સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 6 October 2017

વેપારીઓને દિવાળી ગિફટઃ કમ્પોઝિટ સ્કીમ હવે ઉદાર, નાના એકમોને મળી રાહત, નિકાસકારોને પણ રિલીફ - GSTમાં ફેરફાર છતાં કાપડ વેપારીઓ નારાજ, કાળી દિવાળી ઉજવશે - કઇ ૩૬ બેઠકો ઉપર ભાજપ - કોંગ્રેસની નજર છે? - રૂપિયા એક લાખના પગારદાર ઇન્કમટેકસ અધિકારીઓને ફાળવેલી કાર પરત લેવા રિટ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

વેપારીઓને દિવાળી ગિફટઃ કમ્પોઝિટ સ્કીમ હવે ઉદાર, નાના એકમોને મળી રાહત, નિકાસકારોને પણ રિલીફ
એકસપોર્ટસના રીફન્ડની પ્રોસેસ ૧૦ ઓકટોબરથી શરૂ થશેઃ અરૂણ જેટલી
   નવી દિલ્હી તા.૭ : હવે પછી વાર્ષિક દોઢ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા નાના અને મધ્યમ એકમોએ જીએસટીનું રિટર્ન્સ કવોર્ટરલી ફાઇલ કરવાનું રહેશે. આ સાથે નિકાસકારોને ઇન્ટિગ્રેટેડ ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે તે જ કમ્પોઝીશન સ્કીમ માટે સરકારે ટર્નઓવરની મર્યાદા વધારીને એક કરોડ રૂપિયા સુધીની કરી છે અર્થાત એક કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા એકમો કમ્પોઝીટ સ્કીમમાં ભાગ લઇ એકથી પાંચ ટકા જેટલો જીએસટી ભરીને લાંબીલચક વિધિમાંથી પસાર થવાનુ ટાળી શકશે. આ ત્રણ નિર્ણયો સાથે સરકારે સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇઝિસ (એસએમઇ)ને અને એકસપોર્ટર્સને જીએસટી બાબતે રાહત આપી હતી. જીએસટી કાઉન્સીલની શુક્રવારે યોજાયેલી મીટીંગમાં આ સાથે અન્ય રાહતની પણ જાહેરાત કરવામાં આવી હતી.
   કમ્પોઝીશન સ્કીમમાં ભાગ લેવા માટેની ટર્નઓવર લીમીટ અગાઉ ૭પ લાખ રૂપિયા સુધીની હતી. હવે એક કરોડ રૂપિયાથી ઓછુ ટર્નઓવર ધરાવનારને લાભ મળી શકશે. નાણાપ્રધાન અરૂણ જેટલીના અધ્યક્ષપદ હેઠળ મળેલી કાઉન્સીલની બાવીસમી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી ૯૦ લાખ રજીસ્ટડ કરદાતાઓમાંથી ૧પ લાખ લોકો કમ્પોઝીશન સ્કીમ હેઠળ રજીસ્ટર થયા છે. જેમાં વેપારીઓ માટે ગુડસ પર એક ટેકો જીએસટી છે. ઉત્પાદકો પર બે ટકા જીએસટી છે અને માનવ વપરાશ માટે ફુડ અથવા ડ્રાીન્કસ (આલ્કોહોલ સિવાય)ના સપ્લાયર્સ પર પાંચ ટકા જીએસટી છે. જો કે સર્વિસ પ્રોવાઇડર્સ કમ્પોઝીશન સ્કીમ લાભ નથી લઇ શકતા. ઇટરીઝ સહિતના નાના બીઝનેસમેન કમ્પોઝીટ સ્કીમમાં ભાગ લઇ શકે છે. કમ્પોઝિટ સ્કીમમાં ભાગ લેનાર માટે ઇનપુટ ટેકસ ક્રેડીટ ઉપલબ્ધ નથી થતી તેમ જ આ વેપારીઓ માત્ર પોતાના રાજયમાં જ માલ સપ્લાય કરી શકે છે અન્ય રાજયોમાં નહી.
   આ ઉપરાંત કાઉન્સીલે નિકાસકારોને આઇજીએસટીની રિલીફ છ મહિના માટે આપી છે અને ઇ-વોલેટની ફેસીલીટી પણ મંજુર કરી છે. કાઉન્સીલે રેસ્ટોરાં માટેના જીએસટી રેટસના રેશનાલાઇઝેશન માટે એક પેનલ રચવાનુ પણ નક્કી કર્યુ હતુ.
   નાણાપ્રધાને કરેલી વધુ એક મહત્વની જાહેરાત મુજબ નિકાસકારોને જુલાઇ અને ઓગષ્ટના રીફન્ડની પ્રોસેસ ૧૦ ઓકટોબરથી શરૂ થઇ જશે.(૩-૩)
   હાઇલાઇટસ
   * નિકાસકારો માટે ઇ-વોલેટ ફેસિલિટી ર૦૧૮ની ૧ એપ્રિલથી
   * નાના-મધ્યમ એકમોને કમ્પ્લાયન્સ બોજ ઘટયો
   * દોઢ કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા એકમોએ કવોર્ટરલી રિર્ટન ફાઇલ કરવાનુ રહેશે.
   * રેસ્ટોરાંના રેટસના રેશનલાઇઝેશન માટે પેનલ રચવામાં આવી.

Source :-http://www.akilanews.com/07102017/main-news/1507351642-115518

GSTમાં ફેરફાર છતાં કાપડ વેપારીઓ નારાજ, કાળી દિવાળી ઉજવશે
કાપડ ઉદ્યોગની કોઇ માંગણી સ્વીકારાઇ નથી...
   સુરત તા. ૭ : જીએસટીની કાઉન્સીલની શુકવારે દિલ્હીમાં મળેલી બેઠકમાં જવેલર્સની પાન કાર્ડ પર ખરીદી વધારવાની મર્યાદાની માગ સ્વીકારી લેવાતા દેશભરના જવેલર્સની દિવાળી સુધરી ગઇ છે પણ સુરતના ટેકસટાઇલ ઉદ્યોગમાં ભારે નિરાશા જોવા મળી છે. કાઉન્સીલે કાપડ ઉદ્યોગની મહત્વની કોઇ માગ સ્વીકારી નથી. સુરતના ટેકસટાઇલ ઉદ્યોગના વેપારીઓએ દિવાળીમાં માર્કેટ વિસ્તારમાં રોશની નહીં કરવાનો અને કાળી દિવાળી મનાવવો તેવો કાઉન્સીલની બેઠક પછી નિર્ણય લઇ લીધો છે.
   જીએસટી કાઉનિસીલની બેઠકમાં કાપડ ઉદ્યોગ માટે જે નિર્ણય લેવાયા તેમાં વર્ષે દિવસે ૧.૫૦ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓને હવે જીએસટીનું રિર્ટન દર મહિનાને બદલે ૩ મહિને ભરવાનું રહેશે, યાર્ન પર જીએસટીનો દર ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરાયો છે,
   કાપડ ઉદ્યોગ માટે જીએસટી કાઉન્સીલે જે પણ નિર્ણય લીધા તે સુરતના કાપડના વેપારીઓને મંજૂર નથી. કાપડના વેપારીઓની દલીલ એવી છે કે ૧.૫૦ કરોડના ટર્નઓવર વાળા નાના વેપારીને દર ત્રણ મહિને એક જ વાર રિર્ટન ભરવાનું રહેશે એટલે જે મોટા વેપારીઓ દર મહિને ટેકસ ભરે તેને રિફંડ ૩ મહિના પછી મળશે. એ બધાની વચ્ચે જો નાનો વેપારી ઉઠી ગયો તો તેનું રિફંડ કોણ આપશે.જીએસટી કાઉન્સીલના નિર્ણયથી સુરતના કાપડ ઉદ્યોગમાં ભારે નારાજગી છે. જીએસટી સંદ્યર્ષ સમિતિ અને ઓલ ઇન્ડીયા ટેકસટાઇલ ઉદ્યોગના પ્રમુખ તારચંદ કાસટે કહ્યું હતું કે સરકારે ફરી એકવાર અમને લોલીપોપ આપ્યો છે પણ આ વખતે સુરતની ૧૫૦ ટેકસટાઇલ માર્કેટમાં રોશની નહીં કરવાનો અને કાળી દિવાળી મનાવવાનો નિર્ણય લેવાયો છે.

Source :-http://www.akilanews.com/07102017/gujarat-news/1507351886-64408

કઇ ૩૬ બેઠકો ઉપર ભાજપ - કોંગ્રેસની નજર છે?
શું છે બંને પક્ષોની રણનીતિ? આ ૩૬ બેઠકો ઉપર ઓછા માર્જિનથી હાર-જીત થઇ'તી
કઇ ૩૬ બેઠકો ઉપર ભાજપ - કોંગ્રેસની નજર છે?
   નવી દિલ્હી તા. ૭ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હજુ જાહેર થઈ નથી, પણ ભાજપ અને કોંગ્રેસે અત્યારથી સોગઠાં ગોઠવવાના શરૂ કરી દીધા છે. બંને પક્ષોના મોટા નેતાઓના એક પછી એક ગુજરાતમાં પ્રવાસો ગોઠવાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ભાજપ અને કોંગ્રેસ ગત વિધાનસભાની ચૂંટણીમાં ઓછા માર્જિનથી ગુમાવેલી બેઠકોનો અભ્યાસ કરી રહ્યા છે અને આ બેઠકો ફરી કઈ રીતે કબજે કરી શકાય તેની રણનીતિ તૈયાર કરી રહ્યાં છે. વિધાનસભાની ગત ચૂંટણીઓમાં ૩૬ બેઠકો પર ઓછા માર્જિનથી હારજીત થઈ હતી. જેમાં કોંગ્રેસે ૨૧ બેઠકો અને ભાજપે ૧૩ બેઠકો ઓછા માર્જિનથી જીતી હતી. જયારે એનસીપી અને જીપીપીએ એક-એક બેઠકો મેળવી હતી.
   વર્ષ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૩૬ બેઠકો પર પાંચ હજાર કે તેથી ઓછા માર્જિનથી હારજીત થઈ હતી. પાતળી બહુમતીથી જીત મળી હોય તેવી બેઠકો કોંગ્રેસ પાસે વધુ હોવાથી કોંગ્રેસ માટે આ બેઠકો જાળવી રાખવી એ કસોટી બનશે. કોંગ્રેસે પાતળી બહુમતીથી ૨૦૧૨માં જીતી હોય તેવી પાંચ બેઠકો તો ભાજપે પેટા ચૂંટણીમાં જીતી છે. આવી બેઠકોમાં તલાલા, સોમનાથ, લીંબડી, ધોરાજી અને લાઠી બેઠકનો સમાવેશ થાય છે. ભાજપ-કોંગ્રેસ પાતળી બહુમતીવાળી બેઠકો માટે એડીચોટીનું જોર લગાવશે.
   વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ઓછા મતે હારજીત થઈ હોય તેવી બેઠક સોજિત્રા છે. સોજિત્રામાં કોંગ્રેસના ઉમેદવાર માત્ર ૧૬૨ મતે જીત મેળવી હતી. જયારે કલોલ બેઠક કોંગ્રેસે ૩૪૨ મતે જીતી હતી. તો વળી કાંકરેજ બેઠક પર કોંગ્રેસે ૬૦૦ મતે જીત મેળવી હતી. કાંકરેજમાં જીપીપીના ઉમેદવાર ૭ હજાર મતે જીત્યા હતા.
   અમદાવાદની બાપુનગર બેઠક ભાજપે ૨,૬૦૩ મતે જીતી હતી. અહીં કોંગ્રેસ માટે એનસીપી અને અપક્ષે વિલનની ભૂમિકા અદા કરી હતી. એનસીપીને ૩,૦૦૦થી વધુ અને એક અપક્ષે ૨,૫૦૦થી વધુ મત મેળવ્યા હતા. સોમનાથ બેઠક પર કોંગ્રેસના જશા બારડે ૨૦૦૯ મતે જીત્યા હતા. પણ, તેઓ પછી પક્ષ પલટો કરી ભાજપમાં ભાજપમાં જોડાયા અને પેટા ચૂંટણીમાં તેમણે ભાજપમાંથી જીત મેળવી હતી અને આજે મંત્રી પદે છે. ડોડિયાપાડા બેઠક ભાજપે ૨,૫૫૫ મતે જીતી હતી. અહીં જેડીયુના ઉમેદવારે ૨૦ હજારથી વધુ મતો મેળવ્યા હતા. સાવરકુંડલા બેઠક ભાજપે ૨,૩૮૪ મતે જીતી હતી. અહીં, જીપીપી અને એક અપક્ષ ઉમેદવારે ૧૪-૧૪ હજારથી વધુ મતો મેળવ્યા હતા.
   ઉલ્લેખનીય છે કે, દર વખતે ભાજપ અને કોંગ્રેસ ઓછા માર્જિનથી બેઠકો જીતવા માટે રણનીતિ નક્કી કરે છે, પણ તેમાં ફાયદો થતો નથી. જેમકે, છેલ્લા ૨૨ વર્ષથી કોંગ્રેસ બાપુનગર બેઠક ઓછા માર્જિનથી ગુમાવે છે, તો આ જ પ્રકારે કાંકરેજ બેઠક પણ સમયાંતરે ભાજપ ઓછા માર્જિનથી ગુમાવતો આવ્યો છે.
   કોંગ્રેસે ઓછા માર્જિનથી  જીતેલી ૨૧ બેઠકો
   કાંકરેજ, કડી, દહેગામ, કલોલ, સાણંદ, દરિયાપુર, લીંબડી, રાજકોટ ઈસ્ટ, ધોરાજી, જામનગર ગ્રામ્ય, માણાવદર, સોમનાથ, તલાલા, લાઠી, સોજિત્રા, મહેમદાવાદ, લુણાવાડા, ગોધરા, છોટા ઉદેપુર, સંખેડા, ડાંગ
   ભાજપે ઓછા માર્જિનથી  જીતેલી બેઠકો
   અંજાર, થરાદ, રાધનપુર, ગાંધીનગર નોર્થ, બાપુનગર, મોરબી, જામનગર દક્ષિણ, સાવરકુંડલા, આણંદ, જેતપુર, પાદરા, કરજણ, ડેડિયાપાડા
   જીપીપી-એનસીપીએ  જીતેલી બેઠકો
   ધારી અને ઉમરેઠ
   શું છે ભાજપ-કોંગ્રેસની રણનીતિ
   ભાજપે ૧૫૦ બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તે માટે નાના માર્જિનની બેઠકોની સાથે કોંગ્રેસના ગઢ હોય તેવી બેઠકોની સાથે કોંગ્રેસનો ગઢ હોય તેવી બેઠકોમાં પમ ગાબડાં પડવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. કોંગ્રેસનો ગઢ ગણાતી લધુમતી અને દલિત બહુમતીવાળી બેઠકો જીતવા પર ભાજપ ફોકસ કરી રહ્યો છે. જેમાં અમદાવાદની દરિયાપુર અને દાણીલીમડા જેવી બેઠકોનો સમાવેશ થાય છે. ભાજપે કોંગ્રેસનો ગઢ હોય તેવી જમાલપુર બેઠક ગત વખતે જીતી હતી.
   તો સામે પક્ષે કોંગ્રેસ ભાજપનો ગઢ હોય તેવી બેઠકો પર વધુ પરિશ્રમ કરવાને બદલે ઓછા માર્જિનથી ગુમાવેલી બેઠક જીતવા માટે ખાસ રણનીતિ બનાવી છે. અમદાવાદની બાપુનગર બેઠક જીતવા કોંગ્રેસ ખાસ રણનીતિ બનાવી છે. આ પ્રકારે મોરબી, જામનગર દક્ષિણ, આણંદ, અંજાર અને રાધનપુર સહિતની બેઠકો પર ફોકસ કરાયું છે. આ વખતે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરવામાં પણ ખાસ તકેદારી રાખી રહ્યું છે.

Source :-http://www.akilanews.com/07102017/main-news/1507351762-115521

રૂપિયા એક લાખના પગારદાર ઇન્કમટેકસ અધિકારીઓને ફાળવેલી કાર પરત લેવા રિટ
સરકાર આવા ૧૫૦ અધિકારીઓની કારનું વર્ષે રૂ. સવા સાત કરોડનું બિનજરૂરી ભાડું ભરે છેઃ સરકારી કારમાં જ અધિકારીઓના પત્ની શોપિંગ કરવા જાય છેઃ બાળકોને સ્કૂલ અને ટ્યૂશન લેવા-મુકવા ઉપયોગમાં લેવાય છે : ઓફિસ સિવાય ઘરના કામ, કલબ વગેરેમાં જવા પણ કાર વપરાય છે
   અમદાવાદ તા. ૭ : ઈનકમટેકસ વિભાગના રૂ. એક લાખના પગારદાર અધિકારીઓને રૂ. ૪૦ હજારના ભાડાની કાર આપવાનો રસપ્રદ મુદ્દો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. રાજયમાં આવા ૧૫૦ જેટલા અધિકારીઓ છે અને તેઓ કારની સુવિધા માટેની લાયકાત નહીં ધરાવતા હોવા છતાંય તેમને કાર ફાળવવામાં આવે છે અને તેનું ભાડું સરકાર ચૂકવે છે. તેથી વર્ષે રૂ. સવા સાત કરોડનો બોજો સરકારી તિજોરી પર પડે છે. કારની સુવિધા કમિશનર અથવા તેની ઉપરનો હોદ્દો ધરાવતા અધિકારીઓને જ મળવા પાત્ર હોઇ બિનજરૂરી રીતે જેને કાર આપીને સરકાર ભાડું ચૂકવે છે તેમની ભાડુતી કાર પરત ખેંચી નાણાંકીય બચત કરવાની દાદ રિટમાં માંગવામાં આવી છે.
   આ સમગ્ર મામલે અરજદાર સુનીલ શાહે એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે રિટ પિટિશન કરી છે. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા છે કે,કેન્દ્ર સરકારના તમામ વિભાગ માટે ડોપ્ટ હેઠળ કેટલાક નીતિનિયમો નિર્ધારિત કરાયા છે. જે અન્વયે કમિશનર કે તેનાથી ઉપરથી રેન્કના ઈનકમટેકસ અધિકારીને જ ઘરેથી આવવા-જવા માટે કારની સુવિધા આપવાનું નક્કી કરાયું છે. આ નિયમથી વિરૂદ્ઘ ઈનકમટેકસ વિભાગના આસિસ્ટન્ટ, ડેપ્યુટી, જોઇન્ટ અને એડિશનલ કમિશનરને પણ કારની સુવિધા આપવામાં આવી રહી છે. રાજયમાં આવા ૧૫૦ જેટલા અધિકારીઓ છે. આ અધિકારીઓ જે કાર ભાડે લે છે તેનો ઉપયોગ પોતે તો કરે જ છે, પરંતુ સાથે જ તેમના કુટુંબીજનો પણ તેનો ઉપયોગ કરે છે અને તેનું કરોડો રૂપિયાનું ભાડું સરકાર ચૂકવે છે. સામાન્ય પેટ્રોલ અલાઉન્સને બદલે તેમને ભાડા માટે ૪૦થી ૬૦ હજારનો ખર્ચો કરવામાં આવે છે. જો તે ના કરવામાં આવે તો મહિને ૬૦ લાખ અને વર્ષે રૂ. સવા સાત કરોડની બચત સરકારને થઇ શકે તેમ છે.
   રિટમાં એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે, આવા અધિકારીનો પગાર રૂપિયા એક લાખ હોય અને તેને રૂ. ૪૦ હાજર એટલે કે પગારના ૪૦ ટકા રકમ કારના ભાડા પેટે ચૂકવવામાં આવે છે. હકીકતમાં તેમને પગારના ૧૦ ટકા જેટલું પેટ્રોલ અલાઉન્સ આપવું જોઇએ. સરકાર આ રીતે તેમને બીનજરૂરી અને ગેરવ્યાજબી સુવિધા આપીને નાણાં અને સત્તાનો દુરુપયોગ કરે છે. આવા અધિકારીઓ કારનો જે ગેરકાયદેસર ઉપયોગ કરી તેનો ગેરલાભ ઉઠાવે છે તેમની સામે કાયદેસરના પગલાં પણ લેવા જોઇએ.

Source :-http://www.akilanews.com/07102017/gujarat-news/1507351859-64407

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment