સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 20 March 2015

મધ્યમ વર્ગીય પુરુષોને ગંભીર રોગો માટે હવે મફત સારવાર

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

મધ્યમ વર્ગીય પુરુષોને ગંભીર રોગો માટે હવે મફત સારવાર

વર્ષે ૧.૨૦ લાખની આવક ધરાવતા

વિધાનસભામાં આરોગ્ય વિભાગની 'મા વાત્સલ્ય યોજના'નું ફલક વિસ્તારવાની જાહેરાતને વિપક

(પ્રતિનિધિ દ્વારા)    ગાંધીનગર, શુક્રવાર
ગુજરાત સરકારે લાંબા સમયથી થઇ રહેલી માગણીઓ - રજૂઆતો ધ્યાને લઇ અતિ મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં આરોગ્ય વિભાગની મા વાત્સલ્ય યોજના હેઠળ ૧ લાખ ૨૦ હજાર સુધીની વાર્ષિક આવક ધરાવતા, ગરીબી રેખાથી ઉપરના એટલે કે મધ્યમ વર્ગના કુટુંબના ૨૧ વર્ષની વયથી ઉપરના પુરુષને પણ હવે કિડની, કેન્સર, હૃદયરોગ જેવા ગંભીર રોગોની વર્ષે બે લાખ રૃપિયાના ખર્ચ સુધીની સારવાર તમામ સરકારી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલોમાં તથા ખાનગી માન્ય હોસ્પિટલોમાં વિનામૂલ્યે આપવામાં આવશે. રાજ્ય સરકારે તરફથી આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આ જાહેરાત શુક્રવારે રાજ્ય વિધાનસભાગૃહમાં કરી, ત્યારે તેને વિરોધ પક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ પણ પાટલીઓ થપથપાવી વધાવી લીધી હતી.
ગઇ સાલ ૨૦૧૪-૧૫ના બજેટમાં મા વાત્સલ્ય યોજના જાહેર કરાઇ, ત્યારે એમાં ૧.૨૦ લાખની વાર્ષિક આવક ધકાવતા મધ્યમ વર્ગના કુટુંબની તમામ બહેનોને તથા કુટુંબના ૨૧ વર્ષ સુધીના યુવાનને વર્ષે ૨ લાખની મર્યાદામાં ગંભીર રોગોની સારવાર મફત આપવાની જાહેરાત થઇ હતી. એ વખતથી આ યોજનામાં ઉંમરના બાધ વગર પુરુષને પણ આવરી લેવા ધારાસભ્યો દ્વારા અને ખાસ કરીને અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય દ્વારા મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ તથા આરોગ્ય પ્રધાન સમક્ષ રજૂઆતો થતી રહી હતી. આખરે શુક્રવારે આરોગ્ય વિભાગના વર્ષ ૨૦૧૫-૧૬ના બજેટની માગણીઓનો જવાબ આપતી વખતે આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આનંદભેર તેની જાહેરાત કરી હતી.
આરોગ્ય વિભાગની મા વાત્સલ્ય યોજના એ તત્કાલીન મુખ્યપ્રધાન મોદી વખતે શરૃ થયેલી મુખ્યપ્રધાન અમૃતમ્ યોજના - મા યોજનાનો જ એક ભાગ છે, જેમાં તમામ બીપીએલ કુટુંબોને વર્ષે ૨ લાખની મર્યાદામાં ગંભીર રોગો માટે મફત સારવાર અપાય છે.
આ મા વાત્સલ્ય અને મા અમૃતમ્ યોજનાની સારવાર માટે રાજ્યની તમામ સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ ધરાવતી સરકારી તથા માન્ય ખાનગી મળીને કુલ ૬૦ હોસ્પિટલો નિશ્ચિત થયેલી છે. મા વાત્સલ્ય યોજનામાં રાજ્યમાં ૨૨.૧૯ લાખ કુટુંબો નોંધાયા છે અને વર્ષ ૨૦૧૫-૧૬માં આ યોજના માટે રૃા. ૧૨૦ કરોડની જોગવાઇ થઇ છે. ગ્યાસુદ્દીન શેખે આ વાત્સલ્ય યોજનામાં ૨૧ વર્ષની વયથી ઉપરના પુરુષોને પણ આવરી લેવાની સરકારની જાહેરાતને આવકારતા જણાવ્યું હતું કે, ગંભીર બિમારીઓમાં વ્યસનોની મુખ્ય ભૂમિકા હોય છે ત્યારે વ્યસનોના દૂષણથી લોકોને મુક્ત કરવા માટે સંતો-વિભૂતિઓનું અનુસરણ કરીને સરકારે પણ મોટાપાયે વ્યસનમુક્તિ કેન્દ્રો ખોલવા જોઇએ, એમણે સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે દિલ્હીની માફક ગુજરાતમાં પણ સરકારી જમીન ઉપર બનેલી તમામ ખાનગી હોસ્પિટલોમાં ૧૦ ટકા પથારીઓ તથા ૨૫ ટકા ઓપીડી ગરીબ-મધ્યમવર્ગના દર્દીઓ માટે અનામત રાખવાની નવી રજૂઆત પણ કરી હતી.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment