સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 3 October 2017

નોટબંધી એક મોટી મની લોન્ડ્રીંગ સ્કીમઃ કાળુ નાણું સફેદ થઇ ગયું - ગુજરાત સરકારની 4 લાખ કર્મચારીઓને રીઝવવા દરખાસ્ત, મળશે પોતાનું ઘર - આજ દિવાળી, કાલ દિવાળી, કોંગ્રેસ તારી છેલ્લી દિવાળી ભાજપ સ્લોગન મૂકશે - કોંગ્રેસ માટે વિકાસ મજાક છે ભાજપ માટે વિકાસ મિસાલ છે: વિજય રૂપાણી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

નોટબંધી એક મોટી મની લોન્ડ્રીંગ સ્કીમઃ કાળુ નાણું સફેદ થઇ ગયું
યશવંતસિંહા બાદ હવે પુર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરીએ મોદી સરકાર સામે ધોકો પછાડયોઃ નોટબંધીને સાહસિક પગલુ કહેવાય છે પરંતુ આત્મહત્યા પણ સાહસિક પગલુ જ હોય છેઃ આ સરકાર અઢી લોકોની સરકાર છેઃ કોઇનું સાંભળતુ નથીઃ જીએસટીને ઉતાવળમાં લાગુ કરી દેવાયુઃ નાના વેપારીઓ મરોઃ દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે
નોટબંધી એક મોટી મની લોન્ડ્રીંગ સ્કીમઃ કાળુ નાણું સફેદ થઇ ગયું
   નવી દિલ્હી તા.૪ : યશવંત સિંહા બાદ ભાજપના વધુ એક દિગ્ગજ નેતા અરૂણ શૌરીએ પણ મોદી સરકાર વિરૂધ્ધ ધોકો પછાડયો છે. નબળા આર્થિક ગ્રોથ અને નોકરીઓની તકોમાં થઇ રહેલા ઘટાડાના મામલે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા અરૂણ શૌરીએ કહ્યુ છે કે નોટબંધીનો નિર્ણય આત્મહત્યા કરવા જેવો હતો. પુર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યુ છે કે, આ નિર્ણય થોડો વધારે પડતો બહાદુરીવાળી ફેંસલો હતો. તેમણે કહ્યુ છે કે નોટબંધી એક સૌથી મોટી મની લોન્ડ્રીંગ સ્કીમ હતી જેમાં સમગ્ર કાળા નાણાને સફેદ કરી દેવામાં આવ્યુ હતુ. તેમણે એવો પણ આરોપ મુકયો છે કે પીએમ મોદીના નેતૃત્વવાળી સરકાર 'અઢી લોકોની સરકાર' છે અને આ સરકાર નિષ્ણાંતોની વાત સાંભળતી નથી.
   આર્થિક સંકટને લઇને કેન્દ્ર સરકાર પર પોતાના જ લોકો પ્રહાર કરી રહ્યા છે. અરૂણ શૌરીએ સરકારને આર્થિક મામલે ભીંસમાં લીધી છે અને કહ્યુ છે કે, નોટબંધી એક તરફ સાહસિક પગલુ ગણાવવામાં આવી રહ્યુ છે પરંતુ હું યાદ અપાવવા માંગુ છું કે આત્મહત્યા એ પણ એક સાહસિક પગલુ જ છે. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં તેમણે કટાક્ષ કર્યો હતો કે એક રાત્રે વડાપ્રધાન સમક્ષ આકાશવાણી થઇ કે નોટબંધી કરી લેવામાં આવે અને તેમણે કરી નાંખી. નોટબંધી સમર્થનમાં આપવામાં આવેલી કઇ દલીલનો તર્ક આજ સુધી ટકયો છે. સમગ્ર કાળુ નાણુ સફેદ થઇ ગયુ, નોટબંધી એક મોટી મની લોન્ડ્રીંગ સ્કીમ હતી. આ વાતનો પુરાવો રિઝર્વ બેંકે ખુદ આપ્યો છે. તેના મતે ૯૯ ટકા જુની નોટ બેંકોમાં જમા થઇ ગઇ છે.
   એનડી ટીવીને આપેલી મુલાકાતમાં નોટબંધીને લઇને પુછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, આ અત્યાર સુધીની સૌથી મની લોન્ડ્રીંગ સ્કીમ હતી જે સરકાર તરફથી મંજુર કરી દેવામાં આવી અને લાગુ પણ થઇ ગઇ. આ મુર્ખામીપુર્ણ નિર્ણય હતો. નોટબંધી દરમિયાન કાળી કમાણી કરનારા લોકોએ પણ પોતાની રકમ સફેદ કરી નાંખી હતી.
   તેમણે કહ્યુ હતુ કે, દેશ અત્યારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે અને આ સંકટ અણસમજણપુર્વક લેવાયેલા જીએસટીના કારણે પેદા થયુ છે. તેમણે કહ્યુ હતુ કે, સરકાર તેને લાગુ કરવામાં એટલી ઉતાવળ કરી કે ઇન્ફોસીસને જીએસટી સોફટવેરની ટ્રાયલ પણ નહોતી કરવા દેવાય. જીએસટીનું ફોર્મ ઘણુ જટિલ છે અને તેની ડિઝાઇનમાં અનેક ખામીઓ છે. તેમણે કહ્યુ હતુ કે, જીએસટીને લઇને સરકારે ત્રણ મહિનામાં ૭ વખત નિર્ણય બદલવા પડયા. જીએસટીની સીધી અસર નાના અને મધ્યમ વેપારીઓ ઉપર પર પડી. આનાથી તેઓનુ વેચાણ અને આવક ઘટી ગયા.
   તેમણે કહ્યુ હતુ કે ભ્રષ્ટાચાર ઘટયાના દાવા થઇ રહ્યા છે પરંતુ આવુ થઇ રહ્યુ નથી. અસંગઠીત ક્ષેત્ર ઉપર નોટબંધીની અસર પડી છે અને ગ્રામીણ અર્થ વ્યવસ્થામાં વસ્તુઓની માંગ ઘટી છે. આનાથી કન્સ્ટ્રકશન, ટેકસટાઇલ સેકટર ઉપર માઠી અસર પડી છે. (૩-ર)

Source :-http://www.akilanews.com/04102017/main-news/1507091035-115346

ગુજરાત સરકારની 4 લાખ કર્મચારીઓને રીઝવવા દરખાસ્ત, મળશે પોતાનું ઘર

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રૂપાણી સરકાર દ્વારા લોકરંજક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે

ગાંધીનગર: 2017ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રૂપાણી સરકાર દ્વારા લોકરંજક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજય સરકારના 4 લાખ કર્મચારીઓને રીઝવવાનો સરકારે નિર્ણય લીધો હોવાનું આધારભૂત સરકારી સૂત્રોએ જણાવ્યું છે. 4 લાખ જેટલા કર્મચારીને રાહતદરે પોતાનું ઘરનું ઘર મળે તે માટે ચૂંટણી પહેલાં સરકાર જાહેરાત કરી શકે છે.

જિલ્લાઓમાં કર્મચારીઓને રાહતદરે ફ્લેટ આપવા નવી નીતિ તૈયાર કરવાની કવાયત સરકારે હાથ ધરી છે. આ અંગેની દરખાસ્ત હાલ સીએમઓ સુધી પહોંચી છે, મુખ્યમંત્રી મંજૂરી આપે એટલે તેની જાહેરાત કરવામાં આવશે. અગાઉ ગાંધીનગરમાં માત્ર બિનબદલીપાત્ર કર્મચારીઓને પ્લોટ ફાળવવાની નીતિ હતી પરંતુ તેના ઉપર સુપ્રિમ કોર્ટના સ્ટેને કારણે હવે ફાળવણી અટવાઇ છે ત્યારે બદલીપાત્ર અને જિલ્લાની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ તેનો લાભ મળે તે માટે સરકાર સર્વગ્રાહી નીતિ તૈયાર કરી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે.

સરકારે તૈયાર કરેલી દરખાસ્ત

સરકારે તૈયાર કરેલી દરખાસ્ત મુજબ જિલ્લાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ એક સહકારી સોસાયટી બનાવી મકાન મેળવવા અરજી કરે તે પ્રમાણે મહેસૂલ વિભાગ રાહત દરે પ્લોટ ફાળવશે. સ્થાનિક સત્તામંડળ, નગરપાલિકા કે હાઉસીંગ બોર્ડ નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફ્લેટ બાંધી આપશે. જમીનની કિંમત, ફ્લેટની કિંમત સહિતની બાબતો નક્કી કરવાની કવાયત ચાલી રહી છે.

રાજ્ય સરકાર હસ્તકના સીધા કર્મચારીઓને નોકરીના જિલ્લામાં મકાન ન લેવું હોય તે વતનના જિલ્લામાં અરજી કરી શકે તેવી પણ જોગવાઇ રખાશે. તેમજ નોકરીમાં સળંગ 5 વર્ષ પુરા કર્યા હોય તેઓ મકાન માટે અરજી કરી શકશે. સૂત્રો મુજબ શહેરી વિસ્તારોમાં જમીન ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં શહેરથી નજીક સત્તામંડળ વિસ્તાર કે તેની આસપાસમાં મહેસૂલ વિભાગ પ્લોટ આઇડેન્ટીફાઇ કરશે અને તેના ઉપર ટાવર ટાઇપ ઇમારત બનાવીને ફ્લેટની ફાળવણી કરશે.
15 દિવસમાં દરેક વર્ગને રીઝવવાના પ્રયાસો

- મગફળીની તેમજ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવા આગોતરી જાહેરાત
- પાટીદાર-બિન અનામત વર્ગની 58 જ્ઞાતિઓ માટે નિગમ અને આયોગ
- પાટીદારો પર થયેલા પોલીસ દમન સંદર્ભે તપાસ પંચની ઘોષણા
- પાટીદાર આંદોલન સંદર્ભે રજિસ્ટર થયેલા કેસ પાછા ખેંચવા જાહેરાત
- મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે ફિશીંગ હાર્બર
- બાકી રહેલા 16 બોર્ડ- નિગમના કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ
 
જમીન ઉપલબ્ધીની મર્યાદાને કારણે ફ્લેટનો નિર્ણય

સરકારે અગાઉ ગાંધીનગરમાં પ્લોટ ફાળવણી માટેની નીતિ તૈયાર કરી હતી. તે પ્રમાણે બદલીપાત્ર કર્મચારીઓને પણ વતનમાં પ્લોટ આપવાનો નિયમ બનાવાયો હતો પરંતુ જમીનની મર્યાદાને કારણે બહુ ઓછા કર્મચારીઓને તેનો લાભ મળ્યો હતો. જેના પગલે પાત્રતા ધરાવતા તમામ કર્મચારીઓન મકાનનો લાભ મળે તે માટે ફ્લેટ ટાઇપ મકાનો આપવાની યોજના તૈયાર કરાઇ રહી છે.
 
સહકારી મંડળી બનાવવી પડશે

મકાન મેળવવા માંગતા કર્મચારીઓએ અમુક નિયત કરાનાર સભ્યોની સહકારી મંડળી બનાવી તેનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સોસાયટી વતી તેમણે મહેસૂલ વિભાગ પાસે જમીનની માંગણી કરવાની રહેશે. જમીન નક્કી થયા બાદ મંડળીની દરખાસ્ત અનુસાર સત્તામંડળ કે હાઉસીંગ બોર્ડ દ્વારા ફ્લેટ તૈયાર કરી અપાશે.
 
રાજકીય લાભ મેળવવાની કવાયત

2017ની ચૂંટણીમાં ભાજપ 150 બેઠક જીતવાનું મિશન લઈને ચાલે છે. હાલમાં રાજ્યના તમામ વર્ગ અને ક્ષેત્રમાં સરકાર સામે અસંતોષનું વાતાવરણ જોવા મળે છે. આ સ્થિતિમાં ભાજપ સરકારને જો મિશન 150 પાર પાડવું હોય તો લોકપ્રીય નિર્ણયો લેવા ખૂબજ જરૂરી થઈ ચુક્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓને રાહતદરે ઘરનું ઘર આપવાનો નિર્ણય પણ ભાજપ સરકારની ચૂંટણીલક્ષી રાજકીય લાભ ખાટવાની કવાયતના ભાગરૂપે જ મનાય છે.
 

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-home-given-relief-rate-for-government-employees-gujarati-news-5711461-PHO.html

આજ દિવાળી, કાલ દિવાળી, કોંગ્રેસ તારી છેલ્લી દિવાળી ભાજપ સ્લોગન મૂકશે

કોંગ્રેસનું વિકાસ ગાંડો થયો છે તેની સામે ભાજપે સોશ્યલ મિડિયાને એક્ટીવ કરવા વ્યૂહ ઘડ્યો

નડિયાદ: નડિયાદ ખાતે ખેડા જિલ્લા યુવા મોરચાની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મિડિયા પર ‘વિકાસ ગાંડો થયો છે’નું સ્લોગન વહેતુ મુકી મોવડીની મુશ્કેલી વધારી છે. તેનો સામનો કરવો ‘આજ દિવાળી કાલ દિવાળી, કોંગ્રેસ તારી છેલ્લી દિવાળી’નું સુત્ર વહેતુ કરશે.

ખેડા જિલ્લા યુવા મોરચાની બેઠકમાં કોંગ્રેસના સોશ્યલ મિડિયા દ્વારા થતા આક્રમણનો સામનો કરવાનો વ્યૂહ ઘડવામાં આવ્યો હતો. જિલ્લા પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં યુવા કાર્યકર્તાઓએ ખેડૂતોના પ્રશ્નો, જીએસટીના પ્રશ્નો અંગે જિલ્લા ભાજપ પ્રમુખને રજુઆતો કરી હતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.

દરમિયાનમાં જિલ્લા પ્રમુખ પોતાના વકતવ્યમાં કાર્યકર્તાઓને કોંગ્રેસના સોશ્યલ મિડિયાના આક્રમણનો સામનો કરવા સલાહ સૂચન કરવામાં આવ્યાં હતાં. કોંગ્રેસના સોશ્યલ મીડિયાને આક્રમણનો સામનો કરવા ‘આજ દિવાળી કાલ દિવાળી, કોંગ્રેસ તારી છેલ્લી દિવાળી’ના સુત્ર સાથે પ્રતિકાર કરવા આહવાન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા યુવા મોરચા પ્રમુખ ધવલ પટેલ, મહામંત્રી મિતેષ પટેલ, વિષ્ણુસિંહ ડાભી, જિલ્લા પ્રભારી ચિરાગભાઈ પટેલ વિગેરે હાજર રહ્યાં હતાં.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-NAD-OMC-in-the-bjp-against-the-congress-the-strategy-is-to-activate-social-media-gujarat-571147.html?seq=99

કોંગ્રેસ માટે વિકાસ મજાક છે ભાજપ માટે વિકાસ મિસાલ છે: વિજય રૂપાણી

ગોધરામાં CM -ડે. CMની આગેવાનીમાં ગૌરવયાત્રાનું આગમન
ગોધરા:ગુજરાતના મુખ્યમંત્રી તથા ઉપ મુખ્યમંત્રી ની આગેવાનીમાં પંચમહાલ જિલ્લામાં ગૌરવ યાત્રા મોરવા થી પ્રવેશ કરીને સંતરોડ ખાતે આવકારી હતી. બાદમાં મોડી સાંજે ગોધરાના પરવડીથી રેલી કાઢવાના હતા. પરતું મોડુ઼ થતાં રેલી કેન્સલ કરીને ગૌરવ યાત્રા સીધી સાયન્સ કોલેજ ગાઉન્ડ ના સભા સ્થળે પહોચી હતી.

સ્મુતિ ઇરાની ન આવતાં ગોધરાવાસીઓ નારાજ : કોંગ્રેસ પર ચાબખા

સ્મૃતિ ઇરાણી કોઇ કારણસર ગોધરા ન આવતાં ગોધરાવાસી તથા કાર્યકત્તાઓ નિરાશ નજરે પડતા હતા. પુરો કાર્યક્રમ માં મોડો શરૂ થતાં સભા સ્થળે પાંખી હાજરીમાં મુખ્યમંત્રી , ઉપમુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે ભાષણ આપ્યુ઼ હતુ઼. નીતીન પટેલે ગોધરાનું નામ આવતાં ગોધરા એટલે ગૌ માતાની યાદ અપાવે તેવી ભૂમિ કહીને કોગ્રેસ જુઠાણા ચલાવે છે.
લધુમતી સમાજના લોકોએ કેસરીઓ ખેસ પહેરી ભાજપમાં પ્રવેશ

વિજય રૂપાણીએ કોગ્રેસ માટે વિકાસ મજાક છે જયારે ભાજપ માટે વિકાસ મિસાલ છે.વધુમાં જણાવ્યુ હતુ કે કોગ્રેસના શાસનમાં વ્યક્તિ દીઠ આવક રૂા.13 હજાર હતી. જયારે ભાજપના શાસનમાં વ્યક્તિ દીઠ આવક રૂા. 1,41,504 ની છે. મુખ્યમંત્રીની હાજરીમાં ગોધરા નગર પાલિકાના લધુમતી ના પાંચ સભ્યો સોફિયા જમાલ, ઇદરીશ દરગાઇ, ફાતેમા બીબી, અસરફ ચાંદા તથા સાજીદ કલા સહિત અનેક લધુમતી સમાજના લોકોએ કેસરીઓ ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-PAN-OMC-development-for-the-congress-is-a-joke-bjps-development-is-misleading-vijay-rupa-571151.html?seq=2

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD



Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment