શહેરમાં સૌરાષ્ટ્રવાસીઓની વસ્તી વધુ હોવાના કારણે સૌરાષ્ટ્રમાં પણ તે જ દિવસે મતદાન હોવાથી આગલા દિવસે રાત્રે જ લોકો સૌરાષ્ટ્ર રવાના થઇ ગયા હતા.
- ફૈસલ બકીલી, રાજકીય વિશ્લેષક
2. આંદોલનની ધારી અસર મતદાનમાં નહીં દેખાઇ
   
પાટીદાર અનામત અને જીએસટીના મુદે, શહેરમાં કરવામાં આવેલા આંદોલનની અસર હોત, તો લોકો ભાજપની વિરૂધ્ધમાં મોટી સંખ્યામાં મતદાન કરવા માટે સ્વયંભૂ બહાર નીકળતા. જ્યારે મતદાનના દિવસે, બંને આંદોલનની પણ અસર નહીંવત જોવા મળી. તેના કારણે જ મજૂરા અને પાટીદાર વિસ્તારમાં વધારે મતદાન થવાને બદલે ઓછું મતદાન થયું છે. કારણ કે દર વખતે અલગ અલગ મુદાઓ પર ચૂંટણી લડવામાં આવતી હોય છે. વર્ષ 2012માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને જીતાડીને વર્ષ 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન બનાવવાના હતા. જ્યારે આ વખતે જીએસટી અને પાટીદાર અનામત આંદોલન હોવા છતાં મતદાનની ટકાવારી જોતા બંને આંદોલનની નહીંવત અસર હાલ તો દેખાઇ રહી છે.
  
મતદાનની પેટર્ન અલગ
  
દર વર્ષે મતદાન કરવાની અલગ અલગ પેટર્ન જોવા મળતી હોય છે. તેમાં આ વખતે બંને આંદોલન હોવા છતાં ઓછા મતદાનને જોતા આંદોલનની અસર જોવા મળી હોય તેવી લાગતુ નથી. 
-  વિક્રમ વકીલ, રાજકીય વિશ્લેષક
3. પાટીદારોમાં ઉંમર પ્રમાણે ભાગલા 
  
પાટીદાર મતદારોના પ્રભુત્વ ધરાવતી છ બેઠકો કતારગામ, ઉત્તર, વરાછા, કરંજ, કામરેજ અને ઓલપાડ બેઠક પર પાટીદાર બૂથમાં સવારથી લઇને બપોર સુધી પૂરજોશમાં મતદાન કરવામાં આવ્યું હતુ. તેમાં પણ પાટીદાર યુવાનો અને બેરોજગારોએ ભાજપની વિરૂધ્ધમાં મતદાન કર્યું હોવાની શકયતા છે.  બોડી લેંગ્લેજ અને ગ્રુપ વોટિંગથી આ વાત સામે આવે છે. જ્યારે પાટીદાર સમાજના અન્ય લોકોએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું હોવાની ગણતરી માંડવામાં આવી રહી છે. 
  
સમૂહમાં મતદાન કર્યું
  
પાટીદાર વિસ્તારમાં જે રીતે સવારે લોકો સમૂહમાં મતદાન કરવા માટે નીકળ્યા, તેને ઘણું સૂચક માનવામાં આવે છે. તેમાં પણ મહિલાઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે. જોકે, આ મતદાન કોના તરફેણમાં થયુ છે, તેનો નિર્ણયનો 18મી ડિસેમ્બરે જ થવાનું હાલમાં કહી શકાય. 
- કાનજી ભાલાળા, સામાજીક આગેવાન
  
આગળની સ્લાઈડ્સમાં વાંચો, અગાઉ મતદાનની ટકાવારી 11 ટકા વધી તો કોંગ્રેસને 2 સીટનો ફાયદો થયો, 2 ટકા વધી તો ભાજપને 10નો ફાય
અગાઉ મતદાનની ટકાવારી 11 ટકા વધી તો કોંગ્રેસને 2 સીટનો ફાયદો થયો, 2 ટકા વધી તો ભાજપને 10નો ફાયદો
  
છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં, વર્ષ 2007માં સૌથી ઓછું 59.77 ટકા મતદાન થયું છે.2007ના આધાર માનીએ તો  2002માં બે ટકા વધુ મતદાન થતાં ભાજપની બેઠકો 10 વધી હતી અને કોંગ્રેસની 8 ઘટી હતી. હવે, 2007ની તુલનામાં વર્ષ 2012માં લગભગ 11 ટકા મતદાન વધારે થયું ત્યારે ભાજપની બેઠકો 2 ઘટી ગઇઅને કોંગ્રેસની 2 વધી ગઇ હતી. આમ, જો મતદાનની ટકાવારીમા 2 ટકા જેટલો ફેરફાર આવ્યો તો ભાજપની બેઠકો વધી ગઇ પરંતુ 11 ટકા જેટલો ફેરફાર આવતા ઘટી ગઇ હતી. આ ખાસ કરીને સુરત શહેરની બેઠકો પર 4.25 ટકાનો ઘટાડો થયો છે એટલે અસંમજસની સ્થિતિ છે. બન્ને પક્ષો દાવો કરી શકે તેવી સ્થિતિ છે. 
 
ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ
  
વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને જીપીપી વચ્ચે ચૂંટણી લડવામાં આવી હતી. તેના કારણે ત્રણેય પક્ષના ઉમેદવાર મતદાન કરાવવા માટે એડીચોટીનો પ્રયાસ કરતા હોય છે. જ્યારે આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી લડાઇ હોવાના લીધે 3થી 5 ટકા મતદાન ઓછુ થયુ છે. જ્યારે ભાજપને પરંપરાગતતો મળ્યા જ હોવાના કારણે ભાજપને વિજય ચોક્કસ થવાનો છે. 
- નિતીન ભજીયાવાલા, શહેર ભાજપ પ્રમુખ
  
શહેરમાં કોંગ્રેસને ચોક્કસ ફાયદો
 
ઓછુ મતદાન થવાનુ કારણ એવુ છે કે વર્ષ 2012માં ભાજપે જે લોકોને વાયદા આપ્યા તે પુરા કરી શકયા નહીં હોવાના કારણે ભાજપ તરફી લોકોએ જ ઓછુ મતદાન કર્યુ છે. તેનો સીધો ફાયદો કોંગ્રેસને થવાનો છે. આ ઉપરાંત લોકોમાં કોંગ્રેસ તરફી જુસ્સો પણ જોવા મળ્યો હોવાના લીધે શહેરમાં કોંગ્રેસને ચોક્કસપણે ફાયદો થવાનો છે. 
- હસમુખ દેસાઇ, શહેર કોંગ્રેસ પ્રમુખ

Source :-https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-LCL-gujarat-assembly-election-2017-surat-assembly-seat-voting-analysis-NOR.html?ref=dbnotify&utm_source=browser&utm_medium=push_notification&utm_campaign=db_notifications

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD












Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment