સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 4 December 2017

તંત્ર હાઇઅેલટ કાલે 'ઓખી' વાવાઝોડુ ત્રાટકશે - ગુજરાત પર ત્રાટકશે ‘ઓખી’ વાવાઝોડું, ભારે વરસાદની શક્યતા - સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાવાઝોડાનો કરંટઃ વાદળીયુ હવામાન - કોંગ્રેસને હાર્દિકની ચેતવણીઃ બોલ્યું પાળજો... - P ફોર પટેલ... P ફોર પાવરઃ પાટીદારોને રાજી કરવાની હોડ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

ગુજરાત પર ત્રાટકશે ‘ઓખી’ વાવાઝોડું, ભારે વરસાદની શક્યતા

ઓખી વાવાઝોડું મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાંથી ગુજરાતના દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે

 અમદાવાદ: દક્ષિણ ભારતથી શરૂ થયેલું ઓખી વાવાઝોડું મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાંથી ગુજરાતના દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતની ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાત્કાલિક બેઠક મળી હતી. વાવાઝોડાથી રાજ્યના સુરતની આજુબાજુના દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 5મી ડિસેમ્બરની મધરાતથી વાવાઝોડાની અસર શરૂ થશે. જેમાં 50થી 70 કિમીની ઝડપે પવન ફુંકાશે. બનાસકાંઠાના વહીવટી તંત્રએ જિલ્લામાં 4થી 6 ડિસેમ્બર સુધી હાઈએલર્ટ જાહેર કર્યું છે.

દરિયાકાંઠે એલર્ટ

આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ આગાહી છે. તે સંજોગોમાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ જાહેર કરી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત જે તે જિલ્લા કલેક્ટરોને અગમચેતીના પગલાં ભરવાની સૂચના આપી છે. સંભવિત વાવાઝોડા વિસ્તારમાં એનડીઆરએફ ટીમ મૂકવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

દરિયો તોફાની બને તેવી શક્યતા

વાવાઝોડું દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા હોવાથી પોરબંદર અને ઓખાનો દરિયો તોફાની બને તેવી સંભાવનાને ધ્યાને રાખી આ વિસ્તારમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 5મી ડિસેમ્બરે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકે તે પહેલા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. આ વાવાઝોડું 6 ડિસેમ્બર બાદ ગુજરાતમાંથી પસાર થઈ જાય તેવી પણ આગાહી કરવામાં આવી છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-okhi-cyclone-may-me-clash-gujarat-in-5th-december-midnight-NOR.html?ref=ht&seq=1

તંત્ર હાઇઅેલટ
કાલે 'ઓખી' વાવાઝોડુ ત્રાટકશે
અરબીસમુદ્રમાં ઉભુ થયેલું વાવાઝોડુ તામીલનાડુ, કેરળ અને લક્ષદ્રીપને ધમરોળ્યા બાદ દ.ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છેઃ ૬૦થી ૭૦ કિમીની ઝડપે પવન ફુંકાવાને સંભાવનાઃકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની સંભાવનાઃ સુરત અને નવસારીમાં એનડીઆરએફની ટીમો તૈનાતઃ સરકારે સ્થિતિની કરી સમીક્ષાઃ સમગ્ર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણઃ આવતા બે દિવસ ગુજરાત માટે ભારે
કાલે 'ઓખી' વાવાઝોડુ ત્રાટકશે

      નવી દિલ્હી તા. ૪ : અતિભયંકર વાવાઝોડુ ઓખી ઝડપભેર દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે તે આવતીકાલે પહોંચી જાય તેવી શકયતા છે. હવામાનખાતાના જણાવ્યા પ્રમાણે આજે સવારે તે મુંબઇથી ૬૭૦ કિ.મી., સુરતથી ૮૫૦ કિ.મી. કેન્દ્રીત હતું. આ વાવાઝોડું આવતા બે દિવસમાં ગુજરાતના કાંઠાના વિસ્તારને ધમરોળશે. સંભવિત વાવાઝોડાને લઇને સરકાર હાઇએલર્ટ પર છે અને બંદરો ઉપર એલર્ટના સિગ્નલો લગાડી દેવામાં આવ્યા છે. સુરત અને નવસારીમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે ગુજરાતમાં ૬૦ થી ૭૦ કિ.મી.ની
      ઝડપે પવન ફુંકાશે. તેના કારણે ખાનાખરાબી કે જાનહાની ન થાય તે માટે સરકારે તમામ તૈયારી કરી છે. ગુજરાતમાં રાહત કમિશ્નરે આજે સ્થિતિની સમીક્ષા માટે બેઠક બોલાવી હતી.
      અરબ સમદ્રમાં તૈયાર થયેલું ઓખી નામનું વાવાઝોડું તામિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપને ધમરોળ્યા બાદ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચક્રવાત ઓખી ૪ ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રના દરિયાકિનારા નજીક પહોંચશે. ચોથી તારીખની મધરાત સુધીમાં દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે લેન્ડ થઈ શકે છે. અમદાવાદમાં પણ આ કારણે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. વાતાવરણ વાદળછાયું બની ગયું છે.
      છેલ્લા ૧૭ કલાકમાં વાવાઝોડું ઓખી ૧૭ કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્ત્।ર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ચક્રવાત ઓખીની તીવ્રતામાં ઘણો ઘટાડો થશે. સોમવાર માટે આ વાવાઝોડાને વેરી સિવિયરમાંથી સિવિયરની શ્રેણીમાં મૂકયું છે. વાવાઝોડાના કારણે ૪ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બરે રાતે ઉત્ત્।ર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત નજીકનો અરબી સમુદ્ર તોફાની બની રહેશે.
      જેથી આગામી ૪૮ કલાક સુધી ઉત્ત્।ર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અરબી સમુદ્રમાં નહીં જવા માછીમારોને ચેતવણી અપાઈ છે. તો લક્ષદ્વીપ ટાપુઓના માછીમારોને પણ આગામી ૨૪ કલાક સમુદ્ર નહીં ખેડવા ચેતવણી અપાઈ છે. ચક્રવાત ઓખીને કારણે દક્ષિણ ગુજરાતમાં પાંચમી ડિસેમ્બરના રોજ વ્યાપક તેમજ કેટલાંક સ્થળોએ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
      વાવાઝોડાના કારણે ૬૫ કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગના એક વરિષ્ઠ વિજ્ઞાનીએ જણાવ્યું કે, કોઇપણ ચક્રવાતને ઉગ્ર બનાવવા માટે જરૂરી એવા ભેજનું પ્રમાણ હાલ અરબી સમુદ્રમાં નહિવત્ હોવાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચક્રવાત ઓખીનું નબળું પડી જશે.'ઓખી' વાવાઝોડા તેમજ વરસાદની આગાહીને પગલે દરીયામાં ફિશીંગ કરતા માછીમારોને સાવચેત કરાયા છે. ત્યારે માંગરોળની ૪૦ બોટ પરત ફરી છે. જયારે ૬૦૦ બોટ હજુ સમુદ્રમાં છે.
      જો કે હાલ સુધી તેમને કોઈ નુકસાન થયું હોવાની માહિતી આવી નથી. બીજી બાજું બંદરે ફકત ૨૦૦ બોટને લાંગરવાની જગ્યા હોય જો ફિશિંગ માટે ગયેલી તમામ બોટ પરત ફરે તો તેમને લાંગરવાની સમસ્યા સર્જાઈ શકે છે. ચક્રવાત ઓખીએ લક્ષદ્વીપ, કેરળ અને તામિલનાડુમાં ભારે વિનાશ વેર્યો છે. અત્યાર સુધીમાં ૨૨ લોકો વાવાઝોડાના કારણે જીવ ગુમાવ્યો છે અને ૭૦૦થી વધુ માછીમારોને બચાવી લેવાયા છે. હજુ ૧૧૫ માછીમારો લાપતા હોવાનું અનુમાન છે.
      સરકારના ધીમા બચાવકાર્ય સામે સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે. વાવાઝોડામાં નુકસાન પામેલ દરિયાઈ દીવાલોને ફરી બનાવવા અને અહીં રહેતા લોકોનું પુનર્વસન કરવાની માગ થઈ રહી છે. તો દરિયામાં ફસાયેલા માછીમારોને બચાવવા સ્થાનિકો જાતે દરિયામાં જવા લાગ્યાં છે. સરકારી ચેતવણીને અવગણીને ૪૦ કરતાં વધુ બોટમાં માછીમારો પોતાના સ્વજનોની શોધમાં નીકળી પડયાં છે.

Source :-http://www.akilanews.com/04122017/main-news/1512384043-119094


સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાવાઝોડાનો કરંટઃ વાદળીયુ હવામાન
નલીયા ૧૨.૭ ડિગ્રીઃ લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડયોઃ અનેક બોટ દરિયામાં હોવાથી માછીમાર પરિવારો ચિંતીત

   રાજકોટ તા.૪: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે. શનીવારથી ‘‘ઓખી''વાવાઝોડાની અસર હેઠળ સર્વત્ર ધુપ-છાંવ અને વાદળા છવાઇ ગયા હતા. જયારે ગઇકાલે રવિવારે તેની અસર હેઠળ વાદળીયુ વાતાવરણ છવાઇ ગયુ હતુ.
   જયારે આજે સવારથી સર્વત્ર વાદળછાયું વાતાવરણ  છવાઇ ગયુ છે અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી છે.
   સુરતથી ૧૦૧૦ કિ.મી. દુર ઓખી વાવાઝોડુ ધીમે ધીમે સૌરાષ્‍ટ્ર-ગુજરાત ભણી આગળ વધતા પોરબંદર,વેરાવળરાજૂલા સહિતના બંદરો ઉપર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્‍યું છે. આગામી ૨૪ કલાકમાં ઓખી વાવાઝોડુ સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ
    ગુજરાતના દરિયાકાંઠે પ્રવેશનાર છે ત્‍યારે દરિયામાં માછીમાર કરવા ગયેલ માછીમારોને તાત્‍કાલીક અસરથી બંદરકાંઠે પહોંચી જવાની સુચના આપવામાં આવી છે. અને બંદર ઉપર સાવચેતીરૂપ સિગ્નલ લગાવી દેવામાં આવ્‍યા છે.
   નવલખી
   મોરબી જીલ્લાના નવલખી બંદર ખાતે પણ આજે ૨ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્‍યું છે. સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠે જોખમકારક સ્‍થિતિના હોવા છતા સાવચેતીના ભાગરૂપે ૨ નંબરનું સિગ્નલ મૂકી દેવામાં આવ્‍યું છે.
   પોર્ટ અધિકારી એ.બી.સોલંકીના જણાવ્‍યા અનુસાર દક્ષીણ ભારતમાં આવેલા ભયાનક ઓખી વાવાઝોડાને પગલે ખાનાખરાબી સર્જાઇ છે. તો આ વાવાઝોડું અરબ સાગર મારફત સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠા તરફ આવી શકે છેતેવી શક્‍યતાઓને પગલે સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠા પર અગમચેતીના ભાગરૂપે ૨ નંબરનું સિગ્નલ મૂકી દેવામાં આવ્‍યું છે. આ સિગ્નલ સમુદ્રમાં જતી બોટો અને શીપ માટે હોય છે  અને સમુદ્રમાં વાવાઝોડાની શક્‍યતા દર્શાવે છે. જેથી તેઓ તકેદારી રાખી શકે છે.
   માંગરોળ
   ઓખીવાવાઝોડા તેમજ વરસાદની આગાહીને પગલે દરીયામાં ફિશિંગ કરતા માછીમારોને સાવચેત કરાયા છે ત્‍યારે માંગરોળની ૪૦ બોટ પરત ફરી છે જયારે ૬૦૦ બોટ હજુ સમુદ્રમાં છે. જો કે નુકશાન થયુ હોય એવી કોઇ માહિતી આવી ન હોવાનું બોટ એસો.ના પ્રમુખ માધાભાઇ ભાદ્રેચાએ સાંજે જણાવ્‍યુ હતુ. બંદર પર ૨ નંબરનું સિગલ લગાવવામાં આવ્‍યું છે. બંદરે ફકત ૨૦૦ બોટ લાંગરવાની ક્ષમતા હોયફિશિંગમાં ગયેલી માંગરોળની તમામ બોટો પરત ફરે તો તેને લાંગરવાની મુશ્‍કેલી સર્જાઇ શકે. આવા સંજોગોમાં બોટોને વેરાવળપોરબંદરઓખા બંદરે લાંગરવી પડે. જયાં બોટોના અતિશય ભરાવા ભારે પવન વચ્‍ચે ફિશિંગ બોટોમાં નુકશાનની શક્‍યતા પણ નકારી શકાતી નથી. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની અસર યથાવત છે.
   ભાવનગર
   ભાવનગરઃ મામલતદારશ્રી ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલભાવનગરના જણાવાયા અનુસાર ભારતીય મોસમ વિભાગઅમદાવાદ દ્વારા આજે તા.૨-૧૨-૨૦૧૭ના રોજ મળેલ લેટેસ્‍ટ આગાહી અનુસાર આગામી તા.૦૪-૧૨-૨૦૧૭ થી તા.૭-૧૨-૨૦૧૭ દરમ્‍યાન સૌરાષ્‍ટ્ર ક્ષેત્રમાં ભારેથી અતિભારે તીવ્રતાવાળુ ઓખી નામનુ વાવાઝોડુ આવવાની શક્‍યતા છે જેના કારણે ભારે પવન દુકાવાની સાથે હળવા થી અતિભારે વરસાદ પડવાની શક્‍યતા રહેલ હોવાથી આ સમય દરમિયાન તમામ અધિકારીશ્રીઓએ સંભવિત પરિસ્‍થિતિને પહોંચી વળવા માટેની તૈયારી સાથે સાવચેત રહેવા તેમજ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ પ્‍લાન મુજબ કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે અને જો કોઇ ઘટના બને તો અત્રેના કટ્રોલ રૂમને તાત્‍કાલિક જાણ કરવા આથી સુચના આપવામાં આવે છે.
   જામનગર
   જામનગરઃ વાવાઝોડાની આગાહી અન્‍વયે જામનગર જિલ્લાના તમામ મત્‍સ્‍ય કેન્‍દ્રો પરથી માછીમારી કરવા જતી તમામ માછીમારી બોટોને તાત્‍કાલિક અસરથી ટોકન આપવાના બંધ કરવામાં આવેલ છે તેમજ હાલમાં દરીયામાં માછીમારી કરવા ગયેલ તમામ માછીમારી બોટોને તાત્‍કાલિક અસરથી પરત બોલાવી લેવા તમામ મત્‍સ્‍યોદ્યોગ સહકારી મંડળીઓ તથા માછીમાર એસોશીએશનના હોદેદારોમાછીમાર આગેવાનો તથા બોટ માલિકોને સુચના આપવામાં આવે છે.
   હવામાન વિભાગ કોસ્‍ટગાર્ડ તેમજ મત્‍સ્‍યોદ્યોગ ખાતા તરફથી અન્‍ય સુચના આપવામાં ના આવે ત્‍યાં સુધી દરીયામાં માછીમારી કરવા જતાં જિલ્લાના તમામ ભાઇઓ તથા બોટ માલિકોને મદદનીશ મત્‍સ્‍યોદ્યોગ નિયામક જામનગર દ્વારા સુચના આપવામાં આવે છે.
   ધોરાજી
   ધોરાજીઃ દક્ષિણ ભારતમાં આવેલ ઓખા વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્‍ટ્રમાં અને ધોરાજી વિસ્‍તારમાં હવામાનમાં ફેરફાર આવ્‍યો છે જેમાં રવિવારે આખો દિવસ આકાશ વાદળમય બનેલ હતું. અને હવામાન ખાતા દ્વારા મંગળવારે અને બુધવારે વરસાદ થાય એવી હવામાન વિભાગની આગાહીના પગલે ધરતીપુત્રોમાં ભયનો માહોલ થયેલ છે. જો વરસાદ સાથે વાવાઝોડું આવે તો ખાસ કરીને ધોરાજી અને આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ખેડુતોને કપાસએરંડાઘઉંતુવેરચણાજીરૂ સહીતના પાકોમાં વ્‍યાપક પ્રમાણમાં નુકશાની આવે અને જે ખેડુતોએ પોતાનો ઘાસચારો ખુલ્લા ખેતરોમાં રાખેલ હોય અને જણસી બહાર રાખેલ હોય તો યોગ્‍ય જગ્‍યાએઢ રાખવી જો વરસાદ કે વધુ પવન ફુંકાય તો જણસી અને ઘાસચારાને અત્‍યારથી સલામત રીતે રાખવી જેથી નુકશાન ઓછું થાય.
   એમ ખેડુત અગ્રણી અશોકભાઇ વઘાસીયાની યાદીમાં જણાવેલ હતું.
   જુનાગઢમાં વાદળછાયું વાતાવરણ
   જુનાગઢઃ જાુનાગઢમાં ગઇકાલથી વાતાવરણમાં આવેલ ફેરફારના કારણે આજે સવારે પણ મિશ્ર હવામાન સાથે વાદળછાયુ હવામાન રહ્યું હતું. ભેજનું પ્રમાણ પપ ટકા રહ્યું હતું અને પવનની ગતિ ૪ઉ૯ રહેવા પામી હતી અને સવારથીજ વાદળછાયું હવામાન ઠંડી અને હુંફાળુ બન્‍ને મિશ્ર ઋતુ હોય તેવો અનુભવ થઇ રહ્યો છે.

Source :-http://www.akilanews.com/04122017/main-news/1512367376-119078

વાવાઝોડુ 'ઓખી' ખંભાતના અખાતમાંથી ગુજરાતમાં એન્ટ્રી કરશે
''ઓખી'' વધુ નબળુ પડી દરીયા કિનારામાંથી જમીનમાં દાખલ થશેઃ દિવસ-રાત્રીનુ઼ તાપમાન ઘટશે : દરિયાઇપટ્ટીના વિસ્તારોમાં છાંટા, દક્ષિણના વિસ્તારોમાં માવઠાની સંભાવનાઃ હવામાન ખાતુ : રાજયના બંદરો ઉપર ભયસુચક સિગ્નલો મુકાયા

   રાજકોટઃ તા.૪, વાવાઝોડુ '' ઓખી'' ગુજરાત તરફ નબળુ પડી આગળ વધી રહયુ છે સુરત નવસારીના દરીયાકિનારામાંથી જમીનમાં દાખલ ગુજરાતમાં એન્ટ્રી મારતા નબડુ પડી જશે. વાવાઝોડાની અસરથી દરીયાઇ વિસ્તારોમાં છાંટાછુટી જ્યારે દક્ષિણ સોૈરાષ્ટ્ર અને  ગુજરાતના વિસ્તારોમાં માવઠાની સંભાવના હવામાન વિભાગે કરી છે. રાજુલા, ભાવનગર, લિંબડી, નવસારી, સુરત, અંકલેશ્વર અમદાવાદની આજુ બાજુમાં માવઠુ થશે.
   દક્ષિણ ભારતમાં તાંડવ મચાવનાર તોફાન '' ઓખી''ના કારણે હવામાન વિભાગે એક ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી સોૈરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તાર માટે છે. હવામાન વિભાગે આપેલી ચેતવણીના કારણે વિધાનસભા ચુંટણીના પ્રચારને પણ અસર પડે તેવી શકયતા છે. નોંધનીય છે કે ગુજરાતમાં પ્રથમ તબકકા માટે ૧૮ ડિસેમ્બરે મતદાન યોજવાનું છે.
   વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, તથા સોૈરાષ્ટ્રના બોટાદ, અમરેલી, રાજકોટ, ગિરસોમનાથ તેમજ ભાવનગરમાં વરસાદની  પણ શકયતા દશાર્વી છે. આ ઉપરાંત વેરાવળ, માંગરોળ બંદર પર ૨ નંબરનું સિગ્નલ  લગાવાયુ છે.
    હવામાન વિભાગે માછીમારોને દરિયોના ખેડવાની સુચના આપી છે તેમજ ચેતવણીમાં એ પણ જણાવાયું છે કે આ  દરમિયાન ૬૫ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે ફુંકાવાની શકયતા છે.

Source :- http://www.akilanews.com/04122017/gujarat-news/1512387293-66842


કોંગ્રેસને હાર્દિકની ચેતવણીઃ બોલ્યું પાળજો...
અનામત માટે આપેલ વચન પાળવામાં કોંગ્રેસ પાછીપાની કરશે તો લડી લઇશઃ પાસ સુપ્રીમોનો ધ્રુજારો
કોંગ્રેસને હાર્દિકની ચેતવણીઃ બોલ્યું પાળજો...
      નવી દિલ્હી તા. ૪ : : પાટીદાર અનામત આંદોલનનો ૨૪ વર્ષીય યુવા નેતા હાર્દિક પટેલ અત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એકસ ફેકટર બનીને ઉભર્યો છે. રાજયમાં યોજાતી તેની સભા અને રેલીમાં લોકોની ભીડ જોઈને ભાજપ ચિંતામાં છે તો કોંગ્રેસ ગેલમાં છે. કેમ કે અલાયદું અનામત આપવાના કોંગ્રેસના દાવા સાથે હાર્દિકે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે હાર્દિકની સભામાં ઉમટી પડતા પાટીદારોના વોટ ઇલેકશનના દિવસે કયાં પડે છે.  હાર્દિક સાથે વાતચીતના અંશો.
      પ્રશ્નઃ તમારું આંદોલન શેના માટે છે?
      જવાબઃ મારુ આંદોલન લોકો માટે છે. બેરોજગારી અને ગરીબીમાંથી તેમની આઝાદી માટે છે. સત્ત્।ાધારીઓ તરફથી તેમના પર થતા અત્યાચાર બાબતે અને લોકોના અધિકારની આ લડાઈ છે. અમારી હાર લોકોની હાર હશે.
      પ્રશ્નઃ પરંતુ ભાજપ તો કહે છે કે આ ચૂંટણી તેમના માટે વિકાસ મુદ્દો છે?
      જવાબઃ શું વિકાસ અને કોનો વિકાસ? એક-બે બ્રિજ બનાવી દેવાથી વિકાસ નથી થતો. શહેરોની બહાર ગામડાઓમાં જાવ અને ખેડૂતોને મળો પછી મને કહો કે કયાં વિકાસ છે.
      પ્રશ્નઃ ઘણા કહે છે કે સમાજમાં તમારો પ્રભાવ ફકત કેટલાક શહેરો-ગામડાઓ પૂરતો જ મર્યાદીત છે?
      જવાબઃ જે લોકો આવું કહે છે તેમણે મારી રેલીઓના ફૂટેજ જોયા નથી. જો લોકોને મારામાં વિશ્વાસ ન હોય તો નાના ગમડાઓમાં શા માટે ૧૦૦૦ લોકો ભેગા થઈને મને મળવા આવે. તેમની જમીનો આંચકી લેવામાં આવી છે. તેઓમાં ગુસ્સો છે.
      પ્રશ્નઃ તો શું ફકત યુવાનો અને બેરોજગારો જ તારી સાથે છે?
      જવાબઃ ના, સમગ્ર સમાજ મારી સાથે છે. યુવાનો અને વૃદ્ઘો બધા જ મારી સાથે છે.
      પ્રશ્નઃ શા માટે સાધનસંપન્ન પટેલ સમાજને રીઝર્વેશનની જરુર છે?
      જવાબઃ અમે અમારો હક્ક માગીએ છીએ. જયારે મારા પટેલ ભાઈઓને કોલેજમાં પ્લેસમેન્ટ નથી મળતું, તેમને નોકરીઓ નથી મળતી, તો પછી શા માટે અમે અનામતની માગણી ન કરીએ. અમને કોઈ ઉપકાર નથી જોઈતો અમે તો ન્યાયની માગણી કરી રહ્યા છે. ફકત થોડા પટેલો પૈસાદાર હોય તેનો મતલબ એવો નથી કે બધા પટેલો પૈસાદાર છે. મોટાભાગના પટેલોએ તેમની જમીન ગુમાવી છે અને વળતરમાં તેમને કશું જ મળ્યું નથી.
      પ્રશ્નઃ મોદી અને અમિત શાહ અંગે તમારું મંતવ્ય શું છે?
      જવાબઃ તેઓ ગુજરાતનું શાસન સરમુખત્યારશાહીથી ચલાવે છે.
      પ્રશ્નઃ શા માટે કોંગ્રેસ સાથે જોડાણ કર્યું?
      જવાબઃ મે કોંગ્રેસ સાથે કોઈ જોડાણ નથી કર્યું. મારો એક જ પોઈન્ટનો એજન્ડા છે ગમે તે ભોગે ભાજપને હરાવવું.
      પ્રશ્નઃ પરંતુ તારી સભાઓમાં તો તું કોંગ્રેસ માટે વોટ માગે છે?
      જવાબઃ હું ગુજરાત અને પટેલો માટે પ્રચારસભા કરું છું. હું પોતે કોઈ ચૂંટણી લડી નથી રહ્યો અને કોઈ પાર્ટી માટે વોટ પણ નથી માગી રહ્યો.
      પ્રશ્નઃ પરંતુ કોંગ્રેસ પાસે સત્ત્।ા જ નથી તો તેઓ કઈ રીતે તમને અનામત આપી શકશે?
      જવાબઃ તે અમે ચૂંટણી પછી જોઈશું. જો તેઓ અમને અનામત નહીં આપે તો હું તેમની સામે પણ લડીશ.
      પ્રશ્નઃ તારા ઘણા જુના સાથીદારો ભાજપમાં જોડાઈ રહ્યા છે?
      જવાબઃ જેમને પણ જવું છે તે ભલે જાય. અમારું આંદોલન ખૂબ મોટું છે અને લોકો મારી સાથે છે.
      પ્રશ્નઃ અચ્છા સેકસ સીડી અંગે શું છે? શું તેનાથી તને કોઈ નુકસાન થયું છે?
      જવાબઃ લોકશાહીમાં કોઈને પણ કોઈપણ વ્યકિતની પ્રાઇવેટ લાઇફમાં સવાલ ઉભો કરવાનો હક્ક નથી. તેમના અંગત જીવનમાં લોકોને જેવું કરવું હોય તેવું કરવાની છૂટ હોવી જ જોઈએ. આ સીડી હકીકતમાં ભાજપની નીરાશા દર્શાવે છે.


Source :- http://www.akilanews.com/04122017/main-news/1512369259-119083



P ફોર પટેલ... P ફોર પાવરઃ પાટીદારોને રાજી કરવાની હોડ
પાટીદારોની અવગણના કોઇને પોસાય તેમ નથીઃ પાટીદારો કોની પડખે? ભારે ચર્ચા

   નવી દિલ્‍હી તા. ૪ : ગુજરાત એ એક પ્રગતિશીલ રાજય છે. તમને જાણીને નવાઈ લાગશે કે નેશનલ સેમ્‍પલ સર્વે ઓફિસ (NSSO)ના આંકડાઓ અનુસાર ગુજરાત ભારતનું સૌથી વધુ શહેરીકરણ ધરાવતું રાજય છે. ઉપલબ્‍ધ માહિતી અનુસાર ગુજરાતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી શહેરમાં જઈને વસેલા ૯૦.૬ ટકા લોકો ગુજરાત બહાર જવા માટે તૈયાર નથી. તેમજ ગુજરાતીઓમાં ફોરેન જવાની ઘેલછાથી કોઈ અજાણ નથી. જો કે ભારત અંદર હોય કે બહાર સાહસિક ગુજરાતી પ્રજામાં પટેલો આગળ પડતા રહ્યા છે.
   ઈતિહાસમાં પટેલોને સાહસિકસર્જનાત્‍મક અને રાષ્ટ્રવાદી ખેડૂતો તરીકે જગ્‍યા મળી છે જેમણે ભારતના સ્‍વતંત્રતા સંગ્રામમાં મહત્‍વનો ભાગ ભજવ્‍યો છે. આ યાદીમાં સરદાર પટેલનું નામ ટોચ પર છે. પરંપરાગતરીતે ગુજરાતના રાજકારણ પર પટેલોનો દબદબો રહ્યો છે. ગુજરાતની કુલ વસ્‍તીના માત્ર ૧૩.૮ ટકા જેટલા પટેલોને રાજી કરવામાં ભાજપ અને કોંગ્રેસ બન્ને મથી રહ્યા છેતેથી જ બન્ને પક્ષોએ પટેલોને વધુ ટિકિટ આપી છે. ભાજપે આ ચૂંટણીમાં ૫૨ પટેલોને ટિકિટ આપી છે તેમજ કોંગ્રેસે ૪૭ ટિકિટો આપી છે. આ ચૂંટણીમાં ભાજપ પટેલોના વિરોધનો સામનો કરી રહી છેહાર્દિક ૨૫ વર્ષનો ન થયો હોવાને કારણે ચૂંટણી તો નથી લડી શકતો પરંતુ તેની સત્તાના શિખર તરફની ગતિને સમજવા માટે પટેલ વોટિંગ પેટર્ન અને પટેલોની માનસિકતા સમજવી જરુરી છે.
   પટેલો વિશે આ વાત સત્‍ય છે કે તેઓ ગુજરાતની એવી આગળ પડતી જાતિઓમાંથી એક છે જેમણે સ્‍વતંત્રતા સંગ્રામ માટે પોતાની જમીનો દાન કરી દીધી હતીબારડોલી સત્‍યાગ્રહને એક સફળ આંદોલન બનાવવામાં પણ પટેલોની આગવી ભૂમિકા હતી જેથી સરદાર એક નેશનલ હીરો બની ગયા. પટેલોએ બ્રિટિશોને ટેક્‍સ ન ચૂક્‍વવાને કારણે પોતાની જમીનો ગુમાવી. પરંતુ ૭૦ના દાયકાના અંતમાં પટેલોએ કોંગ્રેસ પરથી વિશ્વાસ ગુમાવ્‍યો. સાથે સત્તા મેળવવા માટે કોંગ્રેસ પણ પટેલોની અવગણના કરીને લઘુમતી અને પછાત વર્ગના લોકોને વધુ પ્રાધાન્‍ય આપ્‍યું.
   દશકો બાદ પટેલોને ગુજરાતમાં પોતાની એકતાવેપારી નીતિઓ અને વધતા શિક્ષણ સાથે બ્રાહ્મણ અને વાણિયા જેવા સવર્ણ વર્ગમાં સ્‍થાન મળ્‍યો. કોંગ્રેસના તે સમયના નેતા માધવસિંહ સોલંકી દ્વારા ગુજરાતમાં KHAM થિયરી લાવવાને કારણે પટેલો એકલા પડી ગયા. જેથી તેઓનો સત્તાપક્ષ તરફથી વિશ્વાસ ઉઠવા લાગ્‍યો. આ સિવાય ગુજરાત વાલી મંડળના નેજા હેઠળ પટેલ નેતા શંકરસિંહે ગુજરાતમાં આરક્ષણ વિરોધી આંદોલન શરુ કર્યુ. સ્‍વતંત્રતા અને ભાગલા બાદ RSSહિંદું મહાસભા અને તે સમયના જનસંઘની ગુજરાતમાં મજબૂત હાજરી હતી. ત્‍યારબાદ ભાજપના નિર્માણ બાદ ઉત્તર ગુજરાતમાંથી પક્ષના પ્રથમ બે સંસદ સભ્‍યો બન્‍યા. BJP બાદ હિંદુત્‍વવાદી ચળવળે સ્‍ણ્‍ભ્‍દ્ગચ પણ જન્‍મ આપ્‍યો.
   હવે VHP ગુજરાતમાંથી બહાર નીકળીને સમગ્ર દેશમાં ફેલાઈ ચૂકી હતી જેના ચીફ ડો પ્રવીણ તોગડિયાના રૂપમાં એક પટેલ જ બન્‍યા. ૧૯૯૮માં પટેલ અને ક્ષત્રિયો વચ્‍ચે થયેલા ઝઘડામાં ૧૧ પટેલોને માનગઢમાં મોતને ઘાટ ઉતારી દેવાયા હતા ત્‍યારથી જ બન્ને સમૂહો વચ્‍ચેની ખાઈ ઉંડી થવા લાગી હતી. ત્‍યારબાદ ભાજપના હિંદુત્‍વના એજંડાના કારણે પટેલો ભાજપ તરફ આકર્ષિત થયા આ સિવાય એક કારણ કોંગ્રેસમાં તેમની અવગણના પણ હતી. પટેલોનો સાથ મળતા જ P ફોર પટેલPફોર પાવર એ BJPનું અનૌપચારિક સ્‍લોગન જ બની ગયું. પટેલોની એકતાના કારણે એવું બન્‍યું કે પટેલ નેતા ચીમનભાઈ ભલે જનતા મોર્ચાને ટેકો આપેકોંગ્રેસભાજપ કે જનતા દળ કોઈની પણ સાથે જોડાય પરંતું પટેલો માટે તેઓ તેમના પૈકી જ એક હતા. આ પટેલ પાવરને કારણે જ રાજયમાં BJP૧૯૯૫માં પહેલીવાર સત્તા પર આવી અને ઉમદા નેતૃત્‍વક્ષમતા ધરાવતા ઘણા નેતાઓને છોડીને કેશુભાઈ પટેલને રાજયના મુખ્‍યમંત્રી બનાવાયા.
   જો કે કેશુભાઈએ જયારે પોતાના પક્ષ વિરુદ્ધ જઈને ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી ત્‍યારે તેમનું રાજનીતિક ભવિષ્‍ય જોઈને પટેલોએ તેમને મત ન આપ્‍યા. વર્ષ ૨૦૧૨માં યોજાયેલી ચૂંટણીઓમાં સૌરાષ્ટ્રની ૪૮ સીટોમાંથી ૩૩ BJPને મળી. એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ ૩૨ સીટો છે અને BJPને વિશ્વાસ છે કે કોંગ્રેસે ટિકિટ ફાળવણીમાં અહીં ભૂલ કરી છે જે તેમને ફાયદો કરાવશે. ૧૮૨ સીટો પૈકી ૪૭ સીટો પર સીધો પટેલ પ્રભાવ જોવા મળશે. પટેલોની અવગણના શક્‍ય નથી. તેમણે BJPને સમર્થન કોંગ્રેસની આરક્ષણ નીતિના વિરોધમાં કર્યો હતો. જો કે હવે જોવું રહ્યું કે શું આ મુદ્દાને લઈને પટેલો BJPનો સાથ છોડશે કે કેમ?

Source :- http://www.akilanews.com/04122017/main-news/1512386145-119103

'ઓખી' ક્રમશઃ નબળુ પડતુ જશે : ડિપ્રેશન કે લોપ્રેસરમાં પરિવર્તિત થશે
કાલ સાંજ સુધીમાં મુંબઈથી ૧૦૦ કિ.મી. પશ્ચિમે પસાર થશે ત્યારે નબળુ પડી ડિપડિપ્રેશનની માત્રાએ પહોંચી જશે : આજથી બુધવાર સુધીમાં સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ૫ થી ૭ સે.મી. (બેથી ત્રણ ઈંચ) વરસાદ પડશે : વેરાવળથી અમદાવાદપટ્ટી અને ભાવનગરથી અમદાવાદ સુધી તથા દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગમાં માવઠુ થશે, બાકીના સૌરાષ્ટ્ર - કચ્છના ઝાપટાની શકયતા : અશોકભાઈ પટેલ : સિસ્ટમ્સનો મુખ્યત્વે વરસાદ સિસ્ટમ્સ દરિયામાં હશે ત્યારે જ વરસી જશે
'ઓખી' ક્રમશઃ નબળુ પડતુ જશે : ડિપ્રેશન કે લોપ્રેસરમાં પરિવર્તિત થશે
   રાજકોટ, તા. ૪ : વાવાઝોડુ 'ઓખી'ની અસરથી આજથી બુધવાર સુધીમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ૫ થી ૭ સે.મી. (૨ થી ૩ ઈંચ) વરસાદ પડશે. જેમાં વેરાવળથી અમદાવાદ પટ્ટી અને ભાવનગરથી અમદાવાદ સુધી તથા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગોમાં માવઠુ થશે. બાકીના સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાની શકયતા છે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલએ જણાવ્યુ છે.
   તેઓએ વધુમાં જણાવ્યું કે અતિ તિવ્ર વાવાઝોડુ ''ઓખી'' આજે બપોરે ૧ વાગ્યે ૧૫ ડિગ્રી નોર્થ અને ૬૯ ઈસ્ટ ઉપર કેન્દ્રીત હતંુ. જે સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી ૬૫૦  કિ. મી. દક્ષિણ - દક્ષિણ પશ્ચિમ ઉપર હતું. સિસ્ટમ્સના પવનો ૧૨૦ અને ઝાટકાના પવનો ૧૪૦ કિ. મી. (પ્રતિ કલાક)ની ઝડપે ફૂંકાય છે. આ સિસ્ટમ્સ હવે ઉત્તર - ઉત્તર - પૂર્વ તરફ ગતિ કરશે અને આવતા ૧૨ કલાકમાં નબળુ પડી ત્યારબાદ ક્રમશઃ સિસ્ટમ્સ નબળી પડતી જશે અને આવતીકાલે સાંજ સુધીમાં મુંબઈથી ૧૦૦ કિ.મી. પશ્ચિમે પસાર થઈ જશે. ત્યારે આ સિસ્ટમ્સ નબળી પડી ડિપડિપ્રેશનની માત્રામાં પહોંચી જશે. ત્યારબાદ આગળ ચાલી અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચે પહોંચશે. બાદ લોપ્રેસર તરીકે લેન્ડફોલ થશે. (તા.૬ ડિસેમ્બર સવાર સુધીમાં)
   આ સિસ્ટમ્સના અનુસંધાને વાદળસમુહો મોજુદ છે અને તા.૪ થી ૬ ડિસેમ્બર વચ્ચે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ઝાપટાથી માંડી અને ૫ થી ૭ સે. મી. (બે થી ત્રણ ઈંચ) સુધી વરસાદ પડી શકે. જેમાં વેરાવળથી અમદાવાદ અને ભાવનગરથી અમદાવાદ સુધીનો ભાગ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતનો પૂર્વ ભાગમાં ઝાપટાથી પાંચથી સાત સે. મી. બાકીના સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાની શકયતા છે.
   આ સિસ્ટમ્સનો મુખ્ય વરસાદ સિસ્ટમ્સ દરિયામાં હશે ત્યાં સુધીમાં વરસી ગયો હશે. હાલમાં પ્રવર્તતા પવનથી સિસ્ટમ્સ નજીક આવતી જશે તેમ પવન ૪૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે ફંુકાશે. હવામાન ખાતાની સુચનાને અનુસરવું.

Source :- http://www.akilanews.com/04122017/rajkot-news/1512387042-88241

ઓખી વાવાઝોડુઃ રાજકોટ પાલીકા દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ...
સાંજે ૪ વાગ્યે તાકિદની બેઠકઃ જયુબેલી તથા ફાયર-ઇમરજન્સીમાં કન્ટ્રોલરૂમઃ તંત્ર હાઇએલર્ટ : 'ઓખી' વાવાઝોડુ દક્ષિણ ગુજરાત થી ૮૫૦ કિ.મી. દુરઃ દરીયા કિનારે ૫૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે ફુંકાતા પવનઃ કાલે દક્ષિણ ગુજરાતમાં પહોંચશે
ઓખી વાવાઝોડુઃ રાજકોટ પાલીકા દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ...
   રાજકોટ તા. ૪ : દક્ષિણ ભારત તરફથી ગુજરાત ભણી આવી રહેલા ''ઓખી'' નામક વાવાઝોડાની રાજકોટ શહેરમાં થનારી સંભવિત અસરો સામે તંત્રને ''એલર્ટ'' કરી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ તંત્રે હાથ ધરવાની થતી આગોતરી તૈયારી શરૂ કરાવી દીધી છે. આજથી રાજકોટ મહાનગરપાલિકાએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દીધા છ.ે જેથી કરીને કોઇપણ આપતકાલીન પરિસ્થિતિમા લોકોની ફરીયાદીનો ત્વરિત નિકાલ લાવી શકાય.
   મ્યુનિ. કમિશનર બંછાનિધી પાનીના જણાવ્યા અનુસાર વાવાઝોડાની સંભવિત અસરો સામે અસરકારક રાહત બચાવની કાર્યવાહી થઇ શકે તે માટે આજે સાંજે ૪ કલાકે સંબંધિત અધિકારીઓની એક તાકિદની બેઠક મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે યોજવામાં આવી રહી છે જેમાં ત્રણેય નાયબ કમિશનરઓ, તમામ સીટી એન્જીનીયરઓ, ફાયર એન્ડ ઇમરજન્સી ડીપાર્ટમેન્ટના અધિકારીઓ, સુરક્ષા વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે. મહાનગરપાલિકા વાવાઝોડા દરમ્યાન પી.જી.વી.સી.એલ.તથા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તેમજ અન્ય આનુસંગિક એજન્સીઓ સાથે મળીને આ કુદરતી આપતીનો સામનો કરવા સુસજજ થઇ ગયેલ છે. મહાનગરપાલિકા દ્વારા લોકોની સુગમતા માટે એક કંટ્રોલ રૂમ જયુબિલી ગાર્ડન ખાતે (ફોન રરરપ૭૦૭) અને બીજો કંટ્રોલ રૂમ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાં (ફોન રરર૭રરર) કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે વાવાઝોડા દરમ્યાન ભારે વરસાદ કે ભારે તોફાની પવન દરમ્યાન ઉભી થનારી કોઇપણ વિકત પરિસ્થિતિમાં પાણી ડ્રેનેજ સ્ટ્રીટ લાઇટ વગેરે જેવી આવશ્યક સેવાઓ ડીસ્સર્બના થાય અને ભારે પવનને કારણે જો કોઇપણ અકસ્માત થાય તો તેવા સંજોગોમાં તાત્કાલીક આવશ્યક રાહત બચાવ કાર્ય સેવા ઉપલબ્ધ થઇ શકે તે માટે જરૂરી તમામ પગલા લેવામાં આવ્યા છે.

Source :- http://www.akilanews.com/04122017/rajkot-news/1512387367-88246

પાટીદારોના રેલા સામે હરીફોનો નવો કિમીયો...ટીવી પ્રસારણ અને અખબારો પણ અટકાવ્યાં..?
   રાજકોટ, તા. ૪ :. ગઈકાલે સુરતમાં હાર્દિક પટેલ દ્વારા વિશાળ મહાક્રાંતિ રેલી અને મહાસભા યોજાઈ હતી. જેમાં હજારો પાટીદારો ઉમટી પડયા હતા અને હરીફોને પાડી દેવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. પાટીદારોનો મિજાજનો  પ્રતિકાર કર્યો હોવાનું ચર્ચાય છે. સુરતમાં ચર્ચાતી વિગતો મુજબ હાર્દિક પટેલના રોડ-શો અને સભાનું જીવંત પ્રસારણ અનેક ટીવી ચેનલોએ માત્ર બે - ત્રણ મીનીટ દર્શાવી અન્ય કાર્યક્રમો પ્રસારીત કર્યા હતા. જ્યારે અખબારોએ હાર્દિક પટેલની સભા અને રેલીનું જબ્બર કવરેજ આપતા સવારથી ફેરીયાઓ પાસેથી અખબારોની નકલ ખરીદી લીધી હોવાની ફરીયાદો ઉઠી છે. તો કેટલાક વિસ્તારોમાં પાટીદારોના સમાચારવાળુ પેઈજ કટીંગ કરવામાં આવ્યુ હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.





Source :- http://www.akilanews.com/04122017/main-news/1512386330-119106

સુરતમાં પાટીદારોનો રણટંકારઃ સૌરાષ્ટ્રમાં સીધી અસર
રવિવારે સુરતમાં હાર્દિકનો હાઈવોલ્ટેજ રોડ-શો અને જંગી જાહેરસભામાં : ભાજપને પાડી દેવા લેવાયેલ શપથ બાદ સવા લાખ પાટીદારો વતન આવશે...૩૦૦૦ વાહનો બુક
   રાજકોટ, તા. ૪ :. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનથી સૌથી વધુ પ્રભાવિત હીરાનગરી સુરતમાં ગઈકાલે હાર્દિક પટેલના રોડ-શો અને મહાસભામાં ઉમટેલા પાટીદારનો સમુદ્ર ઘુઘવ્યો હતો. જેની સીધી અસર સૌરાષ્ટ્રની પાંચ જિલ્લાને ધારાસભાની ૨૦થી વધુ બેઠકો પર થનાર હોવાનું જાણકાર પંડીતોએ જણાવ્યુ છે.
   સુરતમાં ગઈકાલે હાર્દિક પટેલની ઐતિહાસિક જનક્રાંતિ મહારેલી સવારે ૯ કલાકેથી ગજેરા સર્કલથી પ્રારંભ થયો હતો. હાર્દિક પટેલની ઐતિહાસિક જનક્રાંતિ મહારેલીના પ્રારંભથી જ હજારો બાઈક અને કારમાં સવાર પાટીદારોએ રાજમાર્ગો પર 'જય સરદાર, જય પાટીદાર'ના નારા સાથે રાજમાર્ગો ગજવી દીધા હતા. મહાક્રાંતિ રેલીમાં ઠેર ઠેર હાર્દિક પટેલનું ઉત્સાહભર્યુ સ્વાગત કરવા મોટી સંખ્યામાં પાટીદાર ભાઈઓ-બહેનો ઉમટી પડયા હતા. મહાક્રાંતિ રેલીના રાજમાર્ગો પર ભારે ચક્કાજામ સર્જાયો હતો પરિણામે યોગી ચોક ખાતેની સભામાં સમયસર પહોંચવા માટે ૨૦થી વધુ સોસાયટીઓના રૂટ રદ્દ કરવાની ફરજ પડી હતી.
   યોગી ચોક ખાતેની પાટીદાર મહાસભામાં હાર્દિક પટેલે હજારો પાટીદારોને સંબોધતા જણાવ્યુ હતુ કે, ભાજપ સરકારને આ વખતે પાડી દેજો... સરકારની ભાગલા પડાવો અને રાજ કરો.. તેમજ પાટીદાર સમાજ ઉપર દમન સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા અને અંતમાં હજારો પાટીદારોએ સામુહિક રીતે ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં પાડી દેવાના શપથ લેવડાવ્યા હતા. યોગી ચોક ખાતેની સભામાં ઉપસ્થિતોને પાટીદાર સમાજના યુવાનોને વતનમાં ૯ વાગ્યા સુધીમાં મતદાન કરવા સંદેશો આપવા જણાવ્યું હતું.
   હાર્દિક પટેલની સુરતમા યોજાયેલ મહાક્રાંતિ રેલી અને મહાસભાની સીધી અસર સૌરાષ્ટ્રમાં પડશે. સુરતમાંથી અંદાજે સવા લાખથી વધુ પાટીદારો સૌરાષ્ટ્રમાં માત્ર મતદાન કરવા જવાના આયોજનો થયા છે. ૧૦૦૦થી વધુ બસ, ૨૦૦૦થી ખાનગી વાહનો દ્વારા તા. ૮ની મોડી રાત્રીના વતનમાં પહોંચી જવાનું આયોજન થયુ છે.

Source :- http://www.akilanews.com/04122017/main-news/1512386299-119105

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App




 CLICK HERE TO DOWNLOAD






Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment